બરાબર રવિવારના સાંજના પાંચ વાગવામાં છે ત્યારે સૂરસંવાદ વિશે આટલું ….
“નમસ્કાર, સૂરસંવાદમાં આરાધના ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે … આજે છે રવિવારે તારીખ”….. અવાજમાં સ્મિત છલકાવી આ વાક્ય બોલવાનો આજે છેલ્લો અવસર છે. શેક્સપીયરના જુલિયસ સીઝર નાટકના એન્ટની કહે છે – ફ્રેન્ડઝ, રોમન્સ, કન્ટ્રી મેન, લેન્ડ મી યોર ઈયર્સ, તેમ હું પણ દર અઠવાડિયે કહું છું ‘ફ્રેન્ડઝ, ગુજરાતીઝ, ઇન્ડિયન્સ, લેન્ડ મી યોર ઈયર્સ.

૧૫ વર્ષ પહેલાં આ યાત્રા શરૂ થઇ ત્યારે કલ્પના નહોતી કે આટલો લાંબો સમય એ ચાલશે અને એમાં આટલા બધા સહયાત્રીઓનો સંગ મળશે. એટલે સૌ પ્રથમ તો તમારો, અને મારા રેડિયોના સહયોગીઓ – પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ, તમે જેમનો અવાજ દર અઠવાડિયે સમાચાર વાંચતા સાંભળો છો – એ હેમલ જોશી, મારી સાથે રેડિયો શરૂ થતાંની સાથે જોડાનાર ઝરમર પંડ્યા, અવારનવા તમને રેડિયો પર મળતા પણ મારી સાથે સતત સંપર્કમાં રહેતા અને રેડિયો વિષયક ચર્ચાઓ કરતા પાર્થ નાણાવટી, દર અઠવાડિયે તમે રેડિયોના ફેસબૂક પેજ પર જે સુંદર કાવ્યો વાંચો છે એનું ચયન કરીને કોઇપણ જોડણીદોષ ન રહે એ રીતે એને ટાઈપ કરીને તૈયાર કરતા અને એમના વાંચનના વિસ્તારનો લાભ આપીને સાહિત્યિક સેગ્મેન્ટ પ્રસ્તુત કરતા ભાવિન રાવળ તેમ જ ક્રિકેટ વિષે જે ખૂબ ઊંડાણથી વિચારે છે અને એ રમતને સમજે છે એવા ક્રિકેટ સમીક્ષક દીપક શાહ જે પોતાના વ્યસ્ત વ્યવસાયિક શીડ્યુલમાંથી સમય કાઢીને રેડિયો પર પરિપક્વ ક્રિકેટ સમીક્ષા કરતા આવ્યા છે. એ ઉપરાંત આજે past contributersને પણ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરું છું – કેરસી મેહેર હોમજી, ડો ચૈતન્ય બુચ, જેલમ અને હાર્દિક વછરાજાની અને ભદ્રાયુ વછરાજાની. આ સૌએ પોતપોતાનાં વાણી-વિચારથી રેડિયોને સમૃદ્ધ કર્યો. સૌનો હૃદયથી આભાર માનું છું. સૂરસંવાદના સહયોગીઓનો એક પરિવાર આપોઆપ રચાઈ ગયો, અમે સાથે મળીને ખૂબ આનંદ પણ કર્યો. અઢળક સ્મૃતિઓ છે.
રેડિયો ૧૫ વર્ષની મજલ કાપી ચૂક્યો છે ત્યારે એને વિરામ આપવાનો નિર્ણય કેમ? એ નિર્ણય આમ જોવા જઈએ તો સરળ નહોતો. પણ બીજી રીતે જોઈએ તો એક વખત એ મુકામ પર પહોંચી પછી એમાં ફેરવિચારણા કરવાની કે મન ડગી જવાની ક્ષણો આવી નથી. એનું કારણ કદાચ એ છે કે છેલ્લાં ૨ વર્ષના જાત સાથેના સવાલ-જવાબ પછી આ નિર્ણય પર પહોંચાયું છે. જે પ્રવૃત્તિ આપણી અસ્મિતા બની હોય, જે પ્રવૃત્તિ જ આપણી જીવનશૈલી હોય એનાથી અળગા થવું કેટલું સહેલું કે અઘરું છે? બે વર્ષના આ મનોમંથને મને એક સત્ય સમજાવ્યું છે કે જેટલી હિંમત અને જેટલું મનોબળ કોઈક પ્રકલ્પ શરૂ કરવા માટે જોઈએ છે, એટલું જ અથવા એનાથી વધુ શક્તિ એનાથી અળગા થવામાં જરૂરી છે.
સમય સાથે સમૂહમાધ્યમોનો વપરાશ કરવાની આપણી રીતો બદલાઈ છે. જ્યારે માધ્યમો સ્થળ અને કાળથી પર થતાં જાય છે, શ્રોતા વર્ગ વિશ્વમાં પથરાયો છે ત્યારે અમુક ચોક્કસ સમયે એફ.એમ. લાઈવ પ્રસારણ કેટલું સુસંગત છે? વળી ૧૫ વર્ષની અવિરામ યાત્રા પછી આ અઠવાડિક ડેડલાઇનની અવિરત રફતારમાંથી શું થોડો સમય પોરો ન ખાઈ શકાય? આ અને આવા અનેક સવાલો જાતને પૂછ્યા. એ પોરો ખાતાં ક્યાંક કંઈક નવું જડે એમ પણ બને!
સૂર સંવાદની આ યાત્રામાં સામૂહિક સ્તરે કેટકેટલા કાર્યક્રમો એટલે કે સ્ટેજ શો કર્યા, કેટલા ય લોકોનો સહકાર મળ્યો, નવા પરિચય થયા. ભારતથી ખ્યાતનામ ગાયક કલાકારોને અહીં આમંત્રણ આપીને કાર્યક્રમો યોજ્યા. એ ઉપરાંત રેડિયોના ૧૫ વર્ષમાં દર અઠવાડિયે ઓછામાં ઓછી એક મુલાકાત લેખે લગભગ ૮૦૦ મુલાકાતો થઇ. જાતજાતના લોકો મળ્યા, દરેક ક્ષેત્રના લોકો સાથે વાતો કરી. અને એ બધા જ મુલાકાતીઓ પાસેથી અંગતપણે મને જે જાણવા-શીખવા મળ્યું એનું મૂલ્ય આંકી શકું એમ નથી. કેટલા ય નવા મિત્રો મળ્યા, એવા મિત્રો જે રેડિયોને પાર કરીને સાથે રહે. આ બધો મારો અંગત ખજાનો છે. કેટલીક મુલાકાતોના સંચય સ્વરૂપે પુસ્તકો પણ પ્રકાશિત થયાં અને એના દ્વારા આ મુલાકાતોનો એક કાયમી દસ્તાવેજ ઊભો થયો.
હા, સંવાદો કરવા હજુ ઘણા બાકી છે. અને એ કદાચ થતા પણ રહેશે. કોઈક નવા નામે, નવા સરનામે. ત્યાં સુધી સૂરીલા સંવાદોની સ્મૃતિ મંજૂષા ઉઘાડીને રેડિયોની જીવંત વેબસાઈટ દ્વારા ગમતાંનો ગુલાલ કરતાં રહીશું.
![]()


મારું નામ રાજેન્દ્ર જશવંતભાઈ ગોસ્વામી. ઉમાશંકર જોશી ‘ઉ.જો.’ લખે, લાભશંકર ઠાકર ‘લા.ઠા’ લખે, સુરેશ જોશી ‘સુ.જો.’ લખે. એના ચાળે ચઢીને રાજેન્દ્રમાંથી ‘રા’ અને જશવંતમાંથી ‘જ’ને જોડીને ‘રાજ’ બનાવેલું. ઉપરાંત, રાજ કપૂર, રાજ કુમાર, રાજ બબ્બરના નામોનો પણ વહેમ. આણંદ નજીક ગોપાલપુરા નામના નાનકડા ગામમાં 25 જૂન ૧૯૬૩ના રોજ જન્મ થયેલો. ફાટેલાં કપડાં અને ચપ્પલ સાંધીને વર્ષ ચલાવવાં પડે તેવી ગરીબી. એ સામાજિક લઘુતાગ્રંથિમાંથી ઊભરવાનો રસ્તો જ્ઞાનમાં દેખાયો હતો. ગામની આખી લાઈબ્રેરી વાંચી નાખી હતી. એ પછી કોલેજની, મ્યુનિસિપાલિટીની અને ગામની એમ ત્રણ લાઈબ્રેરીઓનાં કાર્ડ મારી પાસે હતાં. એક જ સમયે હું ત્યારે ત્રણથી ચાર પુસ્તકો વાંચતો હતો. રદ્દીઓની દુકાનોમાં ફરતો.
અખબાર સાત-આઠ કલાકમાં તૈયાર થતું હોય અને દરેક વસ્તુ ડેડલાઇન પ્રમાણે ચાલતી હોય, એટલે એ અર્થમાં એ ઉતાવળમાં લખાયેલું સાહિત્ય છે. ઘણા અંગ્રેજી પત્રકારો સારા સાહિત્યકારો રહ્યા છે, ખુશવંત સિંઘ પોતે સારા સાહિત્યકાર છે. ખુશવંત સિંઘમાં તમે સાહિત્યકાર અને પત્રકારને છૂટા પાડવા જાવ તો તમને ખબર ન પડે કે ક્યાં પત્રકાર પૂરો થાય છે અને ક્યાંથી સાહિત્યકાર શરૂ થાય છે. એટલે ઘણા અંગ્રેજી ભાષાના પત્રકારો સારા લેખકો રહ્યા છે અને એક સારો તંત્રી હંમેશાં એક સારો વાચક હોય છે. એની અસર એના કામ પર પડે, એટલે એના અખબારના લેખનનું સાહિત્યિક મૂલ્ય પણ હોય.
પડગાંવકરે કહ્યું કે એમની જોબ દેશમાં બીજી સૌથી મહત્ત્વની છે, તે સમાજના ઉપલા વર્ગના અથવા સત્તાવાળા વર્ગના સંદર્ભમાં હતી. પણ આજે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ની એવી કોઈ ગણતરી નથી. એ એડિટરો પણ રહ્યા નથી, એ પરંપરા પણ રહી નથી, એ અખબારોનો જે પાવર હતો, અથવા ખુશવંત સિંહ જેની વાત કરે છે તે અખબારોનું સાહિત્યિક સ્વરૂપ હતું એ નથી રહ્યું. તમે બીજાં પણ અનેક અંગ્રેજી અખબારો જુઓ તો એ પણ હવે એક વ્યવસાય જ બની ગયો છે, એ બધાં માત્ર પૈસા જ બનાવે છે.
બીજું નામ છે વિનોદ મહેતાનું, જે છેલ્લે આઉટલુક મેગેઝિનમાં એડિટર હતા. પ્લેબોયની તર્જ પરનું ભારતનું પહેલું ‘ગંદુ’ મેગેઝિન ‘ડેબોનેર’ને તેમણે લોકો વાંચી શકે તેવું બનાવેલું. અટલ બિહારી વાજપેઈએ એકવાર મહેતાને કહેલું કે તમારું મેગેઝિન સરસ આવે છે, પણ તકલીફ એ છે કે ઓશિકા નીચે છુપાવી રાખવું પડે છે. મારી પાસે તેના ઘણા અંકો છે. હું ‘ડેબોનેર’ને (ઇન્દ્રિયોત્તેજક નહીં) વિચારોત્તેજક મેગેઝિન કહું છું. વિનોદ મહેતા પહેલા સંપાદક હતા જેમણે ઉઘાડી છોકરીઓના ફોટા વચ્ચે વચ્ચે વી.એસ. નાઇપોલ, નિરદ સી. ચૌધરી, ખુશવંત સિંઘ, વિજય તેંડુલકર, નિસીમ ઇઝીકેલ, અરુણ કોલાટકર અને આર.કે. નારાયણ જેવા ધૂંઆધાર લેખકોના લેખ છાપ્યા હતા.
આપણા ચિત્તમાં કળાકાર અને ખ્યાતિ એ બે શબ્દો અખંડપણે જોડાયેલા છે. કલાની સાધના શુદ્ધ કલાપ્રેમ માટે થાય, એ આજે એક વિરલ ઘટના બનતી જાય છે. દરેક કલાનું ક્ષેત્ર આજે સેલ્ફ-માર્કેટિંગ તેમ જ પોતાને અને પોતાની કલાને શ્રેષ્ઠ ગણાવનાર કલાકારોથી ભર્યુંભાદર્યું છે, ત્યારે એમાં કેટલાક એકલપેટા મરજીવાઓ શાંત સૂરે પોતાનો રાગ આલાપે છે. એવો એક સૂર છે અમદાવદના નાટ્યકાર અને હાડોહાડ કલાના જીવ ભરત દવેનો. એમનો સૂર જેટલો શાંત છે એટલો જ સ્થિર અને મક્કમ છે.
હવે એ તો દરેક વ્યક્તિ પોતાનું નસીબ લઈને જન્મે છે. પછી એનો પોતાનો પુરુષાર્થ અને એને નસીબની કેટલી મદદ મળે છે એના પર એના ભવિષ્યનું અને એનું લક્ષ્ય નિર્માણ થાય છે. મને પણ એવા તરંગ-તુક્કા ક્યારેક આવે કે હું પણ પૃથ્વીરાજ કપૂરનો દીકરો હોત તો મારો વિકાસ કેવો થયો હોત? પણ પૃથ્વીરાજના બધા દીકરાઓ રાજ કપૂર જ થયા છે, એવું પણ નથી. એટલે મોટા કલાકારની કુખે જન્મ લો એટલે તમે ઉત્તમ કલાકાર બનો એવું પણ નથી. ઘણા કલાકારો એવા છે જે શૂન્યમાંથી આગળ વધ્યા છે, અને મોટાં સર્જન કરી શક્યા છે. પણ એક વાત સાચી છે કે નાની ઉંમરથી મારે જે દિશામાં જવું હતું એ દિશાની તાલિમ અને વાતાવરણ જો મને મળ્યા હોત તો હું મારી કલાને ચોક્કસ વધુ સારી ધાર આપી શક્યો હોત. કારણ કે માણસનું શરીર અને મન એ પણ સંગીતના સાજ જેવા છે. તમે એનું જે પ્રકારનું ટ્યુનીંગ કરો એ પ્રકારે એ વાગે. હું એમ.એ., એલએલ.બી. કર્યા પછી, છેક છવીસ વર્ષની ઉંમર પછી, મારે જ્યાં જવું હતું ત્યાં, ‘નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા’ સુધી પહોંચી શક્યો. એ દરમ્યાનમાં હું એવું ભણ્યો જે મારા રસના વિષયો હતા જ નહીં. આપણે ત્યાં જે પરંપરાગત રીતે જરૂરી જણાય છે કે કારકિર્દી બનાવવા માટે અમુક ડિગ્રી લેવી જ પડે જેથી આર્થિક સલામતી નિશ્ચિત થાય, એ દિશામાં મેં કામ કર્યું. એમાં મારા કુટુંબમાં મારા વડીલો સામે મેં જે કંઇ લડત આપી, જે કંઇ હું મનમાં હિઝરાયો-મૂંઝાયો, વ્યથિત થયો અને મારી જાતે મેં એમાંથી જે માર્ગો કાઢ્યા, કે નસીબ જોગે મને એમાંથી જે માર્ગો મળ્યા, એને કારણે કમ સે કમ હું પચીસ વર્ષ પછી દિલ્હીની ‘નેશનલ સ્કુલ ઓફ ડ્રામા’ સુધી પહોંચી શક્યો. પણ એવા અનેક લોકો છે જે એ ઉંમર સુધીમાં તો સ્થાઈ થઇ જતા હોય છે. પણ મારા સમયમાં ચીલો ચાતરવાની હિંમત મોટા ભાગનાં મા-બાપોમાં નહોતી. અને એમાં પણ નાટક-સિનેમામાં પોતાના સંતાનને પ્રોત્સાહન આપવાની હિંમત બધાં મા-બાપ નહોતાં દેખાડી શકતાં, કારણ કે એમાં જનારા બધા મોટે ભાગે નિષ્ફળ જાય છે અને જૂજ લોકો જ સફળતા પામે છે. પણ એવા મરજીવાઓ પણ હોય છે જે માત્ર સલામતીનું કોચલું લઈને જીવવા નથી માંગતા, એ સંઘર્ષ કરવા માંગે છે.
હું એવું માનું છું કે કદાચ મારી અંદરનો જ પડઘો એ અલ્કાઝી છે. મારે જે બનવું છે, મારા જે માપદંડો છે, મારા જે આદર્શો છે, નાનપણથી હું જે કરવા ઈચ્છતો હતો, તેનું મૂર્ત સ્વરૂપ અલ્કાઝી છે. એની નિયમિતતા, એનો પુરુષાર્થ-મહેનત, એની ચોખ્ખાઈ, સજ્જતા … બધું ચોખ્ખું, આકર્ષક, મનભાવન હોવું જોઈએ એવો આગ્રહ, જેને એક શિસ્ત કહીએ, એ મને અલ્કાઝીએ આપી. ઘણા લોકો કલાકારોને અલગારી માને છે. પણ અલ્કાઝીએ એક નોખો કન્સેપ્ટ આપ્યો કે કલાકાર એટલે જેનામાં શિસ્ત હોય. ઘણા લેખકો કે અભ્યાસીઓના ખંડમાં તમે જાવ તો ચારે બાજુ પુસ્તકોના ઢગલા હોય, કાગળો અને બધું ઊડતું હોય, કલાકારે મેલો-ઘેલો ઝભ્ભો-લેંઘો પહેર્યો હોય, હાથમાં સિગરેટ કે પાઈપ હોય, વાળ વધેલા હોય, દાઢી વધેલી હોય. એની સામે અલ્કાઝી સાવ જુદી જ પ્રકૃતિના. એકદમ સુટેડ- બુટેડ રહે, શરીર પર અત્તર છાંટે, એમની ઓફિસ પણ ચોખ્ખી, તમે જાવ તો એકદમ પ્રસન્નતાની લાગણી થાય, એમના અક્ષરો પણ એટલા જ સરસ, ભાષા પણ ચોખ્ખી, એટલા વિનયી-વિવેકી, કામમાં એટલી સફાઈ જોવા મળે. નાનપણથી મારી અંદર હું આ બધાનો આગ્રહી હતો અને આ વ્યક્તિના જીવનમાં મને એ બાબત દેખાઈ.