જો તમો
તમારાં મિત્રો,
સગાં-સંબંધીઓ,
પરિચિતોની
સંખ્યા
અને
એની સામે
કોરોનામાં
મૃત્યુ પામેલાની
સંખ્યા
જાણી શકો
તો
સમગ્ર દેશમાં
કોરોનાથી થયેલ મૃત્યુની
માંડી શકો
ટકાવારી.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16
જો તમો
તમારાં મિત્રો,
સગાં-સંબંધીઓ,
પરિચિતોની
સંખ્યા
અને
એની સામે
કોરોનામાં
મૃત્યુ પામેલાની
સંખ્યા
જાણી શકો
તો
સમગ્ર દેશમાં
કોરોનાથી થયેલ મૃત્યુની
માંડી શકો
ટકાવારી.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16
જે લોકો
પુનર્જન્મમાં માને છે
એમાંથી
એકવીસમી સદીમાં મર્યાં
એ
વિરોધી ધર્મમાં જન્મે છે.
પહેલા ગાળો આપતા હતા,
હવે
ગાળો ખાય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16
એક રાજા કહે એ સેવક છે,
સેવકો એટલે પ્રશંસક છે !
હું ગયો કંઈક એમાં કહેવા તો,
કોઈ બોલ્યું કે આ તો નાટક છે !
ફિલ્મનો અંત ખૂબ છે સારો,
વચ્ચે-વચ્ચે બધું ભયાનક છે !
એની વાતોમાં આવવાનું નહીં,
એ અહીં કોઈનો સમર્થક છે !
આપણે શાંતિ જોઈએ કેવળ,
ને પડોશી બધા લડાયક છે !
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16