Opinion Magazine
Number of visits: 9449071
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાપુરુષોનો વારસો ટકાવી રાખવા અને સમૃદ્ધ કરવામાં તેમના અનુગામીઓની કસોટી થાય છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|20 February 2022

‘નેહરુના ભારતની અવદશા જુઓ! આજે નેહરુના ભારતની લોકસભામાં અડધોઅડધ સભ્યો ગુનાખોરીના આરોપી છે અને કેટલાક સામે તો ખૂન અને બળત્કાર જેવા ગંભીર ગુનાઓના આરોપ છે.’

કોણ કહે છે આમ? સિંગાપોરના વડા પ્રધાન લી હિસીન લૂંગ. પ્રસંગ એવો હતો કે સિંગાપોરની સંસદમાં વર્કર્સ પાર્ટીના નેતા રઈસા ખાને અસત્યકથન કર્યું હતું. તેમનું જૂઠ પકડાઈ ગયું અને નાછૂટકે તેમણે તેની કબૂલાત પણ કરવી પડી હતી. તેમની સામે સંસદમાં મર્યાદાભંગની નોટીસ આવી અને તેના પરની ચર્ચામાં વડા પ્રધાન લોકશાહી મૂલ્યો અને દાયિત્વ વિષે બોલી રહ્યા હતા. રઈસા ખાને પક્ષના નેતાપદેથી રાજીનામું આપ્યું છે અને કદાચ તેમને સંસદ પણ દંડશે. તો પ્રસંગ ઉપસ્થિત થતાં સિંગાપોરના વડા પ્રધાને ભારતના લોકતંત્રની વર્તમાનમાં અવદશાનો તેમ જ જવાહરલાલ નેહરુનો અને તેમની લોકતાંત્રિક મૂલ્યનિષ્ઠાનો હવાલો આપ્યો હતો. એક પ્રકારે રેફરન્સ તરીકે નેહરુને ટાંક્યા છે.

બોલો! સૂર્ય સામે ગમે એટલી ધૂળ ફેંકવામાં આવે, એ ક્યાંકને ક્યાંક તો ઝળક્યા વિના રહેતો નથી, કારણ કે એ સૂર્ય છે. જવાહરલાલ નેહરુ વિષે અંગ્રેજી ભાષામાં સો કરતાં વધારે પુસ્તકો લખાયાં છે અને હજુ લખાય છે. એમાંનું કોઈ પુસ્તક પૈસા આપીને લખાવવામાં આવ્યું નથી અને એવી જરૂર પણ નથી. ધૂળ ફેંકવાથી સૂર્ય ઝાંખો પડતો નથી અને આંખ વિંચી લેવાથી સુર્યાસ્ત થતો નથી. એની નોંધ લેવાતી જ રહે છે.

દેશ આઝાદ થયો ત્યારે કાઁગ્રેસના નેતાઓએ સંકલ્પ કર્યો હતો કે ભારત એક લોકશાહી દેશ હશે અને એ પણ ભારતની પ્રત્યેક વ્યક્તિને પુખ્ત મતદાનનો અધિકાર આપનારો લોકશાહી દેશ હશે. અને લોકતંત્રનો ઢાંચો કેવો હશે? તો કહે સંસદીય લોકતંત્રનો. પ્રમુખશાહી એક રીતે ઉફરું લોકતંત્ર છે, જ્યારે સંસદીય લોકશાહી પ્રમાણમાં વધારે સઘન લોકતંત્ર છે. એવું નથી કે સંસદીય લોકતંત્રમાં કોઈ મર્યાદા નથી. જો તેને સુધારવામાં ન આવે તો સંસદીય લોકતંત્ર નબળું પડે છે અને જો મર્યાદાઓનો સત્તાકીય લાભ લેવામાં આવે તો અધ:પતન થાય છે. ભારતમાં આ જ બની રહ્યું છે જેના તરફ સિંગાપોરના વડા પ્રધાન લીએ ઈશારો કર્યો છે.

વસ્તીની દૃષ્ટિએ ભારત ચીન પછીનો સૌથી મોટો દેશ. ગ્રામીણ, ગરીબ અને અભણ પ્રજા. આ ઉપરાંત અંધશ્રદ્ધા, ઊંચનીચના અધિકારભેદ અને સામંતશાહી અર્થવ્યવસ્થા તેમ જ સમાજવ્યવસ્થા. જગત આખાને ત્યારે એમ લાગ્યું હતું કે ભારત એક ઝાટકે શિવધનુષ ઉઠાવવાનું જરાક વધારે પડતું સાહસ કરી રહ્યું છે. સલાહ પણ આપવામાં આવી હતી કે પુખ્ત મતદાનનો અધિકાર ધીરેધીરે લાયકાત જોઇને અને લાયકાત વિકસાવીને આપવામાં આવે. ભારતે તેમની સલાહ જ્યારે કાને ન ધરી ત્યારે અનેક લોકોની એવી ધારણા હતી કે ૧૯૫૧-૫૨ની સામાન્ય ચૂંટણી ભારતની પહેલી અને છેલ્લી ચૂંટણી નીવડવાની છે.

જેમ વિદેશમાં ભારતની લોકતાંત્રિક છલાંગ વિષે કેટલાક લોકો શાસંક હતા એમ ભારતમાં પણ અનેક લોકો સાશંક હતા. પણ ભારતમાં બે વ્યક્તિ એવી હતી જે એમ માનતી હતી કે જો સાચી નિષ્ઠા હોય અને ઈમાનદારીપૂર્વક પ્રયત્ન કરવામાં આવે તો ભારતમાં સાર્વત્રિક પુખ્ત મતદાનવાળું લોકતંત્ર સફળ થઈ શકે છે. એ બે વ્યક્તિ એટલે જવાહરલાલ નેહરુ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર. આમાં નેહરુ વડા પ્રધાન અને દેશના લોકપ્રિય નેતા હતા એટલે નિષ્ઠા અને ઈમાનદારીની કસોટી તેમની થવાની હતી અને તેઓ તેમાં ખરા ઉતર્યા. સિંગાપોરના વડા પ્રધાન લીએ સિંગાપોરની સંસદમાં બોલતા નેહરુના આ યોગદાનની ખાસ નોંધ લીધી છે. તેમણે નેહરુની સાથે ઇઝરાયેલના પહેલા વડા પ્રધાન ડેવિડ બેન-ગુરિયનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, ‘જે નેતાઓ પોતાના દેશની આઝાદી માટે લડ્યા હોય અને આઝાદી મેળવી આપી હોય એવા નેતાઓ મહાપુરુષની કોટિના હોય છે. તેઓ સંસ્કારી હોય છે, તેમનામાં ઊંડી સમજ હોય છે, અગાધ નિષ્ઠા હોય છે અને અસાધારણ ક્ષમતા હોય છે. તેઓ અગ્નિપરીક્ષામાંથી પસાર થાય છે અને તેમાં વિજયી થઈને સકળ માનવસમાજના અને જગતના રાષ્ટ્રોના નેતા તરીકેનું સ્થાન પામે છે. જવાહરલાલ નેહરુ અને ડેવિડ બેન-ગુરિયન આવા નેતા હતા.’

એ પછી તેમણે કહ્યું હતું કે મહાપુરુષોનો વારસો ટકાવી રાખવો અને તેને સમૃદ્ધ કરવો એમાં તેમના અનુગામીઓની કસોટી થતી હોય છે. આ બાબતે ભારત અને ઇઝરાયેલ બન્ને નિષ્ફળ નીવડ્યા છે અને આજે નેહરુના ભારતની સંસદમાં અડધોઅડધ સભ્યો ફોઝદારી ગુનાઓના આરોપી છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ફેબ્રુઆરી 2022

Loading

20 February 2022 admin
← લતા મંગેશકર : અવાજની ‘છોકરિયાળ’ યુવાની
રાજકારણ લોહીમાં ઊતરી ગયું છે … →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved