Opinion Magazine
Number of visits: 9446880
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ના તુમ હમેં જાનો, ના હમ તુમ્હેં જાને …

રમેશ ઓઝા|Opinion - Opinion|1 September 2019

૨૦મી સદીમાં ભારતમાં થયેલા મનીષીઓમાંના, એક માનવેન્દ્રનાથ રોયે તેમના પ્રસિદ્ધ ગ્રંથ ‘ધ ‘હિસ્ટોરિકલ રોલ ઑફ ઇસ્લામ’માં લખ્યું છે કે જગતની કોઈ પ્રજા ઇસ્લામથી એટલી અપરિચિત નથી જેટલી હિંદુ પ્રજા છે, અને જગતની કોઈ પ્રજા મુસલમાનોને એટલી ઘૃણાની નજરે જોતી નથી જેટલા હિંદુઓ ઘૃણાની નજરે જુએ છે.

ઘૃણા વિશેના નિરીક્ષણમાં એમ.એન. રોયની અતિશયોક્તિ હોઈ શકે છે, પણ પહેલા પરિચયના અભાવ વિષેનાં નિરીક્ષણમાં અતિશયોક્તિ નથી. આવું કેમ? પરિચય કેળવ્યા પછી તેનાં પરિણામ સ્વરૂપ ઘૃણા હોય એ તો સમજી શકાય છે, પણ પરિચય કેળવવાની તસદી પણ લીધા વિના ઘૃણા? અને શા માટે એવી કોઈ તસદી લેવામાં નથી આવતી? મુખ્ય સવાલ તો આ છે. બીજી બાજુ મુસલમાનોએ પણ ક્યાં હિંદુ ધર્મ અને હિંદુ પરંપરાને સમજવાની કોશિશ કરી છે? ભારતીય મુસલમાનોમાં ઘણા ઓછા મુસલમાન છે જે ઈસ્લામનો ખરો અને અસ્સલ ચહેરા વિશેની જાણકારી ધરાવે છે. એક માત્ર ખ્રિસ્તીઓએ હિંદુ અને મુસલમાનોના ધર્મનું સ્વરૂપ, તેમનો ઇતિહાસ, તેમની પરંપરા અને તેમનાં શક્તિ તેમ જ મર્યાદા એમ દરેક ચીજને સમજવાની કોશિશ કરી છે.

તો પછી શું આવી ઉદાસીનતા અને ઉપેક્ષા હિંદુ અને મુસલમાનોનાં સ્વભાવ લક્ષણ છે? તેમને ગળથૂથીમાં મળે છે?

નારાયણભાઈ દેસાઈએ મને એક પ્રસંગ કહ્યો હતો, એ અહીં ટાંકવો જોઈએ. ૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડવામાં આવી અને દેશમાં કોમી ઉન્માદ પેદા કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે સુરતમાં યુવા-શિબિરનું આયોજન કર્યું હતું. શિબિરમાં હિંદુ અને મુસલમાન એમ બંને કોમનાં યુવાન-યુવતીઓ ભાગ લે એવો તેમણે આગ્રહ રાખ્યો હતો. બંને ધર્મના શિબિરાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે તેમણે તેમના પોતાના ધર્મ વિષે દસ વાક્યો લખવાનાં અને બીજાના ધર્મ વિષે પાંચ વાક્યો લખવાનાં. નારાયણભાઈએ મને કહ્યું હતું કે એક પણ શિબિરાર્થી પોતાના ધર્મ વિષે દસ વાક્યો લખી શક્યો નહોતો અને બીજાના ધર્મ વિષે તો તેમણે બે વાક્ય માંડ લખ્યાં હતાં. પોતાના ધર્મ વિષે લખવામાં હિંદુઓ મુસલમાનો કરતાં પાછળ હતા અને બીજાના ધર્મ વિષે લખવામાં બંને એટલા જ અજ્ઞાની હતા.

બે વાક્ય જેટલી પણ જાણકારી નહીં ધરાવનારાઓ સંકોચ વિના વિધર્મીની ઘૃણા કરે છે. જિંદગીમાં ગાંધીજીનું એક પાનાનું લખાણ વાંચ્યું નથી એ ગાંધીજીની નિંદા કરે છે. દેશ વિષે સમ ખાવા જેટલી માહિતી નહીં ધરાવનારાઓ દેશપ્રેમના ઠેકેદારો થઈને ફરે છે. કાશ્મીરના ઇતિહાસ વિષે બે વાક્યો નહીં કહી શકનારા આર્ટીકલ ૩૭૦ વિષે ખોંખારો ખાઈને અભિપ્રાય આપે છે. આપણે જેના વિષે અભિપ્રાય આપતા હોઈએ એ વિષે અભિપ્રાય બાંધતા પહેલાં હકીકતો જાણવાની ફરજ ખરી કે નહીં? પણ આપણને એવી જરૂર જણાતી નથી. એટલે એક વાત તો નક્કી કે અજ્ઞાની હોવું અને અજ્ઞાન માટે સંકોચ પણ નહીં અનુભવવો અને ઉપરથી જ્ઞાનીની જેમ વિનાસંકોચ અભિપ્રાય બનાવવા અને આપવા એ ભારતીય પ્રજાનાં સ્વભાવ લક્ષણ છે.

આવું કેમ?

આનું એક કારણ છે વર્ણવ્યવસ્થા અથવા જ્ઞાતિપ્રથા. જે ઉપર હોય એણે નીચેવાળાને ઓળખવાની શી જરૂર છે? નીચેવાળાની ઓળખ કેળવવી એ પણ ઉપર હોવાપણાનું અપમાન છે. જન્મથી ચડિયાતા હોવું એટલું જ પૂરતું છે. એટલે ઉપર હોવાપણાની સભાનતા જાળવી રાખવા માટે પણ અજ્ઞાની, અસંવેદનશીલ અને  ઉદાસીન રહેવું જરૂરી છે. ઉચ્ચ હોવાના આડંબર ખાતર અજ્ઞાન, અસંવેદનશીલતા અને ઉપેક્ષાની ખાસ માનસિકતા આપણે વિકસાવી છે. આ બાજુ નીચેવાળો ઉપરવાળાને ઓળખીને શું કરવાનો? કારણ કે તે ઉપરવાળા સુધી તો પહોંચી શકવાનો નથી, તેનો આદર પામવાનો નથી કે તેના સંસારમાં પ્રવેશ પામવાનો નથી. એટલે એ પણ ઉપરવાળાને ઓળખવાની તસદી લેતો નથી. એ ડરીને દૂર રહે અને ડરનો માર્યો આદર આપે છે, ઓળખીને આદર નથી આપતો. અત્યારે જો તે નથી ડરતો તો દ્વેષ કરે છે, પણ ઓળખવાનો પ્રયાસ તો તે આજે પણ નથી કરતો. આદર તો આપતો જ નથી. એને પણ ઉપરવાળાની પોઝિટીવ સાઈડ જાણવામાં રસ નથી.

બીજું કારણ છે સપાટી પરની આધ્યાત્મિકતા. દરેક હિંદુ મુમુક્ષુ છે, દરેક હિંદુ જગતને માયા તરીકે જુએ છે, દરેક હિંદુ માટે જગત ક્ષણભંગુર છે, તે જો ઊંચી જ્ઞાતિમાં જન્મ્યો છે તો એ તેના આગલા જન્મનાં પુણ્યનું ફળ છે અને જો કોઈ નીચી જ્ઞાતિમાં જન્મીને પીડાય છે તો એ તેણે કરેલાં પાપનું ફળ છે. આ ઉપરાંત દરેકનો એક પોતાનો ખાસ સંપ્રદાય છે, ખાસ માનેલો ઇષ્ટ દેવ છે અને એક ખાસ માનેલો ધર્મગુરુ છે. એક આધ્યાત્મિકતાની બાહ્ય દીવાલ અને એ ઓછી પડતી હોય એમ સંપ્રદાય, પેટા-સંપ્રદાય, અલાયદા ઇષ્ટ દેવ અને અલાયદા ધર્મગુરુની અંદરની દીવાલ આ ધાર્મિકતા અને છીછરી આધ્યાત્મિકતા દ્વારા રચી છે. એક તો આ જગત માયા છે અને ઉપરથી પાછા આપણે સુરક્ષિત છીએ. સુરક્ષિત માણસે બીજાને ઓળખવાની શી જરૂર છે?

આમ આધ્યત્મિકતાની સાંત્વન આપનારી દીવાલ અને સંપ્રદાયની, ઇષ્ટ દેવની તેમ જ ધર્મગુરુની આડંબરીય દીવાલે હિંદુ પ્રજાને સ્વયંસંપૂર્ણ ટાપુમાં ફેરવી નાખી છે. હિંદુઓનો તમામ આક્રમણકારો સામે પરાજય થયો એનાં આ બે મુખ્ય કારણ હતાં. નાનકડા ગામમાં રહેતા ઉચ્ચ કુલીન બ્રાહ્મણો સાવ છેવાડાના માણસને નામથી ઓળખવાની પણ તસદી નહોતા લેતા એ મેં મારી સગી આંખે મારા ગામમાં જોયું છે. જો પ્રજાનો પરસ્પર સંબંધ ઉદાસીનતાનો અને ભયનો હોય, વ્યવહાર જગતના ધરાતલના પ્રશ્નોને છેતરામણી આધ્યાત્મિકતાથી જોવામાં આવતા હોય, અને સંપ્રદાય-ઇષ્ટદેવ અને ગુરુદેવની છેતરામણી દીવાલ જેણે બાંધી દીધી હોય, તે જ્યારે બાહ્ય આક્રમણનો સામનો કરવાનો આવે ત્યારે તે પ્રજાનો પરાજય ન થાય તો બીજું શું થાય!

આને કારણે ઇસ્લામનું ભારતમાં આગમન થયું ત્યારે તેનો વિરોધ કે અપનાવવાનું તો બાજુએ રહ્યું તેને સમજવાનો પણ પ્રયાસ નહોતો કર્યો. આ બાજુ આક્રમણકાર મુસલમાનો અને તેમની સાથે આવેલા શાસકવર્ગના ભદ્ર મુસલમાનોએ પણ તેઓ જે ભૂમિમાં આવ્યા હતા તેને સમજવાની કોશિશ નહોતી કરી. ખરું પૂછો તો તેઓ પણ ક્યાં ઈસ્લામ ધર્મ વિષે ખાસ કાંઈ જાણતા હતા! અને ઉપરથી વિજેતા હતા. સર્વોચ્ચપણાની ગુસ્તાખી પણ શીખવા અપનાવવામાં બાધક બને છે.

આનું પરિણામ એ આવ્યું કે ઈસુના પાંચમાં સૈકા સુધી પેલી જે ખરલ સક્રિય હતી એ હિંદુઓની ઉદાસીનતાને કારણે અને આક્રમણકાર વિજેતા મુસલમાનોની ગુસ્તાખીને કારણે ધીમી પડી ગઈ.

28 ઑગસ્ટ 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 સપ્ટેમ્બર 2019

Loading

1 September 2019 admin
← ધરમને નામ હોય ?
જ્યાં સુધી નદીના તટને ફરીથી પ્રાકૃતિક બનાવવામાં નહીં આવે … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved