Opinion Magazine
Number of visits: 9448747
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મિલકતના માલિકોની કોઈ નૈતિક જવાબદારી ખરી કે નહિ?

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|21 December 2023

નીતિ અને અર્થશાસ્ત્ર ભાગ – ૪

મૂડીવાદી વ્યવસ્થામાં નૈતિક રીતે ડંખતો જોડો ખાનગી મિલકત છે એ લગભગ ૪૦૦ વર્ષ અગાઉ જ્હોન લોક પારખી ગયા હતા. મધ્ય યુગમાં એવો સિદ્ધાંત હતો કે સંપત્તિનો વાજબી ઉપયોગ થવો જ જોઇએ. જ્હોન લોક દ્વારા તેમના Two Treatises of Government પુસ્તકમાં એમ કહેવામાં આવ્યું કે દરેક વ્યક્તિને પોતાના શ્રમથી મિલકત પ્રાપ્ત કરવાનો કુદરતી અધિકાર છે એટલે કે તેનો પોતાના શ્રમ દ્વારા પૃથ્વી પર તેને જે કંઈ મળે તે મેળવવાનો હક છે.

હવે સવાલ એ છે કે મોટા ભાગની જમીનના માલિક બહુ ઓછા લોકો છે એ બાબત સાથે આનો મેળ કેવી રીતે ખાય? જ્હોન લોક દ્વારા એવી દલીલ કરવામાં આવી કે વધુ સારા પ્રયાસો કરનારને વધુ મિલકત મળે તો તેને લાયક છે, એટલે કે મિલકતની અસમાન વહેંચણી હોઈ શકે. પછી ઘણે મોડેથી ઉપયોગિતાવાદીઓએ એવી દલીલ કરી કે અસમાનતાથી તો ઉત્પાદકતા વધે છે. અમેરિકામાં રોનાલ્ડ રીગન અને બ્રિટનમાં માર્ગરેટ થેચરના પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રની કેન્દ્રીય માન્યતા આ જ હતી. 

જ્હોન લોક દ્વારા મિલકતની ન્યાયી માલિકી વિશેના જૂના ખ્યાલો સાથે જીવંત સંબંધ પણ રાખવામાં આવ્યો. તેમણે એવી દલીલ કરી કે જેઓ પોતાની મૂડી કે જમીન નકામી પડી રહેવા દે છે તેમની પાસેથી તે લઈ લેવી જોઈએ કારણ કે “કશું બગડે અથવા નાશ પામે તે માટે ઈશ્વરે માણસ માટે કશું સર્જ્યું નથી.”

મિલકતની માલિકી છે તે સાર્વજનિક ભલા માટે ટ્રસ્ટ તરીકેની છે. સારા જમીનદારો સારા સંચાલકો હતા. એટલે ખાનગી માલિકી જો સાર્વજનિક ભલા માટે પ્રયોજાય તો, તેનાથી પોતાના શ્રમથી મિલકત મેળવવાના લોકોના કુદરતી અધિકારનો ભંગ થતો નથી. 

ઔદ્યોગિક યુગમાં કામદારોએ મિલકતની માલિકીની જેમ જ કામના અધિકારનો પણ દાવો કર્યો. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રમાં પૂર્ણ રોજગારીની ધારણા કરીને એ દાવાને ફેંકી દેવામાં આવ્યો. તેમાં એમ કહેવામાં આવ્યું કે જેઓ કામ ઈચ્છે છે તેમને પૂરતા પ્રમાણમાં લવચીક શ્રમ બજારમાં કામ મળી જ રહેશે. આરામ કરવા માટે જ બેકાર રહેવાનું પસંદ કરવામાં આવે છે એમ તેમાં ધારી લેવામાં આવ્યું, એટલે પછી એવી વ્યક્તિને આવકનો કોઈ અધિકાર રહેતો નથી. 

કામદારોએ તેમના શ્રમથી જે અધિશેષ જન્મે છે તેમાંથી પણ હિસ્સો મેળવવા દાવો નોંધાવ્યો. કાર્લ માર્ક્સ એમ કહે છે કે મૂડીવાદમાં એ શક્ય જ નથી. એ.સી. પીગૂ (૧૮૭૭-૧૯૫૯) જેવા અર્થશાસ્ત્રીઓએ આવકની પુનઃ વહેંચણી માટે વૈજ્ઞાનિક કેસ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. જે માણસ પાસે પૈસા છે તેની પાસેના પૈસાનો સીમાંત તુષ્ટિગુણ ઘટતો જાય છે એમ કહીને પિગૂએ ધનવાનોના પૈસા ગરીબોને આપવાની તરફેણ કરી. પછી આ પ્રયાસ પર પાણી ફરી વળ્યાં કારણ કે લાયોનેલ રોબિન્સ દ્વારા ૧૯૩૮માં એમ કહેવામાં આવ્યું કે સંતોષની તીવ્રતા માપવાનું અશક્ય છે. પછી એ સ્વીકૃત સિદ્ધાંત બની ગયો કે જુદી જુદી વ્યક્તિઓના તુષ્ટિગુણની સરખામણી કરીને સામાજિક કલ્યાણનું વિધેય તારવી શકાય જ નહિ.

કેટલાક અર્થશાસ્ત્રીઓએ એમ ભારપૂર્વક કહ્યું કે સામાજિક કલ્યાણનું વિધેય ગેરહાજર હોય એટલે એનો અર્થ એવો નથી થતો કે સંપત્તિની પુનઃ વહેંચણીનું ધ્યેય ત્યજી દેવામાં આવ્યું છે. એનો અર્થ તો માત્ર એટલો જ થાય છે કે મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રમાં વિતરણના ન્યાયનો પ્રશ્ન છોડી દેવામાં આવ્યો છે. તેને બદલે એવી સાબિતીઓ પણ આપવામાં આવી કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનનાં તમામ સાધનોને તેમના સીમાંત ઉત્પાદન જેટલું વળતર મળે જ છે. તેને પરિણામે સંપત્તિના વિતરણને રાજકીય નહિ તો આર્થિક એજન્ડામાંથી બહાર ફેંકી દેવામાં આવ્યું. 

હકીકતમાં, વીસમી સદીના મોટા ભાગના સમયમાં વિતરણનો સવાલ રાજકીય એજન્ડામાં પ્રભાવક રહ્યો. સામાજિક લોકશાહીમાં માનનારાઓ દ્વારા એવી દલીલ કરવામાં આવી કે નાગરિકત્વને લીધે રાજ્યની એ જવાબદારી ઊભી થાય છે કે તે લોકશાહી અર્થપૂર્ણ રીતે કાર્યરત બને તે માટે લોકોની ભૌતિક સ્થિતિમાં પૂરતા પ્રમાણમાં સમાનતા આવે તેમ કરે. આજે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ અને નિરાશાવાદી સમાજશાસ્ત્રીઓ કલ્યાણ રાજ્યના ખ્યાલ ઉપર સમાન રીતે હુમલા કરે છે. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ માને કે કલ્યાણ રાજ્ય મનુષ્યની કામ કરવાની વૃત્તિ ઓછી કરી નાખે છે અને નિરાશાવાદી સમાજશાસ્ત્રીઓ એમ માને છે કે તે સમાજનું નૈતિક અધ:પતન આણે છે. 

હાલ મિલકતના અધિકારના ન્યાય વિશે અર્થશાસ્ત્રીઓ કરતાં દાર્શનિકો વધુ ચર્ચા કરે છે. અમેરિકન દાર્શનિક જ્હોન રોલ્સ (૧૯૨૧-૨૦૦૨) દ્વારા  અસમાનતાનો સિદ્ધાંત અપાયો. બ્રિટિશ દાર્શનિક જ્હોન લોક દ્વારા એમ કહેવાયું હતું કે ખાનગી મિલકતની માલિકીનું નૈતિક વાજબીપણું હોવું જોઈએ. જ્હોન લોક જ્યારે એમ કહે છે કે જેમની પાસે બહુ ઓછી મિલકત છે તેમની સ્થિતિ સુધરવી જોઈએ ત્યારે તેઓ જ્હોન લોકોની જ વાતમાં સુધારો કરે છે એમ કહેવાય. 

મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રની બહાર મિલકતની માલિકીની નૈતિક જવાબદારીના પ્રશ્નમાં ફરી એક વાર રસ જાગ્યો છે. 

શેર હોલ્ડરોના શેરનું મૂલ્ય મહત્તમ કરવાની કંપનીઓની કાનૂની જવાબદારી છે તે ઉપરાંત શું તેમની કોઈ નૈતિક જવાબદારી હોય ખરી? કંપનીઓની સામાજિક જવાબદારી (CSR) અને હિતધારક મૂડીવાદ(stakeholder capitalism)ના ખ્યાલો આવી જ ચર્ચાનું ફળ છે. જો કે, CSR એ મોટે ભાગે મોટો ધંધાકીય પ્રચાર બની ગયો છે. 

એમ અનેક અભ્યાસો દર્શાવે છે કે જે કંપનીઓ માત્ર તેમના માલિકો અને વરિષ્ઠ મેનેજરોનું જ હિત જુએ છે તેમના કરતાં કામદારો, પુરવઠાકારો અને નજીકના રહીશો પ્રત્યે વધુ જવાબદારીઓ અદા કરનારી કંપનીઓ વધુ નફો રળી લે છે. પરંતુ મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રમાં મિલકતના માલિકો તો મિલકતના કારભારી છે એવા ખ્યાલનો પડઘો મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રમાં ભાગ્યે જ પડ્યો. એનું કારણ એ છે કે મિલકતના અધિકારો વિશેના સંકુચિત ખ્યાલને તે પડકારે છે. એટલું જ નહિ, તે જમીન, મૂડી અને શ્રમનાં બજારો એકદમ ન્યાયી છે અથવા તો તેમને ન્યાયી બનાવી શકાય તેમ છે એવા દિમાગમાં ઘૂસી ગયેલા ખ્યાલને પણ પડકારે છે; કારણ કે એ ખ્યાલ તો એમ સમજે છે કે તમામ ઉત્પાદકોને એટલું જ વળતર મળે છે કે જે ગ્રાહકો માટે યોગ્ય છે. 

નૈતિકતાની ચર્ચા ફક્ત એકપક્ષી રહી નથી. કાનૂની રીતે અમલમાં મૂકી શકાય તેવા સુસ્પષ્ટ મિલકતના અધિકારો માટે કાર્યક્ષમતાની દલીલ કરવામાં આવે જ છે. વળી, જાહેર લાભ માટે મિલકતનો ઉપયોગ થવો જોઈએ એવો આગ્રહ ખાનગી મિલકતના પ્રશિષ્ટ ઉદારમતવાદી બચાવને ઓછો આંકે છે, કારણ કે તે એમ કહે છે કે તેનાથી તો રાજ્ય સ્વચ્છંદી રીતે ખાનગી મિલકત પચાવી પાડે છે. એવી એક ઉદારમતવાદી દલીલ પણ કરવામાં આવે છે કે કામદારો અને માલિકો વચ્ચે જે સ્વૈચ્છિક કરારો થતા હોય તેમાં રાજ્યે વચ્ચે પડવું જોઇએ નહિ. અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓએ આ દલીલોને અવગણવી જોઇએ નહિ. તેમણે તો તેમની વિશ્લેષણની પસંદગીઓ નૈતિક અને રાજકીય છે કે નહિ તે પ્રત્યે સભાન રહેવું જોઈએ એટલું જ. 

(ક્રમશ:)
સ્રોત: 
લેખકનું પુસ્તક: What is Wrong with Economics?
પ્રકરણ: Ethics and Economics.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

21 December 2023 Vipool Kalyani
← સમાન્તર જીવન : કવિ ‘કાન્ત’ અને કવિ હૉપકિન્સનું જીવન-કવન  
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અડવાણી-જોશી અનિવાર્ય છે … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved