Opinion Magazine
Number of visits: 9503766
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુદ્ધ સમયે લોકશાહી ઉપર બોમ્બમારો?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|12 May 2025

હેમન્તકુમાર શાહ

લોકશાહીનો અર્થ ચૂંટાયેલા સભ્યોની જવાબદારી, સાચી માહિતીનો નાગરિકોનો અધિકાર અને વાણી સ્વાતંત્ર્ય જેવો પણ થાય છે. એ સંદર્ભમાં કેટલાક મુદ્દા:

(૧) પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી એટલે કે ત્યાંની લોકસભા યુદ્ધ સમયે ચાલુ હતી. ભારતમાં નહીં. ભારતમાં એનું ખાસ સત્ર થોડાક સમય માટે પણ બોલાવી શકાયું હોત પણ એવું કંઈ થયું નહીં. ભારતમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી લોકસભાની બેઠક બોલાવવાની માંગ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ૨૮ એપ્રિલે પહેલી વાર એ માગણી કરેલી, પછી હમણાં પણ ફરી કરી. રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ એ માગણી કરી છે. પણ મોદી સરકાર હજુ તેને માટે તૈયાર નથી લાગતી. આ રાજાશાહી માનસિકતા છે, લોકશાહી નહીં. 

(૨) ચાલુ યુદ્ધે પાકિસ્તાનના સાંસદો ત્યાંની નેશનલ એસેમ્બલીમાં બોલે છે અને ત્યાંના વડા પ્રધાન પણ જવાબ આપે છે અને ચર્ચા થાય છે. આપણે ત્યાં લોકસભા અને રાજ્યસભા મળે તો એવું કશું થાય ને.

(૩) પહેલગામની ઘટના બન્યા પછી વિદેશ પ્રવાસ ટૂંકાવીને આવેલા નરેન્દ્ર મોદી સર્વપક્ષીય બેઠકમાં હાજર રહેતા નથી અને જતા રહે છે બિહારમાં ચૂંટણી સભા સંબોધવા. જાણે કે તેમને અન્ય રાજકીય પક્ષો મહત્ત્વના લાગતા જ નથી! ચૂંટાયેલા સર્વોચ્ચ નેતા તરીકે તેમણે તેમાં હાજર રહેવું જોઈએ કે નહીં? 

(૪) ચાર દિવસના યુદ્ધ દરમ્યાન અનેક જુઠ્ઠાણાં ટી.વી. ચેનલો પર ચાલ્યાં. સાચી માહિતીનો અભાવ રહ્યો એ તો શસ્ત્રવિરામ થયો પછી વધારે ખબર પડી લોકોને. આવું જ પાકિસ્તાનમાં પણ થયું હોઈ શકે છે. એમ થાય છે જ દુનિયામાં બધે બધાં યુદ્ધો પહેલાં, યુદ્ધ દરમ્યાન અને યુદ્ધ પતે પછી પણ. યુદ્ધ થાય એટલે અસત્ય હાવી થઈ જાય. અને હા, ભારતમાં માહિતી અધિકાર કાયદા હેઠળ લશ્કર પાસેથી ઝાઝી માહિતી મેળવી શકાતી નથી. એ ગોપનીય ગણાય છે. લશ્કર કહે તે માનવાનું. જેવા દાવા ભારત કરે છે એવા જ દાવા પાકિસ્તાન પણ કરે છે. બંને બાજુ નાગરિકો માટે સાચી માહિતીનો દુકાળ પ્રવર્તે છે. 

(૫) ભયંકર અસત્ય બોલનારી ટી.વી. ચેનલો પર ભારત સરકારે કોઈ જ પગલાં ભર્યાં નહીં. શું એ સરકાર જાણતી નહોતી કે પછી સરકારની મીઠી નજર હતી એમના પર? હવે ભરી શકે? 

(૬) ચાર દિવસના યુદ્ધ દરમ્યાન ભારતમાં એક પણ મહત્ત્વના રાજકીય નેતા દ્વારા એટલે કે વડા પ્રધાન કે સંરક્ષણ પ્રધાન દ્વારા કે પછી ગૃહ પ્રધાન દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી નહિ. લશ્કરી અધિકારીઓ કે વિદેશ સચિવ દ્વારા જ એ કામ થયું. લોકો નેતાઓને ચૂંટે છે, એ અધિકારીઓ લોકોના પ્રતિનિધિઓ નથી. તો ચૂંટાયેલા પ્રતિનિધિઓની કોઈ જવાબદારી ખરી કે નહીં? 

યુદ્ધો લોકશાહી ઉપર પણ બોમ્બમારો કરતાં હોય છે એ સમજવાની જરૂર છે, જેમને લોકશાહીની ચિંતા હોય એમણે. 

તા.૧૧-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

12 May 2025 Vipool Kalyani
← યુદ્ધ વગરનો યુદ્ધવિરામ
‘ઑપરેશન સિંદૂર’ના આ શહીદોને સલામ ! →

Search by

Opinion

  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન
  • એકસો પચાસમે સરદાર પૂછે છેઃ ખરેખર ઓળખો છો ખરા મને?
  • RSS સેવાના કાર્યો કરે છે તો તે ખતરનાક સંગઠન કઈ રીતે કહેવાય? 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved