તું ય જન્મોથી ખલાસી છે,
વ્હાણ તારું ચિર પ્રવાસી છે.
નાંખ વેળા પર ઉલાળીને,
શી ખુશી ને શી ઉદાસી છે.
ભોંયમાં ઊગી ગયા ભાલા,
પગ તળે ચાંપી કપાસી છે.
હોય પૂનમનો દહાડો પણ,
કેટલી સૂની અગાસી છે.
મૂળિયાં બટકી ગયાં એની,
પાંદડે પીડા તરાશી છે.
e.mail : daveparesh1959@gmail.com
![]()


ગુજરાતી સાહિત્યમાં ધીરુ પરીખ સર્જક હોવાની સાથે સતેજ અને નિષ્પક્ષ સંપાદક તરીકે પણ જાણીતા છે. કવિતા એમનો પ્રાણવાયુ છે, જેના થકી આજે ‘બુધસભા’ ધબકે છે. “કુમાર”ના પુનઃજન્મ અને “કવિલોક”ના સાતત્ય માટે ધીરુ પરીખે માતબર કામ કર્યું છે. આ સામાયિકો ધીરુભાઈના કારણે આજે આગવી ઊંચાઈને આંબી શક્યા છે. મૂળે માસ્તરનો જીવ એટલે જીવનયાત્રામાં શીખતા જવાનો અને શીખવાડતા જવાનો તેમનો સ્વભાવ. કાવ્યસર્જનમાં ધીરુભાઈએ હાઈકુ, છપ્પા કે વનવેલી છંદમાં રચેલાં ગદ્યકાવ્યોએ અનેરી પહેલ કરી છે. ધીરુભાઈના આઠ કાવ્યસંગ્રહ, જેમાં ‘ઉઘાડ’, ‘અંગ પચીસી’, ‘આગિયો’, ‘રેલ્વે સ્ટેશન અને ટ્રેઈન’ નોંધપાત્ર છે. ગીતોનો સંગ્રહ ‘હરિ ચડ્યા અડફેટે’ નામે પ્રસિદ્ધ કર્યો. ધીરુ પરીખના બે વાર્તાસંગ્રહ ‘કંટકની ખુશબો’ (૧૯૬૪) અને ‘પરાજીત વિજય’ (૨૦૦૧) પ્રકાશિત થયા છે. ‘હવે અમારા નખ વધે છે’ નામે એકાંકી સંગ્રહ છે. તો ‘કાળમાં કોર્યા નામ’ (૧૯૭૭) અને ‘સમય રેત પર પગલાં’ (૨૦૦૧) નામે જીવનચરિત્રના સંગ્રહો પ્રકાશિત કર્યા છે. આ સાથે ધીરુભાઈએ ૧૮ વિવેચન સંગ્રહો આપણને આપ્યા છે. ધીરુભાઈ આજે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’માં પસંદગી પામેલા પ્રમુખ તરીકે સેવા આપે છે. ધીરુભાઈને કુમાર ચંદ્રક, જયંત પાઠક ચંદ્રક, પ્રેમચંદ સુવર્ણ ચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક સહિત ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે. “કુમાર” સામાયિકને ડિજિટલાઈઝ્ડ કરીને તેઓએ સાહિત્યની મોટી સેવા કરી છે. સાવ સરળ સ્વભાવના ધીરુભાઈ સર્જક, વિવેચક, સંપાદક તરીકેની ત્રેવડી ભૂમિકા સહજ રીતે ભજવે છે. તેમની સાથે થયેલો સંવાદ …
શાંત, સૌમ્ય ચહેરો ધરાવતા રઘુવીર ચૌધરી એક વ્યકિત નહીં, સ્વયં એક ઇન્સ્ટિટ્યુટ (સંસ્થા) છે. સાદગી અને સત્ય એમની પ્રકૃતિ છે. મૂળે સર્જક, પણ એ સાથે સક્રિય ખેડૂત પણ છે. એટલે જ તેઓની વાત કે સર્જનમાં નિરાશા નહીં પણ આશાનું વાવેતર હોય છે. ૭૫ વર્ષે પણ તેઓ સીધા ટટ્ટાર બેસી, ચાલી શકે છે. એમ.એ. તથા પી.એચ.ડી.નો અભ્યાસ કરનાર રઘુવીર ચૌધરીની ઓળખ નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યલેખક, વિવેચક, સંપાદક, પ્રકાશક અને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’માં આત્મા રેળનાર સર્જક તરીકેની છે. તેમની મુખ્ય કૃતિઓમાં ‘અમૃતા’, ‘પરસ્પર’, ‘શ્યામ સુહાગી’, ‘રુદ્ર-મહાલય’ જેવી નવલકથા, નવલિકામાં ‘આકસ્મિક સ્પર્શ’, ‘ગેરસમજ’ તથા કવિતામાં ‘તમસા’, ‘વહેતા વૃક્ષ પવનમાં’ અને નાટકોમાં ‘અશોકવન’, ‘ઝૂલતા મિનારા’, ‘સિંકદરસાની’ મુખ્ય છે. ઉપરાંત, ‘ડિમલાઈટ’, ‘ત્રીજો પુરુષ’ જેવા એકાંકી, ‘સહરાની ભવ્યતા’ જેવા રેખાચિત્રો, ‘બારીમાંથી બ્રિટન’ નામે પ્રવાસવર્ણન તથા વચનામૃત અને કથામૃતના ધર્મચિંતન પણ જાણીતા છે. વર્ષ ૧૯૭૭થી તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દીના અધ્યાપક તરીકે સેવાઓ આપી છે. કુમારચંદ્રક, ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક, સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર અને રણજીતરામ સુવર્ણચંદ્રકથી રઘુવીર ચૌધરી સન્માનિત થયા છે. તેમના સર્જનમાં નવા સમાજની દિશા મળે છે. રઘુવીર ચૌધરીની સાથે થયેલ સંવાદ …