મને ખળભળતા જીવનનાં ઝરણથી દૂર રાખ્યો છે
અને શાંતિથી સ્વાભાવિક મરણથી દૂર રાખ્યો છે
મેં વાવ્યાં છે, ઉછેર્યાં છે વજીફા વાડી ને વૃક્ષો
મને એના જ છાંયાથી ને ફળથી દૂર રાખ્યો છે
મંદિર ઘડી મૂર્તિ ગર્ભગૃહ મેં શિખર ગુંબજ
મને એનાં પગથિયાંના શરણથી દૂર રાખ્યો છે
ગટરનાં નીતર્યા પાણી મેં પીધાં છે, પચાવ્યાં છે
હવે જળના ઠરણથી ને ઝમણથી દૂર રાખ્યો છે
મળેલા જીવને નોખા જનમની છાપથી કીધા
છૂટા પાડી જીસમથી ને જિગરથી દૂર રાખ્યો છે.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 03 ઑગસ્ટ 2020; પૃ. 14