Opinion Magazine
Number of visits: 9446554
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પૂર્વનો પોકાર અને ગાંધીજી

રમેશ ઓઝા|Gandhiana, Opinion - Opinion|6 August 2023

રમેશ ઓઝા

મણિપુરની શરમજનક ઘટના વિષે સર્વોચ્ચ અદાલતમાં સરકારે બચાવ કરતા કહ્યું હતું કે આવી ઘટના તો દેશભરમાં અન્ય રાજ્યોમાં પણ બની રહી છે! પશ્ચિમ બંગાળનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. અને સરકાર વતી સર્વોચ્ચ અદાલતમાં આ દલીલ કોણે કરી હતી? એડવોકેટ બંસરી સ્વરાજે જે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને બી.જે.પી.નાં નેતા સુષ્મા સ્વરાજનાં પુત્રી છે. બંસરી સ્વરાજનો સુષ્મા સ્વરાજ સાથેનો સંબંધ અહીં એટલા માટે યાદ કરવામાં આવ્યો કે ૨૦૧૨માં જ્યારે નિર્ભયાઘટના બની ત્યારે સુષ્મા સ્વરાજે લોકસભામાં નિર્ભયાની વ્યથાને વાચા આપતું એવું હ્રદયદ્રાવક ભાષણ કર્યું હતું કે ઘણાં લોકોની આંખ ભીની થઈ ગઈ હતી. હવે તેમનાં પુત્રી કહે છે કે આમાં શું? આવું તો દેશભરમાં બને છે, અન્ય રાજ્યોમાં પણ બને છે.

૧૯૪૬ના ઓકટોબરમાં જ્યારે નોઆખલીમાં હિંદુઓની કત્લેઆમ કરવામાં આવી ત્યારે ગાંધીજીએ અવિભાજિત બંગાળના મુખ્ય પ્રધાન શહીદ સુહરાવર્દીને કહ્યું હતું કે તેઓ નોઆખલી જવા માગે છે. પૂર્વ બંગાળના એક ખૂણે આવેલા નોઆખલીમાં બનેલી ઘટનાની ખબર દેશભરમાં અને વિશ્વમાં ન પહોંચે એ માટે બંગાળની મુસ્લિમ લીગની સરકારે મીડિયાને મેનેજ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ એવું બન્યું નહીં. એમાં જો ગાંધીજી નોઆખલી જાય તો તો જગત આખાને એની જાણ થાય. ત્યારે મુખ્ય પ્રધાન શહીદ સુહરાવર્દીએ દલીલ કરી હતી કે મહાત્માજી, આવી ઘટનાઓ તો દેશભરમાં બની રહી છે. તમે ત્યાં તો જતા નથી અને નોઆખલી જ કેમ? ગાંધીજી હિંદુ છે અને હિંદુઓની ચિંતા કરી રહ્યા છે અને મુસલમાનોની તેમને પરવા નથી એવો પણ આડકતરો આરોપ કરવામાં આવ્યો હતો.

ગાંધીજીએ સુહરાવર્દીની અન્યત્ર પણ આવું જ થઈ રહ્યું છે એવી દલીલ સ્વીકારી નહીં અને નોઆખલી ગયા. ગાંધીજીનાં જીવનનું નોઆખલી પર્વ મહાકાવ્ય જેવું છે. એ મહાકાવ્ય એટલા માટે છે કે બહુમતી મુસલમાનોની વચ્ચે નોધારા બની ગયેલા નોઆખલીના ગરીબ હિંદુઓ માટે ગાંધીજી સિવાય કોઈનો સધિયારો નહોતો. અહીં એક પ્રસંગ ટાંકવા જેવો છે. નોઆખલીમાં ગામેગામ શાંતિ સમિતિ રચવાનો પ્રસ્તાવ આવ્યો અને હિંદુ અને મુસલમાન એમ બન્ને કોમની બેઠક બોલાવવાનું નક્કી થયું. બેઠક માટે કલકત્તાથી ગયેલા હિંદુ મહાસભાના નેતાઓએ દલીલ કરી કે મહાત્માજી અત્યારે શાંતિ સમિતિ રચવાનો કોઈ અર્થ નથી. વગદાર અને ભદ્ર હિંદુઓ તો નોઆખલી છોડીને જતા રહ્યા છે. જે પાછળ રહ્યા છે એ ગરીબ વંચિત નામશુદ્ર જેવી જાતિની પરચૂરણ પ્રજા છે. ગાંધીજીએ કહ્યું કે જે પોતાનાં ભાંડુઓને દુઃખની ગર્તામાં ભગવાન ભરોસે છોડીને ભાગી ગયા એ હોય તો પણ શા કામના? એ તો જીવતા મુઆ ગણાય. એને નેતા કહેવાય? ગાંધીજીએ કહેવાતી પરચૂરણ પ્રજાને પ્રજાકીય નેતૃત્વ આપ્યું હતું. સ્થાનિક બંગાળી મુસ્લિમ નેતાઓ અને મુસ્લિમ અમલદારોની આંખમાં આંખ પરોવીને વાત કરતા તેમણે એ પરચૂરણ પ્રજાને શીખવ્યું હતું.

નોઆખલીમાં ગાંધીજીની પાર્ટીમાં નિર્મલ કુમાર બોઝ નામના એક નૃવંશશાસ્ત્રી હતા. ગાંધીજીએ તેમને ખાસ સાથે લીધા હતા. નોઆખલી પહોંચ્યા પછી નિર્મલ કુમારને લાગ્યું કે ગાંધીજી માટે દુભાષિયા તરીકે કામ કરી શકનારા ઘણા બધા લોકો ઉપસ્થિત છે માટે તેમની કોઈ જરૂર નથી. તેઓ ગાંધીજીને મળ્યા વિના ટીમનું નેતૃત્વ કરનારા સતીશચન્દ્ર દાસગુપ્તાને જણાવીને કલકત્તા પાછા જતા રહ્યા. તેઓ વાયા ઢાકા કલકત્તા પહોંચ્યા એ પહેલાં ગાંધીજીનો “નોઆખલી પાછા આવો”, એમ કહેતો તાર રાહ જોતો પડ્યો હતો. નિર્મલબાબુ નોઆખલી ગયા ત્યારે ગાંધીજીએ તેમને કહ્યું કે દુભાષિયાનું કામ કરનારાઓ તો ઘણા છે, પણ મારે તો એ જાણવું છે કે સીધાસાદા માણસના ચિત્તમાં હિંસા ઉદ્ભવે છે કઈ રીતે અને તે હિંસા કૃતિમાં ઉતરે છે કઈ રીતે? પ્રજાની અંદર કોમી વિભાજન પેદા કરનારાઓ તેનો કઈ રીતે ઉપયોગ કરે છે. તમારે મસ્જિદોમાં થતા મૌલવીઓનાં ભડકાઉ ભાષણો, સ્થાનિક નેતાઓનાં ભાષણો, નનામા ચોપાનિયાં, પોસ્ટરો વગેરેનાં તરજુમા મારા માટે કરવાના છે. એમ લાગે છે કે માનવચિત્તમાં હિંસા અને દ્વેષ બહુ ઊંડે સુધી ધરબાયેલાં પડ્યાં છે.

અને ચોથી અને અત્યંત મહત્ત્વની ઘટના. ગાંધીજીએ નોઆખલીના પોલીસવડાને લોકોની હાજરીમાં મોઢામોઢ કહ્યું હતું કે જો ઇસ્લામનો અર્થ શાંતિ અને ન્યાય થતો હોય તો તમે સાચા મુસલમાન નથી. શું તમારો ધર્મ તમને પક્ષપાત કરવાનું અને ફરજ પ્રત્યે આંખ આડા કાન કરવાનું શીખવે છે?

મણિપુર પ્રસંગે આજે નોઆખલીની ગાંધીયાત્રાને યાદ કરવામાં આવી રહી છે અને એ માટે વિદ્વાનો પાસે પોતપોતાની દલીલો છે. મને પણ આજે નોઆખલી પર્વ પ્રાસંગિક લાગી રહ્યું છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 06 ઑગસ્ટ 2023

Loading

6 August 2023 Vipool Kalyani
← કવિતાનો ચાહકઃ સુનીલ દેશમુખ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતનું લાંછન છે… →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved