ગુજરાતનો વિકાસ તેના કામદારોથી છે. ખેત કામદાર હોય, બાંધકામ કામદાર હોય કે ઉદ્યોગોમાં કામ કરનાર કામદાર હોય, ગટર કામદારો કે સફાઈ કામદારો. ગુજરાતનો વિકાસ તેના કામદારોના ભોગે થાય તે પણ સમજવું જોઈએ.
સરકારી નીતિઓમાં તેમને કોરાણે મૂકી દેવાય છે. સરકારે તેમના ખાતામાં રૂપિયા જમા કરાવવાનું કહ્યું. પરંતુ, કામદાર તરીકે તેમની નોંધણી થતી નથી, તો તેમને કેવી રીતે આર્થિક સહાય મળશે? તેમની પાસે રાશન કાર્ડ નથી. કામનાં સ્થળે તેમનાં મોત થાય છે. પરંતુ ચોક્કસ નીતિઓને અભાવે મૃતકોના વારસદારોને વળતર નથી મળતું. ઉદ્યોગોમાં તે લેબર કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરે છે. એટલે, સરકારી લાભોથી વંચિત રહી જાય છે.
ખેત કામદારો અને બાંધકામ કામદારોની નોંધણી કરવામાં સરકાર ઉદાસીનતા સેવે છે. એટલે નામ ન નોંધાયાં હોય એવા કામદારોને કોઈ પ્રકારના સરકારી લાભો નથી મળતા. એટલે સરકાર તમામ ક્ષેત્રના કામદારોની નોંધણી ફરજિયાત કરે અને રાજ્યની શ્રમ નીતિ ઘડે તે અત્યંત આવશ્યક છે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 24 મે 2020