Opinion Magazine
Number of visits: 9448784
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાર્થક સંવાદ વિના બેમતલબ લોકતંત્ર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 October 2015

જેમને હસ્તક એનો વિધિવત ભોગવટો છે એ સૌ અક્ષરકર્મીઓમાં થોડુંકે આત્મકૌવત જોઈએ ને …

સરકાર અને જન-પ્રતિનિધિઓ વચ્ચે સંવાદ જરૂરી છે : સરસંઘચાલક મોહન ભાગવતના વિજયાદશમી સંદેશના આ અંશને કેવી રીતે જોગવશું, વારુ. બે વરસ પર નહોતો એવો એક વિશ્વાસ દેશ આજે અનુભવી રહ્યો છે, એવી ભાગવતની ધ્રુવપ્રતીતિ છે. જો કે આ વિશ્વાસ કોઈ સ્થાયી બાબત નયે હોય, અને સ્વાભાવિક જ તે પુન:પુન: સાધ્ય કરતા રહેવાપણું છે એવી પણ એમને ખબર છે. કદાચ, એથી જ એ સંવાદ પર ભાર મૂકે છે.

જોગાનુજોગ જુઓ, આ સંવાદગાન ત્યારે છેડાઈ રહ્યું છે જ્યારે વડાપ્રધાનના દફ્તરમાંથી ઉર્દૂ સાહિત્યસેવી મુનવ્વર રાણા જોગ અરસપરસ વાતચીત માટેનું કહેણ પહોંચ્યું છે. રાણા એ ખરા ઇલમી અને ખરા શૂરા પૈકી છે જેમણે અકાદેમીનાં માનઅકરામને પાછા વાળવામાં સાર્થકતા જોઈ છે. નહીં કે વડાપ્રધાનનું નિમંત્રણ એમને નહીં ગમ્યું હોય, પણ છે તો પાછા જાગૃતવિવેક જણ એટલે એમણે વળતી એવી લાગણી પ્રગટ કરી છે અમે સૌ સાથે મળીએ.

જો કે, સંવાદ જેનું નામ એ ચોક્કસ જ એક દોહ્યલો પદારથ છે-ખાસ કરીને વડાપ્રધાન મોદીના કિસ્સામાં, કેમ કે એમનો વિશ્વાસ અને એમનો એકંદર દારોમદાર જાહેર સભામાં સંબોધનના સંમોહન પર છે. એમની શૈલી, એમનો મિજાજ, ‘ટૉકિંગ ટુ’ના નહીં એવાં અને એટલાં ‘ટૉકિંગ ઍટ’નાં છે. ભાગવત તો જનપ્રતિનિધિઓ સાથેેના સંવાદની વાત કરે છે. ચુંટાયેલાઓ વચ્ચે આવો વહેવાર બેલાશક જરૂરી છે. પણ તે સ્તરેય જો ટાંચુ પડતું હોય તો બાકીનું તો કાચું ને કાચું જ છે. ‘મનકી બાત’નો એકતરફી તખતો આપણા જણને ખાસો ગોઠી ગયેલ છે. પણ આ સંવાદમુદ્દો સામે છેડેથીયે જરી તપાસ અને ઊહાપોહ માગી લે છે. કલબુર્ગીની નિર્ઘૃણ હત્યા સબબ અકાદેમીના છેડેથી, સર્વોચ્ચ સ્તરેથી શોકસંવેદનાપૂર્વકની કોઈક સાર્થક પહેલ થવી જોઈતી હતી. અકાદેમી સ્તરે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી એ માટેની રજૂઆત અનવરત જારી હતી. પણ અધ્યક્ષ તિવારી એને કાન આપતા નહોતા. કેમ કે એમણે ‘આંખ આડા કાન’માં નિજનું મોચન શોધી લીધું હતું. જો ત્યારે સંવાદનો દોર શરૂ થયો હોત તો, બને કે, આમ રાજીનામાંના દોરની નોબત ન આવી હોત.

સવાલ આ છે, સરકાર માત્રની પ્રકૃતિમાં-અને હાલ સત્તારૂઢ વિચારધારાકીય માનસિકતામાં-સાર્થક સંવાદનો અવકાશ વાસ્તવમાં કેવોક છે. મહેશ શર્મા એમના જાહેર ઉદ્દગારોમાં અને અરુણ જેટલી એમની બ્લોગકારીમાં લેખકોના મુદ્દે શું કહીશું – ‘ચાલુ પડી ગયા હતા’ અને બાકી હતું તે સેનાખાસખેલ વી.કે.સિંહ જે રીતે પડમાં પધાર્યા હતા, તે પછી મોદીની મોળી અને મોડી બુંદ પહેલ કોઈ હોજનો અવેજ બની શકે એવો આશાવાદ જરી સાહસ માગી લે છે. અહીં લોકશાહીમાં અનિવાર્યપણે અપેક્ષિત બહુસ્તરીય અને બહુપરિમાણી સંવાદનો સવાલ પ્રસ્તુત બને છે. આ સંવાદ માત્ર સરકાર અને જનપ્રતિનિધિઓ એમ પાંચસાતદસ હજાર ચુંટાયેલી મંડળી વચ્ચે જ હોવાપણું નથી. ઠામોઠામ, જગોજગ દ્વિમાર્ગી વાતચીતને સતત અવકાશ ન હોય તો પાંચ વરસે આવતી ચૂંટણી બેમતલબ બની રહે છે. સંવાદની બહુસ્તરીય ને બહુપરિમાણી જરૂરત જોતાં જેમ શાસકીય સ્તરે તેમ અન્ય સ્તરે પણ સ્વાયત્ત સંસ્થાઓની જરૂરત લોકતંત્રમાં પ્રમાણવામાં આવે છે.

પણ સ્વાયત્ત સંસ્થાઓને મામલે આજની તારીખે દેશનું ચિત્ર કેવુંક છે? બે દાખલા બસ થઈ પડશે. ગુજરાત સરકારની ચૂંટણીચાંઉ પેરવી વિશે હમણાં જ ગુજરાત હાઇકોર્ટે પૂરતું કહ્યું છે એટલે જીવદયાને ધોરણે એમાં નહીં જઈએ. પણ આ ચુકાદામાં સ્વાયત્ત, રિપીટ, સ્વાયત્ત ચૂંટણી પંચની કેવી છવિ ઉપસે છે. આ સ્વાયત્ત પંચ રાજ્ય સરકારનું પઢાવ્યું આજે એમ કહે છે કે અબઘડી ચૂંટણી માટે તખતો તૈયાર છે, અને એ જ હજુ આગલે દહાડે એમ પણ કહી શકે છે કે રાજ્યમાં ચૂંટણીના સંજોગો નથી.

2002માં રક્તિમ રોકડી વાસ્તે લાલાયિત ગુજરાત સરકાર અબઘડી ચૂંટણી ઈચ્છતી હતી ત્યારે લિંગ્દોહના નેતૃત્વમાં પંચે પોતાની સ્વાયત્ત મુદ્રા, તત્કાળ ચૂંટણીસંજોગો નથી એવા સ્પષ્ટ મત સાથે, અંકિત કરી જાણી હતી. ત્યારે કેન્દ્ર અને રાજ્યની સરકારો એક જ છાવણીની હતી તે છતાં લિંગ્દોહે પંચની સ્વાયત્તતા બરકરાર રાખી હતી. અને આજે? જવા દો, બોલવા જેવું રહ્યું છે પણ શું.

છતાં, પંચમાં તો માનો કે ઉપરનું માળખું બાદ કરતાં નીચેનું તંત્ર ચાલુ સરકારી નોકરિયાતોએ ભરેલું હોય છે. પણ સ્વાયત્ત અકાદેમીને તો એવાં કોઈ બંધન નથી. તે કેમ પોતાને ઍસર્ટ ન કરી શકે? સમજાતું નથી. કદાચ સ્વાયત્તિનાં જે રસકસ, એનું જે રૂધિરાભિસરણ અને એનાં જે ચયઅપચય તે કેવળ બંધારણજીવી કે નકરા કાનૂનવશ હોઈ શકતાં નથી. જેમને હસ્તક એનો વિધિવત ભોગવટો છે એ સૌ અક્ષરકર્મીઓમાં થોડુંકે આત્મકૌવત જોઈએ ને … બાકી તો આપણ સહુ કલમઘસીટુ, સદેહે અક્ષરવાસી!

નાગરિકને નાતે સરકારની ચિંતા કરીએ, જરૂર કરીએ-પણ અક્ષરકર્મીને નાતે આપણી જાતતપાસ પણ જારી રાખીએ, જરૂર જારી રાખીએ. ગુજરાત છેડેથી તમે જુઓ ગણેશ દેવી અને અનિલ જોશી જેવા અવાજો ઊઠ્યા. એક સહીઝુંબેશ પણ થઈ. જરૂર રૂડું થયું. પણ સહસા ઉઠેલી આ રાષ્ટ્રીય હિલચાલે ગુજરાતમાં ઘોર સરકારીકરણનો જે દોર હજુ થોડા મહિના પર જ શરૂ થયો હતો એને વિશે સક્રિય પ્રતિકારમાં સામેલ થવાપણું જોયું નહોતું. ભાઈ, ગામમાં આપણે સૌ ‘ક્યારેકટર’ હોઈએ છીએ અને એકબીજા અંગે ‘ઊંચા અભિપ્રાય’ ધરાવતા આસામી હોઈ શકીએ છીએ … પણ બાઈ સ્વાયત્તતા, તે સાહિત્યની સધવા, એની દાઝ જરીક તો સાથે મળીને જાણીએ.

સરકારી પ્રાણીઓ કહે છે કે લેખકોની આવીતેવી હિલચાલો પાછલે બારણે કે ભળતે રસ્તે રાજકારણ રૂપ (પોલિટિક્સ બાય અધર મીન્સ) છે. સામે છેડેથી, કોઈક અભિપ્રાય આપવાનો કે સ્ટેન્ડ લેવાનો પ્રસંગ આવે ત્યારે ‘મારે અને રાજકારણને શું’ એવી શુદ્ધસાહિત્યમુદ્રા સવાર થઈ જાય છે. એક અક્ષરસેવીને બધી બાબતોમાંથી બધી વખત અભિપ્રાયથી કે અન્યથા સંડોવાવાનું જરૂર ન કહીએ. પણ જે ઈલાકો સુવાંગ એનો જ છે એમાંયે તે ભલાભાઈ ભોળાભાઈ લૂગડાં સંકોરભાઈ બની રહે એ દશા કાં તો પ્રામાણિક પણ વ્યામોહની છે, કે પછી કેવળ પલાયનની. કલબુર્ગીની હત્યા હો કે દાદરીની કથિત ગો ઘટના અગર ગુજરાતની સરકારી અકાદમી પેરવી : આપણે એના ઓશિંગણ રહીશું કે એમણે અક્ષરકર્મીઓની આગઆગવી ઓળખ પ્રગટ કરી, અને વ્યાપક નાગરિકતાને ઝંઝેડી.

પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે

e.mail : prakash.nirikshak@gmail.com

સૌજન્ય : ‘સ્વાયત્તતાનો સંઘર્ષ’, “દિવ્ય ભાસ્કર”, 24 અૉક્ટોબર 2015

http://www.divyabhaskar.co.in/news/ABH-useless-democracy-without-meaningful-dialogue-5149503-NOR.html

Loading

27 October 2015 admin
← सांप्रतिक परिस्थितियों पर संवेदनात्मक काव्य
‘Issues’ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved