Opinion Magazine
Number of visits: 9448684
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દમન કરી કોઈ નેતા લાંબો સમય શાસન ન કરી શકે !

રમેશ ઓઝા|Opinion - Opinion|31 January 2021

પાકિસ્તાન નામના પ્રયોગમાંથી આપણા માટે કોઈ ધડો હોય તો એ ત્રણ છે. એક તો એ કે ધર્મ જોડનારું પરિબળ નથી, બલકે એ તોડનારું પરિબળ છે. પાકિસ્તાનની સ્થાપના ઇસ્લામ ધર્મની અને ઇસ્લામ ધર્મીઓની રક્ષા માટે કરવામાં આવી હતી અને એ પછી માત્ર ૨૫ વરસમાં પાકિસ્તાનનું વિભાજન થયું હતું. ખરું પૂછો તો ધર્મ પોતે જ વિભાજન ધર્મી છે. જો એમ ન હોત તો ધર્મસંસ્થામાં આટલાં વિભાજન ન થયાં હોત. દુનિયામાં એવો કયો ધર્મ છે જે સંપ્રદાય, પેટા-સંપ્રદાય કે ફિરકાઓથી મુક્ત છે? એક પણ નહીં. સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ વૈષ્ણવ ધર્મનો પેટા સંપ્રદાય છે અને એમાં પાછા ચાર પેટા-સંપ્રદાય છે. આમ ધર્મ પોતે જ વિભાજન ધર્મી છે. ધર્મ જ્યારે સ્વભાવત: વિભાજન ધર્મી હોય ત્યારે એ ક્યારે ય કોઈ પ્રજાને કાયમ માટે જોડી રાખી શકે ખરો?

ધર્મનું બીજું લક્ષણ એ છે કે એ બીજી કોઈ પણ ઓળખ કરતાં ધાર્મિક ઓળખ વધુ આગ્રહી અને આક્રમક છે. જેમ કે વંશદ્રોહી, ભાષાદ્રોહી, પ્રાંતદ્રોહી, જ્ઞાતિદ્રોહી વગેરે શબ્દો તમારે કાને ભાગ્યે જ પડ્યા હશે પણ ધર્મદ્રોહ અને ધર્મદ્રોહી એવા શબ્દો આપણને રોજ સાંભળવા મળે છે. આને કારણે ધર્મનો રાજકીય ઉપયોગ કરવામાં આવે છે. જે સંસ્થા આગ્રહપૂર્વક, આક્રમક રીતે, આદેશો બહાર પાડીને, પ્રજાને ડરાવી-ધમકાવીને બને એટલો સમય પ્રજાને જોડી રાખવામાં કે જકડી રાખવામાં ઉપયોગી થતી હોય એવી સંસ્થા સ્વાભાવિકપણે શાસકોને વધુ ભાવે છે. ધર્મસંસ્થા આવી એક સંસ્થા છે. આને પરિણામે તમે જોયું હશે કે જે દેશોમાં ધાર્મિક બહુમતી રાષ્ટ્રવાદી રાજકારણ કરવામાં આવે છે ત્યાં પ્રજાને રાષ્ટ્રવાદના ઘેનમાં અને મદમાં રાખવા માટે ધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં આજકાલ આવું બની રહ્યું છે.

તો બન્યું એવું કે ઇસ્લામ ધર્મની મહાનતા અને મુસ્લિમ વિશ્વ-બંધુત્વના દાવા કરવામાં આવતા હોવા છતાં પાકિસ્તાન સામે અસ્તિત્વનું સંકટ પેદા થવા લાગ્યું. તેને રોકવા માટે રાજકારણીઓએ અને લશ્કરના જનરલોએ બંગાળી, સિંધી, અફઘાની-પઠાણી, બલુચી અને કબિલાઈ અસ્મિતાઓને દબાવવા માટે ઇસ્લામ ધર્મનો ઉપયોગ કરવામાં આવ્યો. જેમ જેમ ઇસ્લામનો ઓળખોને દબાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો એમ એમ ઓળખો વળતી પ્રતિક્રિયારૂપે આક્રમક બનતી જતી હતી અને જેમ જેમ ઓળખો આક્રમક બનતી જતી હતી એમ એમ ઇસ્લામની ઓળખ હજુ વધુ આક્રમક બનવા લાગી હતી. ક્રિયા-પ્રતિક્રિયાનું વિષચક્ર શરૂ થયું. હવે પાછા ફરી શકાય એમ હતું જ નહીં. કાં તો ધર્મ તારે અને કાં ધર્મ ડૂબાડે. અક્ષરશ: ઇસ્લામની પીઠ ઉપર વાઘસવારી શરૂ થઈ.

હવે? ધીરે ધીરે પાકિસ્તાનમાં ઇસ્લામ વિરુદ્ધ અન્ય ઓળખો વચ્ચે અથડામણો શરૂ થવા લાગી. આને કારણે એક બાજુએ શાસકો અને જનરલો અને બીજી બાજુએ મુલ્લાઓની ભાગીદારી વિકસી. એકે પાકિસ્તાનના અને બીજાએ ઇસ્લામના તારણહાર તરીકે એકબીજાને મદદ કરવાનું શરૂ કર્યું. ઇસ્લામ વધુ ને વધુ કટ્ટરપંથી થવા લાગ્યો અને લશ્કર વધુને વધુ દમનકારી અને ક્રૂર બનતું ગયું. હવે શાસકો એ પ્રક્રિયાને રોકી શકે એમ હતા જ નહીં. અનેક લોકોને ત્યારે એમ લાગવા માંડેલું કે આ માર્ગ આત્મઘાતી છે, પણ પાછા ફરવા માટે વિકલ્પ જ નહોતો.

પાકિસ્તાનના પ્રયોગમાંથી આપણા માટે બીજો ધડો એ કે અસ્મિતાઓને કચડી શકાતી નથી અને જ્યારે કોઈ અસ્મિતા પ્રબળ હોય ત્યારે તેને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસલમાનોની અંદર બંગાળી અસ્મિતા માટેની લાગણી તીવ્ર છે એ કોણ નથી જાણતું? બંગાળનું વિભાજન રોકવા બંગાળના મુસ્લિમ નેતાઓએ હિંદુ નેતાઓ સાથે મળીને પ્રયાસ કર્યો હતો એની પણ પાકિસ્તાનના સ્થાપકોને જાણ હતી. તેઓ એવા ભ્રમમાં રહ્યા કે બંગાળી મુસલમાનોના અને અન્ય પાકિસ્તાનીઓના અસ્મિતાભાવને કઠોર શાસન દ્વારા, એકાધિકારશાહી દ્વારા, લશ્કર દ્વારા કચડી શકાશે અને મૌલાનાઓ આક્રમક ઇસ્લામ દ્વારા પ્રજાના અસ્મિતા-ભાવને પાતળો પાડશે. તેમની એ ગણતરી ખોટી પડી. દમન અને આક્રમકતા અગ્નિને ભડકો થતો રોકે, એનો અર્થ એ નથી કે અગ્નિ બુજાઈ ગયો છે. એ ભારેલો અગ્નિ હોય છે જે ગમે ત્યારે ભડકો થવાની સંભાવના ધરાવતો હોય છે. માટે ડાહ્યા શાસકો પ્રજાને વિશ્વાસમાં લે છે, તેમની ભાવનાઓની કદર કરે છે, તેમને સાંભળે છે, જરૂર પડે તો પીછેહઠ કરે છે, સમજાવીને ધીરે ધીરે આગળ વધે છે. જેમ કે આપણે ત્યાં હિંદુ કોડ બીલ લાગુ કરવામાં પંડિત નેહરુની સરકારે છ વરસ લીધાં હતાં, કારણ કે હિંદુઓના એક વર્ગનો તેની સામે વિરોધ હતો. એ સમયે પંડિતજીની લોકપ્રિયતા આસમાને હતી અને કૉન્ગ્રેસ પાસે પ્રચંડ બહુમતી હતી. એની સામે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની અને બી.જે.પી.ની બહુમતી કોઈ વિસાતમાં નથી. આમ છતાં નેહરુએ પ્રજાને વિશ્વાસમાં લઈને ધીરે ધીરે હિંદુ કોડ બીલમાંના ધારાઓ લાગુ કર્યા હતા. આ ડાહ્યા શાસકોનાં લક્ષણો છે. મદ અને અભિમાન માટે નેહરુ પાસે અનેક કારણો હતાં એ કોણ નથી જાણતું!

પાકિસ્તાનના પ્રયોગમાંથી આપણા માટે ત્રીજો ધડો એ કે દમનનીતિનું ગમે તેવું બારીક અને ગણતરીપૂર્વકનું આયોજન કરવામાં આવે, પણ એવી કોઈ પળ આવતી હોય છે જ્યારે બધી ગણતરીઓ ઊંધી વળી જતી હોય છે. ઇતિહાસમાંથી આનાં અસંખ્ય ઉદાહરણો મળી રહેશે. આખરે માનવીય આયોજન છે અને માનવીય આયોજન ક્યારે ક્ષતિરહિત હોતું નથી. આ ઉપરાંત જગતનાં રાજકીય પ્રવાહો બદલાતાં હોય છે અને ભૂ-રાજકીય પરિસ્થિતિ પણ બદલાતી રહેતી હોય છે. ૧૯૬૯ પછી પૂર્વ પાકિસ્તાનની બંગાળી અસ્મિતાએ વિદ્રોહ કર્યો જેનો ભારતે લાભ લીધો. ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનનાં બે ફાડિયાં વિખુટા પાડી દીધાં અને બંગલાદેશ અસ્તિત્વમાં આવ્યું.

હવે કલ્પના કરો કે પાકિસ્તાનના શાસકોએ બંગાળીઓની પીડા અને એષણા સાંભળી હોત તો? તો પાકિસ્તાનનો ઇતિહાસ કદાચ જુદો હોત. બધિરતા અને દમનનીતિ ક્યારે ય પરિણામકારી નીવડતાં નથી, નથી અને નથી એમ જગતનો ઇતિહાસ કહે છે. ભારતના અત્યારના શાસકોને આ સમજવાની જરૂર છે અને એ પણ સમજવાની જરૂર છે કે જગતનાં રાજકીય વહેણો અને ભૂ-રાજકીય પરિસ્થિતિ પણ બદલાઈ રહ્યાં છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 જાન્યુઆરી 2021

Loading

31 January 2021 admin
← વિદ્યાર્થીના ઘર ભણી …
આવનારો સમય સ્મૃતિને ભૂંસી નાખે એમ બને … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved