Opinion Magazine
Number of visits: 9665806
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

आज की चुनौती : कल का दायित्व 

कुमार प्रशांत|Opinion - Opinion|10 April 2024

कुमार प्रशांत

घटनाएं इस तेजी से घट रह हैं मानो किसी ने उन्हें चर्खी पर चढ़ा दिया है; और यह खेल हम सबने बचपन में खेला ही है कि सतरंगी चर्खी को जब हम  तेजी से घुमाते हैं तो सारे रंग एकरूप हो जाते हैं और दिखाई देता है सिर्फ सफेद रंग का नाचता गोलाकार ! हमें आज तेजी से बदलती घटनाएं भी ऐसी ही दिखाई दे रही हैं. इस तीखी व तेज चक्करघिन्नी में सारे रंग एकरूप हो गए हैं – सिर्फ एक फर्क के साथ कि अब हमारे सामने जो चर्खी घूम रही है वह सफेद नहीं, काली है. यह बता रही है कि देश की तमाम राजनीतिक-सामाजिक-वैधानिक-पेशेवर ताकतों ने मिल कर इस देश को, इसकी व्यवस्था को और इसके संविधान को किस कदर छलने का जाल बुन रखा है.

हमारे सामने दो तरह के लोग खड़े हैं : एक वे कि सत्ता जिनका आखिरी सत्य है. वे सब प्रधानमंत्री की रहबरी में सत्ता की अपनी भूख शांत करने के लिए सारे धतकर्म करते जा रहे हैं. यह चिंता का विषय तो है लेकिन किसी दूसरे धरातल पर. मेरी पहली व सबसे बड़ी चिंता यह है कि राजनीतिक सत्ता जिनका अंतिम लक्ष्य नहीं है, वे क्या कर रहे हैं; क्या कह रहे हैं ? क्या खोज रहे हैं वे और क्या पा रहे हैं वे? इनमें अधिकांश वे कायर लोग हैं जो जिंदगी भर सुविधा व संपन्नता के रास्ते तलाशते रहते हैं और किसी हद तक उसे पा भी लेते हैं. पा लेने के बाद वे ताउम्र सावधान रहते हैं कि कहीं से कुछ ऐसा न हो कि यह छिन जाए. इनमें न बौद्धिक ईमानदारी है, न रत्ती भर साहस ! ये सब खुद को बुद्धिजीवी कहते हैं – शुद्ध शाब्दिक अर्थ में ! इनकी सारी चातुरी, सारा ज्ञान, सारी व्यवहार कुशलता आदि का कुल निचोड़ यह है कि जीने के सुविधाजनक रास्ते तलाशने में बुद्धि का इस्तेमाल कैसे किया जाए. कभी किसी से गांधी से पूछा था : आपको सबसे अधिक उद्विग्नता किस बात की होती है ? उन्होंने जो कहा, उसका मतलब था: मैं इस ‘बुद्धिजीवी वर्ग’ की बढ़ती जमात से सबसे अधिक उद्विग्न हूं !

नोटबंदी जैसा मूढ़ फैसला और फिर ‘डैमेज कंट्रोल’ के लिए बार-बार बोला जाने वाला झूठ; जीएसटी की घोषणा के लिए संसद में आधी रात को आयोजित प्रधानमंत्री का खोखला आयोजन व उस अपरिपक्व योजना से हो रहे नुकसान को छिपाने की हास्यास्पद कोशिशें; प्रधानमंत्री का लगातार झूठ-अर्धसत्य-विज्ञान व इतिहास का उपहास करने वाली उक्तियां, भारतीय समाज को खंड-खंड करने वाली जहरीली काईयां वाकवृत्ति, संविधान व न्यायपालिका की हिकारत भरी उपेक्षा, लोकतांत्रिक परंपराओं की धज्जियां उड़ाना, विपक्ष के लिए समाज में घृणा फैलाना, लोकतांत्रिक समाज को पुलिसिया राज में बदलना, नौकरशाही को चापलूसों की जमात में बदलना, फौज को राजनीतिक कुचालों में घसीट कर जोकरों की जमात भर बना देना, ऊपर से नीचे तक भ्रष्टाचार का नया तानाबाना तैयार करना जैसे कितने ही थपेड़े देश ने झेले हैं, झेल रहा है. लेकिन इन तथाकथित बुद्धिजीवियों में से एक की भी मुखर व अडिग मुखालफत सामने आई हो तो मालूम नहीं है. इनमें से अधिकांश ढोलबाजों की जमात में नाचते मिलते हैं.

कांग्रेस का चुनाव घोषणापत्र जारी हुआ. उससे हमारी लाख असहमति हो सकती है लेकिन प्रधानमंत्री का यह कहना कि उन्हें यह मुस्लिम लीग का घोषणापत्र लगता है, क्या राजनीतिक पतन की पराकाष्ठा नहीं है ? उनका बयान बताता है कि उन्हें न तो इतिहास की धेले भर की जानकारी है, न वे उस दौर की राजनीति की कोई समझ रखते हैं. लेकिन मुझे गहरी वेदना तब हुई जब मैंने देखा कि दूसरे दिन सारे अखबारों ने प्रधानमंत्री के इस मूढ़ व जहरीले बयान को ज्यों-का-त्यों परोस दिया ! मीडिया की स्वतंत्र आत्मा होती तो वह लोकतंत्र के पक्ष में खड़ी होती. वह ऐसे बयान या तो प्रसारित नहीं करती या फिर इसे खारिज करते हुए प्रसारित करती. लेकिन ‘गोदी मीडिया’ हर समय लोकतंत्र की लाश पर ही खड़ी हो सकती है.  जो गोदी में हैं वे गुलाम ही रहेंगे.

आजादी की अनोखी, लंबी लड़ाई के बाद मिले लोकतंत्र की इतनी कम कीमत लगाते हैं हम ? लोकतंत्र के बिखर जाने के कारण हमारे पड़ोसियों का हाल देखने के बाद भी यदि हम इसकी तरफ से इतने उदासीन हैं तो हमें किसी भी गुलामी से परहेज कैसे होगा ? चौतरफा विकास के तथ्य व सत्यहीन आंकड़ों का जो घटाटोप रचा गया है वह यदि सच हो तो भी हमें यह कहना चाहिए कि नागरिक स्वातंत्र्य, मीडिया की आजादी, व्यक्तित्वहीन न्यायपालिका, अन्यायपूर्ण श्रम-कानूनों की कीमत पर हमें कोई भी, कैसा भी विकास नहीं चाहिए. पिंजड़ा सोने का हो तो भी खुली हवा से उसका सौदा नहीं हो सकता है, यह बात कितनी भी पुरानी हो, अंतरात्मा पर स्वर्णाच्छरों में दर्ज रहनी चाहिए. लेकिन प्रेस-मीडिया के लोगों को अपनी कलम के बारे में उतना भी सम्मान नहीं है जितना किसी भिखारी को अपने भीख के कटोरे के बारे में होता है. कुर्सी को अंतिम सत्य मानने वाले राजनीति के धंधेबाजों का रोज-रोज अपनी पार्टी छोड़ बीजेपी में जाने का क्रम मुझे शर्मसार करता है लेकिन मीडिया का रोज-रोज ईमान बदलना अकुलाहट से भर देता है. आजाद भारत के कोई 75 सालों में जिस जमात ने 6 इंच की कलम उठाना व संभालना नहीं सीखा, क्या उसे कभी लोकतंत्र का चौथा खंभा माना जा सकता है ? देश में मीडिया जैसी कोई संकल्पना आज बची ही नहीं है. धंधा है जो धंधे की तरह चलता है. इस रोने का कोई औचित्य नहीं है कि हम पर मालिकों का दवाब है और नौकरी छोड़ने की हमारी स्थिति नहीं है. आप बताए, क्या कभी 10 पत्रकारों ने भी मिल कर यह बयान निकाला है कि हम दवाब में काम करने को तैयार नहीं हैं और ऐसे दवाब में काम करने से अच्छा होगा कि हम सब त्यागपत्र दे दें. ऐसी कोई नैतिक आवाज कहीं से उठे तो !

धंधेबाजों का पूरा कुनबा चुनावी बौंड के घोटाले को सार्वजनिक होने से रोकने में किस तरह लगा था, यह सारे देश ने देखा. सरकारी तंत्र इसमें क्यों लगा था, यह बात तो समझी जा सकती है लेकिन सत्ता के इशारे पर नाचते देश-दुनिया के सबसे बड़े बैंक स्टेट बैंक की भूमिका को किस तरह समझेंगे आप ? उसका तो धेले भर का स्वार्थ नहीं था कि यह जानकारी देश के सामने न आए. लेकिन उसने अपनी पूरी साख दांव पर लगा दी. हर अदालती डंडे के सामने उसकी हालत गली के उस कुत्ते-सी हो रही थी जो दुम दबा कर कायं-कायं कर रहा हो. उसने कभी कोई नैतिक भूमिका लेने की कोशिश ही नहीं की. अब स्टेट बैंक एक खोखला साइनबोर्ड भर रह गया जिसे किसी भी गैरतमंद सरकार को बंद कर देना चाहिए. नई संहिता के साथ उसकी नई संरचना लाजिमी है.

हमने यह भी देखा कि वकालत का धंधा करने वाले वे सारे नामी-गरामी लोग, जिन्होंने अपनी ऐसी छवि गढ़वाई है कि वे हैं तो संविधान है, न्याय है, कैसे-कैसे तर्कों के साथ सामने आ रहे थे ! वे सब सर्वोच्च अदालत को समझा व धमका रहे थे कि चुनावी बौंड की कोई भी जानकारी सार्वजनिक हो गई तो न्यायपालिका सदा-सर्वदा के लिए कलंकित हो जाएगी तथा देश तो गड्ढे में गया ही समझिए! इन सबके पीछे करोड़ों की वह फीस बोल रही थी जो इनकी छवि का आधार है. इनकी कोई नैतिक रीढ़ बनी व बची नहीं है.

यह असली खतरा है. सरकारें आएंगी, जाएंगी. जब भी, जो भी सरकार आएगी उसे भी अपने ऐसे ही रीढ़विहीन लोगों की जरूरत होगी. ऐसे ही बुद्धिजीवी, पत्रकार, मीडिया संस्थान उसे भी तो चाहिए होंगे ! इसलिए लोकतंत्र के पैरोकारों की जमात खड़ी करना प्राथमिक शर्त है. हमें आज का दायित्व पूरा करना है और कल का दायित्व निभाने की ताकत संयोजित करनी है. दोनों काम साथ-साथ करने हैं. 

(10.04.2024)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

દોષિત હોવા છતાં ન વેઠવું … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 April 2024

રવીન્દ્ર પારેખ

મિત્રો, ગયા રવિવારે આપણે એ જોયું કે દોષિત ન હોવા છતાં રામાયણનાં ત્રણ નારી પાત્રો અહલ્યા, સીતા અને ઊર્મિલાએ શું ને કેવી રીતે વેઠવાનું આવ્યું. આ રવિવારે રામાયણનાં જ અન્ય ત્રણ નારીપાત્રો દોષિત હોવા છતાં ખાસ વેઠતાં નથી તેની વાત કરીશું. આમ તો રામાયણમાં મહિમા આદર્શોનો છે. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય – એમને એમ નથી કહેવાયું. કોઈને વચન આપ્યું હોય તો તે પ્રાણ આપીને પણ નિભાવાય છે તે દશરથનાં ઉદાહરણ પરથી સમજાય એવું છે. રામાયણમાં મોટે ભાગે સારાં પાત્રો સારાં જ રહ્યાં છે ને ખલ પાત્રો ઘણુંખરું ખલ જ રહ્યાં છે. રામ શરૂથી અંત સુધી વીર, ધીર અને વિવેકી જ રહ્યા છે. એવું જ કૌશલ્યા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, વિભીષણ, સીતા, ઊર્મિલા, માંડવી … વગેરેનું પણ રહ્યું છે. ખલ પાત્રોમાં શૂર્પણખા, મેઘનાદ, મંથરા, રાક્ષસો, રાક્ષસીઓ પણ શરૂથી અંત સુધી એવાં જ રહે છે. સાધારણ માનવીમાં આવતાં પરિવર્તનો એ બધાંમાં ઓછાં જ અનુભવાય છે.

એનો અર્થ એવો નથી કે રામાયણમાં સંવેદનશીલ પાત્રોનો અભાવ છે. માનવ જીવનમાં આવતા ઉતાર-ચડાવનો અનુભવ રામાયણનાં પાત્રોમાં પણ જોવા મળે જ છે. સીતાહરણ વખતનો રામનો વિલાપ કે પુત્ર વિયોગે મરતા દશરથની પીડા બિલકુલ માનવીય છે. રાવણ અહંકારી છે તે સાથે જ મહાજ્ઞાની પણ છે. હરણ કરીને રાવણ સીતાને લંકા લઈ તો આવે છે, પણ તેને આંગળી પણ અડાડતો નથી ને અશોક વાટિકામાં રાખે છે. એ જ રાવણ, લંકા વિજયની ઇચ્છાથી રામ પૂજા કરવા ઈચ્છે છે, તો તે પૂજા કરાવવા ને તેને આશિષ આપવા પુરોહિત બને છે, એટલું જ નહીં, વિવાહિત પુરુષની પૂજા તેની પત્નીની હાજરીમાં સંપન્ન થાય એ હેતુથી, તે સીતાને પૂજામાં ઉપસ્થિત પણ કરે છે ને વિધિ સંપન્ન થતાં જ સીતાને ફરી અશોક વાટિકા તરફ પ્રયાણ કરવાની સૂચના પણ આપે છે. એ સાથે જ પૂજા સંપન્ન થતાં જ રાવણ વિજયી ભવ-ના આશિષ પણ યજમાન રામને આપે છે. આ આશિષ આપતી વખતે તે પોતાનો પરાજય પણ નોતરે છે, પણ પુરોહિતનું કર્તવ્ય તે પૂરી વફાદારીથી બજાવે છે. અહીં રાવણ ખલ પાત્ર નથી, પણ પોતાનું જ અહિત નોતરતો નાયક છે. એક તરફ શૂર્પણખાનાં અપમાનનો બદલો લેવા તે સીતાનું હરણ કરે છે ને એ જ રાવણ પત્ની વગર પૂજા અધૂરી ન રહે એટલે રામની અર્ધાંગિની તરીકે સીતાને સ્થાપિત પણ કરે છે.

આવું પરિવર્તન વિશ્રવા અને કૈકસીની સૌથી નાની પુત્રી શૂર્પણખામાં જણાતું નથી. રામના વનવાસ દરમિયાન શૂર્પણખા પંચવટીમાં આવી ચડે છે ને રામને જોતાં જ તેના પર મોહિત થઈ જાય છે. રામ પોતે વિવાહિત છે ને એક પત્નીવ્રતી છે એમ કહીને તેને ટાળે છે. શૂર્પણખા ત્યાંથી લક્ષ્મણ તરફ વળે છે ને તેને પોતાની સાથે લગ્ન કરવાનું કહે છે. લક્ષ્મણ પણ તેને નકારે છે. અપમાનિત શૂર્પણખા ક્રોધિત થાય છે ને સીતા પર હુમલો કરે છે, પણ લક્ષ્મણ તે હુમલો શૂર્પણખાનાં નાકકાન કાપીને નિષ્ફળ કરે છે. આ રીતે ઘવાયેલી શૂર્પણખા, રાવણ પાસે પરત ફરે છે ને પોતાનાં અપમાનની અને સીતાનાં સૌંદર્યની વાત કરીને રાવણને બદલો લેવાનું કહે છે. અહીં પણ દોષિત શૂર્પણખા છે, પણ તે એટલું વેઠતી નથી, જેટલું રાવણ કે સીતાએ કે રામે વેઠવાનું આવે છે.

એવું જ કૈકેયીનું પણ છે. આમ તો તે દશરથ પાસેથી અગાઉ માંગવાનાં હતાં તે વચન જ રામના રાજ્યાભિષેક વખતે માંગે છે. એ પહેલાં રામ માટે કૈકેયીને ક્યારે ય કોઈ દુર્ભાવ થયો નથી. તે ભરતની જેમ જ રામને સ્વીકારે છે. દશરથ માટે પણ કોઈ અભાવ કૈકેયીનાં મનમાં નથી. દશરથ સાથે યુદ્ધમાં તે ગઈ છે ને રથનું પૈડું નીકળી જતું તે જુએ છે ને ખીલાની જગ્યાએ રથમાં આંગળી ખોસીને રથને એટલે ચાલુ રાખે છે કે દશરથનો શત્રુ પર પ્રહાર કરવામાં વિક્ષેપ ન પડે. આ સ્નેહ ને વીરત્વ જોઈને દશરથ પ્રસન્ન થઈને કૈકેયીને બે વરદાન માંગવાનું કહે છે ને એ વરદાન તે રામનો રાજ્યાભિષેક થવા જઈ રહ્યો છે ત્યારે માંગે છે. એ વખતે તેનાં મનમાં ભરતને કેવળ ગાદી મળે એ જ લક્ષ્ય છે. આમ તો તે દોષિત નથી, દશરથ પાસે વરદાન જ માંગે છે, પણ એમ કરવા જતાં બિલકુલ નિર્દોષ રામનો હક ડુબાડવા જેવું તે કરે જ છે. એની અસરો એટલી ઊંડી અને વ્યાપક પડે છે કે તે છેક લંકા સુધી વિસ્તરે છે. તેણે રામનો રાજ્યાભિષેક થવા દીધો હોત તો વનવાસ ટળ્યો હોત, વનવાસ ટળ્યો હોત તો શૂર્પણખા લક્ષ્મણને મળી ન હોત, રાવણે અપહરણ કર્યું ન હોત કે ન તો રામરાવણ યુદ્ધ થયું હોત ! આ બધું કૈકેયીએ ભરતને ગાદી મળે એ માટે કર્યું, પણ એ ગાદી ભરત એક દિવસ પણ ભોગવતો નથી ને પરિણામ કૈકેયી પ્રત્યેની ભરતની ઘૃણામાં આવે છે. કૈકેયી દોષિત હતી, પણ તે વેઠતી નથી, વેઠે છે આખું અયોધ્યા ! જો કે, ભરત કૈકેયીને તિરસ્કારે છે તે પછી તે શરમાય છે ને પસ્તાય પણ છે. રામને મનાવવા ભરત વનમાં જવા નીકળે છે ત્યારે તે પણ અન્ય નગરજનોની સાથે મનાવવા નીકળે છે ને રામને પાછા ફરવા વીનવે છે, પણ રામ વચનપાલનથી બંધાયેલા હોઈને અયોધ્યા પાછા ફરતા નથી.

રામને પુત્ર માનતી ને ભરત કરતાં પણ એની સાથે વધુ સમય ગાળતી કૈકેયી આટલી બદલાઈ કેમ અને તે રામનો રાજ્યાભિષેક થતો કેમ રોકે છે, તેની તપાસ કરીએ તો પગેરું મંથરા તરફ નીકળે છે. મંથરા કૈકેયીની દાસી હતી અને પિયરથી તે તેની સાથે આવી હતી. શરીરે તે ત્રણ ઠેકાણેથી વાંકી હતી એટલે તે ત્રિવક્રા તરીકે પણ ઓળખાતી હતી ને કુબ્જા તરીકે પણ જાણીતી હતી. તે રાજખટપટોથી પણ પરિચિત હતી. તે જ્યારે જાણે છે કે દશરથ રામનો રાજ્યાભિષેક કરવા જઈ રહ્યા છે તો તે રાજી નથી. આ વાત તે ક્રોધથી કૈકેયીને જણાવે છે. કૈકેયી પ્રસન્ન થઈને મંથરાને મોતીનો હાર આપે છે. રામના રાજ્યાભિષેકથી પ્રસન્ન કૈકેયીને મંથરા એમ કહીને ચડાવે છે કે રામ રાજા થશે, પછી ભરતનું શું? તે કૈકેયીને બે વરદાન માંગવાનું સૂઝાડીને રામ માટે વનવાસ અને ભરત માટે ગાદી માંગવાનું કહે છે. ભરતને ખબર પડે છે કે માતા કૈકેયીએ મંથરાના કહેવાથી વરદાન માંગ્યાં છે તો તે બંને પર ક્રોધે ભરાય છે. મંથરાને આ ખટપટથી કૈં મળવાનું ન હતું, પણ તે કૈકેયી અને ભરતનું ભલું કરવા જતાં અનેક અનિષ્ટોનું નિમિત્ત બને છે. એને વેઠવાનું ખાસ થતું નથી, પણ એને લીધે અન્યોને ઘણું વેઠવાનું થાય છે. દશરથનું મૃત્યુ, રામનો વનવાસ અને ભરતને ગાદી જેવી મોટી ઘટનાઓ એને નિમિત્તે બને છે. કૈકેયીને પસ્તાવાનું થાય છે. પસ્તાવાનું તો મંથરાને પણ થાય છે.

તે કૈકેયી સાથે રામને ફરી અયોધ્યા બોલાવવા પણ જાય છે. વનવાસ પછી રામ અયોધ્યા પધારે છે ત્યારે રામનો રાજ્યાભિષેક 14 વર્ષે થાય છે. એ પ્રસંગે મંથરા શરમની મારી રામની સામે નથી આવી શકતી. રામ તેની પૃચ્છા કરે છે તો જાણ થાય છે કે મંથરાને પોતાનાં કૃત્યનો ભારોભાર પસ્તાવો છે અને તે 14 વર્ષથી રામની માફી માંગવાની રાહ જોઈ રહી છે. તે જે અંધારા ઓરડામાં હતી, ત્યાં રામ જાય છે તો જુએ છે કે મંથરા જમીન પર સૂતી છે.  રામને સીતા, લક્ષ્મણ સાથે પધારેલાં જોઈને તે માફી માંગે છે ને રામ તેને માફ કરી પણ દે છે.

આમ તો મંથરા, શૂર્પણખા રામાયણનાં અત્યંત ગૌણ પાત્રો છે, નાનાં પાત્રો છે, પણ તે પરિણામો મોટાં આપે છે. મંથરા સીધી તો કશામાં સંડોવાતી નથી, તે કૈકેયી દ્વારા ભરતનું હિત ઈચ્છે છે, આ પણ તેને કોઈએ કહ્યું નથી, પણ શરૂથી જ તે કૈકેયીની સાથે રહી છે અને તેની સાથેનો લગાવ જ કૈકેયીની મતિ ભ્રષ્ટ કરવાનું કારણ બને છે ને પરિણામ દશરથનાં મૃત્યુ અને રામના વનવાસમાં આવે છે. આમ તો શૂર્પણખા પણ દોષિત છે ને તે સીતાહરણનું નિમિત્ત બને છે ને એ દ્વારા જ રાવણનાં મૃત્યુનું કારણ પણ બને છે. ધોબી રામાયણમાં કેટલું નગણ્ય પાત્ર છે, પણ તે સીતાનાં પુનર્વનવાસનું નિમિત્ત બને છે. મહાકાવ્યોની ખાસિયત એ છે કે મોટાં પરિણામો સાવ નાનાં પાત્રો દ્વારા આવતાં હોય છે. મહાકાવ્યોની સૃષ્ટિ એવી છે કે તે કથારસ ઉપરાંત અર્થઘટનોની અનેક શક્યતાઓ પણ પૂરી પાડે છે. એટલે જ તો આટલા વિકાસ પછી પણ રામાયણ જેટલી વાર જે રૂપે સામે આવે છે, તેમાં ઊતરવાનું ગમે જ છે. એ જ કારણ છે કે રામ નવ પલ્લવિત થઈને વારંવાર આપણાં જીવનમાં પ્રગટતાં રહે છે. રામનો વનવાસ તો યુગો પહેલાં પૂરો થયો, પણ એમનો આપણામાં થયેલો મનવાસ તો કૈં યુગો પછી પણ પૂરો થાય એમ નથી. આપણે ખૂટીશું, પણ રામ નહીં ખૂટે એટલું નક્કી છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 07 ઍપ્રિલ 2024

Loading

કબૂલ કે કેજરીવાલ જે.પી. જનતા પર્વના ઉત્તરાધિકારી નથી, છતાં … જયપ્રકાશના આંદોલન પછીની એક મોટી ઘટના માટે કોણ જવાબદાર?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|10 April 2024

આઈ.ટી. જનરેશન અને શાતિર નેતૃત્વનો મેળ કેમનો બેઠો?

કેજરીવાલ કને 1925થી બંધાતી આવતી સંગઠન શૃંખલા નહીં હોય પણ આદર્શવાદી આઈ.ટી. જનરેશન અને શાતિર નેતૃત્વનો ઠીક મેળ પડી ગયો. ‘આપ‘નો દિલ્હી–પ્રવેશ, શીલા દીક્ષિતનો પરાજય, કેજરીવાલ શાસનમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાનાં ઊંચાં ધોરણો અને વીજળીની સોંઘારત, આ બધું  એક નાના પરિબળને અંગે વૈકલ્પિક રાષ્ટ્રીય પડકારની આભા જગવે તે સ્વાભાવિક હતું

પ્રકાશ ન. શાહ

એ એક જોગાનુજોગ જ હતો અલબત્ત કે બે’ક અઠવાડિયાં પર આ સ્થળેથી પૂછવાનું થયું હતું કે 1974, 1975-77ના જે.પી. જનતા આરોહણનું ઉત્તરાધિકારી કોણ હોઈ શકે. 1979-80માં જનસંઘે એના જનતા અવતારથી ફારેગ થતે છતે પુન: જનસંઘ નહીં થતાં ભારતીય જનતા પક્ષ રૂપે કાર્યરત થવાનું વિચાર્યું ત્યારે જે ભૂમિકા લીધી હતી એની કદરબૂજ રૂપે મોહમ્મદ કરીમ ચાગલાએ અટલ બિહારી વાજપેયીને ભાવિ વડા પ્રધાન તરીકે ઓળખાવ્યા હતા. ચાગલા ન્યાયમૂર્તિ તરીકે તેમ રાજપુરુષની પ્રતિભા ધરાવતા રાજનેતા તરીકે સુપ્રતિષ્ઠ હતા.

મુંબઈ ગુજરાતના સંદર્ભમાં વિચારું છું તો 1974-1980નાં વરસોમાં ઉભરેલો એક નરવોનક્કુર અવાજ ચિમનલાલ ચકુભાઈ શાહનો સાંભરે છે. ચિમનલાલ ચકુભાઈ બંધારણ સભાના સભ્ય હતા. એમને શરૂમાં ઇંદિરા ગાંધીના રાજકારણ પરત્વે કંઈ આશા હશે, અને એમને પ્રામાણિકપણે લાગતું કે જયપ્રકાશજી એ આંદોલનનો રાહ લઈ રહ્યા છે તે કદાચ દુરસ્ત નથી. પણ જેવી કટોકટીની જાહેરાત થઈ કે એમને પ્રતીતિ થઈ કે જયપ્રકાશના પ્રતિકાર મુદ્દાઓ પ્રસ્તુત છે.

આ જ ચિમનલાલ ચકુભાઈએ જનતા ભંગાણ પછી પ્રગટ હિમાયત કરી હતી કે જ્યાં જનતા પક્ષના ઉમેદવારની પસંદગી શક્ય ન હોય ત્યાં ભા.જ.પ.નો વિચાર કરી શકાય.

જો કે, 1984ના કારમા પરાજય પછી ભા.જ.પે. જે રાહ લીધો – જે.પી. જનતા પર્વની પુણ્યાઈ પરહરીને – તે પછી એના રંગઢંગ ઉત્તરોત્તર ફતેહ છતાં એવા થઈ ગયા કે એને વિશે એમ કહેવું સ્વાભાવિક થઈ પડ્યું કે તે જે.પી. જનતા આરોહણનો લાભાર્થી હશે, ઉત્તરાધિકારી નથી.

અરવિંદ કેજરીવાલ

વયમાં સંયુક્ત સરકારો અને વી.પી. શાસનના ઝોલા આવી ગયા તે ભલે, પણ આજથી દસ-અગિયાર વરસ પર જયપ્રકાશના આંદોલન પછીની એક મોટી ઘટના રૂપે આપ અને અરવિંદ કેજરીવાલના ઉદયને ખસૂસ જોઈ શકાય. શરૂ શરૂમાં અણ્ણા હઝારે અને અરવિંદ કેજરીવાલની જુગલબંદી જોતાં જે.પી. આંદોલન સાથે અનુસંધાનનીયે કંઈક લાગણી જાગતી.

જો કે, અણ્ણા પૂરા કદના રાજકીય વિકલ્પની હદે ઉત્સુક નહોતા જ્યારે કેજરીવાલ અને સાથીઓ તે તરફ જવાની અનિવાર્યતા અનુભવવા લાગ્યા હતા. એ ગાળામાં જેમને અણ્ણાનો ઓછોવત્તો પરિચય થયો હશે, એક ખયાલ જરૂર આવ્યો હશે કે આ એક સમર્પિત આત્મા છે પણ એમના ભાવપિંડમાં કોઈ સમગ્ર વિચારનકશો હોય એવું નથી.

આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ અરવિંદ કેજરીવાલ જ્યારે આંદોલનને માથે ‘ટોપી’ લાયક કોઈ મોટા માથાની શોધમાં હતા ત્યારે એમણે ચુનીભાઈ વૈદ્યને આગળ કરવા વિશે ય અજમાયશી તોર પર વિચાર્યાની મારી છાપ છે. પણ ‘ઇંદિરા ઈઝ ઇંડિયા’ ફેમ દેવકાન્ત બરુઆ સાથે પણ માથું દુખાડતી ચર્ચા કરી ભૂદાનફાળો લઈ આવી શકતા ચુનીકાકા કરતાં અણ્ણા એમને અનુકૂળ લાગે એ સ્વાભાવિક હતું, કારણ દરેક સમર્પિત જીવ કને વૈચારિક સ્પષ્ટતા નયે હોય.

2004માં અડવાણીથી ફિલગુડાઈ છતાં ભા.જ.પ.(એન.ડી.એ.)એ લોકસભાની ચૂંટણી ખોઈ. 2009માં પણ એમ જ બન્યું. તે પછી અણ્ણાના આંદોલનમાં ભા.જ.પે.-સંઘ પરિવારે વળી એક જે.પી. જમાના જેવી તક જોઈ જે ઝડપી વિજયલક્ષી મધ્યપ્રવાહ નસીબ થઈ શકે. એ આખા નેટવર્કની વાત અહીં છોડી દઉં છું, પણ અણ્ણા એક પળે કથિત ગુજરાત મોડેલ પરત્વે લાલા ગગા થઈ ગયા હતા અને અહીં તેડાવી પ્રત્યક્ષ દર્શન કરાવ્યા બાદ એમની મૂર્છા કંઈક ઊતરી હતી એ ઇતિહાસવસ્તુ છે.

કેજરીવાલ સંખ્યાબળે ઓછા હશે, એમની કને 1925થી બંધાતી આવતી સંગઠન શૃંખલા નહીં હોય પણ આઈ.ટી. જનરેશન અને શાતિર નેતૃત્વનો ઠીક મેળ પડી ગયો. આપનો દિલ્હી-પ્રવેશ, શીલા દીક્ષિતનો પરાજય, કેજરીવાલ શાસનમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવા તેમ જ વીજળીસુખ, આ બધું એક નાના પરિબળને અંગે વૈકલ્પિક રાષ્ટ્રીય પડકારની મનોવૈજ્ઞાનિક આભા જગવે તે સ્વાભાવિક હતું.

એમના કથિત નાણાંસ્રોતને મુદ્દે આજે એ વિવાદ અને શંકાના દાયરામાં છે. પણ એ જ નાણાંસ્રોત ભા.જ.પ.ને જે રીતે ફળી રહ્યો છે એનીયે વિગતો સાફ છે. ચૂંટણી જાહેરાત પછી પ્રવર્તન નિદેશાલય (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઈ.ડી.) જે રીતે મંડી પડેલ છે, જે રીતે ઈ.ડી.ની લોન્ડ્રીમાંથી સામેવાળાને ‘શુદ્ધ’ કરીને ભા.જ.પ. ભરતી કરી રહ્યું છે એ બધું જોતાં આ ક્ષણ આપ પરિબળ અને અરવિંદ નેતૃત્વની મર્યાદાઓ જાણતે સમજતે છતે એકાધિકારનાં બળોને મુકાબલે એને જોવાની છે. નોટબંધીથી શું થયું એનો સ્પષ્ટોત્તર ન્યાયમૂર્તિ નાગરત્ને હમણાં જ કાળાં નાણાં વગે કરવાની પેરવી રૂપે ઘટાવી આપ્યો છે.

ઈલેક્ટોરલ બોન્ડનો સત્તા-પ્રતિષ્ઠાનને એકતરફી લાભ અને દિલ્હી પ્રકરણમાં બહાર આવી રહ્યું છે તેમ બોન્ડ ખરીદી એપ્રૂવર રૂપે બહાર આવી ચૂંટણી ઉમેદવાર બનવાની એન.ડી.એ. તક (તેલુગુ દેશમ-ભા.જ.પ.) આ બધું, મુકાબલે આપ તરફે વિચારવાની ફરજ પાડે એ આપણી કારુણિકા હશે, પણ કમજોરી કદાચ નથી.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 ઍપ્રિલ 2024

Loading

...102030...736737738739...750760770...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved