Opinion Magazine
Number of visits: 9449499
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકોની લાગણીઓ પર ઝીણી નજર રાખવી પડતી હોય છે અને તેને સાંભળવી પડતી હોય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|12 January 2019

બે દિવસ પહેલાં મારા કેટલાક મિત્રો મુંબઈના બી.જે.પી.ના એક સંસદસભ્યને મળવા ગયા. એ સંસદસભ્ય મુંબઈના સંસદસભ્યોમાં સૌથી કામઢા છે. મારા મિત્રોએ કહ્યું કે તેઓ ઝૂંપડપટ્ટીઓમાં કામ કરે છે અને પાણીની સમસ્યા વિષે વાત કરવા આવ્યા છે. વાત થોડી નીતિવિષયક છે એટલે નગરસેવકની જગ્યાએ તમને મળવા આવ્યા છીએ.

એ તો ઠીક છે, પહેલાં એ કહો કે દેશના વડા પ્રધાન કોણ બનવા જોઈએ, નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી? તમે ઝૂંપડપટ્ટીઓમાં લોકોને શું સલાહ આપશો? મને ખબર છે તમે શું સલાહ આપતા હશો કે આપશો. તમે દેશદ્રોહીઓ છે.

મારા મિત્રો તો હેબતાઈ જ ગયા!

આનાં ત્રણ સૂચિતાર્થો છે. એક તો એ કે ૨૦૧૯નો ભય કેટલો વ્યાપક છે? ઊઠતા-બેસતા ચોવીસે કલાક ૨૦૧૯નાં બિહામણાં સપનાં કવરાવે છે. હાથમાંથી અમૂલ્ય અવસર સરકી રહ્યો છે એ તેમનાથી ખમાતું નથી. બીજો સૂચિતાર્થ એ કે હજુ બે વરસ પહેલાં જેની પપ્પુ તરીકે ઠેકડી ઉડાડવામાં આવતી હતી, એ રાહુલ ગાંધીનો નામોલ્લેખ નરેન્દ્ર મોદીની ભેગાભેગ કરવો પડે છે અને એ પણ પ્રતિદ્વંદી તરીકે! ત્રીજો સૂચિતાર્થ એ કે કોની સાથે કેમ વાત કરવી અને બોલવું એનો વિવેક પણ તેઓ ખોઈ બેઠા છે એટલી હદે તેઓ હતાશ છે. આ સંસદસભ્ય નવા નવા નથી, પીઢ છે.

થોડા દિવસ પહેલાં ‘ઇકોનોમિક ટાઈમ્સ’માં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ વડા પ્રધાનના કાર્યાલયે દેશભરના બી.જે.પી. શાસિત રાજ્યોનાં મુખ્ય પ્રધાનોને પત્ર લખીને જાણવા માગ્યું હતું  કે તમારાં રાજ્યમાં એવાં કયા ઉપક્રમો છે જેનું ઉદ્ઘાટન કે શિલાન્યાસ વડા પ્રધાન કરી શકે? જો કોઈ યોજના (સડક, ડેમ, સંડાસ કાંઈ પણ) હોય તો તેનું ઉદ્ઘાટન કરવા વડા પ્રધાનને બોલાવવામાં આવે. જો કોઈ યોજના અધૂરી હોય અને આવતા બે મહિનામાં પૂરી થઈ શકે એમ હોય તો ઝડપથી પૂરી કરવામાં આવે અને જો કોઈ યોજનાઓ વિષે તમે વિચારતા હોય, તો તેને ઝડપભેર શરૂ કરવામાં આવે કે જેથી તેનો શિલાન્યાસ વડા પ્રધાન કરી શકે. વડા પ્રધાનનું કાર્યાલય એક સૂચના આપવાનું ચૂકી ગયું છે. યોજનાઓનું ગર્ભાધાન થઈ ગયું હોય તો વચ્ચે સીમંત-સંસ્કાર પણ કરી શકાય, પછી બાળક ગમે ત્યારે અવતરે અને કસુવાવડ થઈ જાય તો ન પણ અવતરે. પંચમાસી બાંધવાનો સીમંતનો એક અવસર ધ્યાનબહાર ગયો છે. આમ પણ સીમંત તો હિંદુ પરંપરા છે. 

પહેલી જાન્યુઆરીએ દલિતો પુના નજીક ભીમા કોરેગાંવ ખાતે જમા થાય છે. દાયકાઓ જૂની આ પરંપરા છે. ૧૮૧૮માં પેશ્વાઓ સામેની લડાઈમાં અંગ્રેજોનો વિજય થયો હતો અને એ વિજય અપાવવામાં દલિતોની બનેલી મહાર રેજીમેન્ટનો મોટો હાથ હતો. એ સ્થળે અંગ્રેજોએ વિજય – કમ – શહીદસ્તંભ બાંધ્યો છે. દલિતો ૧૮૧૮ની લડાઈના અંગ્રેજોના વિજયને બ્રાહ્મણો સામેના દલિતોના વિજય તરીકે જુએ છે. હવે આ પણ નરેન્દ્ર મોદીના ભક્તો જેવું દલિત ભક્તોનું ભોળપણ છે. પેશ્વાઓ સામેનો એ વિજય અંગ્રેજોનો હતો, દલિતોનો નહોતો; પણ દેશની દરેક કોમને ૫૬ ઈંચની છાતી ધરાવતો નેતા જોઈએ છે અને ૫૬ ઇંચનો ઇતિહાસ જોઈએ છે. વાસ્તવિકતા કોઈને કબૂલ કરવી નથી.

તો દર વરસે પહેલી જાન્યુઆરીએ પુના નજીક ભીમા કોરેગાંવ ખાતે જમા થવાનો રિવાજ દલિતોમાં દાયકાઓ જૂનો છે. એને કારણે આજ સુધી દેશમાં કોઈ હાહાકાર મચ્યો નથી, બ્રાહ્મણોને કોઈએ ધોલ-ધપાટ કરી નથી, મંદિરો પર હુમલા થયા નથી; પરંતુ ગયા વરસે દેશપ્રેમીઓને એમાં દેશદ્રોહ નજરે પડ્યો અને દલિતો સાથે યુદ્ધે ચડ્યા. એ પછી દલિત નેતાઓને વડા પ્રધાનની હત્યાનું કાવતરું કરનારા નક્સલવાદી ઠરાવીને ત્રાસવાદના કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી અને છેવટે સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકારનું નાક કપાયું એ ઘટના યાદ હશે.

આ વરસે ચન્દ્રશેખર આઝાદ નામના દલિત નેતાની આગેવાનીમાં ફરી પહેલી જાન્યુઆરીએ ભીમા કોરેગાંવ ખાતે દલિતો જમા ન થાય અને ઉજવણીની ઘટના ન બને તે માટે આઝાદને પકડવાના સરકારે અનેક ધમપછાડા કર્યા. તેમને એટલું પણ નથી સમજાતું કે તેમણે વિભાજિત દલિતોને દલિત તરીકે સંગઠિત કર્યા છે. તેમની આવી ટૂંકી દૃષ્ટિનાં પરિણામે દલિતો, મુસલમાનો, અન્ય લઘુમતી કોમો, ખેડૂતો, યુવાનો અને ઉદારમતવાદી હિંદુઓ એટલી હદે સંગઠિત થયા છે જેટલા સંગઠિત તેઓ આજ સુધી નહોતા. ‘તમે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને એમ ઈચ્છો છો કે રાહુલ ગાંધી?’ એવો પ્રશ્ન પોતે જ પેદા કરેલી સ્થિતિ અને સ્થિતિએ પેદા કરેલા ગભરાટનું પરિણામ છે.

જાણીતાં ભારતીય અંગ્રેજી સાહિત્યકાર નયનતારા સેહગલ ‘મરાઠી સાહિત્ય સંમેલન’નું ઉદ્ઘાટન કરવા આવવાનાં હતાં. તેમણે તેમનું ભાષણ લખીને મોકલ્યું અને આયોજકોનાં હાજાં ગગડી ગયાં. તેમાં અત્યારના શાસકોની નીતિની નિંદા કરવામાં આવી હતી. અરે ભાઈ, સ્વતંત્રતા અને સર્જકતાને કુંઠિત કરવામાં આવતી હોય ત્યારે સાચો સાહિત્યકાર બોલવાનો જ છે. બધા કઢીચટ્ટા હોય એવું તો બનવાનું નથી. નયનતારા સેહગલને આપવામાં આવેલું આમંત્રણ રદ્દ કરવામાં આવ્યું. હવે હકીકતો બહાર આવી રહી છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તેમાં હાજર રહેવાના હતા અને તેમના માટે મુંઝવણ પેદા ન થાય એ માટે આમંત્રણ રદ્દ કરવામાં આવ્યું હતું.

શું ફાયદો થયો? જો નયનતારા સેહગલ આવીને અંગ્રેજીમાં ભાષણ વાંચીને જતાં રહ્યાં હોત તો બહુ ઓછાને જાણ થઈ હોત કે તેઓ શું બોલ્યાં હતાં. મુખ્ય પ્રધાન સમાધાનકારી લાગે એવો બચાવ પણ કરી શક્યા હોત. એની જગ્યાએ આમંત્રણ રદ્દ કરવાને કારણે આખા દેશને એ ઘટનાની જાણ થઈ, દેશભરની બધી ભાષાઓમાં એ પ્રવચનનો અનુવાદ થયો અને ઉપરથી સરકારનું નાક કપાયું.

આ લોકોને રાજ કરતા પણ આવડતું નથી. ૧૮૫૭ના વિદ્રોહ પછી અંગ્રેજોએ સામે ચાલીને કૉન્ગ્રેસની સ્થાપના કરી હતી કે જેથી ખબર પડે કે લોકોના મનમાં શું ચાલી રહ્યું છે. ૧૮૫૭માં ઊંઘતા ઝડપાઈ ગયા એવું બીજીવાર ન બનવું જોઈએ. લોકોના અભિપ્રાયને અને ગુસ્સાને એમ બન્નેને વાચા મળવી જોઈએ અને તે માટે પ્લેટફોર્મ આપવું જોઈએ. લાગણીઓને દબાવી રાખવાથી દબાતી નથી અને એવા પ્રયાસ કરવામાં આવે તો વિસ્ફોટ થવાનો ડર રહે છે. જેમ ઘરને અશુદ્ધ હવા બહાર ફેંકવા અને શુદ્ધ હવા અંદર લેવા બારીની જરૂર પડે છે એમ સમાજને પણ લાગણીઓ પ્રગટ કરવા અભિવ્યક્તિની બારીની જરૂર પડે છે. તેને બંધ કરવાની ન હોય. પરંતુ આપણા મહાન શાસકોને માફક ન આવે એવા વિચાર પ્રગટ થશે અને પ્રતિકૂળ વિચાર પ્રવેશી જશે એનો ડર છે.

તમને ખબર હશે કે જેમ અંગ્રેજોએ સામે ચાલીને કૉન્ગ્રેસની સ્થાપના કરાવી હતી એમ મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસે સામેથી શિવસેનાની સ્થાપના કરાવી હતી. લાભોથી વંચિત મરાઠી યુવકનો ગુસ્સો મરાઠી અસ્મિતાના નામે પ્રગટ થઈ જાય એવી એની પાછળની ગણતરી હતી. ધૂંધવાટ નીકળી જવો જોઈએ. કૉન્ગ્રેસીઓએ છ દાયકા શાસન એમને એમ નથી કર્યું. લોકોની લાગણીઓ પર ઝીણી નજર રાખવી પડતી હોય છે અને તેને સાંભળવી પડતી હોય છે. ચોવીસ કલાક ખેલ પાડીને રમાડ્યા કરો તો આવા દિવસો આવે!

‘એ બધું ઠીક છે, પહેલા કહો; તમે નરેન્દ્ર મોદી સાથે છો કે રાહુલ ગાંધી સાથે?’

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 12 જાન્યુઆરી 2019

Loading

12 January 2019 admin
← કમલ વોરા-સર્જિત અનેકએક વિશે
15 લાખ રૂપિયા જમા કરાવવાના શાબ્દિક જુમલામાં અને 10 ટકા અનામત આપવાના કાનૂની જુમલામાં કોઈ ફરક નથી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved