બેહરૉઝ બૂચાનીનું નામ તમે ના સાંભળ્યું હોય એવું સંપૂર્ણપણે શક્ય છે. એ મૂળ ઈરાનિયન કુર્દીશ પત્રકાર, માનવાધિકાર કાર્યકર, કવિ અને ફિલ્મ મેકર છે. એને ૨૦૧૯નું ઓસ્ટ્રેલિયાનું સાહિત્યનું (અંદાજે ૬૫ લાખ રૂપિયાનું) સૌથી પ્રસિદ્ધ વિક્ટોરિયા પારિતોષિક એનાયત થયું છે. બેહરૉઝ બૂચાની એમાં હાજર રહી ન શક્યો. કારણ? છેલ્લા ૬ વર્ષથી એ ઓસ્ટ્રેલિયાના લોસ નીગ્રોસ આઈલેન્ડ પર આવેલા માનુસ ડિટેન્શન સેન્ટરમાં કેદ છે. બૂચાની પશ્ચિમ ઈરાનના કુર્દીશ અલગતાવાદીઓનો એક શક્તિશાળી અવાજ છે, જે ઈરાની સરકાર સાથે ૨૦૧૮થી શિંગડાં ભરાવી રહ્યા છે.
બૂચાનીએ એક કુર્દીશ સામાયિક 'વેર્યા' શરૂ કર્યું હતું અને એમાં આવતાં લખાણોનાં કારણે ૨૦૧૩માં ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ પોલીસે દરોડો પાડીને ૧૧ લોકોની ધરપકડ કરી હતી. બૂચાની ભાગીને છુપાઈ ગયો હતો અને ઇન્ડોનેશિયાથી ઓસ્ટ્રેલિયા દરિયો ક્રોસ કરતો હતો, ત્યારે એને પકડી લેવામાં આવ્યો હતો અને શરણાર્થી જેલમાં પૂરી દેવાયો હતો. એની પાસે ટ્રાવેલ ડોકયુમેન્ટ નથી એટલે એ ક્યાં ય જઈ શકે તેમ નથી. ઓસ્ટ્રેલિયામાં દરિયો ક્રોસ કરીને આવતા અનેક શરણાર્થીઓને રોકવા માટે એમને આ માનુસ ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવામાં આવે છે.
બૂચાની જેવા હજારો શરણાર્થીઓ આ સેન્ટરમાં છે.
બૂચાનીએ આ સેન્ટરમાં રહીને છેલ્લા ૬ વર્ષમાં એની કહાણી લખી છે. એનું નામ છે ‘નો ફ્રેન્ડ્સ બટ ધ માઉન્ટેન્સ: રાઈટિંગ ફ્રોમ માનુસ પ્રિઝન’. રસપ્રદ વાત એ છે કે બૂચનીએ આ પુસ્તક મોબાઈલ પર લખ્યું છે. એ પણ ટેક્સ્ટ મેસેજના ફોર્મમાં. બૂચાની રોજ એક નાનકડી ટેક્સ્ટ કમ્પોઝ કરે અને એની પી.ડી.એફ. ફાઈલ બનાવીને વોટ્સએપ પર, સિડની યુનિવર્સિટીના ફિલોસોફીના શિક્ષક મિત્ર, ડો. ઓમીદ તોફિઘીઅનને ફોરવર્ડ કરે. એ મિત્ર એનો પર્શિયન ભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદ કરે. આવી હજારો પી.ડી.એફ. ફાઈલ પરથી આ પુસ્તક તૈયાર થયું છે. એમાં બે વાર તો એનો ફોન પણ જપ્ત કરી દેવામાં આવ્યો હતો.

જેલમાં પુસ્તકો લખાયાં હોય એવા કિસ્સા નવા નથી, પણ આધુનિક સમયમાં જેલમાં મોબાઈલમાં લખાયું હોય, વોટ્સએપ પર એ લખાણ બહાર સ્મગલ થયું હોય, અંગ્રેજીમાં એનો અનુવાદ થયો હોય અને એ પ્રગટ થયા પછી એને સાહિત્યનું પારિતોષિક મળ્યું હોય, એવો આ સૌ પ્રથમ કિસ્સો છે. પુસ્તકની પ્રસ્તાવનામાં અનુવાદક ડો.ઓમીદ લખે છે, "નો ફ્રેન્ડ્સ બટ ધ માઉન્ટેન્સ પુસ્તક ઓસ્કાર વાઈલ્ડના ડે પ્રોફન્ડીસ, અન્તોનીઓ ગ્રામ્સીની પ્રિઝન નોટબુક્સ, રે પાર્કિન્સના ઇનટુ ધ સ્મોધર, વોલ સોયંકાના ધ મેન ડાયઝ અને માર્ટીન લ્યુથર કિંગ જુનિયરના લેટર્સ ફ્રોમ બર્મિંગહામ જેલ જેવાં જેવાં જેલ-સાહિત્ય સાથે ગોઠવાય તેવું છે. "
જેલમાંથી સ્કાઈપ (વીડિયો કોન્ફરન્સિંગ) મારફતે બૂચાનીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "મેં આ પુસ્તક ફોન ઉપર લખ્યું, તેનું મુખ્ય કારણ એ હતું કે મને જેલના ગાર્ડ્સ અને સત્તાવાળાઓનો ભરોસો ન હતો. એ ગમે ત્યારે અમારા રૂમમાં ઘૂસી આવે અને અમારી ચીજ-વસ્તુઓ લઇ જાય. ૨૯૧૪માં અહીં ધમાલ થઇ હતી ત્યારે તમામ શરણાર્થીઓનો સમાન જતો રહ્યો હતો. સાત મહિના પહેલાં અમને બીજી જગ્યાએ ખસેડ્યા ત્યારે પણ વસ્તુઓ ખોવાઈ ગઈ હતી. મેં જો કાગળ પર લખ્યું હોત તો એ કાગળો સો ટકા ગાયબ થઇ ગયા હોત."
ગદ્ય અને પદ્યમાં લખાયેલી ‘નો ફ્રેન્ડ્સ બટ ધ માઉન્ટેન્સ’ નવલકથામાં, બેહરૉઝ બૂચાની ઇન્ડોનેશિયાથી બોટમાં બેઠો ત્યાંથી શરૂ કરીને માનુસ ડિટેન્શન સેન્ટરમાં એનો જેલવાસ અને એમાં એને થયેલા અનુભવોની કહાણી છે. એ જેલમાં જે અત્યાચારની જિંદગી એણે જોઈ-અનુભવી હતી, તેનું દર્દ તો આ નવલકથામાં છે, સાથે જ એમાં વૈશ્વીકરણના પડછાયામાં ગરીબી અને શરણાર્થીઓની જે કટોકટી પેદા થઇ છે, તેની પણ વાર્તા છે.
ઓસ્ટ્રેલિયાના સાપ્તાહિક અખબાર, ‘સેટરડે પેપર’માં, એક લેખમાં બૂચાની લખે છે, "આટલાં વર્ષોમાં મેં જોયું છે કે કેવી રીતે કૈદોબંધ અનેક શરણાર્થીઓએ આ ઉજ્જડ આઈલેન્ડ પર દેશનિકાલ અને અત્યાચાર સામે વિરોધ કર્યો છે. મેં લોકોને જીવ ગુમાવતાં જોયા છે. મેં નિયમિતપણે શારીરિક અને માનસિક યાતનાઓ જોઈ છે. અત્યાર સુધી માનુસ જેલની સ્થિતિ વિષે કશું લખાયું નથી."
૩૧મી તારીખે જ્યારે વિક્ટોરિયા પારિતોષિક આપવાનો કાર્યક્રમ હતો, ત્યારે બૂચાની એમાં હાજર ન હતો. એણે સ્વિડીઓ કોન્ફરન્સિંગ મારફતે એનું આભાર-પ્રવચન આપ્યું હતું. એમાં એણે કહ્યું, "છ વર્ષ પહેલાં હું અહીં આવ્યો, ત્યારે એક ઈમિગ્રેશન ઓફિસરે બોલાવીને કહ્યું હતું કે, મને પેસિફિક મહાસાગરમાં આવેલા માનુસ આઈલેન્ડ પર દેશનિકાલ કરવામાં આવશે. મેં એને કહ્યું'તું કે, હું એક લેખક છું. એ માણસ હસ્યો અને મને લઇ જવા ગાર્ડને કહ્યું. હું આ નવલકથા લખતો હતો ત્યારે અને અત્યારે – આ ભાષણ આપું છું ત્યારે પણ – એ દ્રશ્ય મેં યાદ રાખ્યું હતું. એ એક અપમાન હતું. હું જ્યારે માનુસ પર આવ્યો ત્યારે એક સુદૂર જેલમાં લેખક કેવો હોય, તેનું એક ચિત્ર ખડું કર્યું હતું, જે જેલની કાંટાળી વાડો પાછળ, અર્ધનગ્નવસ્થામાં લખતો હોય. વર્ષો સુધી મેં મારા મનમાં આ ચિત્ર રાખ્યું હતું. માણસ તરીકેની મારી ગરિમા અને ઓળખને જાળવી રાખવામાં મને આ ચિત્ર મદદરૂપ બન્યું હતું.
"એનાથી એ સાબિત થાય છે કે અમાનવીય વ્યવસ્થાને પડકારવામાં શબ્દો કામ આવે છે. હું હંમેશાં કહેતો આવ્યો છું કે હું શબ્દો અને સાહિત્યમાં વિશ્વાસ રાખું છું. હું માનું છું કે સત્તાની વ્યવસ્થાને પડકારવા અને બદલવાની સાહિત્યમાં તાકાત છે. સાહિત્યમાં આપણને આઝાદી આપવાની તાકાત છે.
"વર્ષોથી હું જેલમાં છું અને એ દરમ્યાન મારું મગજ શબ્દો પેદા કરતું રહ્યું છે. આ શબ્દો મને સરહદો પાર, દરિયા પાર, અજાણી જગ્યાઓએ લઇ ગયું. હું ખરેખર માનું છું કે શબ્દોની તાકાત આ અહીં, આ જેલની વાડો કરતાં વધુ છે. આ કોઈ સ્લોગન નથી. આ કોઈ આદર્શવાદી માણસનો મત નથી. હું આદર્શવાદી નથી. છ વર્ષથી અહીં આઈલેન્ડમાં કેદ એક માણસના આ શબ્દો છે.”
![]()


તેના રચયિતા છે ‘લલિતજી.’ આજે લગભગ ભૂલાઈ ગયા છે. ‘લલિત’ તેમનું ઉપનામ. આખું નામ જન્મશંકર મહાશંકર બૂચ. ૧૮૭૭ના જૂનની ૩૦મી તારીખે જૂનાગઢમાં જન્મ. ૧૯૪૭ના માર્ચની ૨૫મી તારીખે અવસાન. માતાપિતા પાસેથી અનુક્રમે સંગીત અને સાહિત્યનો વારસો મળ્યો. ૧૮૮૭મા પહેલાં લગ્ન લલિતા સાથે થયાં હતાં. ૧૮૯૪માં તેમના અવસાન પછી બીજાં લગ્ન ૧૮૯૬માં તારાબહેન સાથે. પ્રથમ પત્નીની યાદમાં ‘લલિત’ ઉપનામ ધારણ કર્યું હતું. તેઓ સાત વખત મેટ્રિકની પરીક્ષામાં બેઠા હતા પણ ગણિતની મુશ્કેલીને કારણે સાતે વખત નાપાસ થયા હતા! છેવટે એસ.ટી.સી.ની પરીક્ષામાં પાસ થયા. દસેક વર્ષ લાઠીમાં રાજવી કુટુંબના શિક્ષક. કવિ કલાપીના નિકટના પરિચયમાં આવ્યા હતા અને કલાપીએ તેમને ઉદ્દેશીને ૧૮૯૬માં ‘બાલક કવિ’ નામનું કાવ્ય લખ્યું હતું. ગોંડળ સ્ટેટમાં સંગ્રામજી હાઈસ્કૂલમાં ૧૯૦૩માં પહેલી નોકરી. તે દરમ્યાન તેમનું લખેલું ‘સીતા-વનવાસ’ નાટક ભજવાયું હતું તે જોવા કલાપી અને કવિ નાનાલાલ ગોંડળ ગયા હતા. એ નાટક પુસ્તક રૂપે પણ પ્રગટ થયું હતું. ૧૯૦૮થી ૧૯૧૦ રાજકોટના અંગ્રેજી દૈનિક ‘કાઠિયાવાડ ટાઈમ્સ’ના તંત્રી. સાથોસાથ અદાલતમાં ભાષાંતર કરી આપવાનું કામ પણ કરતા. ૧૮૯૫મા ‘ચંદ્ર’ માસિકમાં પહેલી કવિતા છપાઈ. તે પછી ધીમે ધીમે લગભગ બધાં સામયિક-અખબારમાં પ્રગટ થતી. ૧૯૧૩થી ૧૯૨૦ સુધી વડોદરા રાજ્યના લાઈબ્રેરી ખાતામાં ‘લોકોપદેશક’ તરીકે કામ કર્યું. ૧૯૨૧થી ૧૯૨૫ સુધી મુંબઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં સાહિત્યના શિક્ષક હતા. ૧૯૩૮મા સેવા-નિવૃત્ત. નિવૃત્તિ પછી લાઠી જઈને રહ્યા. ત્યાં જ તેમનું અવસાન થયું. ‘લલિતનાં કાવ્યો’ (૧૯૧૨), ‘વડોદરાને વડલે’ (૧૯૧૪) અને ‘લલિતનાં બીજાં કાવ્યો (૧૯૩૪) એમના કાવ્યસંગ્રહો છે. તેમના અવસાન પછી ૧૯૫૧માં પ્રગટ થયેલ ‘લલિતનો લલકાર’માં તેમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઇ છે. કવિ નાનાલાલે તેમને વિષે કહ્યું હતું: “લલિતજી એટલે લલિત જ. લગીર પણ સુંદર. મોટાં કાવ્યો નહિ, નાનાં ગીતો. મેઘ જેવાં મોટાં પગલાં નહિ, પણ કુમકુમની નાની પગલીઓ. રસઓઘ નહિ, રસનાં છાંટણાં. લલિતજી એટલે સારંગીયે નહીં ને વીણાયે નહિ, લલિતજી એટલે મંજીરાંનો રણકો ને કોયલનો ટહુકો.” 
આ ગીતને લોકપ્રિય બનાવનાર સુપ્રસિદ્ધ કલાકાર મનહર ઉધાસ એક પ્રસંગ ટાંકતા કહે છે કે, "વર્ષો પહેલાંની વાત છે. હું એક પ્રોગ્રામ માટે અમદાવાદ ગયો હતો. એક મોટા ઉદ્યોગપતિએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ પહેલાં એમના ઘરે અમે સૌ બેઠાં હતાં. હીંચકા ઉપર એક યુવાન બેઠેલો હતો. મને જોઈને સીધો મારી પાસે દોડી આવ્યો અને પ્રણામ કર્યા ત્યારે પેલા ઉદ્યોગપતિએ એને કહ્યું કે, તારી પેલી ગઝલવાળી વાત કર ને! પેલો જરા શરમાયો પરંતુ હિંમત એકઠી કરી અને કહેવા માંડ્યો કે હું જ્યારે કોલેજમાં હતો ત્યારે મારું એક છોકરી સાથે અફેર હતું પરંતુ, કોઈ કારણસર કંઈક સમસ્યા ઊભી થતાં એ છોકરીને મેં ના પાડી દીધી. પછી બીજા દિવસે એ છોકરી કોલેજમાં આવી ત્યારે એક સી.ડી. લઈને આવી હતી. મને આપતાં તેણે કહ્યું કે આમાં એક ટિકમાર્ક કરેલી ગઝલ છે. એ તું ખાસ સાંભળજે. મારી માત્ર તને આટલી જ વિનંતી છે. એ તો ચાલી ગઈ. હું તો ગુસ્સામાં ધૂંધવાયેલો હતો કે આ બધાં એનાં શું નાટક છે! ઘરે આવીને મેં એ સી.ડી. કબાટમાં મૂકી દીધી. પછી થોડા દિવસ પછી એક વખત રાતના ઊંઘ નહોતી આવતી ત્યારે અચાનક એ સી.ડી હાથ લાગી. સાઉન્ડ સિસ્ટમમાં મૂકી મેં શરૂ કરી. જેમ જેમ સાંભળતો ગયો તેમ તેમ ગઝલોમાં ડૂબતો ગયો. એણે ટિક માર્ક કરેલી ગઝલ હતી, નયનને બંધ રાખીને ..! રડાવનારી ન હોવા છતાં એ ગઝલ સાંભળીને એ દિવસે મને એટલું બધું રડવું આવ્યું કે મેં આ છોકરી સાથે શા માટે આવું કર્યું? બીજા જ દિવસે એને ફોન લગાડ્યો અને મળવાનું નક્કી કર્યું. એન્ડ રેસ્ટ ઈઝ ધ હિસ્ટ્રી. અમે પરણી ગયાં. આજે એકબીજાંની સંગાથમાં ખૂબ ખુશ છીએ ત્યારે હજુ પણ એ દિવસો યાદ કરીને નયનને બંધ રાખીને અમે સાથે લલકારીએ છીએ!"
મૂળ ભાવનગરના કવિ બરકત વિરાણી છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે ચિત્રકળા પર સારો હાથ બેઠો હતો એટલે ત્યારથી જ કાવ્ય લખવાની શરૂઆત કરી. ‘બેઝાર’ અને ‘બેફામ’ બે ઉપનામ તેમણે સૂચવ્યા, છેવટે ‘બેફામ’થી ખૂબ પ્રસિદ્ધ થયા, મક્તામાં ‘મરણ’ એ તેમની આગવી વિશેષતા રહી હતી. એક મુશાયરામાં ભાગ લેતાં ઓલ ઇન્ડિયા રેડિયોના કેન્દ્ર સંચાલક ઝેડ.એ. બુખારીના સંપર્કમાં આવ્યા અને તેમણે મુંબઈ રેડિયો સ્ટેશન પર નોકરી અપાવી. ત્યારથી કુશળ અભિનેતા અને નાટ્યકાર તરીકે ત્યાં જ નોકરી કરી.