Opinion Magazine
Number of visits: 9446687
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોહરાબુદ્દીન ચુકાદો અપેક્ષિત છે. બસ, હવે બાકીની જિંદગી હેમખેમ પસાર થઈ જાય એની પ્રાર્થના નિર્દોષ મહાનુભાવોએ કરતા રહેવું જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|24 December 2018

સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસના તમામ આરોપી નિર્દોષ છૂટી ગયા છે, જેમાં બી.જે.પી.ના અધ્યક્ષ અમિત શાહનો પણ સમાવેશ થાય છે. ચુકાદો અપેક્ષિત હતો એટલે કોઈને ય એમાં આંચકો લાગ્યો નથી કે આશ્ચર્ય થયું નથી. હવે અમિત શાહે અને બીજા આરોપીઓએ ભગવાનને પ્રાર્થના કરતા રહેવું જોઈએ કે દિલ્હીની વડી અદાલતમાં સજ્જન કુમારના કેસનો ખટલો સાંભળનારા ન્યાયમૂર્તિઓ જેવા કોઈ ન્યાયમૂર્તિઓ સાથે પનારો ન પડે અને બાકીની જિંદગી હેમખેમ પૂરી થઈ જાય.

આમ કહેવા પાછળ કારણ છે. ભારતમાં ન્યાયતંત્ર અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ન્યાય નથી કરતાં, વ્યક્તિગત રીતે પ્રામાણિક અને ખુદ્દાર અધિકારીઓ અને જજો ન્યાય કરે છે. વ્યવસ્થામાં એવા કેટલાક લોકો આવી જાય છે જે હાર્યા વિના, વેચાયા વિના કે ડર્યા વિના નિર્દોષ લોકોને ન્યાય અપાવવા માટે ઝઝૂમે છે. તેમનો અંતરાત્મા તેમને જંપવા દેતો નથી. સામે પક્ષે રાજકીય પરિસ્થિતિ બદલાય છે ત્યારે ડરીને મૂંગા થઈ ગયેલા લોકો બોલવા લાગે છે. એટલા માટે બાકીની જિંદગી હેમખેમ પસાર થઈ જાય એ માટે પ્રાર્થના કરતા રહેવું જરૂરી છે.

અદાલતોમાં કોઈ નિર્દોષ છૂટી જાય એનો અર્થ એવો નથી કે આરોપીઓ સો ટકા નિર્દોષ હતા. આપણે કાયદાના રાજ્યમાં શ્રદ્ધા રાખીને જીવવાનું છે અને ન્યાયતંત્ર તેની કરોડરજ્જુ છે એટલે અદાલત જે ફેંસલો આપે એ આપણે એક વફાદાર નાગરિક તરીકે કબૂલ કરવું રહ્યું. માત્ર પેલી શંકાની સોય મનમાં સળવળે છે. શંકા કરવા માટે કેટલાં ઉદાહરણો આપવાં? ૧૯૮૪ના દિલ્હીના સિખોનો નરસંહાર, ૧૯૮૯માં થયેલો ભાગલપુરનો હત્યાકાંડ, ભોપાલ ગેસગળતર, ૧૯૯૩માં મુંબઈમાં થયેલાં કોમી હુલ્લડો, કંધમાલ, ગુજરાત, મુઝફ્ફરનગર, માલેગાંવ, મક્કા મસ્જિદ, સમજૌતા એક્સપ્રેસ કેટકેટલા ઘૃણાસ્પદ અને શરમજનક બનાવો બન્યાં છે જેમાં નિર્દોષ લોકોને નથી ન્યાય મળ્યો અને ગુનેગારોને સજા થઈ નથી. સરકાર કોઈની પણ હોય, ન્યાય થતો નથી. મહારાષ્ટ્રમાં ડૉ. નરેન્દ્ર દાભોલકર નામના રેશનાલિસ્ટની હત્યા ૨૦૧૩માં થઈ હતી, જ્યારે રાજ્યમાં કૉન્ગ્રેસની સરકાર હતી. એ પછી કૉન્ગ્રેસે એક વરસ શાસન કર્યું હતું, પરંતુ આરોપીઓ પકડાયા નહોતા. આવી જ રીતે ગોવિંદ પાનસરે, કુલ્બુર્ગી અને ગૌરી લંકેશની હત્યાઓ થઈ ત્યારે પણ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કૉન્ગ્રેસની સરકારો હતી.

માટે કહેવું પડે છે કે આવા રાજકીય લાભાલાભથી પ્રેરાઈને થતા ગુનાઓમાં આરોપીઓ નિર્દોષ છૂટી જાય, એનો અર્થ એવો નથી કે તેઓ નિર્દોષ હતા. નસીબ સારા હોય તો હેમખેમ જિંદગી પૂરી કરીને ઉપર જતા રહે અને સજ્જન કુમારની જેમ નસીબ ફૂટેલા હોય તો દિલ્હીની વડી અદાલતના જજો જેવા જજો ભટકાઈ જાય અને જતી જિંદગીએ જેલમાં પણ જવું પડે. એટલા માટે નિર્દોષ છૂટેલા મહામાનવોએ કમસેકમ આજીવન પ્રાર્થના કરતી રહેવી.

એમ લાગે કે સોહરાબુદ્દીન એનકાઉન્ટરનો ચુકાદો આપનારા જજ એસ.જે. શર્મા સંવેદનશીલ માણસ છે. તેમણે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલાઓનાં પરિવારજનોની ન્યાય નહીં કરી શકવા બદલ માફી માગી છે. તેમણે કહ્યું છે કે સી.બી.આઈ. આરોપીઓ સામે કેસ જ સ્થાપિત કરી શકી નથી. અધ્ધર પુરાવાઓ વિનાના આરોપોમાં સજા કેવી રીતે કરવી અને કોને કરવી? સરકારી વકીલે ૨૧૦ સાક્ષીઓની જુબાની લીધી હતી જેમાંથી ૯૨ સાક્ષીઓ પાછળથી ફરી ગયા હતા. જે સાક્ષીઓ ફરી ગયા એ ગુનો સાબિત કરવા માટે ચાવીરૂપ સાક્ષીઓ હતા. એ સાક્ષીઓ શેને કારણે ફરી ગયા એ સમજવા માટે આઇન્સ્ટાઇનના દિમાગની જરૂર નથી. જજે સરકારી વકીલના વખાણ કર્યા છે અને કહ્યું છે કે જ્યારે સાક્ષીઓ ફરી જાય અને સી.બી.આઈ. મજબૂત તપાસ કરીને કેસ સ્થાપિત કરીને ન આપે ત્યાં બિચારા વકીલ શું કરે?

ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં અદાલતો છેલ્લે આવે છે. એ પહેલાં જ તપાસકર્તાઓ કેસનું કાસળ કાઢી નાખે છે. સરખી તપાસ કરે નહીં, સમયસર તપાસ કરે નહીં, પુરાવાઓનો નાશ થવા દે, સાક્ષીઓ ફરાર થઈ જાય, કોઈનાં રહસ્યમય મૃત્યુ થાય, સાક્ષીઓ ફરી જાય, કાચા આરોપનામાં હોય અને એ પછી પણ જો કોઈ જજ સક્રિયતા અને સ્વતંત્રતા બતાવે તો જજોની બદલીઓ થાય અને જરૂર પડે તો જજોનું પણ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થાય, જેમ સોહરાબુદ્દીન કેસનો ખટલો સાંભળનારા જજ લોયાનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. આટઆટલાં ગાબડાં પછી ખટલો અદાલતમાં ચાલે ત્યારે જજ શું ચુકાદો આપે? જજ જો મહત્ત્વાકાંક્ષી હોય તો અનુકૂળ ચુકાદો આપીને પ્રમોશન મેળવી લે અને જો સંવેદનશીલ હોય તો માફી માગી લે. સજ્જન કુમાર જેવા ચમત્કાર તો ત્યારે બને જ્યારે રાજકીય તખતો પલટાયો હોય અને બીજી બાજુ જજ અને તપાસકર્તા અધિકારીઓની કુંડળી મેચ થઈ જાય. હજુ એક વાત. તપાસકર્તા અધિકારીઓ પુરાવાઓને રફેદફે કરે છે તેનો નાશ નથી કરતા. તેઓ તેની લાંબા ગાળાની કિંમત જાણે છે.

આમ પ્રારંભમાં કહ્યું એમ જે ચુકાદો આવ્યો છે એનાથી કોઈને ય આંચકો નથી લાગ્યો કે નથી આશ્ચર્ય થયું. બધું જ અપેક્ષા મુજબ બન્યું છે. બસ, હવે બાકીની જિંદગી હેમખેમ પસાર થઈ જાય એની પ્રાર્થના નિર્દોષ મહાનુભાવોએ કરતા રહેવું જોઈએ.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 24 ડિસેમ્બર 2018

Loading

24 December 2018 admin
← ‘વૃદ્ધશતક’ : વિધાનકવિતા અથવા સ્ટેટમૅન્ટપોએટ્રી
બંધન →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved