Opinion Magazine
Number of visits: 9448619
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીપર્વ

મનુભાઈ પંચોળી 'દર્શક'|Gandhiana|3 July 2025

મનુભાઈ પંચોળી ‘દર્શક’

મહાભારતમાં જેમ ભીષ્મ, દ્રોણ-પર્વ છે, જેમાં આ બંને શાણા અને વીરપુરુષોની વ્યાસે વંદના કરી છે; તેમ વર્તમાન ભારતમાં ગાંધીપર્વ ગણાશે. ભલે એનું કામ અધૂરું રહ્યું. તેમ તો શ્રીકૃષ્ણનું પણ રહ્યું હતું.

યુદ્ધ બધા જ સ્વીકારે છે કે કાંઈ વખાણવા લાયક નથી. તે જીતનાર અને હારનાર બંનેને રડાવે છે. પણ તે છતાં યુદ્ધ કરવાનું માણસના નસીબમાં કાયમ રહેલું છે; અને તે પણ ફરી ફરીને; જર્મની ને ફ્રાંસ વચ્ચે આખા યુરોપ કે જગતને ઓરી દેનારાં ત્રણ મહાન યુદ્ધો થયાં. એકલા બીજા વિશ્વયુદ્ધમાં જ ફૌજી ને સનદી લાખ્ખો લોકો ઓરાયા, ને અન્ય કરોડો નિરાધાર થયાં.

ગાંધી આનો ઉપાય શોધવા જીવનભર મથ્યા છે. માણસ જાતની પાસે એવું કાંઈક હથિયાર હોવું જોઈએ કે તે વગર હિંસાએ ઝગડો પતાવી શકે. ભલે એમાં તબક્કા આવે.

એમણે ચીંધ્યો માર્ગ અસહકાર -સત્યાગ્રહનો.

દક્ષિણ આફ્રિકામાં જનરલ સ્મટ્સને નમાવીને કે સમજાવીને આવ્યા ત્યારે મુંબઈના ગવર્નરે તેમને મળવા બોલાવેલા ને પોતાના અંગત સચિવની હાજરીમાં પૂછયું : મિ. ગાંધી, આ સત્યાગ્રહ શું છે ?

ગાંધીજીએ તો હોંશથી, વિસ્તારમાં સમજાવેલું કે આ એક એવું હથિયાર છે કે વગર સામાવાળાનું લોહી રેડ્યે – હથિયાર પર જીવનારને જીતી શકે. ગવર્નરના અંગત સચિવે કહ્યું કે એવું ન બને – ભલે વાત સારી છે.

ગાંધીજીએ જાણે ભવિષ્ય જોયું હોય તેમ કહેલું કે “સાહેબ, તમે અને હું જીવતા હશું તો જોશું કે વગર યુદ્ધે જીતી શકાય છે.”.

1947માં એ વાણી સાચી પડી. અંગ્રેજોએ એક કાંકરીનો ઘા ખાધા વિના આ દેશ સલૂકાઈથી છોડ્યો.

ગાંધીજીએ જગતને અનેક વાતો કરી છે જે કિંમતી છે, પણ સૌથી કિંમતી ચીજ સત્યાગ્રહ – અસહકાર છે.

અનિષ્ટ તેને ટેકો આપનાર, તેની પાસે નમી પડનારા ન હોય તો ફાલે જ નહીં. અનિષ્ટને ભય કે વધારે પડતા ડહાપણથી સારા માણસો ટેકો આપે છે. એથી જ અનિષ્ટ સત્તા પર રહે છે.

એક અર્થમાં લોકશાહીનો પ્રયોગ પણ આવો જ એક નાનો પ્રયોગ છે, જેમાં અનિષ્ટને લોહી રેડ્યા વિના અંકુશમાં રાખવાનું આવે છે

પણ છતાં ગાંધીનો રસ્તો ક્યાંયે ચડિયાતો છે. કારણ કે લોકશાહીમાં તો દુષ્ટ પરિબળો મત લઈ જઈ શકે છે. કારણ વસ્તુત: મતદારોનું મતપરિવર્તન થયું જ નથી હોતું. ગાંધીએ ઉમેર્યું કે મત પરિવર્તન નહીં હૃદયપરિવર્તન. ને તે તો આપભોગ વડે જ થઈ શકે. તમારી વાત ખોટી છે, તે મારી જાતને હોડમાં મૂકીને પણ સમજાવીશ. અસ્પૃશ્યતા જે કાંઈ ગઈ, મંદિરો ખુલ્લા મૂક્યાં તે ગાંધીના અનશનથી. ગાંધી આમાં સત્તા માટે નથી લડતો. તે પહેલી વાત હતી. આથી એના વિરોધીઓ પણ ચૂપ થઈ શકતા.

સત્યાગ્રહ જેને સત્તા જ જોઈએ છે. તેનાથી સફળ ન થઈ શકે. દુબળી સફળતા મળે.

અહીં આપણે પહેલા ગવર્નર જનરલ તરીકે અંગ્રેજને રાખેલા તે યાદ કરીએ. 

ગાંધીનો સત્યાગ્રહ સત્ય માટે છે ને સત્ય સત્તાથી નથી મળતું. સત્ય તો પોતાના ને સામેનાના હૃદયપરિવર્તનથી થાય છે.

આ માટે સત્યાગ્રહીએ સાથેના માણસની સદ્દબુદ્ધિ જાતે સહન કરીને જગાડવાની છે.

તેમાં સાદાઈ, મહેનત, સૌજન્ય, પોતાની ભૂલ કબૂલ કરવાની તૈયારી, વિશ્વાસ, આવું બધું ઘણું ઘણું જોઈએ. આ દેશે મોટા પાયા પર રચનાત્મક કાર્યની ભૂમિકા પર એ કરી બતાવ્યું. વખત ગયો. પણ હિંસક યુદ્ધોમાં આથી ઓછો જોઈએ છે કે વધારે ?

કાર્ય એટલે સામાજિક દોષોનું આપમેળે નિરાકરણ. અસ્પૃશ્યતા નિવારણ, હિંદુ-મુસ્લિમ ઐક્ય આપણે સ્વીકારેલાં છે. અસ્પૃશ્યતા નિવારણના કાયદાથી દૂર કરેલ છે.

પણ અસ્પૃશ્યતા પણ ગાંધીએ જેટલી દૂર કરી તે સિવાયની બધે રહી છે. કારણ કે એ રચનાકાર્ય બંધ થઈ ગયું. આપણે બદલીએ નહીં ને સમાજ બદલાય તે આપઘાત કરી જીવવા જેવો ભ્રમ છે. આપણા લોકોએ કહ્યું કે જે સુધારવાને બદલે આપઘાત કરે તેણે સાત જન્મ એ જ કરવું પડે. આથી ગાંધીજીએ સત્યાગ્રહી પોતાનું જીવન બદલાવવાથી કામ શરૂ કરે તેમ ઠોકી બજાવીને કહ્યું ને કસ્તૂરબા પણ ભૂલમાં જગન્નાથના મંદિરમાં ગયાં તો ખેદથી કહી દીધું કે જ્યાં હરિજન જઈ શકતા નથી ત્યાં તારાથી જવાય કેમ ? તું દેવદાસ પાસે રહે. 

સામાન્ય માણસ કહેશે કે આવા બધા સુધારા કે’દી થાય ? અહીં ગાંધી 1916માં આવ્યા છે. 1947માં સ્વરાજ આવ્યું.

જેમની નજર સામે ચમત્કાર થયો છે તે પણ આમ કહે તેને ભોળી નાસ્તિકતા છે તેમ જ કહેવાય. ઈશ્વર છે તે તેના ભક્તની મદદે આવે છે, જેમ 1947માં ઇંગ્લાંડમાં એટલી સરકાર આવી જેણે ભારતને સ્વતંત્ર કર્યું. આ સ્વતંત્રતા કેવળ આપણા જ બળે નથી આવી. એટલી ને મજૂર પક્ષના કારણે પણ આવી છે. ચર્ચિલ હોત તો ન આવત. ભગવાન આપણે થાકીએ ત્યારે મદદે આવે છે. એટલે સત્યાગ્રહીનો છેવટનો આધાર ઈશ્વર પર છે. જે હિરણ્યકશિપુને હણે છે, તે જ કેટલાયે હારેલાને બેઠાં કરે છે. ગાંધીપર્વ એટલે ભક્તનું ભલું કરનાર ઈશ્વર પર આસ્થા દૃઢાવવાનું પર્વ. આસ્થા-દયા-ઉદારતા-અહં શૂન્યતાનું પર્વ -ઇતિહાસ આની જોઈએ એટલી સાક્ષી આપે છે.

03 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 352

Loading

3 July 2025 Vipool Kalyani
← ‘તમારાં દુઃખ મને અસહ્ય નથી લાગતાં’
પેટ માટે રોટલો, રોટલા માટે જમીન, જમીન માટે ઝૂઝવાનું →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved