Opinion Magazine
Number of visits: 9446701
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રેમ જીત્યા વિના સહઅસ્તિત્વ શક્ય નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|12 October 2023

રમેશ ઓઝા

કોઈએ કલ્પના નહોતી કરી કે આવું બનશે. છઠ્ઠી ઓક્ટોબર ૧૯૭૩ના રોજ અનવર સાદતના નેતૃત્વમાં ઈજિપ્તે ઇઝરાયેલ પર હુમલો કર્યો એની બરાબર ૫૦મી વરસીના દિવસે, ગાઝા સ્ટ્રીપમાં સક્રિય હમાસ નામના ત્રાસવાદી જૂથે ઇઝરાયેલ પર હુમલો કર્યો અને જગત જોતું રહી ગયું. મોટી સંખ્યામાં યહૂદીઓને મારી નાખવામાં આવ્યા અને એટલી મોટી સંખ્યામાં યહૂદીઓને બાન પકડવામાં આવ્યા છે. જેને બાન પકડવામાં આવ્યા છે તેમાં અમેરિકન નાગરિકોનો પણ સમાવેશ થાય છે, એમ અમેરિકન પ્રમુખ જો બાયડને કહ્યું છે.

હમાસ અને એ સમયના ઈજીપ્ત વચ્ચે કોઈ તુલના ન થઈ શકે. હમાસ ઈજીપ્તની તુલનામાં દસમાં ભાગની પણ શક્તિ નથી ધરાવતું, પણ તેનો ઈરાદો ઇઝરાયેલના ઘમંડી વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુનું નાક કાપવાનો ઈરાદો હતો, અને તેમાં તેને સફળતા મળી ગઈ છે. નેતાન્યાહુ જેવો સ્વઘોષિત કૃતસંકલ્પ નેતા, મોસ્સાદ જેવું વિશ્વનું શ્રેષ્ઠ ગુપ્તચરતંત્ર અને પેગાસસ જેવાં જાસૂસી માટે ઉપયોગી સ્પાઈવેર કામમાં ન આવ્યાં. ભારત સરકારે વિરોધ પક્ષના નેતાઓ અને પત્રકારો પર જાસૂસી કરવા પેગાસસની ખરીદી કરી હતી. એમાં કોઈ શંકા નથી કે યુદ્ધમાં અંતિમ વિજય ઇઝરાયેલનો થવાનો છે. ઇઝરાયેલ પાસે હમાસ કરતાં અનેકગણી લશ્કરી શક્તિ છે. ઇઝરાયેલની પાછળ અમેરિકા અને બીજાં પાશ્ચાત્ય રાષ્ટ્રો છે. હમાસને કોઈ દેશનો સીધો ટેકો નથી. હમાસ આ જાણે છે, પણ હમાસનો હુમલો કરવા પાછળનો ઈરાદો ઇઝરાયેલને હરાવવાનો નહોતો, નાક કાપવાનો હતો. નેતાન્યાહુનું નાક કપાઈ ગયું અને હમાસનું કામ થઈ ગયું.

પણ એક પ્રશ્ન છે, બાન પકડવામાં આવેલા ઇઝરાયેલીઓ અને અમેરિકનોનો. અચાનક પેલેસ્ટાઇનના એક સિનિયર નેતા અને સંસદસભ્ય મુસ્તફા બારઘોટીએ હમાસ વતી આગળ આવીને ઓફર કરી છે કે જો ઇઝરાયેલની જેલમાં કેદ ભોગવતી પેલેસ્ટીની મહિલાઓને છોડવામાં આવે તો હમાસ બાન પકડવામાં આવેલા ઇઝરાયેલના નાગરિકોને સાટે આપવા તૈયાર છે. અને બીજા તબક્કામાં જો ઇઝરાયેલ તમામ પેલેસ્ટીની પુરુષોને છોડવા તૈયાર હોય તો સાટામાં હમાસ બાન પકડવામાં આવેલા ઇઝરાયેલી સૈનિકોને છોડવા તૈયાર છે. હમાસના કબજામાં કેટલા ઇઝરાયેલીઓ અને અમેરિકનો છે અને ઇઝરાયેલની જેલમાં કેટલા પેલેસ્ટીનીઓ છે એ આપણે જાણતા નથી. એક વાત નક્કી છે કે લગભગ હજારેક યહૂદીઓ હમાસના હુમલામાં માર્યા ગયા છે.

પોતે કે પોતાનાં લોકો મરે એનાથી ત્રાસવાદીઓને કોઈ ફરક પડતો નથી. ત્રાસવાદ આના ઉપર જ ટક્યો છે. જે મરે છે એ જન્નતના અધિકારી બને છે એમ તેઓ કહે છે. પણ જે દેશ પર હુમલો કરવામાં આવ્યો હોય ત્યાંના શાસકો પર તેની જરૂર અસર પડે છે અને જો કોઈ દેશ લોકશાહી ધરાવતો હોય તો ઘણી મોટી અસર થાય છે. નેતાન્યાહુ હબક ખાઈ ગયા છે, બાકી હમાસને તો ખબર જ છે કે હુમલાની તેણે કિંમત ચૂકવવી પડશે.

સમસ્યા એ છે કે ઇઝરાયેલમાં જડભરત યહૂદીઓની એક જમાત છે. એમાં અનિવાસી યહૂદીઓમાંથી તો કેટલાક હજુ વધુ જડભરત છે. અનિવાસી ભારતીયોની જેમ. તેમને એમ લાગે છે કે વતન ગુમાવ્યા પછી પણ જે પ્રજા યહૂદી ધર્મને ટકાવી રાખે, ઇઝરાયેલી અસ્મિતા ટકાવી શકે, સદીઓ પછી વતન પાછું મેળવી શકે, દુ:શ્મનો વચ્ચે ઘેરાયેલું હોવા છતાં અસ્તિત્વ ટકાવી રાખી શકે, વિકાસ સાધી શકે, જગતને શસ્ત્રો વેચી શકે એ પ્રજા કેવી પ્રતાપી હશે! વાત તો સાચી, પણ એ પ્રતાપનો શ્રેય તેઓ તેમનાં પુરુષાર્થને નથી આપતાં, યહૂદી હોવાપણાને આપે છે. આપણે જગતની શ્રેષ્ઠ પ્રજા છીએ એટલે અજેય છીએ. આપણે ત્યાં પણ કહેવામાં આવે છે ને કે આપણે (માત્ર હિંદુ) જગતની શ્રેષ્ઠ પ્રજા છીએ એટલે વિશ્વગુરુ છીએ.

આવા જડભરત યહૂદીઓ સાવ હાંસિયામાં નથી અને પહેલાં પણ નહોતા. એ લોકોએ ૧૯૯૫માં ઇઝરાયેલના વડા પ્રધાન યિત્ઝાક રેબીનની હત્યા કરી હતી, કારણ કે રેબીને પેલેસ્ટીની નેતા યાસર અરાફત સાથે ઓસ્લો સમજૂતી કરી હતી. ઓસ્લો સમજૂતી માટે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનારા રેબીનને જડભરત યહૂદીઓએ દેશદ્રોહી જાહેર કર્યા હતા અને દેશદ્રોહીની તો હત્યા જ કરવાની હોય. એમાં બન્યું છે એવું કે અત્યારે નેતાન્યાહુની સરકાર લઘુમતીમાં છે એટલે દરેક અર્થમાં ગામના ઉતાર જેવો, પણ પોતાને સવાયો દેશપ્રેમી તરીકે ઓળખાવનારો ઝનૂનીઓનો ઝનૂની ઇતમાર બેન-ગ્વીરનો ટેકો લેવો પડે છે અને પેલો નચાવે છે. આ બાજુ નેતાન્યાહુ પણ ઝેર ઓકવામાં અને બાવડાનું પ્રદર્શન કરવામાં ગ્વીરને પાછળ રાખી શકે એમ છે. ટૂંકમાં ઝનૂની લોબીને કારણે અને અનિવાસી ઝનૂની યહૂદીઓ તેમને ધન મોકલતા હોવાને કારણે આરબ-ઇઝરાયેલ સહ અસ્તિત્વ શક્ય બનતું નથી.

ધર્મઝનૂની ઇઝરાયેલીઓ કહે છે કે પેલેસ્ટાઇનમાં એક જ રાષ્ટ્રીયતા છે અને તે યહૂદીઓની, કારણ કે તે ઇસ્લામ પૂર્વેની પ્રાચીન છે. ઇઝરાયેલી યહૂદીઓ અને પેલેસ્ટીની મુસલમાનો એમ બે રાષ્ટ્રીયતા છે અને એ બે રાષ્ટ્રીયતાએ એકબીજાનો સ્વીકાર કરવો જોઈએ એમ દ્વીરાષ્ટ્ર થિયરીના પ્રવક્તાઓ કહે છે. તેઓ સમજૂતી ઈચ્છે છે. એડવર્ડ સિદ નામના વિશ્વ વિખ્યાત વિચારકે કહ્યું હતું કે પેલેસ્ટાઇનમાં એક માત્ર આરબ નામની વાંશિક (એથનિક) રાષ્ટ્રીયતા છે જે યહૂદીઓ અને ઇસ્લામ એમ બે ધર્મમાં વહેંચાયેલી છે, જેમ ભારતમાં ભારતીયતા એ રાષ્ટ્રીયતા છે જેમાં અનેક ધર્મોને માનનારા લોકો રહે છે. ગાંધીજીએ પણ આ જ સલાહ આપી હતી. પ્રેમ જીત્યા વિના સહઅસ્તીત્વ શક્ય નથી. દાદાગીરી કરીને કોઈ પ્રજા કાયમ માટે સુખેથી ન જીવી શકે પછી ભલે એ ગમે તેટલી બળુકી હોય. પણ ઝનૂનીઓ સ્થિતિ થાળે પાડવા દેતા નથી અને હવે તો ઝનૂનીઓ રાજ કરે છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 ઑક્ટોબર 2023

Loading

12 October 2023 Vipool Kalyani
← હિરોશિમા ડે – વિવેકહીન વિજ્ઞાનની વિનાશકતાનો પુરાવો 
અનાથ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved