Opinion Magazine
Number of visits: 9487698
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશમાં કોરોના વાઇરસ સામે યુદ્ધ લડાઈ રહ્યું છે તો એ કોણ લડી રહ્યું છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|3 May 2020

વડા પ્રધાન કહે છે કે કોવીડ સંકટ બહુ મોટું સંકટ છે અને દેશે તેની સામે યુદ્ધ કરવાનું છે. કોઈ મૂરખ હશે એ જ વડા પ્રધાનની વાત સાથે સંમત નહીં થાય. પણ સવાલ એ છે કે જો મહામારી સામે યુદ્ધે ચડવાનું છે તો એ કોણે ચડવાનું છે? અત્યારે જ દેશમાં કોરોના વાઈરસ સામે યુદ્ધ લડાઈ રહ્યું છે તો એ કોણ લડી રહ્યા છે? ભક્તોને વિનંતી કે દિમાગ જરાક ખુલ્લું રાખે. તમારી આસપાસ કોરોના સામે કોણ લડાઈ લડી રહ્યું છે?

એ છે ડોકટરો, નર્સિંગ સ્ટાફ, અન્ય અર્ધ-તબીબી સેવકો, રુગ્ણાલયોના વ્યવસ્થાપકો, ક્વોરેન્ટાઈનના કર્મચારીઓ, દરદીઓને ભોજન પહોંચાડનારાઓ, સફાઈ કામદારો, સુધારાઈના આરોગ્ય વિભાગના કર્મચારીઓ, જાહેર આરોગ્યના ક્ષેત્રમાં કામ કરતી સ્વયંસેવી સંસ્થાઓના કર્મશીલો, બસ-એમ્બ્યુલન્સ અને તાત્કાલિક સેવાના ડ્રાઈવરો, પોલીસો અને દવાની દુકાનના માલિકો અને કર્મચારીઓ. હવે જીવના જોખમે આ જે લોકો કામ કરી રહ્યાં છે એ ક્યાં કામ કરી રહ્યાં છે? કોના કહેવાથી કામ કરી રહ્યાં છે અને કોના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યાં છે? જરા વિચારશો તો યુદ્ધનું સ્વરૂપ કેવું છે અને યુદ્ધ લડતા લડવીરો કોણ છે એનો ખ્યાલ આવશે.

યુદ્ધ જમીન ઉપર લડાઈ રહ્યું છે, લોકોની વચ્ચે અને દેશભરમાં. અંગ્રેજીમાં કહીએ તો માઈક્રો લેવલે. આ કોઈ દિલ્હીમાં બેસીને લડવાની લડાઈ નથી કે નથી સરહદે લડવાની લડાઈ. આ તો દેશની તસુએ તસુ ભૂમિ ઉપર લડાતી લડાઈ છે. અને જે લોકો લડી રહ્યા છે એ સ્થાનિક સત્તાવાળાઓના કહેવાથી લડી રહ્યા છે અને તેમના માર્ગદર્શન હેઠળ લડી રહ્યા છે. તો વાતનો સાર એ કે મહામારીના સંકટ સામે દેશભરમાં લડત ચાલી રહી છે અને સાવ જમીનીસ્તરે લડાઈ રહી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, સુધરાઈ અને પંચાયતના સ્તરે.

તો કેન્દ્ર સરકાર શું કરે છે? તેની આમાં શું ભૂમિકા છે અથવા હોઈ શકે? તેની ભૂમિકા છે; માત્ર અને માત્ર માર્ગદર્શનની અને મદદનીશની. કેન્દ્ર સરકારની આરોગ્યસંસ્થાઓ (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી વગેરે) જમીન ઉપર લડનારાઓનું માર્ગદર્શન કરતી રહે એ જોવાની. રાજ્યો-રાજ્યો વચ્ચે સહકાર વધે એ જોવાની.  આનાથી વધારે કોઈ મોટી ભૂમિકા કેન્દ્ર સરકારની હોઈ શકે નહીં. આ અભિપ્રાય નથી, આપણો દોઢ મહિનાનો અનુભવ છે. કેન્દ્ર સરકાર ઈચ્છે તો પણ આનાથી વધુ કાંઈ કરી શકે નહીં.

ભારતનાં બંધારણમાં વિષયવિભાગણી કરવામાં આવી છે. આ કામ કેન્દ્ર જોશે, આ કામ રાજ્યો જોશે અને આ કામ બંને મળીને જોશે. આમાં આરોગ્યનો વિષય રાજ્યોને સોંપવામાં આવ્યો છે, કારણ કે બંધારણ ઘડનારાઓને ખબર હતી કે અડાજણના આરોગ્યકેન્દ્રનું સંચાલન દિલ્હીથી કરવામાં આવે તો અડાજણનો ક્યારે ય ઉદ્ધાર ન થાય.

હવે બે સવાલ :

૧. જો આ કોરોના સામેનું યુદ્ધ છે તો પી.એમ. કૅરમાં જમા થયેલા ફંડમાંથી રાજ્યોને પૈસા કેમ આપવામાં નથી આવતા? ખરું પૂછો તો લડાઈ રાજ્યસ્તરીય છે એટલે પૈસા મુખ્ય પ્રધાનોના રાહત ફંડમાં જમા થવા જોઈતા હતા, વડા પ્રધાને આમાં માર્ગદર્શન અને મદદ સિવાય શું કરવાનું છે? જે લડાઈ લડતું હોય એને પૈસા મળવા જોઈએ કે માર્ગદર્શકને? પાછું વડા પ્રધાન રાહત નિધિ ૧૯૪૮થી અસ્તિત્વમાં છે તો અલગથી ફંડની જરૂર શું પડી? પી.એમ. કૅર શા માટે એનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી અને કોઈ કરી શકે એમ પણ નથી. કેન્દ્ર સરકાર ધારે તો પણ સીધો ખર્ચો કોઈ જગ્યાએ કરી શકે એમ નથી, સિવાય કે નરેન્દ્ર મોદીએ કોરોનાનો સામનો કેવી રીતે કર્યો એના ગુણગાન ગાનારી જાહેરખબરો પાછળ. કોરોના પતવા દો, પી.એમ. કૅરનું ફંડ વપરાતું જોવા મળશે.

૨. મહારાષ્ટ્રના રાજ્યપાલ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ઉપલા ગૃહમાં નિયુક્ત શું કામ નથી કરતા? એક મહિનાથી રાજ્ય સરકાર ઠરાવ કરીને વિનવે છે છતાં રાજ્યપાલ સાંભળતા જ નથી. હવે ત્રણ અઠવાડિયા બચ્યા છે ત્યારે રાજ્યપાલે વિધાનપરિષદની ચૂંટણી યોજવાનું ચૂંટણીપંચને કહ્યું છે. આ સમય ચૂંટણી યોજવાનો છે કે વડા પ્રધાન કહે છે એમ યુદ્ધ લડવાનો? બંધારણ મુજબ મુખ્ય પ્રધાને મુખ્ય પ્રધાન બન્યા પછી છ મહિનામાં રાજ્યના બેમાંથી એક ગૃહના સભ્ય હોય એ જરૂરી છે અને ઉદ્ધવના છ મહિના પૂરા થઈ રહ્યા છે. આજે મહારાષ્ટ્રમાં શિવસેનાના વિરોધીઓ પણ ઉદ્ધવની કામગીરી અને માણસાઈ જોઇને છક થઈ ગયા છે.

જ્યારે ભક્તોનો તાળીઓનો ગુંજારવ બંધ થઈ જશે અને પાળેલા શ્વાનોનું કોરસગાન શાંત થઈ જશે ત્યારે ઇતિહાસ વડા પ્રધાનને કઈ રીતે મૂલવશે એ યાદ રાખવું જરૂરી છે.  

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 મે 2020

Loading

3 May 2020 admin
← જીવતાં વૃક્ષ અને મરતાં વૃક્ષ
કુંદનિકા કાપડિયાઃ પરમ સમીપેની યાત્રા પહેલાં અસંખ્ય જિંદગીઓને પરમનો માર્ગ દર્શાવનારાં →

Search by

Opinion

  • કોમનવેલ્થ ગેઇમ્સ માટે અમદાવાદ યજમાનઃ ખેલ વિશ્વ એટલે વૈશ્વિક રાજકારણમાં સોફ્ટ પાવર અને કૂટનીતિ
  • તાલિબાની સરકારના વિદેશ પ્રધાન ભારતની મુલાકાત લે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ
  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી

Poetry

  • પિયા ઓ પિયા
  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved