નહોતો જ્યારે મનુષ્ય,
ધમધમતી હતી ધરા
ડાયનોસોરના ભારેખમ પગલાં થકી.
મને શક છે,
કદાચ કોરોના નહીં, તો તેનો ભાઈ
ત્રાટક્યો હશે
ડાયનોસોર પર,
કર્યો હશે તેમનો સર્વનાશ.
આજે પ્રગટ્યો છે કોરોના
કદાચ કરવા સર્વનાશ
માનવજાતનો. ડાયનોસોર તો હતાં
અબુધ,
નિ:સહાય, નિ:શસ્ત્ર. અમે નથી એવા
અબુધ, નિ:સહાય, નિ:શસ્ત્ર.
અમારી પાસે છે
વિજ્ઞાન.
ભગવાન નહીં,
વિજ્ઞાન જ બચાવશે
માનવજાત.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 30 ઍપ્રિલ 2020