Opinion Magazine
Number of visits: 9553804
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમૃતાથી ધરાધામ : શ્રી રઘુવીર ચૌધરી અધ્યયન ગ્રંથ

દીપક મહેતા|Opinion - Literature|8 September 2014

અમૃતાથી ધરાધામ : શ્રી રઘુવીર ચૌધરી અધ્યયન ગ્રંથ. ભાગ ૧,૨ : સં. દૃષ્ટિ પટેલ, સુનીતા ચૌધરી : રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ. ૩૮૦ ૦૦૯ : આવૃત્તિ, ૨૦૧૪ : પાનાં ૧૬ + ૪૬૪, ૮ + ૪૮૮ :  પ્રત્યેક ભાગના રૂ. ૩૬૦  

બે ભાગનાં કુલ ૯૭૬ પાનાં. તેમાં ૧૫૦ કરતાં વધુ લેખો. બધા એક જ વ્યક્તિ અને તેના સર્જન અને જીવન વિશેના. આ એક લેખક તે રઘુવીર ચૌધરી. ૧૯૩૮ના ડિસેમ્બરની પાંચમી તારીખે જન્મ. ગયે વર્ષે એ વાતને ૭૫ વર્ષ થયાં. આ પ્રસંગ ધામધૂમથી ઉજવી શકાયો હોત. ઉજવાવો જોઈતો હતો. પણ એ અંગેની દરખાસ્તો પર ખુદ રઘુવીરભાઈએ જ ઠંડુ પાણી રેડ્યું. તો અભિનંદન ગ્રંથ ? એની પણ ના. એમાં તો વખાણ ઉઘરાવવા જેવું થાય એમ લાગ્યું હશે. પણ છેવટે અધ્યયન ગ્રંથ માટે રાજી થયા.

રઘુવીરભાઈનાં પુસ્તકો વિષે જેટલું લખાયું છે તેટલું, લેખકની હાજરીમાં, આપણે ત્યાં બહુ ઓછા લેખકો વિષે લખાયું હશે. એ બધામાંથી આ ગ્રંથ માટેની સામગ્રી તારવવાનું કામ સહેલું નહિ જ. પણ દૃષ્ટિ પટેલ અને સુનીતા ચૌધરીએ એ ચેલેન્જ ઉપાડી લીધી. ઉપાડી એટલું જ નહિ, સુપેરે પાર પણ પાડી. મૂળ વિચાર એક પુસ્તક કરવાનો. પણ સામગ્રીની પસંદગી થતી ગઈ તેમ ખ્યાલ આવ્યો કે એક પુસ્તકમાં નહિ સમાય. એટલે બે ખંડ કર્યા. પુસ્તકના પહેલા ખંડમાં ૩૭ નવલકથાઓ વિશેના લેખો છે. તેમાં દર્શક, હરિવલ્લભ ભાયાણી, અને સુરેશ જોશી જેવા ખ્યાતનામ લેખકોથી માંડીને વર્ષા એલ. પ્રજાપતિ અને પ્રવીણભાઈ એસ. વાઘેલા સુધીના લેખકોના લેખો છે. દેખીતી રીતે જ તેમાં સૌથી વધુ લેખો અમૃતા અને ઉપરવાસ કથાત્રયી વિષે છે – પાંચ પાંચ. આ ઉપરાંત આ ખંડમાં નવલિકાઓ વિશેના ૩૨ લેખો છે. તેમાં સંગ્રહો વિશેના લેખો છે તો ચોક્કસ વાર્તાઓ વિશેના આસ્વાદ લેખો પણ છે. બીજા ખંડમાં નાટક, નિબંધ, ચરિત્ર, વિવેચન-સંપાદન-સંશોધન, કવિતા, શબ્દ અને કર્મ એવા પાંચ વિભાગોમાં લેખો સમાવ્યા છે. અંતે રઘુવીરભાઈનાં તમામ પુસ્તકોની સૂચિ તથા સંદર્ભ સૂચિ પણ આપી છે.

‘રઘુવીર એટલે તરણેતરનો મેળો’ એમ કહેનાર સુરેશ દલાલે કહ્યું છે તેમ રઘુવીર એટલે એક વ્યક્તિનો કાફલો. એક રઘુવીરમાં અનેક રઘુવીર છે અને અનેક રઘુવીરમાં એક રઘુવીર છે. આ પુસ્તકના બંને ખંડોમાંના લેખો વાંચતાં આ વાત કેટલી સાચી છે તેની પ્રતીતિ થયા વગર રહેતી નથી. પણ તેઓ માત્ર શબ્દના ઉપાસક નથી, એક સતત કર્મશીલ પણ છે. એ કિંમતના નહિ પણ મૂલ્યોના માણસ છે. મૈત્રીના માણસ છે, પણ આવી પડેલી અ-મૈત્રીને પણ સ્વીકારી લે છે. કપાસના છોડની જેમ જ સંસ્થાઓનું પણ જતન-સંવર્ધન કરે છે. સંસ્થામાં ક્યારેક પોતે કીટનાશકનું કામ પણ કરી લે, અહિંસક રીતે. આટલું લખી શક્યા, આટલું કરી શક્યા, એનું કારણ? કારણ જાણવા મળે છે પત્ની પારુલબહેનના લેખમાંથી. લખે છે : “અગવડ જેવું તો એમણે ક્યારેય કોઈ કામ બાબતે અનુભવ્યું નથી. જેવી પણ પરિસ્થિતિ હોય એને સગવડ જ ગણીને કામ કદી અટકાવ્યું પણ નથી.”

પણ હા. આ પુસ્તકમાં વાચકને કેટલીક અગવડ પડે તેવું છે તે કઠે છે. કદાચ પાનાં બચાવવાના આશયથી બીજા ખંડની અનુક્રમણિકાનો લે-આઉટ થયો છે, પણ તેથી કોઈ ચોક્કસ લેખ શોધતાં થોડી મુશ્કેલી પડે છે. અંતે મૂકેલ ‘રઘુવીર ચૌધરીનું લેખન’ અને ‘સંદર્ભ સૂચિ’માં તો આ મુશ્કેલી વધુ અનુભવાય છે. ગ્રંથમાં જે લેખકોનાં લખાણો સમાવ્યાં છે તેમની કક્કાવારી સૂચિ પણ ઉમેરી શકાઈ હોત. રઘુવીરભાઈની મુદ્રિત કે રેકોર્ડેડ મુલાકાતોમાંથી પણ બે-ત્રણ સમાવી શકાઈ હોત. અને હા, આ હોય ભલે અધ્યયન ગ્રંથ, પણ એટલે કાંઈ એમાં રઘુવીરભાઈના થોડા ફોટા ન મૂકી શકાય એવું થોડું જ છે?  સમારંભ કર્યો હોત તો એનું આયુષ્ય બે-ચાર દિવસનું હોત. અભિનંદન ગ્રંથ કર્યો હોત તો એનું આયુષ્ય બે-ચાર વરસનું હોત. પણ આવો અધ્યયન ગ્રંથ કર્યો તે રઘુવીરભાઈનાં પોતાનાં લખાણોની જેમ દીર્ઘજીવી નીવડશે. લેખક રઘુવીરભાઈના લેખનને જાણવામાં કે માણવામાં રસ હોય તેમણે વાંચવું જ પડે તેવું પુસ્તક.   

સૌજન્ય : ‘બુકમાર્ક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 08 સપ્ટેમ્બર 2014

Loading

8 September 2014 admin
← પ્રવાસિની : પ્રીતિ સેનગુપ્તા
બાળ-કેળવણીમાં સદાચારી મૂલ્યોનું મહત્ત્વ →

Search by

Opinion

  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved