Opinion Magazine
Number of visits: 9448942
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઢોંગ અને બેવડા ધોરણ પશ્ચિમના દેશોના લોહીમાં છે

રમેશ ઓઝા|Opinion - Opinion|17 October 2024

રમેશ ઓઝા

ઢોંગ અને બેવડા ધોરણ પશ્ચિમના દેશોના લોહીમાં છે. આખા જગતને આનો બે સદીથી અનુભવ છે. સંસ્થાનવાદના યુગમાં ગુલામ દેશોની પ્રજાનું શોષણ કરવાનું, તેનાં સંસાધનો લૂંટવાના અને દાવો એવો કરવાનો કે એશિયા અને આફ્રિકાની પ્રજાનું કલ્યાણ કરવું એ તેમને ઈશ્વરે સોંપેલી જવાબદારી (વ્હાઈટ મેન્સ બર્ડન) છે. આનાં વિષે પુસ્તકોનાં પુસ્તકો લખાયાં છે, પણ આપણે વાત વર્તમાનની કરવાની છે. છેલ્લાં એક વરસથી ઇઝરાયેલ અને તેનાં પાડોશી દેશો, પેલેસ્ટાઇન અને લેબેનોનનાં મિલીશિયા જૂથો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયેલે ગાઝા પટ્ટીને તબાહ કરી નાખી છે, ૫૦ હજાર નિર્દોષ લોકો માર્યા ગયા છે જેમાં ૭૦ ટકા સ્ત્રીઓ અને બાળકો છે, પણ અમેરિકા અને પશ્ચિમના દેશો ઇઝરાયેલને વારવાનો પ્રયાસ નથી કરતા. ઇઝરાયેલ આત્મરક્ષણનો અધિકાર ધરાવે છે એવો બચાવ કરવામાં આવી રહ્યો છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી યોજાઈ રહી છે, પણ તેમાં બન્નેમાંથી કોઈ ઉમેદવાર ઇઝરાયેલને વારવામાં આવશે અને યુદ્ધનો અંત લાવવા અમેરિકા પ્રયાસ કરશે એમ કહેવામાં નથી આવતું. યહૂદીઓનો આત્મરક્ષણનો અધિકાર અદકેરો છે.

કેનેડાએ પાશ્ચાત્ય ઢોંગી ઓરકેસ્ટ્રામાં ભાગ્યે જ ભાગ લીધો છે. એ દેશ હંમેશાં પોતાના કામથી કામ રાખે છે, પણ આ વખતે કેનેડાએ ભારત પર ડિપ્લોમેટિક આક્રમણ કર્યું છે અને એવું આક્રમણ જેની કલ્પના ન થઈ શકે. અમેરિકાએ પણ ભારત પર આવું આક્રમણ નથી કર્યું જે દેશ સાથેનાં ભારતના સંબંધો ક્યારે ય મધુર નથી રહ્યા, શંકાતીત નથી રહ્યા. બન્ને દેશો એકબીજાને શંકાથી જુએ છે અને સાવધાની રાખે છે. પણ અચાનક કેનેડા? ઢોંગને મોરચે કેનેડા પહેલીવાર નજરે પડી રહ્યું છે. ઇઝરાયેલના આત્મરક્ષાના અધિકારને કેનેડા સ્વીકારે છે. અમેરિકા સાથે કેનેડાએ યુનોમાં ઇઝરાયેલના પક્ષે મતદાન કર્યું છે. પણ ભારત આત્મરક્ષણ માટે કશું ન કરી શકે. ભારતીય કેનેડીઅન કેનેડામાં આશ્રય લઈને ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિ કરે તો એ ત્રાસવાદીને હાથ નહીં લગાડવાનો. આમાં કેનેડાના વડા પ્રધાન સક્રિય છે. એટલા સક્રિય કે જાણે ભારત સાથે કોઈ અંગત વેર કે પૂર્વગ્રહ હોય. કોઈ જવાબદાર પ્રતિષ્ઠિત લોકતાંત્રિક દેશનો વડા પ્રધાન આટલી હદે અંગત બની જાય અને પોતે રણભૂમિમાં ઉતરી પડે એવું પહેલીવાર જોવા મળી રહ્યું છે. આવો ખેલ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ ડિપ્લોમેટિક સ્તરે ક્યારે ય નથી ભજવાયો.

કેનેડા તરફથી આક્રમણની શરૂઆત ગયા વરસે સપ્ટેમ્બર મહિનામાં થઈ હતી અને તેનો અંત જ નથી આવતો. મુખ્ય જવાબદાર વ્યક્તિ કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડો છે. તેઓ એમ માને છે કે ગયા વરસના જૂન મહિનામાં ભારતે સીખ કેનેડીઅન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરાવી હતી. એ ત્રાસવાદી છે એમ ભારત કહે છે, પણ એવા કોઈ પુરાવા ભારતે રજૂ કર્યા નથી, તે ભારતીય રાજ્યનો ગુનેગાર છે એટલે તેને ભારતને સોંપવાની કોઈ અરજી ભારતે કરી નથી અને તેને બારોબાર મારી નાખવામાં આવે છે. ભારતના કહેવાથી હત્યા કરનારાઓએ ત્રાસવાદીની હત્યા નથી કરી, પણ એક કેનેડીઅન નાગરિકની હત્યા કરી છે અને અમારા નાગરિકનો પ્રાણ અમૂલ્ય છે.

ભારત કેનેડાના દાવાને નકારે છે. નિજ્જરની હત્યા ભારતે કરાવી નથી એમ ભારત સતત કહેતું આવ્યું છે. ભારત એમ પણ દાવો કરે છે કે ભારતે નિજ્જરની હત્યા કરાવી હતી એવા કોઈ પુરાવા કેનેડા રજૂ કરી શક્યું નથી. ભારત કહે છે કે કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડો ચૂંટણી જીતવા ઘોંઘાટ કરી રહ્યા છે. કેનેડામાં સીખોની વસ્તી ૨૫ લાખની છે અને કેનેડાની કુલ વસ્તીમાં સીખ મતદાતાઓનું પ્રમાણ ૨.૧ ટકા છે. કેનેડાના સીખો જસ્ટીન ટ્રુડોના લિબરલ પાર્ટીનું સમર્થન કરતા આવ્યા છે.

વિદેશમાં વસીને દેશ વિરોધી ત્રાસવાદી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય એ કોઈ નવી વાત નથી. એવા લોકોને દેશમાં પાછા લઈ આવવા શક્ય ન હોય તો તેમને ખતમ કરી દેવામાં આવે છે એ પણ કોઈ નવી વાત નથી. પણ આ બધાં ઓપરેશનો મૂંગી રીતે કરવામાં આવે છે. ભૂતપૂર્વ વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવે એક વાર કહ્યું હતું કે શાસકોએ અનેક ગોપનિય રહસ્યો સાથે લઈને સ્મશાને જવું પડતું હોય છે. આ શાસકની નિયતિ છે. ભારતે કેનેડામાં ઓપરેશન કર્યું હતું કે નહીં એ ક્યારે ય સ્થાપિત થવાનું નથી. ઇઝરાયેલ અસ્તિત્વ ટકાવી રાખવાને નામે ૫૦ હજાર લોકોને મારી નાખે તેનું સમર્થન કરનારાઓ ભારત સામે ભુરાંટા થાય એ વિચિત્ર છે.

ભારતે પણ એક વાત સમજી લેવી જરૂરી છે કે ભારત ઇઝરાયેલ કે ચીન નથી. ઇઝરાયેલ અને ચીન લોંઠકા છે, કારણ કે બેશરમ પણ છે. બેશરમીને લોંઠકાપણા સાથે સંબંધ છે. ભારત એ હદે નીચે ઉતરી શકે એમ નથી. ભારતની એક જવાબદાર લોકશાહી દેશની દાયકાઓ જૂની પ્રતિષ્ઠા છે અને ભારતને બેશરમ બનવું પરવડે એમ પણ નથી. ભારતે એ વાત પણ સમજી લેવી જોઈએ કે કેનેડા પાકિસ્તાન નથી. કેનેડા શક્તિશાળી દેશ છે અને ભારતનાં તેની સાથે હિતસંબંધો છે. મોટી સંખ્યામાં ભારતીયો કેનેડામાં વસ્યા છે અને હજુ જઈ રહ્યા છે. કેનેડા જી-૭, જી-૨૦ અને ફાઈવ આઈઝ દેશોનું સભ્ય છે. ફાઈવ આઈઝ દેશોમાં અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનનો સમાવેશ થાય છે અને તે સાથે મળીને જગતમાં ચાલી રહેલી ગતિવિધિઓ પર નજર રાખે છે અને ગુપ્ત માહિતી એકબીજા સાથે વહેંચે છે. અમેરિકાએ તો કેનેડાનો પક્ષ લઈ જ લીધો અને કહ્યું છે કે ભારત તપાસ કરવામાં કેનેડાને સહયોગ કરતું નથી. બીજા દેશો પણ કેનેડાને સાથ આપી શકે છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડો ચૂંટણી જીતવા આ બધું કરી રહ્યા છે એ વાત સાચી હોય તો પણ એ ન ભૂલવું જોઈએ કે કેનેડાના વિરોધ પક્ષના નેતાએ પણ આ બાબતે સરકારનું સમર્થન કર્યું છે. આમ પણ પાશ્ચત્ય બેવડાં ધોરણ અને ઢોંગ સદીઓ જૂનો છે.

કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોની આક્રમકતા સામે થોડી દૃઢતા અને વધારે નરમાઈથી કામ લેવું પડે એમ છે. કેનેડા સાથે આવો આ પહેલો પ્રસંગ છે જેને દુર્ભાગ્યપૂર્ણ અપવાદ તરીકે ખપાવી દેવો જોઈએ.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 17 ઑક્ટોબર 2024

Loading

17 October 2024 Vipool Kalyani
← વિકાસ તો જરૂર થયો છે !
ખોબે ખોબે ઝાકળ →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved