પત્રકારિતા એ સંપાદક, કટારલેખક અને વાચક એનો સમુચિત સમાહાર છે. એક પ્રસંગ કહું.
૨૦૧૦ની સાલમાં મારા અંગત જીવનની ઘણી ક્રાઈસિસ ભોગવતો હતો. ત્યારે મેં “ઓપિનિયન”નો ડિજિટલ અંક જોયો. ગુજરાતી લૅક્સિકન માટે મેં ઇ.મેલ દ્વારા પૂછાવેલું એ પરથી એમને મારો પત્તો લાગ્યો હશે.
મને એ અંક બહુ ગમ્યો. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં આ નામના પત્રનો ઐતિહાસિક ફાળો, વિપુલભાઈની એ જ ભૌગોલિક (સૌરાષ્ટ્ર, પૂર્વ આફ્રિકા, મુંબઈ, ઇન્ગલૅન્ડ) ચેઇન, એ જ આદર્શો, એ જ ઍમ્પથી, સર્વસમાવેશિતા અને સમસંવેદન, આ બધાથી હું તરત અભિભૂત થઈ ગયો. પછી તો બે ત્રણ અંકો જોયા. એકમાં ઉમાશંકર અને બીજામાં ‘હિન્દ સ્વરાજ’નો વિદ્વત્તાભર્યા લેખો દ્વારા અભ્યાસ થયો હતો.
મારા ઉમાશંકર સાથેના રોમાંચક, સ્વપ્નવત, લિરિકલ, કુમારાવસ્થ નાટકીય પ્રસંગોત્થ અનુભવ અને ‘હિન્દ સ્વરાજ’ સાથે મારી વૈચારિક ભાવનિક એકતા મને ઢંઢોળી ગયાં.
ગુજરાતી લિપિ કંપ્યૂટર પર આવડતી નહોતી, એટલે મારા પ્રવાહી (અને ફૉલ્ટી) અંગ્રેજીમાં મારા ઉદ્ગાર વિપુલભાઈને મોકલાવ્યા. માત્ર એક પ્રતિભાવ તરીકે. ઋણસ્વીકાર તરીકે, કારણ મારી એ વખતની પીડા ભરી સ્થિતિમાં મને એણે અકલ્પ્ય સંબલ આપ્યું હતું. મને એ લખ્યા પછી સારુ, હળવું લાગ્યું અને હું મારા કામે, ચિન્તાઓના વ્યવસાયની સ્તો, લાગ્યો.
પણ, વિપુલભાઇ જેનું નામ. હું તો એમને ઓળખતો પણ નહોતો. છતાં એમનો સરસ મેઇલ આવ્યો. ઔપચારિક આભાર ઉપરાંત એમને ઉમાશંકર વિષે લખેલો પ્રસંગ ગમ્યો હશે, તો એ “ઓપિનિયન”માં મૂકવા માટે મારા ઢંગધડા વગરના અંગ્રેજી ફકરાનું સરસ ગુજરાતી ભાષાન્તર કરીને મને બતાવ્યું. મેં તો છાપવાને ઈરાદે લખ્યુ જ નહોતું. એથી એમના અનુવાદમાં ફેરફારો સૂચવ્યા. એમણે એટલી મહેનત લીધી. મારો કોઈ જ લેખનનો અનુભવ નહિ, આથી મારા લખાણને printable કરવામાં બહુ મહેનત લાગી એ મને જણાયું.
આમ ત્રણ ચાર ઈ.મેઈલ ગયા આવ્યા અને ત્યાર બાદ આ મજકૂર એમણે “ઓપિનિયન”માં છાપ્યો. કૉલેજ મેગેઝિન બહાર મારો પહેલો છાપેલો લેખ!
પછી તો ‘હિન્દ સ્વરાજ’વાળો મારો લેખ છાપ્યો (અંગ્રેજીથી અનુવાદ કર્યો એમણે જ), અને જે વિદ્વાનનો પ્રતિભાવ મેં આપ્યો હતો (ડૉ ઉષાબહેન મહેતા, મણિભવનનાં ડિરેક્ટર) એમને પણ એ ફોર્વર્ડ કર્યો.
પછી તો મને ગુજરાતી ન આવડવાની શરમ આવી, અને એમની સલાહથી, ‘ગુજરાતી લેક્સિકોન’વાળા મૈત્રીબહેનની મદદથી થોડું ગુજરાતી ટાઈપ કરતાં શીખ્યો; એ એમને જ આભારી.
આટલી બધી કમિટમૅન્ટ અને ઍમ્પથી એક નવા નિશાળિયા માટે. પત્રકારત્વમાં અંગત રાગદ્વેષથી પ્રેરાઈ કેટલા ય લોકો કેવું કેવું કરતા હોય છે, ત્યારે આ ઉદાહરણ પણ જોવા મળે.
“ઑપિનિયન” એટલે મારો જ નહિ, બીજા કોઇનો પણ, એ એમનો credo છે.
ગાંધીના પત્રકારિત્વના વારસ નિ:સંદેહ વિપુલભાઈ જ છે.
સલામ.
https://www.facebook.com/satishchandra.joshi.54?epa=SEARCH_BOX
![]()


લંડનથી પ્રગટ થતા પ્રતિષ્ઠિત ‘ધ ઇકોનોમિસ્ટ’ સામયિકના તાજા અંકમાં ડરામણી ભવિષ્યવાણી છે, “દુનિયામાં કોરોના વાઈરસની બીજી લહેર તો આવી જ નથી, કારણ કે હજુ પહેલી પૂરી નથી થઇ. અંદાજે એક કરોડ લોકો સંક્રમિત થઇ ગયા છે, અને તમે હવે મહામારીમાંથી રસ ગુમાવી દીધો છે, પણ યાદ રાખજો, કોરોનાએ તમારામાંથી રસ નથી ગુમાવ્યો.” છ મહિનામાં આપણે કોરોનાના કેદખાનાથી એટલા ત્રસ્ત થઇ ગયા છીએ કે હવે ‘નોર્મલ’ થવા લાગ્યા છીએ. ક્યાં સુધી ખોફમાં, તનાવમાં, ચિંતામાં, ડરમાં રહેવું? એની પણ એક સીમા હોય છે. માણસનું મગજ નિરંતર ખોફમાં રહેવા સર્જાયું નથી. તેણે ખોફ સાથે નોર્મલ થવું જ પડે.
બુલંદ અવાજ, સશક્ત અભિનય અને સદાબહાર જુસ્સો. સંવાદ બોલે તો વનરાજ ગર્જના કરતા હોય એવું લાગે. એમણે ગુજરાતી સિવાય હિન્દી અને ઉર્દૂમાં પણ નાટકો કરેલાં. ૧૯૪૩માં ‘ઈપ્ટા’(ઇન્ડિયન પ્રોગ્રેસિવ થિયેટર એસોસિયેશન)ની સ્થાપના થઈ ત્યારે એમાં અનેક નામી કલાકારોની સાથે એ પણ જોડાયા હતા. ૧૯૪૯માં ઈપ્ટામાંથી છૂટા પડીને એમણે ‘રંગભૂમિ’ સંસ્થાની સ્થાપના કરી અંગ્રેજી ભાષા સહિત હિન્દી-ગુજરાતીમાં ઉત્તમ નાટ્યકૃતિઓની ભજવણી કરી હતી. ‘મૃચ્છકટિકમ્’ હિન્દી અને ગુજરાતીમાં ભજવાયું ત્યારે પ્રતાપભાઈએ સાવ અનોખા પાત્ર શકારની ભૂમિકા ભજવીને અપાર લોકચાહના મેળવી હતી. જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા પ્રતાપ ઓઝા નવી રંગભૂમિના પ્રણેતાઓમાંના એક. સંગીતમાં ઊંડો રસ ધરાવે અને સાયગલનાં ગીતો સરસ ગાઈ શકે. મિત્રોની મહેફિલમાં તો એમની પાસે સાયગલનાં ગીતો ખાસ ગવડાવવામાં આવે. સ્વાતંત્ર્ય સંગ્રામની પૃષ્ઠભૂમિ પર આધારિત ગુણવંતરાય આચાર્ય લિખિત એમના ‘અલ્લાબેલી’ નાટકે જબરજસ્ત નામના મેળવી હતી. પ્રતાપ ઓઝા અને લીલા જરીવાલાના લીડ રોલમાં લોકચાહના પામેલું આ નાટક રિવાઈવ કરવાની પ્રતાપભાઈની ઘણી ઈચ્છા હતી જે સંજોગવશાત્ પૂરી થઈ શકી નહોતી. નાટકના વિષય, પાત્રની ગુણવત્તા વિશે હંમેશાં સભાન રહેતા પ્રતાપભાઈએ એમની સાથેની અંગત મુલાકાતમાં એક વાર બહુ સચોટ વાત કરી હતી કે મનોરંજન સસ્તી લોકપ્રિયતાના ઘોડાપૂરમાં તણાય ત્યારે વિસર્જનની ઘડીઓ ગણાવા લાગે. સવેતન રંગભૂમિ શરૂ કરવામાં પ્રતાપ ઓઝાનું યોગદાન મોટું હતું.
યુવાપેઢીને આકર્ષે એવાં અદ્ભુત મ્યુઝિકલ નાટકોમાં ‘ખેલૈયા’ તથા ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’ અગ્રક્રમે મૂકવાં જ પડે. ફિરોઝ અબ્બાસ ખાનના નિર્માણ-દિગ્દર્શનમાં રજૂ થયેલા ’વેસ્ટ સાઈડ સ્ટોરી’ પર આધારિત ’એવા મુંબઈમાં ચાલ જઈએ’ નાટક ૧૯૯૨માં રજૂ થયું હતું. નાટકમાં રેણુકા શહાણે અને કેદાર ભગતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. અમેરિકા સ્થિત કવિ ચંદ્રકાન્ત શાહનાં અનોખાં ગીતો અને સ્ક્રીન પ્લેમાં પીયૂષ કનોજિયાએ લાજવાબ સંગીત આપ્યું હતું. એ નાટકનાં ભીંજવી નાખતાં સંસ્મરણો તાજાં કરતાં પીયૂષ કનોજિયા કહે છે, "સંગીતમય નાટક હોવાથી એવા કલાકારોની જરૂર હતી જે સારું ગાઈ શકે તથા અભિનય અને નૃત્ય પણ જાણતા હોય. લગભગ દોઢસો-બસો ઓડિશન પછી માંડ થોડા કલાકારો મળ્યા હતા. આખું નાટક ભવ્ય રીતે રજૂ થયું જેમાં ૧૦થી ૧૨ ગાયનો હતાં. ટાઈટલ સોંગ એવા મુંબઈમાં ચાલ જઈએ … સિવાય પણ એક ગીત મને ખૂબ ગમતું હતું; અનુરાધા આમ એક શબ્દ છે, આમ એક નામ છે અને મારો એ વેદ છે …! ભારતીય અને પાશ્ચાત્ય મેલડીનો ઉપયોગ કરીને આ સરસ ગીત બન્યું હતું. નીરજ વોરા-ઉત્તંક વોરાના સંગીત નિર્દેશનમાં રજૂ થયેલું ‘તાથૈયા’ પણ સુંદર સંગીતમય નાટક હતું.