નથી કશું ય અદકેરું સૌન્દર્ય આ વસુંધરા પાસે એથી વધુ
ખરે જ હશે માંહ્યલો લાગણીશૂન્ય, જે ચાલ્યો જાય છે
મનોહારી આ દૃશ્યને વિણ જોયે,
નગર આ ભાસે જાણે કોઈ વસ્ત્રપ્રાવરણ સમું.
પ્રાતઃકાળનું માધુર્ય: પ્રશાંતરમણીય અને સ્ફુટ,
આ નૌકાઓ, મિનારા, ગુંબજો, વિલાસભવનો ને દેવમંદિરો
પામ્યા છે સુદૂર પ્રસ્તાર પેલ્લાં હરિયાળા મેદાનો અને ક્ષિતિજે ઝળુંબતા અવકાશ સુધી
રેલાતી આ નિર્ધૂમ લહેરખીઓમાં છે સઘળું ય ઝળાંઝળાં.
ન કદીયે અવતર્યો હશે સૂર્ય આટલો કુમાશથી
ઉપત્યકા, શિલા કે ટીલા પરે તેજનાં અંબારે
ને કદીયે ના નિહાળી, અરે ! અનુભવી ના કદીયે આવી નિતાંત નીરવતા.
વહે છે સરિતા તેની મનોનીત મધુર-શી ચાલે
ઓ પ્રભુ ! આ નિંદ્રાધીન ભાસતી પ્યારી-શી ઈમારતો
ને નગરનાં પુરુષાર્થી હૃદયો છે હજુ મહીં પોઢેલાં !
— વિલિયમ વર્ડઝવર્થ
મૂળ અંગ્રેજી સોનેટ :

Earth hath not anything to show
more fair:
Dull would he be of soul who could pass by
A sight so touching in its majesty:
This City now doth, like a garment, wear
The beauty of the morning; silent, bare,
Ships, towers, domes, theatres and temples lie
Open unto the fields, and to the sky;
All bright and glittering in the smokeless air.
Never did sun more beautifully steep
In his first splendor, valley, rock, or hill;
Ne'er saw I, never felt, a calm so deep!
The river glideth at his own sweet will:
Dear God! The very houses seem asleep;
And all that mighty heart is lying still!
William Wordsworth: Poems in Two Volumes: Sonnet 14
http://ishanbhavsar.blogspot.in/2013/05/blog-post_13.html
![]()


એમની કેટલીક રચનાઓ 'પુલકિત' નામનાં અકાદમીનાં પુસ્તકમાં વાંચી છે. 'ચિતલે માસ્તર' અને ' બટાકાની ચાલ' તો હૃદય પર અંકિત થઈ ગયેલાં છે. આજે વ્યક્તિચિત્રો આધારિત 'ભાત ભાત કે લોગ' (અનુવાદ: શકુંતલા મહેતા) વાંચવાનું શરુ કર્યું છે. પહેલી જ રચના 'નારાયણ' વાંચીને આંખ ભરાઈ આવી. ચાર્લ્સ ડીકન્સ યાદ આવી ગયો, જે કહેતો, : હું આંખમાં આંસુ સાથે ઇન્દ્રધનુષનો વૈભવ નિહાળું છું. વિનોદ ભટ્ટ કહે છે તેમ Humour is a dry tear. હાસ્યની કઈ કક્ષા હોઈ શકે અથવા તો કઈ કક્ષા સુધી હાસ્યને લઈ જવાનું છે, તે આવા હાસ્યલેખો વાંચીને સમજાય છે. અંગ્રેજીનાં નિવૃત્ત પ્રાધ્યાપક અને સૌમ્ય તથા અભિજાત જોશીના પિતાશ્રી એવા, જયંત જોશીના ઘરમાં, પુ.લ. દેશપાંડેનો ફોટો દીવાલ પર જોવા મળે. એમની પાસેથી જાણ્યા મુજબ, અભિજાત જોશી તો પુ.લ. દેશપાંડેને સાક્ષાત્ દંડવત્ પ્રણામ કરતા હતા.
એક તો ‘કિલ્લો છે’, સાંભળતાં જ મારા મનમાં રહેલા કૂતુહલે ઉછાળો માર્યો હતો. એમાં ‘ચાચા’ના ‘જોઈ આવો’ શબ્દોએ મને આવાહ્ન આપ્યું. પગ પણ મનમાં ઊગેલા કૂતુહલને અનુકૂલન સાધી આપતા હોય, એમ ઝડપથી ઉપડવા લાગ્યા. ‘ચાચા’એ ચીંધેલી દિશામાં પુરાતત્વ ખાતા / A. S. I.ની ઓફિસ હતી, જેમાં કિલ્લાના હાલના ‘શાસક’ એવા એક સરકારી અમલદાર બિરાજમાન હતા. તેમની પરવાનગી લેવા માટે મેં પૂછ્યું, 'ઉપર જવું છે.' આ સાંભળીને એ સજ્જન હસવા લાગ્યા. કહે, 'અત્યારથી?' મને એમ કે અહીં મજાક નહીં ચાલતી હોય, એટલે મેં પૂરેપૂરી ગંભીરતાથી કહ્યું: 'પણ નીચેથી તો એમ કહ્યું કે ઉપર જવા મળશે.' એટલે એ મહાશય કહે, 'કિલ્લા ઉપર જવું છે એમ કહો ને, યાર.' સરકારી અમલદાર હોવા છતાં તેમણે જે રીતે સહયોગ આપવાની તૈયારી દેખાડી અને ચાવી કાઢીને ‘ઉપર જવાનો’ માર્ગ ખોલી આપ્યો એ પહેલું આશ્ચર્ય હતું, પણ આશ્ચર્યોની પરંપરા તો કિલ્લા પર ગયા પછી સર્જાઈ.

અહીં છત પર ટહેલતાં દરેક બાજુથી વિવિધ સ્થળો નજરે પડે. સૌથી નજીક પ્રેમાભાઈ હૉલ/Premabhai Hall અને સિવિલ કોર્ટની ઈમારત દેખાય. આ એ જ પ્રેમાભાઈ હૉલ છે, જ્યાં આપણા સૌના પ્રિય નવલકથાકાર અશ્વિની ભટ્ટ/Ashwinee Bhatt મેનેજર તરીકે રહ્યા હતા. સાંભળ્યા મુજબ, હવે તો આ હૉલ પણ વેચી દેવાની હિલચાલ ચાલી રહી છે.




બહાર નીકળીને ‘સરકારી પુસ્તક ભંડાર’/Government Book Depotમાં કુતૂહલવશ પ્રવેશતાં જ સરકારી નિયમો-અધિનિયમોનાં થોથાં નજરે પડે છે કે જે જોઈને આપણે આપણી જાતને જ ‘તખ્લીયા’ કહી દઈએ છીએ.