Opinion Magazine
Number of visits: 9446681
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમાજ રોગીષ્ટ છે (2)

સુમન શાહ|Opinion - Opinion|7 March 2023

મારું મન્તવ્ય છે કે વ્યક્તિઓ કોમો વર્ણો વર્ગો, સહજતા કે માનવ્યથી નથી જોડાયેલાં એટલાં ભેદો અને ભેદભાવથી જોડાયેલાં છે – ડિફરન્સિસ હૅવ મેડ ધ સોશ્યલ ફાઇબર.

અને, મારું બીજું મન્તવ્ય છે કે એ ફાઇબર સહજ સ્પર્શના આપ-લેની ઓછપને કારણે નબળાથી વધારે નબળો પડી રહ્યો છે.

સમાજવ્યાપી એ ભેદબુદ્ધિનાં મૂળ ક્યાં પડેલાં છે? આગળની સદીઓમાં અને અનુવર્તી દાયકાઓમાં. 

ભૂતકાળમાં હિન્દુ અને મુસ્લિમ તેમ જ હિન્દુ અને ખ્રિસ્તી પ્રજાસમૂહો વચ્ચે જેટલા કંઈ સંઘર્ષ થયા તેની સ્મૃતિ, સવર્ણો અને દલિતો વચ્ચે ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી એ ઇતિહાસોની સ્મૃતિ, બન્ને, હજી પણ નષ્ટ નથી થઈ. એ દર્દભીની યાદો રહી જ ન હોય, ભુંસાઈ ગઈ હોય, એ હદની સમરસતા હજી સિદ્ધ નથી થઈ. 

સમરસતાના વિષયમાં, રાજકીય ઇચ્છાશક્તિ પોતાની ભૂમિકાએથી સક્રિય રહેતી હોય; સામાજિક સંગઠનો શક્ય મથામણ કરતાં હોય; એ સ્વરૂપના બાહ્ય બધા જ ઇલાજોને સલામ ભરીએ.

તેમ છતાં, એ ટ્રૉમા હજી છે. એમાંથી બહાર આવીને આ સમાજ સાવ સાજો નથી થઈ શક્યો. સામાન્યપણે કહી શકાય કે એક મુસ્લિમનાં અમસ્તાં દર્શન થકી – અંગ્રેજીમાં કહેવાય કે વિથ એ ગ્લિમ્પ્સ ઑફ હિમ – સરેરાશ હિન્દુના મનમાં સુષુપ્ત અણગમો સળવળે છે. એ જ ઢબે, મુસ્લિમના મનમાં પણ હિન્દુ માટે અણગમો જ સંભવે છે. આ હકીકત છે અને એને હું એટલા માટે પણ ધ્યાનપાત્ર ગણું છું કે એ અણગમાને સચેત કરીને કોમોને અવારનવાર અથડાવી મારવામાં આવે છે.

બાકી, સમાજની એ રુગ્ણ અવસ્થાને નૃવંશવિજ્ઞાન અને મનોવિજ્ઞાન ઐતિહાસિક ટ્રાન્ઝિટ કહીને ચૂપ રહી જાય છે. અસ્તિત્વવાદી ફિલસૂફ જીવનની કોઈપણ વાતની આરપાર જોઈને કહેતો હોય છે એમ આ પરત્વે પણ કહેવાનો કે બધું મીનિન્ગલેસ છે – ઍબ્સર્ડ, ભૂલી જા.

જ્ઞાનીઓ-વિજ્ઞાનીઓ પાસેથી એવા ખુલાસા ભલે મળી શકે, જેમ રોગીને લાઇલાજ દાક્તર પાસેથી મળતા હોય છે, પણ એથી વર્તમાનમાં કશો સુખદ ફર્ક નથી પડતો. રોગી તો એટલી જ રાહ જુએ છે કે – ક્યારે બેઠો થઈ શકું …

તાત્પર્ય એ છે કે આવી નાજુક બાબતમાં ઍપિસ્ટીમોલૉજિકલ ઍક્સ્પ્લેનેશન્સ નહીં પણ ઑન્ટોલૉજિકલ ડિસ્ક્રીપ્શન્સ મદદ કરી શકે. દાખલા તરીકે, ફિઝિક્સ કહે છે કે સ્પર્શેન્દ્રિય શરીર તેમ જ ચિત્ત બન્ને સ્તરે આપણું રક્ષણ કરે છે અને હું જેને સહજ પ્રેમ વ્હાલ વાત્સલ્ય કે ભેટવાનું કહું છું એ તમામ નૉન-સૅક્સ્યુઅલ ક્રિયાઓ ‘ઑક્સિટોન’ નામનું ‘બૉન્ડિન્ગ હૉરમોન’ પ્રગટાવે છે, જે ‘સ્ટ્રેસ હૉરમોન્સ’-ને ઘટાડી નાખે છે. આવી જાણકારીથી અમુક લોકો જરૂર પ્રેરાતા હોય છે.

SOCIAL FIBER

Pic Courtesy : Screen -Shot

બાકી, આપણા સૌના અનુભવની વાત છે કે સ્પર્શથી વ્યક્તિ હૂંફ અનુભવે છે, એને પોતાનું કોઈક તો છે એવી પ્રતીતિ થાય છે, કેમ કે એકલતા આ સંસારમાં માણસનો મહા શત્રુ છે.

નહિતર, એવા દાખલા નૉંધાયા છે કે સ્પર્શનાં ઉક્ત પરિણામોથી વંચિત રહી ગયેલી વ્યક્તિઓ ન તો પોતાને મદદ કરી શકતી હોય છે, ન તો સામાને. એથી ઊલટું, પ્રેમનાં એ પીયૂષ પીને મોટી થયેલી વ્યક્તિઓનાં આસપાસમાં વર્તન સરળ અને સંતુલિત હોય છે. ઉપરાન્ત, કો’ક શુભ ઘડીએ એમનામાં સમાજપરક મનોભાવ ઝંકૃત થાય છે અને એમને વિકાસને માર્ગે દોરે છે.

પરમ્પરાગત કુટુમ્બોમાં એ સ્પર્શનું હોવું, ન-બરાબર હોય છે એ તો ખરું જ પણ, ઊલટું એને ત્યાજ્ય મનાય છે. સાંભળવા મળે છે – અરેરે, એક પથારીમાં બાપ જોડે જુવાન દીકરીથી સુવાય ! ઘરડેરા તો એમ ક્હૅવાના – એવી જરૂર શાને ભઈલા? એક જ દલીલ જુદા જુદા શબ્દોમાં રજૂ થયા કરે છે – અન્તર રાખવાનું – મલાજો સચવાવો જોઈએ – સંસ્કાર કેળવાવા જોઈએ – ધરમકરમ હચવાવાં જોઈએ. કો’ક જુવાનિયો એમ પણ કહે છે – દેવતા ને ઘી આઘાં જ સારાં.

જુવાનિયાનું એ કહેણ મને નૉંધપાત્ર લાગે છે. કેમ કે એમ કહીને એણે સહજ સ્પર્શને ત્યાજ્ય ગણવા પાછળ સૂતેલી ખરી બીક તરફ ઇશારો કરી દીધો. 

સમજીએ કે સંસ્કારપરક એ વ્યવસ્થાથી પ્રાપ્ત શું થાય છે – એક સ્વરૂપનાં રાખરખોપાં – એક જાતની વિશ્વસનીયતા – એક ખાતરી કે કશું અઘટિત નહીં થાય. પણ એ કેળવેલું અન્તર, સ્પર્શનો અભાવ, વ્યક્તિના મનને એની જાણ બહાર જેની સાથે જોડી રાખે છે એ તો છે, વાસના, જાતીયતા કે સૅક્સ !

એ વ્યવસ્થા, સમજાશે કે ઉપર ઉપરનું ઢાંકણ છે, દમ્ભની ચાદર છે. પૈતૃક વર્ચસ્ હેઠળ વિકસેલી પરમ્પરાગત સંસ્કૃતિઓમાં એવી અનેક ચાદરો વણાઈ છે, અને પુરુષપ્રધાન સમાજોએ એને સાચવી છે, જરૂરતે જરૂરતે વાપરી છે.

એ ચાદર ખસી જાય, ઢાંકણ ખૂલી જાય, ત્યારે સમક્ષ થાય છે, વ્યક્તિ, કુટુમ્બ કે સમાજનું નગ્ન સ્વરૂપ. એ વિશે, હવે પછી.

(ક્રમશ:)
(March 7, 23 : A’vad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

7 March 2023 Vipool Kalyani
← ઝૂકી લાગે છે
મન થયું  →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved