Opinion Magazine
Number of visits: 9449040
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીનો અહિંસા માટેનો આગ્રહ એ લોકો માટે હતો જેઓ તેમની સાથે ચાલવા માગતા હોય

રમેશ ઓઝા|Opinion - Opinion|20 June 2021

ગાંધીજીએ કહ્યું છે કે ઘણા લોકોને ડાબે-જમણે જોઇને, કોઈ જોતું-સાંભળતું તો નથી ને તેની ખાતરી કરીને ધીમે અવાજે કાનમાં વાત કરવાની આદત હોય છે. ગાંધીજીએ આવી આદતને કાયરતા તરીકે ઓળખાવી છે. તમે જે કહેવા માંગતા હોય એમાં તમને ટકોરાબંધ સત્ય નજરે પડતું હોય અને કોઈનું અહિત કરવાનો ઈરાદો ન હોય અથવા કોઈના હિત માટે કહેવું જરૂરી હોય તો એ કથન ખોંખારો ખાઈને દુનિયા સાંભળે એ રીતે કહેવું જોઈએ. આમાં તમારી સભ્યતા, સંસ્કારીપણું અને મર્દાનગી એ ત્રણેય જળવાય છે.

ગાંધીજીએ તો ત્યાં સુધી કહ્યું છે કે અદનામાં અદના ભારતીયજને પણ મોટા લાટસાહેબ સાથે આંખમાં આંખ પરોવીને, નીડરપણે, શબ્દ ચોર્યા વિના પોતાની વાત કરતા શીખવું જોઈએ. મર્દાનગીની આ અંતિમ કસોટી છે, બાકી દૂર ઊભા રહીને કોઈને પથ્થર મારવો કે ગોળી મારવી એમાં કોઈ મર્દાનગી નથી. આખું જગત ગાંધીજીને અલગ અલગ રીતે મૂલવે છે જેમાં એક મુલવણી સર્વસામાન્ય છે કે ગાંધીજીએ પરંપરાગત રીતે જેને નિર્બળ સમજવામાં આવતો હતો એવા અદના માણસના સીનામાંથી ભય દૂર કર્યો. ટોળાંનો ભય દૂર નહોતો કર્યો, વ્યક્તિની અંદર રહેલો ભય દૂર કર્યો હતો. આ માત્ર મહાત્મા જ કરી શકે.

પણ ગાંધીજી તો કાયર હતા. માત્ર અને માત્ર પોતાને મહાન દેશપ્રેમી અને કાળઝાળ રાષ્ટ્રવાદી તરીકે ઓળખાવતા હિન્દુત્વવાદીઓને ગાંધીજી માટે અણગમો એટલા માટે છે કે ગાંધીજી અહિંસામાં માનતા હતા અને શસ્ત્ર હાથમાં લેવાનો વિરોધ કરતા હતા. અહીં એક વાત સ્પષ્ટ કરી દેવી જોઈએ કે ગાંધીજીનો અહિંસા માટેનો આગ્રહ એ લોકો માટે હતો જેઓ તેમની સાથે ચાલવા માગતા હોય. જે લોકો ગાંધીજી સાથે સંમત નહોતા અથવા તેમની સાથે ચાલવા  માગતા નહોતા તેમને ગાંધીજીએ ક્યારે ય કહ્યું નથી કે તેમણે અહિંસાનો માર્ગ અપનાવવો જ પડશે અને જો નહીં અપનાવો તો હું ઉપવાસ કરીશ. જેમને મારું નેતૃત્વ જોઈએ છે તેમણે મારો સિદ્ધાંત સ્વીકારવો જોઈએ.

આનો અર્થ એ થયો કે જે લોકો ગાંધીજીના વિચાર સાથે અને તેમના માર્ગ સાથે સંમત નહોતા તેઓ પોતાનો માર્ગ અપનાવી શકતા હતા. વળી ગાંધીજી કોઈને તેમનાથી વિરુદ્ધ માર્ગ અપનાવતા રોકે પણ કઈ રીતે? કયો એવો તેમની પાસે અધિકાર હતો? અને કોઈ તેમના એવા અવ્યવહારુ અધિકારને સ્વીકારે પણ શા માટે? પરમ પૂજ્ય મહાત્મા તેમના અનુયાયીઓ માટે. એ સમયે થોડા ઘણા નહીં મોટી સંખ્યામાં એવા નેતાઓ અને રાજકીય પક્ષો હતા જેઓ ગાંધીજીને નહોતા મહાત્મા તરીકે સ્વીકારતા કે નહોતા પૂજ્ય તરીકે. તેમના અહિંસાના આગ્રહનો વિરોધ કરનારાઓ પણ મોટી સંખ્યામાં હતા. સામ્યવાદીઓ ગાંધીજીની અહિંસાનો વિરોધ કરતા હતા અને તેમણે નોખો માર્ગ અપનાવ્યો હતો. ભગત સિંહ અને બીજા ક્રાંતિકારીઓ અહિંસાનો વિરોધ કરતા હતા અને નોખો માર્ગ અપનાવ્યો હતો. સુભાષ બોઝ એક સમયે ગાંધીજીના અનુયાયી હતા, પરંતુ પાછળથી તેમણે પણ અહિંસાના આગ્રહનો વિરોધ કર્યો હતો અને નોખો માર્ગ અપનાવ્યો હતો. કેટલાક મુસલમાનોએ ખિલાફતની ચળવળ વખતે ગાંધીજીની અહિંસાનો વિરોધ કર્યો હતો અને નોખો માર્ગ અપનાવ્યો હતો.

ટૂંકમાં ભારતમાં કુડીબંધ જૂથો, અનેક પ્રતિષ્ઠિત નેતાઓ અને હજારો યુવકો હતા જેમને ગાંધીજીની અહિંસા સ્વીકાર્ય નહોતી અને તેમણે પોતાનો માર્ગ અપનાવ્યો હતો. ગાંધીજીએ તેમાંથી કોઈને ય રોક્યા નહોતા અને રોકી શકે એમ પણ નહોતા. માત્ર હિંસક માર્ગે જ દેશ આઝાદ થઈ શકે એમ જે લોકો માનતા હતા એ બધા લોકોએ પોતપોતાનો હિંસાનો માર્ગ અપનાવ્યો હતો. તેમણે જે માર્ગ અપનાવ્યો અને જે કૃતિ કરી એ આપણી સામે છે. પોતપોતાની શક્તિ મુજબ તેઓ જે કરી શકતા હતા એ કરી બતાવ્યું. પોતાના માર્ગે ચાલી બતાવ્યું અને પોતાની શરતે જિંદગી જીવી ગયા. કેટલાકે જાનની કુરબાની આપી દીધી. ભગતસિંહ અને સુભાષ બોઝ જેવા અનેક ઉદાહરણ આપણી સામે છે. હું ફરી એકવાર કહું છું કે ગાંધીજીએ તેમને રોક્યા નહોતા અને રોકી શકે એમ પણ નહોતા. જેમને ચાલવું હતું એ ચાલ્યા છે, ગાંધીજીની હયાતી છતાં ય.

ઉપર કહ્યું એમ ગાંધીજીની અહિંસાનો વિરોધ હિન્દુત્વવાદીઓ પણ કરતા હતા. તેમનો તે અધિકાર હતો અને તેમના એ અધિકારનો આપણે આદર કરવો જોઈએ. તેઓ એમ માનતા હતા અને આજે પણ માને છે કે ગાંધીજી અહિંસાના પૂજારી છે અને માટે કાયર છે. આ કાયર માણસ દેશની પ્રજાને (ખાસ કરીને હિંદુઓને) અહિંસાનો પાઠ શીખવીને કાયર બનાવી રહ્યો છે. દેશને આઝાદી માત્ર હિંસા દ્વારા જ મળી શકે એમ તેઓ ત્યારે કહેતા હતા અને માટે તેઓ ગાંધીજી પ્રેરિત આઝાદી માટેના આંદોલનથી દૂર રહેતા હતા. તેઓ એમ પણ માને છે કે હિંદુઓમાં મર્દાનગીનું આરોપણ કરવું પડે એમ છે કારણ કે બુદ્ધ અને મહાવીરની શ્રમણ પરંપરાએ અને ગાંધીજી જેવાએ અહિંસાનો મહિમા કરીને હિંદુઓના પૌરુષને નુકસાન પહોંચાડ્યું છે.

ઉપસંહાર કરીએ તો બે મિશન તેમણે પોતાના માટે નક્કી કર્યા હતા. એક, ગાંધી નામનો  નમાલો માણસ દેશને આઝાદી અપાવી શકે એમ નથી માટે હિંસક લડત લડીને દેશને આઝાદ કરવો. આને માટે યુવકોને તૈયાર કરવા અને એક દિવસ લોહિયાળ ક્રાંતિ કરવી. બે, દેશની બહુમતી હિંદુ પ્રજાની અંદર મર્દાનગીનું આરોપણ કરવું. ગાંધીજી કહેતા એમ આંખમાં આંખ પરોવીને, નીડરપણે, શબ્દ ચોર્યા વિના પોતાની વાત કરતા શીખવું એ મર્દાનગીની અંતિમ કસોટી નથી; પણ દુશ્મનનો કોલર પકડવામાં મર્દાનગીની અંતિમ કસોટી છે. ગાંધીજી કહેતા એમ તાકાત કાળજામાં નથી; પણ અન્યત્ર છે. તાકાતનાં અન્યત્ર શક્તિસ્રોત પણ તેમને તપાસવાનાં-શોધવાનાં હતાં.

બે જબરદસ્ત મિશન તેમણે અપનાવ્યાં હતાં. બીજાં કોઈ પણ હિંસાના હિમાયતીઓ કરતાં હિન્દુત્વવાદીઓનું મિશન ઘણું પડકારરૂપ હતું. મિશન જોતા દેખીતી રીતે તેમણે ખૂબ સહન કર્યું હશે. જાનની કુરબાનીઓ આપી હશે. ઘણાં પરિવારો ખુવાર થઈ ગયાં હશે. અંગ્રેજોની જેલો છલકાવી દીધી હશે. કેસરિયાં કર્યાં હશે અને ખાંડાની ધારે ચાલ્યા હશે. મિશન જ પડકારરૂપ હતું અને પડકાર સામેથી ઝીલ્યો હતો.

પ્રિય વાચક, દરમ્યાનમાં હિન્દુત્વવાદીઓની એક ઘા અને બે કટકા કરે એવી દિલધડક દાસ્તાનમાં શું બન્યું અને કોણે શું કર્યું એ શોધવાનું શરૂ કરી દે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 જૂન 2021

Loading

20 June 2021 admin
← ચલ મન મુંબઈ નગરી—100
કોઈ કૈં ખરાબ કરતું નથી અને સારું કૈં થતું નથી … →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved