Opinion Magazine
Number of visits: 9446864
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઑબ્જેક્શન મિલૉર્ડ

રમેશ ઓઝા|Opinion - Opinion|27 March 2017

અલાહાબાદની વડી અદાલતનો ચુકાદો ન્યાયોચિત ઓછો અને સમાધાનકારી વધારે હતો એટલે તો તમામ પક્ષકારો સર્વોચ્ચ અદાલતમાં ગયા હતા. સર્વોચ્ચ અદાલત માલિકી નિર્ધારણ કરવાની મર્યાદામાં રહીને ન્યાયોચિત ચુકાદો આપે એવી અપેક્ષા રાખવામાં આવી હતી. એની જગ્યાએ મુખ્ય ન્યાયમૂર્તિ હાથ ઊંચા કરી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે પરિણામોની ચિંતા કર્યા વિના શુદ્ધ કાયદાની મર્યાદામાં રહીને ટાઇટલ વિશે ચુકાદો આપવો જોઈએ

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદનો વિવાદ સંબંધિત પક્ષકારોએ સાથે બેસીને અદાલતની બહાર ઉકેલવો જોઈએ એવી સલાહ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જે. એસ. ખેહરે આપી છે. ન્યાયમૂર્તિ ખેહરે બન્ને પક્ષકારોને થોડું જતું કરવા જેટલી ઉદારતા બતાવવાની સલાહ આપી છે. કોઈ પણ ઝઘડો અદાલતની બહાર ઉકેલવાનો પ્રસ્તાવ સાંભળીને આપણને એક પ્રકારની સુવાણનો અનુભવ થાય છે. કજિયાનું મોં કાળું એવી આપણે ત્યાં કહેવત છે. અદાલતમાં એ લોકો જાય જેમનામાં વિવેકનો અભાવ હોય. આમ અદાલતની બહાર પ્રશ્નને ઉકેલવાનું સૂચન આવે ત્યારે આપણે રાજી-રાજી થઈ જતા હોઈએ છીએ અને જ્યારે ન્યાયમૂર્તિ પોતે આવી સલાહ આપે ત્યારે આપણે વધારે રાજી થતા હોઈએ છીએ.

પરંતુ ન્યાયમૂર્તિ ખેહરનું સૂચન અનુચિત છે એટલું જ નહીં, અદાલતની જવાબદારીમાંથી હાથ ખંખેરી લેનારું છે. અદાલતની બહાર એવા પ્રશ્નો ઊકલી શકે જ્યાં લેવડદેવડનો કે આપ-લેના પ્રમાણનો ઝઘડો હોય, પરંતુ જ્યાં માલિકીનો કે અધિકારનો સમૂળગો દાવો કરવામાં આવતો હોય એવા પ્રશ્નો અદાલતની બહાર ઉકેલાતા નથી અને રામજન્મભૂમિ-બાબરી મસ્જિદનો પ્રશ્ન આવો છે. જે સ્થળે બાબરી મસ્જિદ ઊભી હતી એ સ્થળે કોઈ યુગમાં રામલલ્લાનું મંદિર હતું કે કેમ એના કોઈ નક્કર પુરાવાઓ નથી. બીજું, નક્કર પુરાવાઓ મળી જાય તો પણ ઇતિહાસના હિસાબ-કિતાબ કરવાની એક મર્યાદા હોય છે. સેંકડો વરસ પહેલાં આ સંપત્તિ મારા બાપ-દાદાઓની હતી અને અત્યારે જે લોકો એના પર કબજો ધરાવે છે તેમના બાપ-દાદાઓએ અમારી સંપત્તિ ઝૂંટવી લીધી હતી એવો કોઈ દાવો કરે એ દાવાને અદાલત સાંભળે ખરી? ત્રીજું, ધાર્મિક શ્રદ્ધા, માન્યતા અને ધારણાઓના આધારે ન કોઈ દાવો થઈ શકે કે ન અદાલત એવા દાવાઓને સાંભળી શકે.

તો આ સ્થિતિમાં અદાલતની શું ભૂમિકા હોઈ શકે એ સવાલ છે. રામજન્મભૂમિ-બાબરી મસ્જિદનો પ્રશ્ન લેવડ-દેવડનો નથી પણ સમૂળગા દવાનો છે. દાવો સેંકડો વરસ જૂનો છે અને એ પણ ધાર્મિક શ્રદ્ધા અને ધારણાનો છે. આ સ્થિતિમાં અદાલતની દેખીતી રીતે કોઈ ભૂમિકા ન હોઈ શકે, પરંતુ એ છતાં અદાલતની એક ભૂમિકા બને છે અને એ ભૂમિકા ભજવવાનું સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ટાળે છે. એ ભૂમિકા છે જ્યાં બાબરી મસ્જિદ ઊભી હતી એના ટાઇટલના નિર્ધારણની. અદાલત માટે એ એક સંપત્તિ છે અને એ સંપત્તિ કોની માલિકીની છે એ નક્કી કરવાનું કામ અદાલતનું છે. અદાલતને ધાર્મિક માન્યતાઓ સાથે સંબંધ નથી, ઇતિહાસ સાથે સંબંધ નથી, ઐતિહાસિક પુરાવાઓ સાથે પણ સંબંધ નથી; સંબંધ છે માત્ર અને માત્ર માલિકી સાથે. કોનો કબજો છે અને કોણ કાનૂની માલિકી ધરાવે છે એ નક્કી કરવાનું કામ અદાલતનું છે.

ઉત્તર પ્રદેશની ફૈઝાબાદની અદાલતમાં દાયકાઓ પહેલાં જે અરજી કરવામાં આવી હતી એ માલિકીના દાવાની એટલે કે ટાઇટલ વિશેની હતી. જ્યારે ઝઘડો અદાલતમાં ગયો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદનું અસ્તિત્વ પણ નહોતું. એ સમયે શ્રદ્ધાની વાત હતી, પરંતુ શ્રદ્ધાનું રાજકારણ નહોતું. ખટલો લંગડાતો-લંગડાતો અલાહાબાદની વડી અદાલતમાં ગયો હતો. ૨૦૧૧માં વડી અદાલતે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદને ત્રણ હિસ્સામાં વહેંચવાનો ચુકાદો આપ્યો હતો. એક હિસ્સો વકફ બોર્ડને, બીજો હિસ્સો નિર્માહી અખાડાને અને ત્રીજો હિસ્સો રામલલ્લાનો એટલે કે મૂળ હિન્દુ દાવેદારોનો. વડી અદાલતે સંઘ પ્રેરિત રામજન્મભૂમિ ન્યાસને પક્ષકાર ગણાવવાની ના પાડી દીધી હતી. અપેક્ષા મુજબ ત્રણેય પક્ષકારો સર્વોચ્ચ અદાલતમાં ગયા હતા અને સર્વોચ્ચ અદાલતે ચુકાદા પર સ્ટે આપ્યો હતો.

અલાહાબાદની વડી અદાલતનો ચુકાદો સંપૂર્ણપણે ન્યાયોચિત હતો કે વચલો માર્ગ શોધનારો હતો એ જુદો સવાલ છે, પરંતુ એક વાત નક્કી કે અદાલતનો એ ચુકાદો ટાઇટલ અંગેનો હતો. બીજું, વડી અદાલતનો ચુકાદો ન્યાયોચિત ઓછો અને સમાધાનકારી વધારે હતો એટલે તો તમામ પક્ષકારો સર્વોચ્ચ અદાલતમાં ગયા હતા. સર્વોચ્ચ અદાલત માલિકી નિર્ધારણ કરવાની મર્યાદામાં રહીને ન્યાયોચિત ચુકાદો આપે એવી અપેક્ષા રાખવામાં આવી હતી. એની જગ્યાએ મુખ્ય ન્યાયમૂર્તિ હાથ ઊંચા કરી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે પરિણામોની ચિંતા કર્યા વિના શુદ્ધ કાયદાની મર્યાદામાં રહીને ટાઇટલ વિશે ચુકાદો આપવો જોઈએ.

અહીં એક પ્રશ્ન થશે કે અદાલતની બહાર સમાધાન થતું હોય તો શું ખોટું છે? કમસે કમ પ્રયાસ કરી જોવામાં શું ખોટું છે? કદાચ પ્રશ્ન ઊકલી પણ જાય. પહેલી નજરે આ પ્રસ્તાવ જેટલો નિર્દોષ લાગે છે એટલો એ નિર્દોષ નથી. સંઘપરિવાર અને વિશ્વ હિન્દુ પરિષદને સમાધાન કરવામાં રસ નથી. તેમને મંદિર બાંધવામાં પણ કોઈ રસ નથી. તેમને પ્રશ્ન જીવતો રાખીને એનો રાજકીય લાભ ઉઠાવવામાં રસ છે. ચન્દ્રશેખર જ્યારે વડા પ્રધાન હતા ત્યારે તેમની અધ્યક્ષતામાં સમાધાન માટે શ્રેણીબદ્ધ બેઠકો થઈ હતી અને કોઈ સમાધાન થયું નહોતું. રામલલ્લાનું મંદિર બાંધવા માટે વકફ બોર્ડ જમીન આપવા તૈયાર હતું, પરંતુ તેમને શ્રદ્ધાને નામે મસ્જિદ ત્યાંથી હટાવવી હતી. કારણ વિના સાચાં-ખોટાં ઐતિહાસિક પ્રમાણો રજૂ કરીને વાટાઘાટોને અવળે પાટે ચડાવવામાં આવી હતી અને એ દ્વારા હિન્દુ માનસને વધારે ઝેરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ ખેહર આ ન જાણતા હોય એ શક્ય નથી. લાલ કૃષ્ણ અડવાણીએ પોતે એ સમયે આ લખનારને કહ્યું હતું કે અમારું આંદોલન મંદિર માટેનું નથી, તમારા જેવા સુડો-સેક્યુલરિસ્ટોની રાજકીય જમીન આંચકી લેવા માટેનું રાજકીય છે. આજે જ્યારે તેમણે કેન્દ્રમાં અને ઉત્તર પ્રદેશમાં રાજકીય જમીન આંચકી લીધી છે ત્યારે ન્યાયમૂર્તિ ખેહર કહે છે એમ આપ-લેના ધોરણે સમાધાન થાય એ શેખચલ્લીના સપના જોવા જેવું છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 27 માર્ચ 2017

Loading

27 March 2017 admin
← ‘થાકી જવાયું આખર?’
યોગી, સ્વામી અને મહાત્મા →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved