શાળાઓમાં છથી બાર ધોરણના અભ્યાસમાં ભગવદ્દ ગીતા દાખલ કરવાના સરકારના નિર્ણય વિશે સાવ પ્રાથમિક વાત.
— અને ‘????, ????’ અભિગમ પ્રમાણે તે શું છે તે સમજતાં પહેલાં, તે શું નથી તેની સમજ.
આ ચર્ચા –
– ભગવદ્દ ગીતા મહાન ગ્રંથ છે કે નહીં, તે વિશેની નથી.
– હિંદુઓ સિવાયના બીજા ધર્મના લોકોને ગીતાશિક્ષણ ઉપયોગી છે કે નહીં, તે વિશેની નથી.
– હિંદુ બાળકોને નાનપણથી ગીતા ભણાવવી જોઈએ કે નહીં, તેની નથી.
– નાનાં બાળકો માટે ગીતાનું શિક્ષણ ઉપયોગી છે કે નહીં, તે વિશેની નથી.
– આ રીતે ગીતાનું યોગ્ય શિક્ષણ આપી શકાય કે નહીં, એ વિશેની નથી.
– ગુજરાતી, ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન જેવા વિષયોમાં શિક્ષણની ગુણવત્તાના ગંભીર પ્રશ્નો છે, ત્યારે ગીતાનું ગુણવત્તાસભર શિક્ષણ અપાશે કે નહીં, તેની નથી.
– ભગવદ્દ ગીતાનાં ઘણાં અર્થઘટનો છે. તેમાંથી કયા અર્થઘટનનો ઉપયોગ કરવામાં આવશે, તેની પણ નથી.
– કયા મહાનુભાવે ગીતાની તરફેણમાં કે તેના વિરોધમાં શું કહ્યું, તેની નથી.
– બીજા દેશોમાં ધાર્મિક શિક્ષણમાં સરકાર પડેલી છે કે નહીં, તેની નથી.
ઉપર જણાવેલા બધા મુદ્દા આ ચર્ચામાં પછીના ક્રમે આવે છે. તેમને મુખ્ય ચર્ચામાં ભેળવવાથી ગુંચવાડા થાય છે.
પહેલા નંબરનો મુદ્દો એક જ છે : સરકાર તેના અભ્યાસક્રમમાં કોઈ ધર્મપુસ્તક દાખલ કરી શકે નહીં અને ગીતા ધર્મપુસ્તક છે એ તો સિદ્ધ હકીકત છે.
અહીં વાત ખાનગી સંસ્થાઓની નહીં, સરકારની છે તે યાદ રહે.
એકેય ધર્મગ્રંથનું શિક્ષણ આપવાનું કામ રાજ્ય સરકારનું કે કેન્દ્ર સરકારનું નથી, કારણ કે હજુ સુધી ભારત (પાકિસ્તાનની જેમ) એક ધર્મને વરેલો દેશ બન્યો નથી.
દેશનું, ધર્મનું અને માનવતાનું હિત ઇચ્છતા હો તો આશા રાખો કે તે એવો બને પણ નહીં.
E-mail : uakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 06