આકાશથી નીચેનાં અને
આકાશથી ઉપરનાં પાણી
જુદાં કર્યાં યહોવાહે*
નીચેનાં પાણીમાંથી
કોરી ભૂમિ જુદી કરી
પાણી અને ભૂમિ જુદાં કર્યા
નૂહ*ના જમાનામાં
માણસની ભૂંડાઈ મટાડવા
પૃથ્વી પર પાણીનું જોર ચાલવા દીધું.
મિસરીઓથી બચવા ઈસરાયેલીઓ સાથે
મૂસા નિકળ્યા
ડેરા તંબુ લઈને
સૂફ સમુદ્રના કાંઠે મૂસાને
સંકટમાંથી ઊગારવા
યહોવાહએ
મૂસાને હાથ લાંબો કરી
સમુદ્રને બે ભાગમાં વહેંચવાનું કહી
પાણી અને ભૂમિ જુદાં કર્યા.
ત્યારથી પાણી અને ભૂમિ વચ્ચે વેર મંડાયું
પછી તો
સમુદ્ર ચીરીને પૃથ્વીએ હિમાલય થઈ
માથું ઊંચક્યું
કીરીબાટી, ટુવાલુ, જેવા સમુદ્ર દ્વિપોને
આજ ગળું કાલ ગળું કરતા
સમુદ્ર વળતો ઘા મારે છે
આકાશમાં મેઘધનુષ જોઈ
ઋતુ પરિવર્તનના નિરાશ્રિતો કહેવાતા
ટાપુ નિવાસીઓ
નૂહ સાથેના યહોવાહના કરારને
વાગોળે છે.
યહોવાહ – બાઈબલના જૂના કરારમાં ઈશ્વર પિતા માટેનું સંબોધન
નૂહ – બાઈબલના ઉત્પત્તિના પુસ્તક પ્રમાણે પ્રલય પહેલાના દસમા કુળપિતા અને સતપુરુષ
મૂસા – બાઈબલના નિર્ગમનના પુસ્તક પ્રમાણે ઈઝરાયેલીઓને ગુલામીમાંથી છોડાવી મિસરથી (હાલનું ઈજીપ્ત) બહાર દોરી જનાર પૈગંબર.
e.mail : rupaleeburke@yahoo.co.in
![]()





આ તબક્કે બન્ને કવિઓના ધર્માંતરણના નિર્ણય માટે જવાબદાર કારણોનો ટૂંકો ચિતાર આપવો ઉપયોગી બનશે. પ્રશ્નોરા બ્રાહ્મણમાંથી પ્રખર સ્વિડનબોર્ગયનીઝમ સુધીની કાન્તની સફર પર એક નજર કરીએ. આ ઘટનાને એક સદી ઉપર સમય થઈ ગયો છે. તે વખતે કાન્ત ૩૦ વર્ષના હતા. ૧૮૯૭માં ગિરગાંવના નેટિવ યુનિટરેયિન ચર્ચના પુસ્તકાલયમાં કાન્ત સ્વીડનબોર્ગનાં લખાણોના સંપર્કમાં આવ્યા. તે સમયે કાન્ત ગુજરાતીના શિક્ષકોના તાલીમ કેન્દ્રના હેડમાસ્તર હતા અને ગિરગાંવની મુલાકાતે અવારનવાર જતા. સ્વીડનબોર્ગનું સૂત્ર હતું “ઈશ્વર પ્રેમ છે અને જે પ્રેમમાં વસવાટ કરે છે તે ઈશ્વરમાં વસવાટ કરે છે અને ઈશ્વર તેનામાં વસવાટ કરે છે. વૈવાહિક પ્રેમ એ પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અને તેવાં વ્યક્તિ પોતાના જોડીદાર સાથે સ્વર્ગમાં ઐક્ય મેળવે છે. પ્રથમ પત્નીના મૃત્યુથી વ્યથિત કાન્તના ઘાયલ હૃદય માટે આ મલમ સાબિત થયું. છેવટે કાન્તે ૧૮૯૮માં ધર્મપરિવર્તન કર્યું. આ નિર્ણયનાં કપરાં પરિણામો કાન્તે ભોગવવા પડ્યા. રા.વિ. પાઠક નોંધે છે તેમ, “આ ધર્માંતરના ક્ષોભથી તેમના સર્વ પ્રેમતંતુઓ વિષમ ખેંચતાણોમાં છિન્નભિન્ન થઈ ગયા. આખું જીવન જાણે અંધકારમય ગ્લાનિમાં ગર્તમાં તેમણે ગાળ્યું .…” (પૂર્વાલાપ, ૧૦૧) દુન્યવી દુ:ખ છતાં કાન્તની આધ્યાત્મિક ખેંચાણે એમને નિર્ણય લેવડાવ્યો. હૉપકિન્સે પણ ધર્મપરિવર્તનના એમના નિર્ણયને લીધે કુટુંબ અને સમાજનો તિરસ્કાર વેઠવો પડ્યો હતો.