Opinion Magazine
Number of visits: 9487502
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેન્દ્ર અને રાજ્યમાં લોકપ્રતિનિધિગૃહોની અવગણના એ લોકતંત્રની ગંભીર બીમારી છે 

રમેશ ઓઝા|Opinion - Opinion|13 August 2023

રમેશ ઓઝા

શાસક પક્ષની બહુમતી જોતાં નરેન્દ્ર મોદીની સરકાર સામેનો વિરોધ પક્ષોનો અવિશ્વાસના પ્રસ્તાવ સફળ થવાનો નહોતો, અને એ વાત એ તેઓ પણ જાણતા હતા. આમ છતાં ય અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો એનું દેખીતું કારણ એ હતું કે એ નિમિત્તે વડા પ્રધાન મોઢું ખોલે. અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા થવી જરૂરી છે. દરેક પક્ષના નેતાઓને તેમની સભ્યસંખ્યાના પ્રમાણમાં બોલવા માટેનો સમય ફાળવવો પડે છે. ગૃહમાં હોહા કરીને વિઘ્ન પેદા કરવામાં આવે તો પણ દરેક સભ્યને સાંભળવા તો પડે જ છે. દરેક પક્ષના નેતાઓ બોલી લે એ પછી વડા જવાબ આપે છે. વડા પ્રધાન માટે કોઈ સમયની મર્યાદા હોતી નથી. ટૂંકમાં સંસદમાં કામકાજ ચાલવા દેવામાં ન આવે, સ્પીકર પક્ષપાત કરે, ગૃહને સ્થગિત કરવામાં આવે કે પછી કેટલીક બાબતે શાસકો ન બોલે તો અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા તેનો ખંગ વાળી શકાય છે. વિરોધ પક્ષો આ ઉદ્દેશથી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા હતા.

સંસદનું અધિવેશન ઓછામાં ઓછો સમય મળે અને હોહા કરીને તેને ચાલવા ન દેવી એ ભારતીય સંસદીય ઇતિહાસની જૂની બીમારી છે, જે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી વકરી છે. આગલી લોકસભામાં બી.જે.પી.ના નેતા લાલકૃષ્ણ અડવાણી અકળાઇ ગયા હતા અને તેમણે તેમના જ પક્ષના શાસકોને સવાલ પૂછ્યો હતો કે આ બધું શું ચાલી રહ્યું છે? કામકાજના દિવસો ઘટાડવામાં આવી રહ્યા છે અને જો ગૃહ મળે છે તો તેને ચાલવા દેવામાં આવતું નથી. લાલકૃષ્ણ અડવાણીને સંસદીય રાજકારણમાંથી નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. હવે નવી વાત એ જોવા મળી રહી છે કે વડા પ્રધાન અને તેમનાં મહત્ત્વનાં ખાતાં સંભાળનારા પ્રધાનો બને ત્યાં સુધી બોલતા જ નથી, કે સંસદીય કામકાજમાં ભાગ લેતા નથી. નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડા પ્રધાન છે જે સંસદમાં ઓછામાં ઓછો સમય હજાર રહે છે.

કેન્દ્ર અને રાજ્યોમાં લોકપ્રતિનિધિગૃહોની અવગણના એ લોકતંત્રની ગંભીર બીમારી છે અને એ બીમારી ૨૦૧૪ પછી વકરી છે. પણ અવિશ્વાસનો પ્રસ્તાવ એનો ઈલાજ નથી. પાંચ વરસની લોકસભાની મુદ્દતમાં બે દિવસ ચર્ચા કરો અને શાસક પક્ષને બોલવા માટે તેમ જ ચર્ચા કરવા માટે મજબૂર કરો એનાથી શું વળવાનું છે? શાસકો એવા હોવા જોઈએ જે પ્રશ્નોથી ભાગે નહીં. ટીકાને આવકારે. વિરોધ પક્ષોનું કામ છે પ્રશ્નો પૂછવાનું. અયોગ્ય લાગતું હોય તો ધ્યાન દોરવાનું, ટીકા કરવાનું. વિરોધ પક્ષમાં હતા ત્યારે જનસંઘ/બી.જે.પી.એ દાયકાઓ સુધી આ કામ કર્યું છે, પણ ભારતીય સંસદીય ઇતિહાસમાં ક્યારે ય કોઈ વડા પ્રધાનને ભાગતા જોયા નથી જે અત્યારે જોવા મળી રહ્યું છે. અટલ બિહારી વાજપેયીએ તો એક વખત લોકસભામાં વિરોધ પક્ષોની ટીકાઓનું સ્વાગત કરતા કબીરને ટાંકીને કહ્યું હતું કે ‘નિંદક નીઅરે રાખીએ…’ નિંદક નિંદા કરીને તમને સચેત રાખે છે. પણ વર્તમાન વડા પ્રધાન પ્રશ્નોથી ભાગે છે. 

મણિપુર, ચીન, બેરોજગારી, આર્થિક ગતિરોધ, બે-ત્રણ ઉદ્યોગપતિઓને કરવામાં આવતી ફેવર, થોડાંક હાથોમાં સંપત્તિનું એકત્રીકરણ અને લોકતંત્રનું હનન ચર્ચના મુખ્ય મુદ્દા હતા. વિરોધ પક્ષોએ બને ત્યાં સુધી મુદાઓને વળગી રહીને ચર્ચા કરી હતી, પણ વડા પ્રધાને બે કલાકનાં લાંબા ભાષણમાં તેને બગલ દેવાનો પ્રયાસ કર્યો હતો. કાંઈ પણ કહ્યા વિના બે કલાક કેમ બોલી શકાય એની કળા વડા પ્રધાન જાણે છે. મહત્ત્વના પ્રશ્ને ગંભીરતાપૂર્વક ચર્ચા ન થાય, શાસકો કોઈ બાબતનો ખુલાસો ન કરે અથવા અસંબદ્ધ વાતો કરીને ભાષાને ભૂંસામાં ફેરવી નાખવાની પ્રચાલાકી ચિંતા ઉપજાવે એવી છે.

શાસક પક્ષનો ટાર્ગેટ રાહુલ ગાંધી હતા. શાસક પક્ષના સભ્યોએ જ રાહુલ ગાંધીને ટાર્ગેટ કરીને સાબિત કરી આપ્યું છે કે રાહુગ ગાંધી એક તાકાત છે અને તેમની તાકાતથી શાસક પક્ષના નેતાઓ ડરે છે. જો એમ ન હોય તો “પપ્પુ”થી ડરવાનું હોય! જેની ઠેકડી ઉડાડવામાં આવતી હોય એના વિષે આટલું બધું બોલવું પડે? અવિશ્વાસ પ્રસ્તાવે જો એક હકીકત સ્થાપિત કરી આપી હોય તો એ આ છે. રાહુલ ગાંધી એક તાકાત છે અને કાઁગ્રેસ બી.જે.પી.નો વિકલ્પ છે. રાહુલ ગાંધી સહિયારા સેક્યુલર ભારત માટે પ્રતિબદ્ધ છે. રાહુલ ગાંધી બંધારણપ્રણિત ભારત(આઈડિયા ઓફ ઇન્ડિયા)ની સંકલ્પનાને વરેલા છે. ખુલીને બોલે છે. આનો અર્થ એ થયો કે રાહુલ ગાંધી ભારત વિશેની એક સંકલ્પના(નેરેટિવ)ના પ્રવક્તા છે અને એ સંકલ્પના હિંદુ રાષ્ટ્રનો વિકલ્પ છે. બી.જે.પી.ના નેતાઓ એ સંકલ્પનાથી ભયભીત છે અને માટે રાહુલ ગાંધીની પાછળ આદુ ખાઈને પડ્યા છે. તેમની સૌથી મોટી પીડા એ છે કે રાહુલ ગાંધી દરેક રીતની ઠેકડી ઉડાડ્યા છતાં, કરોડો રૂપિયા એ માટે ખર્ચ્યા હોવા છતાં તૂટતા નથી. ભડવીરોને આટલો બધો સમય આપવો પડે એક મામૂલી માણસ માટે!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ઑગસ્ટ 2023

Loading

13 August 2023 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—209
એર ઇન્ડિયાઃ આકાશમાં ઓળખ કેળવી, અંધારાના હેંગર પર લટકી ફરી નવી ઉડાન તરફ પહોંચલી એરલાઇન →

Search by

Opinion

  • કોમનવેલ્થ ગેઇમ્સ માટે અમદાવાદ યજમાનઃ ખેલ વિશ્વ એટલે વૈશ્વિક રાજકારણમાં સોફ્ટ પાવર અને કૂટનીતિ
  • તાલિબાની સરકારના વિદેશ પ્રધાન ભારતની મુલાકાત લે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ
  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી

Poetry

  • પિયા ઓ પિયા
  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved