અસારવા ચકલામાં
શાકભાજી વેચતી શકરી
ક્યારે શિકાગો ગઈ હતી?
આ પ્રશ્ન અત્યારે પૂછવો વાજબી નથી.
આપણે દેશભક્ત છીએ.
આવા સવાલો આપણાથી ના પૂછાય.
શકરીનું નસીબ, બીજું શું?
શકરીની મા, દાદી, પરદાદી,
અહીં ચકલામાં શાકભાજી જ વેચતાં હતાં.
આજે શકરીની હારે
એની દીકરી સોમી પણ શાકભાજી વેચે છે.
કોરોના આવે કે જાય
શકરીનું નસીબ ફરવાનું નથી.
તમને શકરી ચકલામાં મળે
તો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને
એને આશ્વાસન આપજો
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 ઍપ્રિલ 2020
![]()


આગલાં પરિણામો પરથી ગ્રેડ કે ટકાવારી નક્કી કરીને હોંશિયાર વિદ્યાર્થીને અલગ તારવી શકાશે, એ સારી વાત છે. તેને તેના હકનું પરિણામ મળશે, પણ હકનું પરિણામ મેળવીને આગળ જતા વિદ્યાર્થી પર માસ પ્રમોશનનો ઠપ્પો શું કામ લાગવો જોઈએ? ને તેના લિવિંગ સર્ટિફિકેટ પર માસ પ્રમોશનનો શેરો મારવાનું વધારે અન્યાયી ને અવિચારી પગલું ગણાશે. કારણ તેને માસ પ્રમોશનનો કોઈ લાભ મળ્યો નથી. તેને મળેલા પરિણામ માટેની ક્ષમતા તેણે આગલી પરીક્ષાઓમાં પુરવાર કરી છે. હા, આગલાં પરિણામો પરથી વિદ્યાર્થી નાપાસ થતો હોય કે ઇ-ગ્રેડ મેળવતો હોય તો તેને પ્રમોશન સરકારની હાલ નક્કી કરાયેલી નીતિ પ્રમાણે ભલે માસ પ્રમોશન મળે ને તેના લિવિંગ સર્ટિફિકેટ પર પણ ભલે માસ પ્રમોશનનો શેરો લાગે. શિક્ષણ વિભાગે આ અંગે ફેરવિચારણા કરવી જોઈએ.