Opinion Magazine
Number of visits: 9449118
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટાર્ગેટ મોટા ખેડૂતોને નહીં, શહેરમાં વસતા ઍબ્સન્ટી લૅન્ડલૉર્ડ્સને બનાવવાની જરૂર છે

રમેશ ઓઝા|Opinion - Opinion|2 May 2017

સુધારો માત્ર એટલો કરવો જોઈએ કે કૃષિ સિવાયની આવકના બીજા સ્રોત ધરાવતા હોય તેમની કૃષિની આવકને કરવેરામાંથી મુક્તિ આપવામાં નહીં આવે. જો આટલો સુધારો કરવામાં આવે તો શહેરી નાણું ગામડાંમાં ઠલવાય છે અને જમીનને મોંઘી કરે છે એનો અંત આવી જશે. તેમણે ગ્રામીણ કૃષિજમીનને રિયલ એસ્ટેટ બનાવી મૂકી છે. બીજું, તેઓ કહેવાતા કૃષિવ્યવસાયમાંથી નીકળી જશે તો જમીન ખરેખર કૃષિઉત્પાદન માટે વપરાશે. અત્યારે ગામડાંમાં સો એકર જમીન ધરાવતા શહેરી ખેડૂતને એ જમીનમાંથી વધુમાં વધુ ઉત્પાદન થાય એની સાથે સંબંધ નથી

જાણીતા અર્થશાસ્ત્રી અને નીતિ આયોગના સભ્ય બિબેક દેબરૉયે બે દિવસ પહેલાં કહ્યું હતું કે મોટા ખેડૂતોની કૃષિની આવક પર આવકવેરો લાગુ કરવો જોઈએ. કેટલીક માગણીઓ વર્ષોથી કરવામાં આવે છે અને જેનો વર્ષોથી તીવ્ર વિરોધ કરવામાં આવે છે એમાંની આ એક માગણી છે. શહેરમાં વસતા લોકોને એમ લાગે છે કે સરકાર મોટા ખડૂતોને લાડ કરી રહી છે અને તેઓ વેરાથી બચી જાય છે. જો નાના શહેરી દુકાનદારને વેરો ભરવો પડતો હોય તો મોટા ખેડૂતોનો અપવાદ શા માટે?

બિબેક દેબરૉયના નિવેદન પછી હજી તો કોઈ પ્રતિક્રિયા પેદા પણ થાય એ પહેલાં કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ ખુલાસો કર્યો હતો કે મોટા ખેડૂતો પર આવકવેરો લાદવાનો કેન્દ્ર સરકારનો કોઈ ઈરાદો નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે બંધારણ કૃષિની આવક પર વેરો લાદવાનો કેન્દ્ર સરકારને અધિકાર નથી આપતું. બીજા દિવસે કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને કહ્યું હતું કે એ વાત સાચી છે કે બંધારણ મુજબ કેન્દ્ર સરકારને વેરો લાદવાનો અધિકાર નથી, પરંતુ રાજ્ય સરકારો ઇચ્છે તો મોટા ખેડૂતોની કૃષિની આવક પર વેરો લાદી શકે છે. તેમણે શબ્દ ચોર્યા વિના રાજ્ય સરકારોને ભલામણ કરી હતી કે તેમણે આ વિશે વિચારવું જોઈએ.

પહેલા બંધારણ ઘડનારાઓએ કેન્દ્ર સરકારને કૃષિની આવક પર વેરો લાદવાનો અધિકાર શા માટે નથી આપ્યો અને નાના શહેરી દુકાનદારમાં અને ખેડૂત (પછી તે નાનો હોય કે મોટો) એમાં શું ફરક છે એ સમજી લઈએ. આવકવેરો એ કેન્દ્ર સરકારનો અખત્યાર છે. રાજ્ય સરકારો આવકવેરો લાદી શકતી નથી. રાજ્ય સરકારોને કેન્દ્રની મહેસૂલી આવકમાંથી મજરે ભાગ મળે છે.

તો પછી કૃષિવ્યવસાય દ્વારા થતી આવકને શા માટે કેન્દ્ર સરકારના અખત્યારથી મુક્ત રાખવામાં આવી છે? નાનો દુકાનદાર મુંબઈનો હોય કે ભુવનેશ્વરનો તેની આવક તેની મહેનત અને આવડત પર નિર્ભર હોય છે. તેના વ્યવસાયને બાહ્ય પરિબળો ભાગ્યે જ પ્રભાવિત કરે છે. ખેડૂતની બાબતમાં આવું નથી. ગુજરાતનો ૧૦ એકર જમીનનો ધણી પંજાબના બે એકર જમીનના માલિક કરતાં ઓછું કમાતો હોય એ બની શકે છે. જમીનની ફળદ્રુપતા ખેતરે-ખેતરે અલગ-અલગ હોય છે. આ ઉપરાંત વરસાદ, કરા પડવા, જીવાત લાગવી, તીડનો હુમલો થવો, બિયારણમાં ખામી જેવાં અનેક પરિબળો એવાં હોય છે જેના પર ખેડૂતનો કોઈ અંકુશ નથી હોતો. આસમાની અને સુલતાની બન્ને કૃષિવ્યવસાયને પ્રભાવિત કરે છે, જ્યારે દુકાનદારને માત્ર સુલતાની પરિબળો પ્રભાવિત કરે છે. માટે કૃષિવ્યવસાયને સુલતાની (રાજ્યકીય) અંકુશોથી મુક્ત રાખવામાં આવ્યો છે. બંધારણ ઘડનારાઓએ આ જોગવાઈ ગાંધીજીના ગ્રામસ્વરાજથી પ્રેરાઈને રોમૅન્ટિક ખયાલોના ભાગરૂપે કરી નથી. બીજી બાજુ રાજ્ય સરકારોને આવકવેરાનો અધિકાર જ નથી તો પછી અરવિંદ સુબ્રમણ્યન કહે છે એમ રાજ્યો આવકવેરો કઈ રીતે લાદી શકે? તેમનું સૂચન અભ્યાસ વિનાનું છે.

મોટી સમસ્યા બીજી છે. શહેરી શ્રીમંતો આવકવેરો ભરવાથી બચવા માટે કૃષિવ્યવસાયનો દુરુપયોગ કરે છે. તેઓ બે ચીજનો દુરુપયોગ કરે છે. એક અવિભક્ત હિન્દુ પરિવાર (હિન્દુ અનડિવાઇડેડ ફૅમિલી-HUF) અને બીજો ખેતી. અહીં HUF ચર્ચાનો વિષય નથી એટલે એની વાત જવા દઈએ. બીજું, એનો માત્ર હિન્દુઓ ગેરલાભ ઉઠાવે છે. આવકવેરો છુપાવવા માટે HUF કરતાં પણ વધારે ઉપયોગી સાધન ખેતી છે. શહેરીજનો તેમના ગજા મુજબ મોટી જમીન ખરીદે છે અને વ્યવસાયમાંથી થતી આવકને કૃષિની આવક તરીકે બતાવે છે અને એ રીતે આવકવેરાની ચોરી કરે છે. આ રમત આખું ગામ જાણે છે.

છીંડાંનો ઉપયોગ કરનારાઓ જાણે છે કે કૃષિની આવક પર વેરો લાદવાની બાબતે કેન્દ્ર સરકારના હાથ બંધાયેલા છે એટલે એક રીતે તેઓ અભય વચન ધરાવે છે.

દેશને આવકવેરાનું નુકસાન થઈ રહ્યું છે તો આ છીંડાને કારણે. આ છીંડું બંધ થવું જોઈએ અને  એ કઈ રીતે થઈ શકે એ મુખ્ય સવાલ છે. મોટા ખેડૂતોને ટાર્ગેટ બનાવવાની જરૂર નથી, પ્રત્યક્ષ ખેતી નહીં કરનારા, અંગ્રેજીમાં કહીએ તો ઍબ્સન્ટી લૅન્ડલૉર્ડ્સને ટાર્ગેટ બનાવવાની જરૂર છે. ગામડાંમાં ખેડૂતના ઘરમાં ટીવી અને ફ્રિજ હોય તો એનો અર્થ એવો નથી કે તે મોટો ખેડૂત છે અને કૃષિવ્યસાયમાં ખૂબ ધન એકઠું કરે છે. જો એમ હોત તો શહેરી લોકો જમીન વેચીને શહેરમાં ન આવ્યા હોત. જે લોકો કૃષિની આવક પર કરવેરાની માગણી કરી રહ્યા છે એમાંના ઘણા પૂર્વાશ્રમના ખેડૂત છે. આમ ટાર્ગેટ શહેરમાં વસતા ઍબ્સન્ટી લૅન્ડલૉર્ડ્સને બનાવવાની જરૂર છે અને એ કઈ રીતે થઈ શકે?

આને માટે બંધારણમાં સુધારો કરવો જોઈએ. સુધારો માત્ર એટલો કરવો જોઈએ કે કૃષિ સિવાયના આવકના બીજા સ્રોત ધરાવતા હોય તેમની કૃષિની આવકને કરવેરામાંથી મુક્તિ આપવામાં નહીં આવે. તેઓ ખેતીના વ્યવસાયમાં ખોટ બતાવે તો એ ખોટને પણ લક્ષમાં લેવામાં નહીં આવે એટલી હદે પણ કાયદો થઈ શકે છે. જો આટલો સુધારો કરવામાં આવે તો શહેરી નાણું ગામડાંમાં ઠલવાય છે અને જમીનને મોંઘી કરે છે એનો અંત આવી જશે. તેમણે ગ્રામીણ કૃષિની જમીનને રિયલ એસ્ટેટ બનાવી મૂકી છે. બીજું, તેઓ કહેવાતા કૃષિવ્યવસાયમાંથી નીકળી જશે તો જમીન ખરેખર કૃષિઉત્પાદન માટે વપરાશે. અત્યારે ગામડાંમાં સો એકર જમીન ધરાવતા શહેરી ખેડૂતને એ જમીનમાંથી વધુમાં વધુ ઉત્પાદન થાય એની સાથે સંબંધ નથી. જમીન કમાવીને આપે તો ઠીક છે, અન્યથા આવક છુપાવવા માટે તો એ કામમાં આવે જ છે. ત્રીજું, ઍબ્સન્ટી લૅન્ડલૉર્ડ્સ કૃષિવ્યવસાયમાંથી હટી જશે તો તેઓ બાગબાની (હૉર્ટિકલ્ચર) અને બીજી રીતે જમીન પર કબજો જાળવી રાખવા જમીન વેડફે છે એનો ઉપયોગ ધાન ઉત્પાદન કરવા માટે થઈ શકે છે.

વિચારી જુઓ.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 01 મે 2017

Loading

2 May 2017 admin
← India’s Kashmir Policy: Way Forward
સૌ ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી : ટર્કીના પ્રમુખ એર્ડવાને ભારતને સલાહ આપતાં પહેલાં એક નજર ઘરઆંગણે કરવી જોઈએ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved