Opinion Magazine
Number of visits: 9448809
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જાજરમાન સિંહરાજાના અંતિમ દિવસો

રૂપાલી બર્ક|Poetry|18 March 2024

સ્ક્રીન પર સિંહરાજાના અંતિમ દિવસોના દર્શાવાતા વીડિયો સાથે 

દર્શકોને સંબોધતા ઉત્સાહભેર ભાષ્ય તમે ચાલુ કરો છો —

“મારા જીવનનું સૌથી કરુણાજનક આ દૃશ્ય હતું. 

આ વયોવૃદ્ધ સિંહરાજા એનાં જીવનના 

છેલ્લાં ચાર દિવસોમાં શું શું અનુભવશે?

આ દૃશ્ય જોયા બાદ પ્રકૃતિની અજાયબી પર વિસ્મય થાય છે.

સામાન્યપણે જાજરમાન સિંહરાજાઓનો ઠસ્સો આપણે જોતાં હોઈએ છીએ

એને બદલે આપણી નજર સામે આ વયોવૃદ્ધ સિંહરાજા 

હાડપીંજર જેવો પાતળો અને ભારે હાંફતો દેખાય.

પાયાની લડવાની ક્ષમતાની પણ સમસ્યા છે એને.

અંતનો અણસાર એને કદાચ આવ્યો હોય એમ

સિંહરાજાએ આરામના અંતિમ સ્થળ તરીકે

પસંદ કર્યું છે આ ઘટાદાર વૃક્ષ.” 

મરણના આરે પહોંચેલા સિંહરાજાને 

વીડિયોગ્રાફર બતાવતો જાય છે હરખભેર ક્લોઝઅપમાં

 અને ઉત્તેજિત અવાજે તમે બોલતા જાવ છો —

“એના કૃષ થઈ ગયેલા પેટ પરથી ખ્યાલ આવે છે કે 

કેટલા ય દિવસથી એ ભૂખ્યો છે. 

શરીર સાવ ક્ષીણ થઈ ગયું હોવાથી શિકાર કરવાની ક્ષમતા નથી રહી.

આ ગળાકાપ સવૅના*માં વધ્યોઘટ્યો શિકારે ય ક્યાં સહેલાઈથી મળે છે?”

વીડિયોગ્રાફર ૩૬૦ ડિગ્રી કૅમૅરા ફેરવતો જાય અને તમે બોલો —

“આ ઘડીએ સિંહરાજાને વૃક્ષ નીચે શાંતિથી પડ્યા રહેવું છે 

અને એની સામે એક વખતે ગર્જના કરતા સવૅનાને નિરખ્યા કરવું છે ફક્ત.” 

શિકાર કરવા લાયક નથી એટલે ભૂખ ના હોય? 

ભર પેટ ખાધા પછી શાંતિથી પડ્યા રહેવાની જરૂર લાગે એવું એને મન છે?!

કેટલી મૂર્ખામીથી આવું માની લીધું તમે! કહેવું પડે!

દૃશ્ય-શ્રાવ્ય નિરુપણ આગળ ચાલે છે:

“વીડિયોગ્રાફર બીજા દિવસે ગયા ત્યારે

સિંહરાજા એ જ મુદ્રામાં પડેલા દેખાયા.

અત્યંત નિર્બળ થઈ ગયેલા કેટલા ય દિવસોથી 

પાણીના એક ટીપા વગર. 

શિકારી કૂતરો જો આવી ચઢે તો કદાચ આસાનીથી એનો શિકાર કરી શકે.

સિંહો મહદઅંશે એકાકી જીવન જીવતા હોય છે,

મોટા ભાગનો એમનો સમય રણમેદાનમાં પસાર થતો હોય છે

અને જૂજ સિંહો જ કુદરતી રીતે વૃદ્ધ થાય છે.

એ પરિપેક્ષ્યથી આ સિંહ નસીબવાન છે.

જો કે આ ઘડીએ પડ્યા રહેવા માટે પણ

એને વૃક્ષના થડનો ટેકો લેવાની ફરજ પડતી હોય. 

આમ છતાં એણે માથું હજુ ઊંચું રાખેલું છે.

કૅમૅરાના લૅન્સમાંથી એ કહેવું મુશ્કેલ છે

કે એના મગજમાં શું ચાલતું હશે? 

પરંતુ એની નજરમાં પરખાય છે કંઈ કેટલી ય કહાનીઓ. 

ત્રીજે દિવસે સિંહરાજા હજુ ત્યાં જ પડેલો છે. 

હવે પેટ પર સૂવાની શક્તિ પણ રહી નથી.

માત્ર પંજા અને માથું થોડાંઘણાં હલાવી શકે છે.

વીડિયોગ્રાફરને બીજા દિવસે લાગતું હતું કે સિંહરાજા રાત નહીં કાઢે.

અણધારી રીતે સિંહરાજા નિર્ધારપૂર્વક ત્રીજા દિવસ સુધી ટકી રહ્યાં.

ચોથા દિવસે વીડિયોગ્રાફર ફરી ગયા ત્યારે 

સિંહરાજા પ્રાણ ત્યાગી ચૂક્યા હતા. 

સવૅનાના એક સમયના પ્રભાવશાળી સિંહરાજા

વૃદ્ધત્ત્વના ભાગ્યથી છટકી ન શક્યા. 

કદાચ એનો અંતિમ અફસોસ એ હશે કે એની સિંહણ અને સંતાન

એના પડખે નહોતા નહીં તો યથાર્થ અંત હોત.

અંત બાદ નવી શરૂઆતની કહાનીઓ સવૅનામાં દરરોજ સર્જાય છે.

આ જ સવૅનાનું આકર્ષણ છે.” 

આટલું કહી તમે વિરમો છો.

અમને પણ સવાલ થાય છે.

આ દૃશ્ય-શ્રાવ્ય નિરુપણ

 ઉત્સાહભેર દર્શાવી સિદ્ધ શું કર્યું તમે?

રોકડી કરી એ જીવની પીડાની?

વાહ વાહ મેળવવા?

ના એને ખાવા આપ્યું

ના પાણી પાયું

નશ્વર તમે પોતે

નીકળ્યા અમર બનાવવા એને?

શીદ ને એની કબર પર મંડ્યા મહેલ ચણવા તમે?

*સવૅનાઃ  આફ્રિકાના ઘાસ મેદાન
e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

18 March 2024 Vipool Kalyani
← જીવન કામ છે અને કામ જીવન છે!
ભારતનું મહાભારત ! →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved