એ અમારી
પરાપૂર્વની પરંપરા છે !
યોદ્ધાઓ પર અમે ફૂલો વરસાવીએ જ છીએ !
ભવ્ય ભૂતકાળ તમે ભૂલી ન જાવ તે માટે
કોરોનાકાળમાં રામાયણ-મહાભારત સિરિયલની
તમને વ્યવસ્થા તો કરી આપી !
A.C.માં બેઠાં બેઠાં
શિક્ષણમંત્રીની સાથે સાથે તમે પણ માણો !
આ સિરિયલની પાક્કી ગેરંટી એ છે કે
ડગલે પગલે હણાતા યોદ્ધા જેવા
મજૂરો તમને નહીં દેખાય !
અમે તો સજ્જડબમ લૉકડાઉનમાં
જીવ બચાવતાં બેઠાં છીએ
પણ કર્ણ જેવા યોદ્ધાની જેમ,
નર્સ-દાક્તરની છાતી ગજગજ ફૂલે
એટએટલાં ફૂલો વરસાવ્યાં છે અમે !
પણ અંગરાજનાં અંગ ઢાંકતાં
કવચ-કુંડળ તો ગાયબ હતાં યુદ્ધના મેદાનમાં
નર્સ-દાક્તરની PPE કીટની જેમ જ !
છિન્નભિન્ન કરી મૂકાયો’તો કર્ણને !
પછી તમે
‘વીર યોદ્ધો, વીર યોદ્ધો’ કરી
બૂમરાણ મચાવી’તી
તમારા શબ્દની
જીવલેણ મીઠાશ
મહાભારત જેટલી જ જૂની છે !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 24 મે 2020
![]()


ગયા સપ્તાહના લેખનું સમાપન કરતા મેં કહ્યું હતું કે ૧૮૫૭ના વિદ્રોહની નિષ્ફળતા પછી હિંદુઓ અને મુસલમાનોનાં બદલાયેલાં વલણને બીજા બે પક્ષકારો બારીક નજરે જોઈ રહ્યા હતા. એક હતા અંગ્રેજ અને બીજા હતા હિંદુઓમાં દલિતો અને બહુજન સમાજ.