Opinion Magazine
Number of visits: 9566723
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મંગલમૂર્તિ પેટલીકર

ઉમાશંકર જોશી|Opinion - Literature|6 September 2016

ભાઈ ઈશ્વર પેટલીકર ડાયરામાંથી અચાનક ઊઠી ગયા. ત્રણ-ચાર દિવસમાં એમણે માયા સંકેલી લીધી. બહુ જ જીવનથી તરવરતા હતા અને એમનામાં ભૂમિના પુત્રનું એક કૌવત હતું. બળકટતા હતી, ખડતલપણું હતું. શહેરમાં રહ્યા છતાં એ કદી ગામડાના મટ્યા નહીં.

મને યાદ આવે છે પેટલીનો એક નાનકડો તરુણ. ‘ગ્રામચિત્રો’ની હસ્તપ્રત લઈ એ મારી પાસે આવે છે. ‘આને વિશે કંઈ લખી આપો.’ મેં કહ્યું, ‘લખે એવા તો રામનારાયણ પાઠક છે.’ કહે કે એમની પાસે ગયો હતો, પણ તેઓની તબિયત ઠીક નથી. મહિના સુધી એ લખી શકે એમ નથી. મારે તો ચોપડી મહિનામાં બહાર પાડવી છે. ચોપડી થોડીક જોઈ, મેં એમને કહ્યું, આ ચોપડી તમે એવી સુંદર લખી છે કે હું તમારે ઠેકાણે હોઉં તો મહિનો નહીં પણ વરસ રાહ જોઉં ને રામનારાયણ પાઠકના જ બે શબ્દ આશીર્વાદના મેળવું. એમણે મારી વાત માની. એમની નવલકથા ‘જન્મટીપ’ બહાર પડી અને મેઘાણીભાઈ એને વિષે આંખમાં ચમક સાથે અને ઉમળકાથી જે વાત કરતા એ બધાનું પણ સ્મરણ થાય છે. ‘લોહીની સગાઈ’ વાર્તા એમણે લખી. પોતાના જીવનની, – પોતાની બાની, પોતાની  બહેનની. એ તો એમણે કાળજું જ કાપીને જાણે રજૂ કર્યું હતું, પણ એક વાર્તા તરીકે મૂક્યું હતું. એક આંતરરાષ્ટ્રીય વાર્તા-હરીફાઈમાં તે વાર્તા પોંખાઈ.

પેટલીકરે કળાકાર તરીકે આગળ વધવાનો બલકે કોઈ જાતનો મનસૂબો ન રાખ્યો. એ મહત્ત્વાકાંક્ષી માણસ હતા જ નહીં. રાજકારણમાં ઠેઠ ઉંબર સુધી ગયા હતા, ધાર્યું હોત તો એ એમાં પણ દાખલ થઈ શકત. પણ એમને ગામડું રગરગમાં વ્યાપેલું હતું. એ સમાજને ઉઘાડી આંખે, ઉઘાડા કાને, ઉઘાડા હૃદયે નીરખતા અને એમનામાં સહાનુકંપા હતી. બધાંના પ્રશ્નો જાણે પોતાના ન હોય. એનો કોઈ દેખાડો ન હતો. એમના સ્વભાવની ઉદારતા જ એમાં જોવા મળતી હતી. એમનું કાઠું આ જાતનું હતું, – અંદરનું કાઠું. અને ગુજરાતને બહુ ઉપયોગી સેવક તરીકે એ નીવડી આવ્યા. હું પેટલીકરને વિશાળ અર્થમાં ગુજરાતના એક શિક્ષક કહું, એક સંસ્કાર ઘડનારા કહું. એમણે લોકોના અંગત જીવનના, ખાસ કરીને યુવકોના જે સળગતા પ્રશ્નો હોય છે, તે ઉકેલવામાં, સંસારની હોળીઓ હોલવવામાં સારો એવો સમય આપ્યો. પેટલીકર જ એ કરી શકે. સમાજમાં આવી મૂર્તિઓ હોવી જોઈએ. આ એક જાતની મંગલમૂર્તિઓ છે. એવી મંગલમૂર્તિનો પેટલીકરે સારો એવો નમૂનો આપણા સમાજમાં આપણા સમયમાં પૂરો પાડ્યો છે.

રાજકીય-વિશાળ અર્થમાં રાજકીય ઘટનાઓ કે ઉત્પાતો થતાં હોય, જેને વિશે વખતે ગેરસમજો પણ ચાલતી હોય, તે પેટલીકર છૂટથી ચર્ચતા. સામાન્ય માણસ આખી વસ્તુ સમજી શકે, એવી ભાષામાં એનો એ આલેખ આપતા. મને યાદ આવે છે એક વખતે એક ઘણા ઊંચા સ્થાને બિરાજનાર વ્યક્તિ સાથે એકાએક જ કંઈ વાતવાતમાં એ દિવસે છાપામાં આવેલા પેટલીકરના લેખનો નિર્દેશ થયો. કોઈ પ્રશ્ન અંગે ઉલ્લેખ થયો, એટલે મેં કહ્યું, તમે આ જુઓ, આની રજૂઆત, આની છણાવટ જુઓ. એ સાંભળીને એમણે કહ્યું. મારી ભાષામાં આવું કોઈ છણાવટ કરનારું નથી. આવાં પૃથક્કરણ અમને વાંચવા મળતાં નથી.

તો, પેટલીકરમાં આ એક મોટી સૂઝ હતી, કોઠાસૂઝ હતી. કેળવણી એમણે બહુ લીધી ન હતી, શાસ્ત્રો એમણે બહુ વાંચ્યાં ન હતાં, જેવાં કે સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર. એ તો મૂંઝાઈ જ જાય, તમે કંઈ કહો તો. પણ એમણે સંસારશાળામાં શિક્ષણ લીધું. એમણે નાના ગામડાના એક અદના શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી હતી, ગુજરાતના સદ્ભાગ્યે એ એક ઊંચી જાતના શિક્ષક તરીકે નીવડી આવ્યા અને પોતાના જમાનામાં એક સમાજભેરુએ જે ભાગ ભજવવો જોઈએ, એ જાતનો ભાગ એમણે ભજવ્યો, મારી પેઠે ઘણાંને સ્વજન ગુમાવ્યાનું દુઃખ આજે થયું હશે. આ સ્વજનને હું મારી હૃદયપૂર્વક અંજલિ આપું છું.

હવે તો એ જીવશે એમણે જે લીલી વાડીઓ નિર્માણ કરવામાં ફાળો આપ્યો હશે, તે લોકોના જીવનની સુવાસ દ્વારા. અને જીવશે એમનાં લખાણોથી, ‘ગ્રામચિત્રો’, ‘જન્મટીપ’, ‘ભવસાગર’, દ્વારા ‘લોહીની સગાઈ’ અને બીજી કેટલીક વાર્તાઓ લાંબાકાળ સુધી વંચાશે. હું આશા રાખું છું કે કોઈ કુશળ સંપાદક છાપાંઓમાં આવેલા પેટલીકરના સંખ્યાબંધ લેખોમાંથી એક માતબર સંચયન વેળાસર તૈયાર કરશે.

(અમદાવાદ આકાશવાણી પર અંજલી)

ઇશ્વર પેટલીકરના જન્મ શતાબ્દી વર્ષ (જન્મ તારીખ : 09-09-1916) નિમિત્તે “સંસ્કૃિત”, અૉક્ટોબર-ડિસેમ્બર 1983માંથી સાભાર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 01-02

Loading

6 September 2016 admin
← વર્ણવાસ્તવ: ઇતિહાસબોજ અને ઇતિહાસબોધ
પત્રકારત્વનો સીધો સંબંધ સંતુલિત અભિગમ સાથે છે →

Search by

Opinion

  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 
  • હવે અખબારોને અખબાર ન માનો !
  • RSS દ્વારા સરદાર પટેલ અને ભારત સાથે વચનભંગ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved