Opinion Magazine
Number of visits: 9634907
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુજ્ઞ સંવાદ

——, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|15 September 2020

પરિષદ : વિચાર-આચાર અને … / અજય પાઠક

૧, સપ્ટેમ્બરમાં ડંકેશ ઓઝા તથા પ્રકાશ ન. શાહની નોંધ ગમી. પ્રકાશ શાહ, તંત્રી અને હોદ્દેદાર બન્ને હેસિયતથી પેશ આવતા રહ્યા છે. તેમાં નિરીક્ષકના સંપાદનકાર્યને પણ ચર્ચાના દાયરામાં લેવાનું પ્રાપ્ત થાય તેવા પ્રસંગો છેલ્લાં વર્ષોમાં આવ્યા છે, જ્યારે નિરીક્ષકમાં રજૂ થયેલ ચર્ચામાં વિવેક જળવાયો ન જણાયો હોય. પરિષદની મધ્યસ્થસમિતિની બેઠકમાં ચર્ચા દરમિયાન પણ આવો ઉલ્લેખ કરવાનું મારે ભાગે આવ્યું છે ને પ્રકાશ શાહે તે સાંભળ્યું છે. નિરીક્ષકમાં પણ તંત્રીની વિરુદ્ધમાં લખાયેલ નોંધ સ્થાન પામતી હોય છે. આમ, મારો અનુભવ નિરીક્ષક અંગે તેમ મધ્યસ્થ સમિતિમાં લોકશાહી વલણ અંગે નરવો રહ્યો છે. બલકે કહો કે વિચાર-અભિવ્યક્તિ, કાર્ય એટલે કે આચાર પરત્વે પરિષદ તેમ નિરીક્ષક – બંનેમાં મને લોકશાહીનો ‘ફિલ’ અનુભવાયો છે. તેમાં ઉમાશંકર, રઘુવીર કે ચંદ્રકાંત – ધીરુ  પરીખની ઉપસ્થિતિ સમાન લાગી છે. દર્શકનો મને અનુભવ નથી. લોકશાહી ઢબે વિચારવાની, વ્યક્ત થવાની, કામ કરવાની મોકળાશ પરિષદ તેમ નિરીક્ષક બંને જગ્યાએ અનુભવી છે. પ્રકાશની એક આંખ ઠરી છે નિરીક્ષકમાં બીજી ઠરી છે પરિષદમાં; ને હૈયે વસ્યું છે લોકશાહીનું હિત! યઃ પશ્યતિ સ પશ્યતિ …

°°°°°°°°

નો સર! / ડંકેશ ઓઝા

ગુજરાતનું સાપ્તાહિક વિચારપત્ર એ આપણો સહિયારો જાહેર વારસો છે જે મૂલ્યવાન છે. મારી જેમ ઘણાની પ્રતીતિ હશે કે ‘જાહેર બૌદ્ધિક’ ગણાયેલા ગૂર્જરકવિ ઉ.જો.એ આવા તબક્કે આપે કર્યો તેવો નિર્ણય ન જ કર્યો હોત! સીધીસાદી સરળ વાત એ છે કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોને અનુસરીએ તો પણ કોઈ કેસમાં આપણે આપણા ન્યાયાધીશ થઈ શકતા નથી. પરિષદનું પ્રમુખપદ કે તેની ચૂંટણી પારદર્શક મૂલ્યનિષ્ઠાથી ઊંચી તો કેવી રીતે હોઈ શકે? સમયસર જેનું કામ જે કરે તે વિચારીને પાછા વળો એમાં જ ઔચિત્ય છે. અન્યથા, ભાવિ ઇતિહાસ તમારો ન્યાય તોલશે એ તો નક્કી જ છે. સુજ્ઞેષુ કિમ્‌ બહુના ?!

°°°°°°°°°

તંત્રીઃ

સાહિત્ય પરિષદના પ્રમુખપદના ઉમેદવારોને પોતપોતાની ભૂમિકા રજૂ કરવાનું ઈજન મેં આપ્યું હતું તે મુજબ અહીં બે ઉમેદવારીનોંધો મૂકી છે. હર્ષદ ત્રિવેદીને તંત્રી અને ઉમેદવાર બન્ને એક વ્યક્તિ હોય તે સંજોગોમાં નિરીક્ષકમાં લખવું યોગ્ય નથી લાગ્યું તેથી અહીં એમની ભૂમિકાથી વાચકોને પરિચિત નથી કરી શકાયા તે માટે તંત્રી ક્ષમાપ્રાર્થી છે. તંત્રીની ભૂમિકા ૧-૯ના અંકમાં ડંકેશ ઓઝાના પત્રના પ્રતિભાવરૂપે જે પ્રગટ થઈ હતી તે યથાવત્‌ છે અને હાલ તે સંતુલન વિવેકની તાવણીમાંથી પસાર થવામાં તે પોતાનો ધર્મ જુએ છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 09

Loading

15 September 2020 admin
← મતદારો જોગ
કુપોષણ અસમાનતાને કારણે જન્મે છે →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—326
  • શિક્ષણનું પરચુરણ …
  • ગુજરાતી ચલચિત્ર કંકુ (૧૯૬૯) – એક વિહંગાવલોકન
  • સમતાલક્ષી કોશિશ સામે ‘સવર્ણ’ ઊહાપોહ શીદને 
  • ક્યારે ય ‘આઉટ ઓફ પ્રિન્ટ’ ન થયેલી નવલકથા 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved