પ્રેમી જેમ પ્રેમિકા ઝંખે
એવો કૉરૉના વાઈરસ.
વાંછુ જેમ નોકરી શોધે
એવો કૉરૉના વાઈરસ.
શિશુ જેમ માને ઝંખે
એવો કૉરૉના વાઈરસ.
પ્રવાસી જેમ ગંતવ્ય શોધે
એવો કૉરૉના વાઈરસ.
ધરતી જેમ મેઘ ઝંખે
એવો કૉરૉના વાઈરસ.
મુમુક્ષુ જેમ ગુરુ શોધે
એવો કૉરૉના વાઈરસ.
થાકેલો જેમ પૉરૉ ઝંખે
એવો કૉરૉના વાઈરસ.
એકાકી જેમ સંગાથ શોધે
એવો કૉરૉના વાઈરસ.
ખેડૂત જેમ મોલ ઝંખે
એવો કૉરૉના વાઈરસ.
ભટકેલો જેમ માર્ગ શોધે
એવો કૉરૉના વાઈરસ.
ભૂખ્યો જેમ રોટલો ઝંખે
એવો કૉરૉના વાઈરસ.
તરસ્યો જેમ જળ શોધે
એવો કૉરૉના વાઈરસ.
વટેમાર્ગુ જેમ છાંયો ઝંખે
એવો કૉરૉના વાઈરસ.
વાઘ જેમ શિકાર શોધે
એવો કૉરૉના વાઈરસ.
ઉધઈ જેમ લાકડું શોધે
એવો કૉરૉના વાઈરસ.
ભૂત જેમ આંબલી શોધે
એવો કૉરૉના વાઈરસ.
બહુરૂપી પેઠે વેશ બદલે
આ કૉરૉના વાઈરસ.
ચોરની જેમ ચાર આંખ રાખે
આ કૉરૉના વાઈરસ.
જાસૂસની જેમ પગેરું શોધે
આ કૉરૉના વાઈરસ.
મુસાફરની જેમ આશરો ઝંખે
આ કૉરૉના વાઈરસ.
માનવોને હંફાવી કાઢે
આ કૉરૉના વાઈરસ,
અતિથિ જેમ આતિથ્ય માણે
એમ યજમાન દેહ માણે
આ કૉરૉના વાઈરસ!
* બાળકોની એક રમતનું નામ
e.mail: rupaleeburke@yahoo.co.in
![]()


૨૬ એપ્રિલ, ૧૯૩૭માં જન્મેલા ફાધર સ્ટૅન સ્વામી એસ.જે. (સ્ટૅનિસ્લૉસ લૉર્દુસ્વામી), આદિવાસી અધિકાર કર્મશીલ આજે ૫ જુલાઈ, ૨૦૨૧ના દિને ફાની દુનિયાને ૮૪ વર્ષે અલવિદા કરી ગયા છે. તેઓ હોલી ફેમિલી હૉસ્પિટલમાં પલ્મનરી ઇન્ફૅક્શન, કૉવિડ પશ્ચાત્ થયેલા ફેફસાંના કૉમ્પ્લિકૅશન્સ અને ન્યુમોનિયા માટે સારવાર હેઠળ આઈ.સી.યુ.માં હતા. ૪ જુલાઈ, ૨૦૨૧ના રોજ સવારે ૪.૩૦ વાગે એમને કાર્ડિયૅક અરૅસ્ટ આવ્યા બાદ વૅન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ભાનમાં આવ્યા નહીં.
‘પૃથ્વીનો છેડો ઘર’ એમ કહેવાયું છે, એ શું જેમને કાયમી ઘર હોય એના માટે જ? શહેરોમાં થોકબંધ લોકો બ્રિજ નીચે, ફૂટપાથ પર, રેલવે પ્લેટફોર્મ પર, રૅનબસેરામાં રહે છે એ જ એમનો પૃથ્વીનો છેડો ને? અરે, પિયર છોડીને સાસરે જતી યુવતીને મન ઘર કયું હોતું હશે? સમાજ ઠેરવે કે પરણ્યા પછી પતિનું ઘર એ જ ઘર પરંતુ દીકરીના હૃદયમાં પતિ અને પિતા બન્નેનાં ઘર વસેલા હોય છે. સંસાર ત્યાગ કરનારા સાધુ-સાધ્વીઓ માટે પૃથ્વીનો છેડો કયો? અનાથ આશ્રમ અને તરછોડાયેલી નારીઓ માટેની સંસ્થાઓમાં રહેતા, જેલમાં જન્મટીપની સજા કાપતા કેદીઓ, યુદ્ધ કે હવામાન પરિવર્તન કે કુદરતી હોનારતો, વગેરેને કારણે બનેલા વિસ્થાપિતો અને શરણાર્થીઓ — આ બધાં માટે ઘર એ કયું હશે? અમુક વ્યક્તિઓ ‘બૅક-પૅકર્ઝ’ બનીને વિશ્વ ખૂંદી વળે છે. એમને અનંત મુસાફર બનીને જ જીવવું પસંદ છે. વળી, ડાયસ્પૉરા સમાજો સંદર્ભે ‘ઘર’ની સમજમાં અનેક પાસાઓ ઉમેરાય છે. એટલે એમ કહી શકાય કે ઘરનો અર્થ સાપેક્ષ છે.
એટલે નકશા પરથી એનું અસ્તિત્ત્વ જ ખતમ થઈ જાય છે. ऐसा भी हो सकता है, ऐसा भी होता है?! પળવારમાં સ્થળ હતું ના હતું થઈ જાય છે. તો પછી વ્યક્તિ સ્થાયી (sedantary) મટી વિચરતું (non-sedantary) બની જાય એમાં શી નવાઈ.