Opinion Magazine
Number of visits: 9447113
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સર્જકોનો અવાજ સરમુખત્યારોના પ્રચંડ અવાજ કરતાં અનેકગણો બુલંદ હોય છે

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Literature|27 October 2015

આપણે મુક્ત વાતાવરણમાં શ્વાસોચ્છ્વાસ લઈ શકીએ એ માટે ઘણા લોકો કિંમત ચૂકવતા હોય છે એની ઘણી વાર તો આપણને જાણ પણ નથી હોતી, પરંતુ જો જાણ થાય તો એની કદર કરતાં શીખવું જોઈએ

ગુલઝાર અને પાકિસ્તાની કવયિત્રી ફહમીદા રિયાઝ

સાહિત્યકારો અને સર્જકોએ વધતીજતી અસહિષ્ણુતા સામે માન-સન્માન પાછાં કરીને અવાજ ઉઠાવ્યો છે એ જોઈને સરકાર અને શાસક સંઘપરિવાર હેબતાઈ ગયાં છે. કેન્દ્રસ્થ અકાદમીના અવૉર્ડ પામેલા થોડાઘણા નહીં, ભારતની વિવિધ ભાષાના ૩૩ જેટલા સાહિત્યકારોએ અવૉર્ડ પાછા કર્યા છે. રાજકીય વિરોધીઓની અને ઝોલાવાલા સેક્યુલર કર્મશીલોની ઉપેક્ષા થઈ શકે છે, પરંતુ સાહિત્યકારોની અવગણના થઈ શકતી નથી. એક તો ૩૩નો આંકડો કોઈ નાનો નથી અને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો અવૉર્ડ મામૂલી નથી. એ જ્ઞાનપીઠ પછીનો બીજા ક્રમનો પ્રતિષ્ઠિત અવૉર્ડ છે અને એ અવૉર્ડ મેળવનારા સાહિત્યકારો માણસ તરીકે ગમે એવા હોય, સર્જક તરીકે પહેલી હરોળના હોય છે. દરેક ભાષાની વિચારનારી અને વાંચનારી પ્રજાનો પોતપોતાની ભાષાના સર્જન અને સર્જકો સાથે અનુબંધ હોય છે. ભારતની ભાગ્યે જ કોઈ મહત્ત્વની ભાષા બચી હશે જેના કોઈ ને કોઈ સર્જકે અવાજ ન ઉઠાવ્યો હોય. આ યાદીમાં છેલ્લે ગુલઝારસાહેબ ઉમેરાયા છે અને યાદી વિસ્તરી રહી છે.

જે લોકો રોજિંદી રાજકીય બાબતોમાં રસ લેતા નથી એવા લોકો જ્યારે મોઢું ખોલે ત્યારે એની ગંભીરતા વધી જતી હોય છે. લોકોને સમજાવા લાગે છે કે જરૂર ક્યાંક કશુંક ખોટું થઈ રહ્યું છે. શું બની રહ્યું છે એની જો લોકોને આછીપાતળી જાણ હોય તો એની ગંભીરતા સમજાવા લાગે છે. વળી એ તો દેખીતી વાત છે કે પ્રજા સાવધાન થવા લાગે એ શાસકોને ગમતું નથી. ડર રાજકીય હરીફોનો નથી હોતો, એની સાથેનાં રાજકીય સમીકરણો પરસ્પરના સ્વાર્થ મુજબ બદલાતાં રહે છે. ડર પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ્સનો કે કર્મશીલોનો પણ ખાસ નથી હોતો, કારણ કે તેમનું તો કામ જ ઊહાપોહ કરતા રહેવાનું છે. એ અસંતુષ્ટ જમાત છે જે સંતાપ વ્યક્ત કર્યા કરે છે અને તેમના સંતાપમાં ઘણી વાર તટસ્થતા પણ નથી હોતી, પરંતુ એ સંતાપનો સૂર જ્યારે સર્જક કાઢતો થઈ જાય ત્યારે એની ગંભીરતા વધી જતી હોય છે.

સર્જક અને ભાવકનો તાર એવો કોઈક રહસ્યમય રીતે જોડાયેલો હોય છે કે એની અવગણના થઈ શકતી નથી. એટલે જો તમે વીતેલી સદી પર અને સમકાલીન યુગ પર નજર કરશો તો ધ્યાનમાં આવશે કે જગતભરમાં સરમુખત્યારોએ અને જુલમી શાસકોએ સૌથી વધુ જુલમ સર્જકો પર કર્યા છે. જે રાજકીય હરીફ છે અને સત્તાનો દાવેદાર છે એના કરતાં પણ વધુ જુલમ સર્જકો પર ગુજારવામાં આવે છે, કારણ કે પેલો આંખ ખોલી આપવાનો ગુનો કરે છે અને એ પણ રહસ્યમય સર્જનાત્મકતા સાથે. ફાસીવાદ વિશેનાં દસ પુસ્તકો જે ન કહી શકે એ ચાર્લી ચૅપ્લિનની એક નાનકડી મૂંગી ફિલ્મ ‘ધ ગ્રેટ ડિક્ટેટર’ કહી શકે. ૨૦મી સદીના મહામેધાવી બટ્રાર્‍ન્ડ રસેલની ઉપેક્ષા થઈ શકે, પરંતુ અલ્પશિક્ષિત ચાર્લી ચૅપ્લિન વધારે મોંઘા પડે. આ સર્જક અને ભાવક વચ્ચેના અનુબંધનો તાર અત્યંત રહસ્યમય હોય છે અને ખબર નહીં કેટલો પણ કલ્પના બહારનો વિસ્ફોટક હોય છે. એટલે તો પાબ્લો નેરુદા, ચાર્લી ચૅપ્લિન, ઍલેક્ઝૅન્ડર સોલ્ઝેનિત્સિન, ઍન્ડ્રેઇ તાર્કોવ્સ્કી, ઝફર પનાહી, એમ. એફ. હુસેન જેવા સર્જકોને હેરાન કરવામાં આવ્યા છે કાં દેશવટો આપવામાં આવ્યો છે.

ફહમીદા રિયાઝ નામની પાકિસ્તાની કવયિત્રીએ માત્ર બસો શબ્દોમાં એક કવિતા રચીને આપણને એવી શિખામણ આપી છે જે આ લખનાર સંખ્યાબંધ લેખોમાં પણ કહી શક્યો નથી. ખાસ આપણા માટે હિન્દુસ્તાની ભાષામાં લખાયેલી કવિતા કહે છે:

તુમ બિલકુલ હમ જૈસે નિકલે, અબ તક કહાં છુપે થે ભાઈ



વહ મૂરખતા, વહ ધામડપન (ફૂવડપણું), જિસમેં હમને સદી ગંવાઈ



આખિર પહૂંચી દ્વાર તુમ્હારે, અરે બધાઈ! બહુત બધાઈ!



ભૂત ધરમ કા નાચ રહા હૈ



કાયમ હિન્દુ રાજ કરોગે?



સારે ઉલ્ટે કાજ કરોગે?



અપના ચમન તારાજ કરોગે?



તુમ ભી બૈઠે કરોગે સોચા,

પૂરી હૈ વૈસી તૈયારી



કૌન હૈ હિન્દુ કૌન નહીં હૈ, તુમ ભી કરોગે ફતવે જારી



વહાં ભી મુશ્કિલ હોગા જીના, દાંતોં આ જાએગા પસીના



કુછ ભી નહીં પડોસ સે સીખા? ક્યા હમને દુર્દશા બનાઈ



કુછ ભી તુમકો નઝર ન આયી?


(આ તો એ કવિતાનો અંશ છે. આખી કવિતા ઇન્ટરનેટ પર જોવા મળશે અને એ વાંચવા જેવી છે)

આ ફહમીદા રિયાઝે પણ અંતરાત્માને જાગતો રાખવાની કિંમત ચૂકવી છે. જેના વિશે આપણને ચેતવણી આપવામાં આવી છે અને જેણે ઝનૂની ઇસ્લામિસ્ટોને છૂટો દોર આપ્યો હતો એ જનરલ ઝિયા ઉલ હકના સમયમાં તેમણે દેશવટો ભોગવવો પડ્યો હતો. ૧૯૮૧થી ૧૯૮૮માં જનરલ ઝિયા ઉલ હકનું રહસ્યમય મૃત્યુ થયું ત્યાં સુધી ફહમીદા રિયાઝ દિલ્હીમાં રહેતાં હતાં. એક સરમુખત્યારને એક કવિયત્રીનો ડર લાગતો હતો. ગૂંગળામણની ભાષા હોય છે જે સર્જકો આબાદ પકડી પાડતા હોય છે. તેમનો અવાજ સરમુખત્યારોના પ્રચંડ અવાજ કરતાં અનેકગણો બુલંદ હોય છે.

આપણે મુક્ત વાતાવરણમાં શ્વાસોચ્છ્વાસ લઈ શકીએ એ માટે ઘણા લોકો કિંમત ચૂકવતા હોય છે એની ઘણી વાર તો આપણને જાણ પણ હોતી નથી, પરંતુ જો જાણ થાય તો એની કદર કરતાં શીખવું જોઈએ.

ને જાણ પણ હોતી નથી, પરંતુ જો જાણ થાય તો એની કદર કરતાં શીખવું જોઈએ.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 27 અૉક્ટોબર 2015

http://www.gujaratimidday.com/features/columns/creators-sound-are-much-more-audible-than-dicttor

Loading

27 October 2015 admin
← सांप्रतिक परिस्थितियों पर संवेदनात्मक काव्य
‘Issues’ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved