Opinion Magazine
Number of visits: 9665887
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટિકિટ કપાય તો ય દુ:ખ ને અપાય તો ય દુ:ખ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 March 2024

રવીન્દ્ર પારેખ

લોકસભાની ચૂંટણી લોક’ખભા’ની ચૂંટણી બની રહી હોય એવું લાગે છે. કોઈ ખભો આપીને તો કોઈ ખભે ચડીને ચૂંટણી જીતવા જીવ પર આવી ગયા હોય તેવું વાતાવરણ છે. હાઇકમાંડ, કમાન છટકાવીને ટિકિટો આપી રહ્યા છે, તો જૂના જોગીઓની ટિકિટો કાપી પણ રહ્યા છે. જે વિપક્ષ તરીકે ગાળ દેતાં થાકતા ન હતા તે હવે પક્ષ બદલીને, ટિકિટ મેળવી લઈ મલકાઈ રહ્યા છે, તો ટિકિટ ન મળતાં કેટલાંક છણકાઈ પણ રહ્યા છે. જે પોતાના પક્ષને વફાદાર ન રહ્યા તે હવે નવા પક્ષમાં નફાદાર થવા દાખલ પડી ગયા છે ને પ્રજા બધું ભૂલીને તેમને મત આપે એવી ભોળી છે કે કેમ તે તો ચૂંટણીનાં પરિણામો જ કહેશે. જો કે, આ વખતે એક કૌતુક એવું પણ થયું છે કે ટિકિટ મળી હોય છતાં ઉમેદવારો મત મેળવવાના મતના નથી. ગુજરાતમાં જ સાબરકાંઠાના અને વડોદરાના ભા.જ.પ.ના બે ઉમેદવારોએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં પણ એક કાઁગ્રેસી ઉમેદવારે ટિકિટ પરત કરી છે. આ ચૂંટણી વૈરાગ્ય કેમનોક આવ્યો તે તો ખબર નથી, પણ કેટલાક આક્ષેપો જીરવવાનું અઘરું થયું હોય એમ બને. એ તો ઠીક, પણ, ચૂંટણી લડવાના પૈસા ન હોય ને કોઈ ચૂંટણી લડવાનું નકારે ને એમ નકારનાર બીજું કોઈ નહીં ને કેન્દ્રીય નાણાં મંત્રી પોતે હોય ત્યારે એક સાથે હજારો વૉલ્ટનો ઝાટકો ઘણાંને લાગે ને તેઓ આઘાતથી બેવડ વળી જાય એમ બને.

બન્યું એવું કે ભા.જ.પ.ના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ નાણાં મંત્રી નિર્મલા સીતારામન્‌ને આંધ્ર પ્રદેશ કે તામિલનાડુથી લોકસભાની ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો, તો નાણાં મંત્રીએ એમ કહીને ના પાડી કે તેમની પાસે ચૂંટણી લડવા જેટલા પૈસા નથી. હવે નાણાં મંત્રી પાસે પૈસા ન હોય તો લોકો તો ગરીબ જ  હોયને ! એવું તો કેવી રીતે હોય કે રાજા ભિખારી હોય ને રાજ્ય એશ કરતું હોય? સીતારામન્‌ને પૂછવામાં આવ્યું કે નાણાં મંત્રી પાસે પૈસા ન હોય એ કેવું? તો, એમનો જવાબ હતો – મારો પગાર, મારી કમાણી, મારી બચત મારી છે, પરંતુ ભારતનું કોન્સોલિડેટેડ ફંડ મારું નથી. નાણાં મંત્રી ખોટું તો ન બોલે. જો કે, ખોટું તો હવે કોઈ બોલતું જ નથી. એ જે હોય તે, પણ સીતારામન્‌ના જવાબ પરથી એટલું તો ફલિત થાય છે કે ભારતના નાણાં મંત્રીનું પોતાનું ફંડ એટલું નથી કે તે લોકસભાની ચૂંટણી લડી શકે. કમાલ છે ને કે જીતનારા 543 સાંસદો ને સેંકડો બીજા વિધાનસભ્યો ને હજારો કોર્પોરેટરો ચૂંટણીઓ લડી શકે છે. એનો અર્થ એ થયો કે એ બધા નાણાં મંત્રી કરતાં વધુ સમૃદ્ધ છે. સાચું તો એ છે કે ભારતની ચૂંટણીઓ અત્યંત મોંઘી થઈ છે. સીતારામને એમ પણ ઉમેર્યું કે ચૂંટણીમાં સમુદાય ને ધર્મ પણ ભાગ ભજવે છે. જાતિ-જ્ઞાતિ વગેરે બાબતો વિજયી બનાવનારાં પરિબળો છે એય ખરું. આ બધું જ જો સક્રિય હોય તો નિષ્પક્ષ ચૂંટણી ક્યાં લડાય છે તે પ્રશ્ન જ છે.

સવાલ તો એ પણ છે કે ચૂંટણી બોન્ડમાંથી ભા.જ.પે. 6,986.5 કરોડ સમેટ્યા હોય તો એ ચૂંટણી માટે નહીં ને ચટણી માટે છે, એવું? આમ તો બધા જ પક્ષોએ ચૂંટણી ભંડોળ ભેગું કર્યું છે, તે એ કૈં પત્તાં ટીચવાં તો નહીં જ હોય ! એ જુદી વાત છે કે નાણાં મંત્રીના અર્થશાસ્ત્રી પતિ પરાકલા પ્રભાકરને રોકડું કર્યું છે કે ચૂંટણી બોન્ડ ભારતનું જ નહીં, પણ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે અને તેને લીધે ભા.જ.પ.ને મોટું નુકસાન થશે. આ વિધાન કોઈ વિપક્ષી નેતાનું નથી, પણ અર્થશાસ્ત્રીનું છે. તેમનું માનવું છે કે આ મુદ્દો હજી વધારે ચગશે અને મતદારો સરકારને મત દ્વારા તેનો જવાબ પણ આપશે. સીતારામન્‌નું કહેવું છે કે બધા જ સંડોવાયેલા છે એટલે કોઈને કોઇની વિરુદ્ધ બોલવાનો નૈતિક અધિકાર જ નથી. મતલબ કે કૈંક તો એવું છે જે નૈતિક નથી. વારુ, ખોટું કોઈ એક કરે તો જ ખોટું, એવું નથી, ઘણાં કરે તો પણ ખોટું તો ખોટું જ રહે છે.

એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે ચૂંટણી 75,000 કરોડથી વધુ કિંમતની પડે છે. એમાં ઇલેકટોરલ બોન્ડથી છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ વીસેક હજાર કરોડ આવ્યા. મતલબ કે વર્ષના 4,000 કરોડ. તો, બાકીના પૈસા ક્યાંથી આવે છે? એ રોકડથી આવે છે. બીજા અર્થમાં ચૂંટણી પણ એક કારણ છે જે કાળું નાણું ઘટવા ન દે. ઘટે તો ય નાબૂદ થવા દે એ શક્ય નથી, કારણ રાજકીય પક્ષોને ચૂંટણી ઉપરાંત પણ અનેક કામો માટે ફંડની જરૂર પડે જ છે ને તે ખાઈ ઘણુંખરું કાળાં નાણાંથી જ પુરાતી હોય છે. વર્ષમાં અંદાજે 37 જેટલી ચૂંટણીઓ થતી હોય છે. એ પરથી પણ ખ્યાલ આવે એમ છે કે ચૂંટણી પાછળ થતો ખર્ચ અતિશય છે. એ સંદર્ભે નાણાં મંત્રી ચૂંટણી લડવાનું પડતું મૂકે તે સમજાય એવું છે. આવનાર સમયમાં ઘણાં એ રીતે ચૂંટણી લડવાનું જતું કરે એમ બને. આમાં સાધારણ માણસ માટે તો કોઈ અવકાશ જ નથી. બીજા શબ્દમાં ચૂંટણીનો ખેલ અમીરોનો જ ખેલ છે. એ જ ચૂંટાય, એ જ રાજ કરે ને એ જ નીતિઓ ઘડે. એ નીતિઓ ગરીબો માટે કેટલીક હોય તે સમજી શકાય એમ છે.

એમ લાગે છે કે ચૂંટણી ન લડી શકે એવા ગરીબોનો નવો વર્ગ ભવિષ્યમાં ઊભો થશે. એક વર્ગ એવો જેને સરકાર વર્ષોથી મફત અનાજ આપે છે. એવા પશ્ચિમ બંગાળના ગરીબો માટે વડા પ્રધાનને એવો અભૂતપૂર્વ વિચાર આવ્યો કે ઇ.ડી.(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ભ્રષ્ટાચારીઓને ત્યાં દરોડા પાડીને 3.000 કરોડ જેટલી રકમ જપ્ત કરી છે, તો તે ત્યાંનાં ગરીબોને આપવી. આવું ચૂંટણી પ્રચાર અંગેની ટેલિફોનિક ચર્ચામાં ભા.જ.પ.ના કૃષ્ણાનગરના ઉમેદવાર અમૃતા રૉયને વડા પ્રધાને કહ્યું ને ભારપૂર્વક ઉમેર્યું પણ કે આ વાત તેઓ બધાંને જણાવે. પશ્ચિમ બંગાળમાં પ્રચાર માટે આનાથી વધુ રૂડું બીજું શું હોય? એ તો જે કરવું હોય તે વડા પ્રધાન ભલે કરે, પણ ચૂંટણી લડવા ઇચ્છુક આર્થિક ગરીબો માટે એવી યોજના પણ વિચારાવી જોઈએ, જેમાંથી ચૂંટણી લડવા જોઈતું ફંડ મળી રહે. ઇલેકટોરલ બોન્ડ તો દરિયામાં ખસખસ ગણાય. ઇ.ડી. દરોડા દ્વારા જપ્ત થતી રકમનો જેમ ગરીબો માટે ઉપયોગ થઈ શકે એમ જ ચૂંટણી લડવા ઇચ્છનાર ઉમેદવાર માટે પણ થઈ શકે. એને માટે વિપક્ષો ભલે ટાર્ગેટ થાય, શાસક પક્ષને ય ન મૂકવા. એમાં કેટલાક ખરેખર સન્માનનીય છે જ, પણ બધા જ દૂધે ધોયેલાં નથી.

દૂર ક્યાં જવું? આસામની શાસક ભા.જ.પ. સરકારની સહયોગી પાર્ટી બોડોલેન્ડ યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ(યુ.પી.પી.એલ.)ના નેતા બેંજામિન બાસુમતારીની એક છબી ચર્ચામાં છે. એ છબીમાં બાસુમતારી 500ની ચલણી નોટોના પથારા નીચે ફેલાઈને પડેલા દેખાય છે. બાસુમતારી પર પી.એમ. આવાસ યોજનામાં ગરીબો પાસેથી પૈસા પડાવવાનો આરોપ છે. જો કે, પાર્ટીએ તો તેમને 10 ફેબ્રુઆરીથી બરતરફ કરી દીધા છે. એક તરફ પૈસાને વાંકે ચૂંટણી ન લડવાનો નિર્ણય લેતા ભા.જ.પ. સરકારનાં નાણાં.મંત્રી નિર્મલા સીતારામન્‌ છે ને બીજી તરફ બાસુમતારી જેવા ભા.જ.પ. સરકારના સહયોગી પાર્ટીના સભ્ય છે જે ચલણી નોટોનો બીભત્સ દેખાડો કરી છીછરી માનસિકતા પ્રગટ કરે છે.

એક વાત બહુ સ્પષ્ટ છે કે ચૂંટણી તો મોંઘી છે જ, પણ તે ઘણી મોંઘવારીનું કારણ પણ છે, એટલું જ નહીં, ચૂંટણી જીતનારા અનેક રીતે પૈસા ઊભા કરીને તેનો દેખાડો પણ કરતા રહે છે. અપવાદ રૂપે કેટલાક સ્વચ્છ રાજકારણીઓ હશે જ, પણ તે અપવાદોમાં જ હશે એ ભૂલવા જેવું નથી. લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય છે, પણ તે એટલી મોંઘી હોય કે લડવાનું જ મન ન થાય તો એ આખું પ્રકરણ પુનર્વિચારણાને પાત્ર છે. અહીં વાત ચૂંટણી નકારવાની નથી જ નથી, પણ તે સાધારણ માણસનો જ જો બધી રીતે છેદ ઉડાડતી હોય તો એ સ્થિતિ બદલી શકાય કે કેમ તે અંગે વિચારવાનું રહે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 માર્ચ 2024

Loading

बहुसंख्यकवादी नैरेटिव को टेका लगाती फिल्में: स्वातंत्र्यवीर सावरकर

राम पुनियानी|Opinion - Opinion|29 March 2024

राम पुनियानी

फिल्म जनसंचार का एक शक्तिशाली माध्यम है जो सामाजिक समझ को कई तरह से प्रभावित करता है. कई दशकों पहले भारत में ऐसी फिल्में बनी जो सामाजिक यथार्थ को प्रतिबिंबित करती थीं और प्रगतिशील मूल्यों  को बढ़ावा देती थीं. ‘मदर इंडिया’, ‘दो बीघा ज़मीन’ और ‘नया दौर’ ऐसी ही कुछ फिल्में थीं. कुछ बायोपिक फिल्मों ने भी यथार्थपरक आम समझ को विस्तार और समावेशी मूल्यों को प्रोत्साहन दिया. रिचर्ड एटनबरो की ‘गाँधी’ और भगत सिंह के जीवन पर बनी कुछ फिल्में अत्यंत प्रेरणास्पद थीं. ये बायोपिक मेहनत और सावधानी से किए गए शोध पर आधारित थीं और अपने-अपने नायकों के वास्तविक चरित्र को परदे पर उकेरती थीं.

बहुसंख्यकवादी और विघटनकारी मुद्दों पर आधारित राजनीति और हिन्दू राष्ट्रवादी विचारधारा का बोलबाला बढ़ने के साथ ही भारत की फ़िल्मी दुनिया के कई लोग ऐसी फिल्में बनाने लगे हैं जो एक विशिष्ट विघटनकारी नैरेटिव को प्रोत्साहित करती हैं और राजनीति और इतिहास को देखने के सांप्रदायिक नज़रिए पर आधारित हैं. ऐसी सभी फिल्मों में सच को तोड़ा-मरोड़ा जाता है और ज्यादातर मामलों में हिन्दू राष्ट्रवादी नायकों का महिमामंडन किया जाता है. इनमें से अधिकांश फिल्मों में सच के साथ समझौता किया जाता है और झूठ को सच के रूप में प्रस्तुत किया जाता है. ऐसी ही एक फिल्म ‘द कश्मीर फाईल्स’ का प्रधानमंत्री मोदी और संघ प्रमुख मोहन भागवत ने जमकर प्रचार किया था. भाजपा के कई नेताओं ने थोक में इस फिल्म के टिकट खरीदकर अपने इलाके के लोगों को बांटे थे ताकि वे फिल्म देख सकें. इस फिल्म का प्रचार करने वालों का दावा था कि यह फिल्म कश्मीर का असली सच लोगों के सामने लाई है.

इसी तरह की एक दूसरी फिल्म ‘द केरेला स्टोरी’ में इस्लाम में धर्मपरिवर्तन करने वालों और इस्लामिक स्टेट (आईएस) में शामिल होने वालों की संख्या को बहुत बढ़ा-चढ़ाकर बताया गया था. इस तरह की कई फिल्में बॉक्स आफिस पर बुरी तरह पिट गईं. इनमें शामिल थीं ’72 हूरें’ जिसमें आतंकवाद को राजनीति की बजाए धर्म  से जोड़ा गया था. इस फिल्म में इस तथ्य को भी दबाया गया था कि हिन्दू धर्म में भी स्वर्ग में अप्सराओं के साथ आनंद करने की बातें कही गईं हैं. इसी तरह अन्य धर्मों में भी स्वर्ग में परियों की चर्चा है.

‘द केरेला स्टोरी’, ‘द कश्मीर फाईल्स’, 72 हूरें इत्यादि का उद्धेश्य है इस्लामोफोबिया फैलाना. दूसरी ओर गोडसे पर 2022 में बनी फिल्म में महात्मा गांधी के हत्यारे का महिमागान किया गया था. इसमें संघ परिवार का  वह पुराना झूठ फिर एक बार दुहराया गया था कि गांधीजी ने भगतसिंह को फांसी से नहीं बचाया और उनकी शहादत पर शोक व्यक्त करने वाले कांग्रेस के एक प्रस्ताव का विरोध किया. और अब आई है रणदीप हूडा की ‘स्वातंत्र्यवीर सावरकर’. यह झूठ का प्रचार करने में नई ऊँचाईयां अर्जित करती है. फिल्म में दिखाया गया है कि भगतसिंह सावरकर से जा कर मिले और यह इच्छा व्यक्त की कि वे सावरकर की पुस्तक ‘फर्स्ट वॉर ऑफ़ इंडीपेंडेस’ का मराठी से अंग्रेजी में अनुवाद करना चाहते हैं!

सच क्या है? कई क्रांतिकारियों ने इस पुस्तक को पढ़ा है और उसे सराहा भी है. मगर समस्या यह है कि यह पुस्तक मराठी में 1908 के आसपास प्रकाशित हुई थी और इसके एक साल बाद उसका अंग्रेजी अनुवाद प्रकाशित हो गया था. भगतसिंह का जन्म 1907 में हुआ था और वे अपने जीवन में कभी सावरकर से नहीं मिले.

फिल्म में सावरकर को यह कहते हुए दिखाया गया है कि भारत 1912 तक स्वाधीनता हासिल कर लेगा  – अर्थात जब हमें स्वतंत्रता मिली उस से करीब 35 साल पहले. सच यह है कि 1910 से ही सावरकर अंडमान के सेल्लयुलर जेल में थे और वहां से अंग्रेज सरकार से माफी मांगते हुए याचिकाएं लिख रहे थे. सन् 1912 तक वे ऐसी तीन याचिकाएं लिख चुके थे. इन सभी याचिकाओं में सरकार से उसका विरोध करने के लिए क्षमायाचना की गई थी और यह भी कहा गया था कि अगर उन्हें जेल से रिहा कर दिया जाए तो वे निष्ठापूर्वक ब्रिटिश सरकार के प्रति वफादार रहेंगे. और जेल से रिहा होने के बाद सावरकर ब्रिटिश सरकार के प्रति वफादार बने रहे. हमारे स्वाधीनता संग्राम ने 1920 में जोर पकड़ा जब कांग्रेस द्वारा शुरू किए गए असहयोग आंदोलन में बड़ी संख्या में लोगों ने भागीदारी की.

फिल्म यह प्रश्न भी उठाती है कि किसी कांग्रेस के नेता को अंडमान जेल क्यों नहीं भेजा गया और क्यों उन्हें भारत में जेलों में रखा गया. पहली बात तो यह है कि इस तथ्य की सत्यता की पुष्टि की जानी होगी. दूसरी बात यह कि सन् 1920 के बाद से कांग्रेस और गांधीजी ने अहिंसा की राह अपना ली थी और इस कारण उनके अनुयायियों को अंडमान या फांसी की सजा नहीं दी गई और उन्हें भारतीय जेलों में ही रखा गया. भगतसिंह, राजगुरू और सुखदेव को हिंसा में शामिल होने के कारण फांसी की सजा दी गई थी. चूंकि गांधीजी के नेतृत्व में कांग्रेस ने अहिंसा के सिद्धांत का पालन किया इसलिए उसके सदस्यों को फांसी या अंडमान की सजा नहीं हुई.

यह फिल्म हमें बताती है कि भारत को अहिंसा के रास्ते नहीं वरन् हिंसा के रास्ते स्वतंत्रता मिली. भारत में जो क्रांतिकारी सक्रिय थे उनमें से अधिकांश हिंदुस्तान सोशलिस्ट रिपब्लिकन एसोसिएशन से थे. भगतसिंह और उनके साथियों की मृत्यु के बाद भारत में कोई बड़ा क्रांतिकारी आंदोलन नहीं हुआ. सावरकर के अभिनव भारत ने सावरकर द्वारा सरकार से क्षमायाचना करने के बाद ब्रिटिश सरकार का विरोध करना बंद कर दिया. सुभाष चन्द्र बोस, जिन्होंने आजाद हिंद फौज का गठन किया था, 1945 में मारे गए और आजाद हिंद फौज के अफसरों और सिपाहियों को लालकिले में बंदी बनाकर रखा गया. अदालतों में इन युद्धबंदियों का बचाव करने के लिए जवाहरलाल नेहरू की पहल पर कांग्रेस ने एक समिति का गठन किया था.

फिल्म यह भी बताती है कि आजाद हिंद फौज का गठन कर अंग्रेजों से लड़ने की सलाह सावरकर ने ही बोस को दी थी! यह तथ्यों के एकदम विपरीत है. कांग्रेस छोड़ने के बाद ही बोस ने यह तय कर लिया था कि वे जर्मनी और जापान की मदद से ब्रिटिश सरकार के विरूद्ध जंग छेड़ेंगे. जिस समय बोस ब्रिटिश सरकार के विरूद्ध युद्धरत थे उस समय सावरकर हिंदू महासभा से यह अनुरोध कर रहे थे कि वह अधिक से अधिक संख्या में हिंदुओं को ब्रिटिश सेना में भर्ती करवाए ताकि द्वितीय विश्वयुद्ध में ब्रिटेन की शक्ति बढ़े.

हिन्दू महासभा के कलकत्ता अधिवेशन को संबोधित करते हुए सावरकर ने सभी विश्वविद्यालयों, महाविद्यालयों और विद्यालयों से यह अपील की थी कि वे किसी भी तरह और हर तरह से यह प्रयास करें कि भारतीय युवा ब्रिटिश सेना में भर्ती हों. इसके अगले साल 1940 में गांधीजी ने व्यक्तिगत सत्याग्रह शुरू किया. उसी साल दिसंबर में हिंदू महासभा के सत्र को संबोधित करते हुए सावरकर ने हिंदू युवकों का आव्हान किया कि वे बड़े पैमाने पर ब्रिटिश सेना की विभिन्न शाखाओं में भर्ती हों.

सावरकर के बारे में लिखते हुए सुभाष चन्द्र बोस ने कहा था, ‘‘ऐसा प्रतीत होता है कि सावरकर अंतर्राष्ट्रीय स्थिति से नावाकिफ हैं और केवल यह सोच रहे हैं कि ब्रिटिश सेना में भर्ती होने से हिंदुओं को सैन्य प्रशिक्षण हासिल हो सकेगा.” बोस का निष्कर्ष था कि “मुस्लिम लीग और हिंदू महासभा से कोई अपेक्षा नहीं की जा सकती”.

आजाद हिंद रेडियो के जरिए भारतीयों को संबोधित करते हुए सुभाष चन्द्र बोस ने कहा था, “मैं मिस्टर जिन्ना, मिस्टर सावरकर और अन्य ऐसे सभी लोगों, जो अब भी ब्रिटिश सरकार के साथ समझौते की बात कर रहे हैं, से यह अनुरोध करना चाहता हूं कि वे यह समझ लें कि आने वाली दुनिया में ब्रिटिश साम्राज्य नहीं होगा”.

जहां तक फिल्म में सावरकर और सुभाष बोस को सहयोगियों की तरह प्रस्तुत करने का प्रश्न है, नेताजी के प्रपौत्र चन्द्रकुमार बोस ने फिल्म का ट्रेलर देखने के बाद हूडा से कहा था, “कृपया नेताजी को सावरकर से मत जोड़िए. नेताजी एक समावेशी और धर्मनिरपेक्ष नेता थे. वे देशभक्तों के देशभक्त थे”.

यह फिल्म आने वाले चुनावों के मद्देनजर हिंदू राष्ट्रवादी राजनीति को मजबूती देने के लिए सच को तोड़ने-मरोड़ने का एक और प्रयास है.

27/03/2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

ઊગતા સૂરજના દેશમાં નહીં આથમતો સામાજિક ભેદભાવ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|28 March 2024

ચંદુ મહેરિયા

ભારતની જેમ જાપાનમાં પણ ઊંચ-નીચના ભેદ છે, આભડછેટ પળાય છે, એમ કોઈ કહે તો આપણે માનીએ ? દુનિયાના આ વિકસિત અને સમૃદ્ધ દેશનો સમાજ સમાનતાપૂર્ણ, સંવાદી અને સામંજસ્યપૂર્ણ હોવાની વૈશ્વિક છાપ છે. જાપાનના નાગરિકોનું કર્તવ્ય, સમય અને  શિસ્તનું પાલન વખણાય છે. એ સ્થિતિમાં જાપાનીઝ નાગરિકો દેશના એક પ્રજાસમૂહને હેય દૃષ્ટિએ જોતા હોય તે ઝટ ગળે ન ઉતરે એવી હકીકત છે. ૨૦૦૧માં દક્ષિણ આફ્રિકાના ડરબનમાં યોજાયેલી વલ્ડ કોન્ફરન્સ અગેઈન્સ્ટ રેસિઝમમાં, જાપાનના કથિત અસ્પૃશ્ય એવા બુરાકુમિન સમાજના નેતાઓને પ્રત્યક્ષ જોવા-મળવાનું થયું હતું. ભારતની જેમ જાપાનની સરકાર અને સમાજ પણ એમ કહે છે કે હવે ક્યાં કશા ભેદ રહ્યા જ છે ? પરંતુ શું ભારતમાં કે શું જાપાનમાં આભડછેટ પૂર્ણ ભૂતકાળ નહીં પણ ચાલુ વર્તમાનકાળ છે, તેની પ્રતિતી તાજેતરના જાપાનની સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી થઈ. બંધારણ અને કાયદાપોથીમાં તો જાપાનના તમામ નાગરિકો સમાન છે, પરંતુ લોકોનો સમાજિક દૃષ્ટિકોણ બદલાયો નથી. એટલે બુરાકુમિન આજે પણ ભેદભાવ વેઠે છે. જાપાની પ્રકાશકો  બુરાકુમિન વસ્તીના  નકશા, વસાહતોની તસવીરો અને તેમના વિશેની માહિતી પ્રકાશિત કરતા હોય છે. આવા જ એક પ્રકાશક સામેના દીર્ઘ કાનૂની સંઘર્ષને કારણે અદાલતે તે આચરણ ભેદભાવપૂર્ણ હોવાનું સ્વીકારીને ત્રણ કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. એટલે જાપાનમાં હજુ આભડછેટ અને ભેદભાવ મોજુદ છે અને તે સામેનો અવિરામ સંઘર્ષ પણ ચાલે છે તે પુરવાર થયું છે.

જાપાનમાં યોદ્ધા, ખેડૂતો, કામદારો અને વેપારીઓની ચારસ્તરીય સમાજરચના સત્તરમી સદીના ઈદોકાળમાં જન્મી હતી. તોકુગાવા શોગુનેટ (૧૬૦૩-૧૮૬૭) વંશ દ્વારા સમાજમાં સ્થિરતા આણવા અને રાજ્યસત્તા ટકાવવા માટે ચડતી-ઉતરતી ભાંજણીની સમાજવ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ સામંતી શાસનમાં ચાર જ્ઞાતિ, સ્તર કે વર્ણ સિવાયના લોકોને બુરાકુમિન કે બુરાકુ કહેવામાં આવે છે. પૂર્વે તેમના માટે વધુ અપમાનજનક શબ્દો (દા.ત.એટા) વપરાતા હતા. જાપાની શબ્દ બુરાકુમિનનો સાદો અર્થ તો ગામડાંના લોકો થાય. પણ જ્યારે આ શબ્દ વર્ણ, જ્ઞાતિ કે ચારસ્તરીય સમાજવ્યવસ્થા બહારના લોકો માટે વપરાતો થયો ત્યારે તેનો અર્થ બદલાઈને ગામડિયો, ગમાર, ઉપેક્ષિત અને બહિષ્કૃત એવો થવા લાગ્યો છે.

સામંતી સમાજવ્યવસ્થાની પેદાશસમા બુરાકુમિનો બહારનો પ્રજાસમૂહ એટલે પણ છે કે તેઓના માથે જે વ્યવસાય કે કામો મારવામાં આવ્યા હતા તેને ગંદા, અશુદ્ધ અને અપવિત્ર માનવામાં આવે છે. મરેલાં ઢોર ખેંચવાં, સફાઈ, કબ્રસ્તાનની રખેવાળી, શબ માટેની કબર ખોદવી, જેલરથી જલ્લાદ અને કસાઈથી દેહવ્યાપારના કામો, ભીખ માંગવી અને સામંતી જમીનદારોના વેઠિયા હોવું, ચામડા કમાવા – જેવાં ગંદાં અને હલકાં ગણાતાં કામો તેઓને કરવા પડતા હતા. તેમની વસ્તી ભારતના દલિતોની જેમ ગામના છેડે, ટેકરીઓ પર કે જમીનના ઢોળાવ પર હતી. ઘેટો(GHETO)માં રહેવું, હલકાં ગણાતાં કામો કરવાં તેને કારણે તેમની આર્થિક સ્થિતિ નબળી અને સામાજિક દરજ્જો ઉતરતો હતો. શિક્ષણ, આરોગ્ય અને બીજી નાગરિક સુવિધાઓથી તેમને વંચિત રાખવામાં આવતા હતા.

ભારતના દલિતોની જેમ જાપાનના બુરાકુમિન પર પણ જાતભાતના પ્રતિબંધો લદાયેલા છે. અન્ય ચાર સમૂહો સાથે કે નજીક તેઓ રહી શકે નહીં. તેઓ જુદા કે નીચા છે તે દર્શાવવા અન્ય જાપાનીઓ જેવા કપડાં પહેરી શકે નહીં. માથું ખૂલ્લું અને વાળ ટૂંકા રાખવા પડતા. મહિલાઓ આઈબ્રો કરી શકતી નહીં કે દાંત રંગી શકતી નહીં. ધાર્મિક સ્થળો અને શાળાઓમાં પ્રવેશી શકતા નહીં. બુરાકુ સિવાયના લોકો સાથે લગ્ન કરી શકે નહીં. ૧૮૬૮માં મીજી સમ્રાટે આ ભેદભાવ કરતા સામાજિક પદાનુક્રમને સમતલ કરવા પ્રયાસ કર્યો. ૧૮૬૯માં સામંતશાહીના અંત સાથે ૧૮૭૧માં ચારસ્તરીય સમાજરચના નાબૂદ થઈ અને બુરાકુમિનોને નવા નાગરિક બનાવ્યા હતા.

સ્વમાન અને સમાનતા માટેની જાપાનના કહેવાતા અસ્પૃશ્યોની લડતે પણ તેમને બરાબરીનો હક અપાવ્યો છે. ત્રીજી મે ૧૯૪૭થી અમલી જાપાનના બંધારણના પ્રકરણ-૩ના અનુચ્છેદ ૧૪માં કાયદા સમક્ષ તમામ જાપાનીઓને એક સમાન ગણવામાં આવ્યા છે. ઉપરાંત જ્ઞાતિ, ધર્મ, પંથ, લિંગ, સામાજિક સ્થિતિ કે પારિવારિક મૂળનાં કારણે કોઈપણ નાગરિક સાથે રાજકીય, આર્થિક અને સામાજિક ભેદભાવ કરવામાં આવશે નહીં તેમ પણ જણાવ્યું છે. બંધારણીય સમાનતા મળી તેનું કારણ ૧૯૨૨થી શરૂ થયેલું બુરાકુમુક્તિ આંદોલન છે. લેવલર્સ સંગઠન (૧૯૨૨), બુરાકુ લિબરેશન રાષ્ટ્રીય સમિતિ (૧૯૪૬) અને બુરાકુ લીબરેશન લીગ(૧૯૫૫), સોસાયટી ફોર ઈન્ટીગ્રેશન (૧૯૬૦) તથા ઓલ જાપાન બુરાકુ લિબરેશન મૂવમેન્ટ (૧૯૭૬) જેવા સંગઠનો દ્વારા તેમણે આંદોલનો કર્યા છે. અન્યાય અને અત્યાચારો સામે પ્રતિકાર અને વાજબી હકો તેમણે સંઘર્ષ કરી મેળવ્યા છે. બુરાકુ લિબરેશન લીગના લડાકૂ નેતા જિઈચિરો માત્સુમેતો (૧૮૮૭-૧૯૬૬) બુરાકુઓના મુક્તિદાતા ગણાય છે.

બંધારણના સમાનતાના અધિકારને જમીન પર ઉતારવા સરકારે પ્રયાસો કર્યા છે. ગાંધી જન્મ શતાબ્દી વરસ ૧૯૬૯માં આરંભાયેલી બુરાકુ માટેની ખાસ સવલતો – રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ અને રોજગારે તેમની સ્થિતિમાં સુધારો આણ્યો છે. લગ્ન અને રોજગારમાં ભેદભાવ ઘટ્યો છે. ૧૯૩૦માં માંડ ૧૦ ટકા બુરાકુમિન અન્ય સાથે લગ્ન કરી શકતા હતા તે હવે વધીને ૬૦ ટકે પહોંચ્યા છે. પરંતુ હજુ સરેરાશ જાપાનીના માનસમાં બુરાકુમિન પ્રત્યેનો ભેદભાવ કે દુર્ભાવ ઓછો થયો નથી. ૨૦૦૩નો ટોક્યો મેટ્રોપોલિટન સરકારના સર્વેમાં ૭૬ ટકા ટોક્યોવાસીઓએ બુરાકુમિન વિશેનો તેમનો ભેદભાવભર્યો મત બદલ્યો ન હોવાનું કે પાંચ ટકાએ તેમને કદી પોતાના પાડોશી તરીકે નહીં સ્વીકારવાનો મત વ્યક્ત કર્યો હતો. બુરાકુમિન નેતાઓએ ખાનગી કંપનીઓમાં બુરાકુમિનને નોકરી ના આપવા માટે બિનબુરાકુઓએ તૈયાર કરેલી તેમના નામ-સરનામા સાથેની ૩૩૦ પાનાંની હસ્તલિખિત યાદીની નકલ સરકારને આપી છે. બુરાકુઓની વસ્તીના અધિકૃત આંકડાઓ તો ઉપલબ્ધ નથી, પરંતુ તેમના નેતાઓ દેશની આશરે ૧૨ કરોડની વસ્તીમાં તેમની વસ્તી ૧૦થી ૩૦ લાખ હોવાનું જણાવે છે. બુરાકુઓના રાજકીય પ્રતિનિધિત્વનો સવાલ પણ છે જ. બુરાકુઓના વંશજો માટે પણ કેવો ભેદ રખાય છે તેનું એક આંખ ઉઘાડનારું ઉદાહરણ જાણવા જેવું છે. ૨૦૦૧માં તત્કાલીન જાપાની સરકારમાં નંબર ૨નું સ્થાન ધરાવતા હિરોમુ નોનકાનું નામ વડા પ્રધાનના ઉમેદવાર તરીકે ચર્ચામાં હતું. પરંતુ તેઓ બુરાકુમિન હોવાથી વડા પ્રધાન પદના અન્ય ઉમેદવાર તારો એસોએ ‘અમે કોઈ બુરાકુને વડા પ્રધાન બનવા દઈશું નહીં’ તેવો જાહેર હુંકાર કર્યો હતો અને બહુમતી જાપાની મતદારોએ તેમનું સમર્થન કર્યું હતું.

જાપાની સમાજ તેમના અસ્પૃશ્યોને સ્વીકારવા તૈયાર નથી તો સરકાર બુરાકુમિનને બંધારણીય સમાનતા આપે છે, પરંતુ તેનો કાયદેસર ભંગ કરી ભેદભાવ આચરનારને સજા કે દંડની જોગવાઈ કરતી નથી. એટલે એકરસ કે સમરસ થવાનો માર્ગ બુરાકુઓ માટે ભારે કઠિન છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...747748749750...760770780...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved