Opinion Magazine
Number of visits: 9665472
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ દેશને બોદા રૂપિયાઓએ આઝાદી નથી અપાવી, સાચુકલી પાઈઓએ આઝાદી અપાવી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|26 May 2024

રમેશ ઓઝા

ગયા સપ્તાહના મારા લેખમાં મેં લખ્યું હતું કે તાકાત ભલે બેશુમાર હોય, સફળતા ત્યારે જ મળે છે જ્યારે કોઈ વિચાર અને એ વિચાર આધારિત માર્ગ સમાજિક પંક્તિઓમાં છેલ્લી પંક્તિના લોકો સ્વીકારી લે. એવું જો ન બને તો થોડો સમય વાવાઝોડું આવે અને પછી બંધુ શાંત પડી જાય. સ્વીકારનો એ અંતિમ માપદંડ છે. ઉન્માદ અને પરિવર્તનમાં પાયાનો ફરક છે. ઉન્માદ પરિવર્તનો નથી સર્જતાં.

અને આજે આ લખી રહ્યો છું ત્યારે ‘ધ વાયર’ નામના ન્યુઝ પોર્ટલમાં એક પુસ્તકનો રિવ્યુ જોવા મળ્યો. જાણીતી ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર સબા દીવાને ‘તવાયફનામા’ નામનું એક પુસ્તક લખ્યું છે જેમાં બનારસની તવાયફોએ આઝાદીની લડતમાં કેવી રીતે સાથ આપ્યો હતો તેની વિગત છે. ૨૫ અને ૨૬ નવેમ્બર ૧૦૨૦ના રોજ ગાંધીજી બનારસ ગયા હતા. ૨૫મી તારીખે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ગાંધીજીની સભા હતી જેમાં બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક મદનમોહન માલવિયજી હાજર હતા અને તેમની ઉપસ્થિતિમાં ગાંધીજીએ વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે સરકાર સાથે અસહકાર કરવાના ભાગરૂપે તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીનો બહિષ્કાર કરવો જોઈએ, કારણ કે યુનિવર્સિટી સરકારી અનુદાન લે છે. એ પછી તેમણે વિદ્યાર્થીઓને એવી પણ સલાહ આપી હતી કે તેમણે યુનિવર્સિટીનો બહિષ્કાર કરવાનો નિર્ણય મહામના પંડિતજીને સાંભળ્યા પછી જ લેવો જોઈએ, કારણ કે પંડિતજી મારા મત કરતાં જુદો મત ધરાવે છે. તેમણે પંડિત મદનમોહન માલવિયજીને બોલવા કહ્યું હતું, પંડિતજીએ ગાંધીજીના શાળાકોલેજ છોડવાના ગાંધીજીના કાર્યક્રમનો વિરોધ કર્યો હતો અને એ પછી વિદ્યાર્થીઓને નિર્ણય લેવા કહ્યું હતું. લગભગ અડધા કરતાં વધુ વિદ્યાર્થીઓએ મહામનાની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીનો બહિષ્કાર કર્યો હતો.

મદન મોહન માલવિયજી

કલ્પના કરો કેવા એ સંબંધ હશે, કેવા સ્તરની પારદર્શકતા હશે અને કેવી ખુદ્દારી હશે! મદનમોહન માલવિયજીની હાજરીમાં ગાંધીજીએ કહ્યું હતું કે હું ઈચ્છું છું કે આ યુનિવર્સિટીને તાળાં લાગે અથવા યુનિવર્સિટી સ્વદેશી મૂલ્યો પર ચાલે. પંડિતજીએ ગાંધીજીનું ટ્રોલીંગ નહોતું કરાવ્યું.

બીજા દિવસે ગાંધીજીની સભા બનારસના ટાઉનહોલનાં પ્રાંગણમાં હતી અને ત્યાં વિદ્યાધરીબાઈ નામની તવાયફ બનારસની તવાયફોને લઈને ગાંધીજીને સાંભળવા ગઈ હતી. તેમના પર ગાંધીજીનો એટલો પ્રભાવ પડ્યો હતો કે તેણે વિદેશી ચીજો વાપરવાનું બંધ કર્યું હતું, બને ત્યાં સુધી હાથ વણાટનાં કપડાં પહેરતી હતી અને તવાયફ સભા નામની સંસ્થાની સ્થાપના કરી હતી. હુસનાબાઈ નામની બનારસ શહેરની બીજી એક તવાયફની અધ્યક્ષતામાં મળેલી સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેશ ગુલામ છે એટલે આઝાદી ન મળે ત્યાં સુધી તવાયફો મુજરા કરતી વખતે સોનાનાં કડાં કે કંગન નહીં પહેરે પણ લોખંડનાં કડાં પહેરશે જે હાથકડીની યાદ અપાવશે. હજુ થોભો, વિદ્યાધરીબાઈએ આઝાદી અને સ્વદેશીનો પ્રચાર કરનારા મુજરા રચ્યા હતા. આને કહેવાય વિચારનો અને એ વિચારધારા આધારિત માર્ગનો સ્વીકાર. કોઈ વિવેક અગ્નિહોત્રીઓને પૈસા આપવામાં નહોતા આવ્યા, તવાયફોના કોઠામાં સ્વયંભૂ અવાજો ઉઠ્યા હતા. વિદ્યાધરીબાઈએ એ સમયે દેશને આઝાદ કરવા રચેલી “ચુન ચુન કે ફૂલ લે લો” નામની ઠુમરી વિદ્યાધરીબાઈના મૃત્યુ પછી અને દેશને આઝાદી મળી એ પછી પણ ઘણાં વરસો સુધી ગવાતી હતી. શું દેશપ્રેમ ચોક્કસ વર્ગનો ઠેકો છે? હજુ વધુ શોધખોળ કરતાં ખબર પડી કે જાણીતા હિન્દી સાહિત્યકાર અમૃતલાલ નાગરે ૧૯૫૮માં ‘યે કોઠેવાલિયાં’ નામનું પુસ્તક લખ્યું હતું અને એમાં તેમણે લખ્યું છે કે વિદ્યાધરીબાઈ અને બીજી તવાયફોને ગાંધીજી મળ્યા હતા.

અત્યારે બંગલાદેશમાં આવેલા બરીસાલ નામનાં શહેરની અને વિજયવાડાની દેહજીવીનીઓએ પણ ગાંધીજીના આંદોલનમાં પોતાની અનુકૂળતા મુજબ ભાગ લીધો હતો. બરીસાલની દેહવ્યવસાય કરનારી સ્ત્રીઓ તો ગાંધીજી સાથે વધારે સંપર્કમાં હતી અને એમાંની કેટલીક સ્ત્રીઓએ તો ગાંધીજીની સલાહ અનુસરીને દેહવ્યવસાય છોડીને ચરખો કાંતિને ગુજરાન ચલાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. અને આવા તો છેલ્લી પંક્તિના લોકોએ આઝાદીનું બીડું ઊંચકી લીધું હોય અને અનેક પ્રકારની મુશ્કેલીઓ વચ્ચે યથાસંભવ યોગદાન આપ્યું હોય એવા એક બે નહીં, સેંકડો દાખલા ગાંધીજીના અક્ષરદેહમાં મળે છે.

જાણીતી ગાયિકા શુભા મુદગલનું નામ તમે સાંભળ્યું હશે. તેમણે અને તેમના પતિ અને જાણીતા તબલાવાદક અનિશ પ્રધાને મળીને ૨૦૦૮ની સાલમાં ‘સ્વાતંત્ર્ય સમર ગીત’ નામનું આલ્બમ તૈયાર કર્યું હતું. કોણ હતા એ ગીતોના રચયિતાઓ અને ગાયકો? સાવ અજાણ્યા લોકો, સાવ છેવાડાના લોકો. તેમણે પોતાની જાતે જ મશાલ પોતાના હાથમાં લઈ લીધી હતી. ચંપારણમાં આજે પણ કવ્વાલી ગવાય છે જેમાં અંગ્રેજ પક્ષ અને ગળી ઉગાડનારા સ્વદેશ પક્ષ વચ્ચે કવ્વાલીઓમાં કરવામાં આવે છે એમ સવાલજવાબ કરવામાં આવે છે અને ગળીનું વાવેતર કરનારા ગરીબ ખેડૂતોનો વિજય થાય છે. ઝારખંડના આદિવાસીઓ આજે પણ તાનાભગતના ગાંધીગીતો ગાય છે. એક ટંક માંડ રોટલો મળતો હતો, પણ પેટ ભૂખ્યું હોવા છતાં તેમણે મશાલ બુઝાવા દીધી નહોતી. શુભા મુદગલ-અનિશ પ્રધાનના આલ્બમમાં વિદ્યાધરીબાઈની પણ રચના છે.

આ દેશને બોદા રૂપિયાઓએ આઝાદી નથી અપાવી, સાચુકલી પાઈઓએ આઝાદી અપાવી છે. બોદા રૂપિયા માફી માગતા હતા, અંગ્રેજોને મદદ કરતા હતા અને સાચુકલી પાઈ સમાન વિદ્યાધરીબાઈઓ સોનાનાં કડાંની જગ્યાએ હાથકડીની યાદ અપાવનારાં લોખંડના કડાં પહેરીને પોતાના અવાજનું રાષ્ટ્રીય અવાજમાં ઉમેરણ કરતી હતી. ઉમેરણ. હીઝ માસ્ટર્સ વોઈસ નહીં, ઉમેરણ. આને કહેવાય સ્વીકાર.

—

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 26 મે 2024 

Loading

ચલ મન મુંબઈ નગરી—249

દીપક મહેતા|Opinion - Opinion|25 May 2024

છેવટે ડોંગરીનો કિલ્લો થયો જમીનદોસ્ત અને બંધાયો ફોર્ટ જ્યોર્જ  

કોઈ એક ગુનેગારને ફાંસીને માચડે ન ચડાવવો એવું અદાલત નક્કી કરે અને પછી બીજે જ વરસે અદાલતને કહેવામાં આવે કે એ ગુનેગારને ફાંસી આપવા માટેને બધી તૈયારી થઈ ચૂકી છે. તમે હુકમ કરો એટલે ફાંસીનો ફંદો એના ગળામાં નાખી દઈએ. માણસની બાબતમાં આવું કદાચ ન બને. પણ આવું જ કૈંક બન્યું બિચારા ડોંગરીના કિલ્લાની બાબતમાં. સર આર્કિબાલ્ડ કેમ્પબેલ જે સલાહ આપશે તે પ્રમાણે અમે નિર્ણય લેશું એવું લંડનમાં બેઠેલા માંધાતાઓએ કહ્યું હતું. અને તેમની સલાહ ડોંગરીનો કિલ્લો તોડી પાડવાને બદલે તેને વધુ મજબૂત બનાવવાની હતી. તે લંડનવાળાઓએ સ્વીકારી હતી. આ બન્યું ૧૭૬૮માં. અને લંડનથી મુંબઈને હુકમ છૂટ્યો : ડોંગરીનાં કિલ્લાને વધુ મજબૂત બનાવો. અને બીજે જ વરસે, ૧૭૬૯ની ૮મી માર્ચે મુંબઈના પ્રિન્સિપલ એન્જિનીયર લંડન સંદેશો મોકલે છે કે ડોંગરીના કિલ્લાને તોડી પાડવાની બધી જ તૈયારી થઈ ગઈ છે. આપ હુકમ કરો એ ભેગો આ કિલ્લો જમીનદોસ્ત થઈ જશે.

આ એક વરસ દરમ્યાન મુંબઈ-લંડન વચ્ચે લખાપટ્ટી થઈ હશે જ. પણ કોણ જાણે કેમ સરકારી દફતરમાં તે વિષે એક હરફ પણ નોંધાયો નથી! હા, એક શક્યતા છે : નવો કિલ્લો બાંધવાનો કુલ ખર્ચ ૧,૧૮,૫૦૦ પાઉન્ડ જેટલો આવશે એમ મુંબઈએ લંડનમાં બેઠેલા સાહેબોને જણાવ્યું હતું. આટલો ખરચ કરવા કરતાં કિલ્લાને અને ડુંગરીને ફૂંકી મારવાં એ વધુ સારું એમ કદાચ બડેખાંઓને લાગ્યું હોય! અલબત્ત, આ કેવળ અનુમાન છે. હા, ડિરેક્ટરોએ એટલું જરૂર કહ્યું કે ડોંગરી પરના જે લોકોનાં ઘરબાર પણ જમીનદોસ્ત થશે તેમને તે ખાલી કરવા માટે દસ દિવસની નોટિસ આપવી. કર્નલ કેમ્પબેલની સલાહ પ્રમાણે આ કામ માટે ડાઈનેમાઈટનો ઉપયોગ કરવો. જો કે આમ કરવાથી ઘણાં વધુ ઘરોને અસર થશે. જેમનાં ઘર જમીનદોસ્ત થશે તેમને કેટલું વળતર આપવું એ નક્કી કરવા માટે ત્રણ જણાની સમિતિની નિમણૂક પણ લંડનના સાહેબોએ કરી : ફોર્ટીફિકેશન પેમાસ્ટર મિસ્ટર જર્વિસ, મુંબઈના કલેકટર મિસ્ટર ફ્લેચર, અને મુંબઈના પ્રિન્સિપલ એન્જિનિયર. છ મહિનામાં રિપોર્ટ મળ્યો કે મકાનો અને ઝાડ માટે આપવાની બદલાની કુલ રકમ ૯,૫૫૬ રૂપિયા જેટલી થશે. આ ઉપરાંત તેમને નવું ઘર બાંધવા જરૂરી જમીન આપવાનું પણ ઠરાવાયું. ડોંગરીના કિલ્લાને તોડી પાડવાનું કામ ૧૭૬૮ના ઓક્ટોબરની ૨૩મી તારીખે શરૂ થયું. ૧૭૬૯ના માર્ચની ૧૮મી તારીખે ડોંગરીના કિલ્લાને ડાઇનેમાઇટ વડે જમીનદોસ્ત કરવામાં આવ્યો. એ કામ પૂરું થયા પછી કુલ ૨,૦૫,૦૦૦ સોલિડ ફૂટ જેટલો કાટમાળ એકઠો થયો.

પણ હવે સવાલ એ ઊભો થયો કે આ કાટમાળને ખસેડવો કઈ રીતે?

એ વખતે મુંબઈના સાહેબોને માથે ફક્ત લંડનના સાહેબો જ નહોતા. બેની વચમાં સુરતની કોઠી(ઓફિસ)ના સાહેબો પણ ખરા. એ વખતે સુરત બાજુથી ઘણા લોકો કામની શોધમાં મુંબઈ આવતા. આવા ૬૫ લોકોને સુરતના સાહેબોએ ડોંગરીનો કાટમાળ ખસેડવા માટે રોકી લીધા, મજૂરી રોજના સાડા સાત રૂપિયા. અને મુકાદમને રૂપિયા દસ. એટલે મુંબઈના ચીફ એન્જિનિયરે લંડન ધા નાખી : સાહેબ, હવે તો હદ થાય છે. અમે મુંબઈમાં કોઈ મજૂરને ક્યારે ય આટલું બધું મહેનતાણું આપ્યું નથી. આટલા ઊંચા દરે મહેનતાણું આપવાથી એક તો ખરચ ઘણો વધી જશે. બીજું, અહીંના સ્થાનિક મજૂરો આના કરતાં ઓછા દરે કામ કરવા તૈયાર નહિ થાય. અને હવે ભવિષ્ય માટે પણ મજૂરીના આ દર જ નક્કી થઈ જશે. એટલે મારી આપને આગ્રહભરી વિનંતી છે કે સુરતથી જે મજૂરો આવ્યા છે તેમને તાત્કાલિક છૂટા કરવાની મને મંજૂરી આપવામાં આવે. અને આ દરે મજૂરો ન જ રોકવાનું સુરતની કોઠીને જણાવવામાં આવે.

પોતે કઈ રીતે અને કયા દરે મજૂરો રોકી શકશે એની વિગતો પણ મુંબઈના ચીફ એન્જિનિયરે લંડનના સાહેબોને મોકલી. એની વિગતોમાં આપણે નહિ જઈએ. પણ પોતે જે મજૂરોને રોકશે તેની સાથે કેવી કેવી શરતો કરશે તે પણ જણાવેલું. તેમાંની કેટલીક શરતો જોઈએ. મજૂરોની ભરતી મુકાદમો દ્વારા કરવામાં આવશે. ઓછામાં ઓછા ૨૫ મજૂરો લાવે તેની નિમણૂક મુકાદમ તરીકે કરવામાં આવશે. મુકાદમને મજૂર દીઠ રોજના ત્રણ આના સાત પાઈ ચૂકવવામાં આવશે. કોઈ પણ મજૂરને કામ દરમ્યાન ઈજા થાય અને તે કામ પર ન આવી શકે તો તેને પૂરો પગાર આપવામાં આવશે. જો મજૂર બહારગામથી મુંબઈ આવ્યો હશે તો તેને બે દિવસનો પગાર મુસાફરીના ખરચ પેટે આપવામાં આવશે. દરેક મજૂરે પોતે ત્રણ વરસ સુધી આ કામ કરશે, અને બીજું કોઈ કામ કરશે નહિ એવી બાંહેધરી આપવી પડશે. આ ત્રણ વરસ દરમ્યાન, અંગ્રેજ ઉપરીની લેખિત મંજૂરી વગર તે મુંબઈ બહાર જઈ શકાશે નહિ. કામ પૂરું કરીને રોજ મજૂર ઘરે જાય ત્યારે તેની તલાશી લેવામાં આવશે.

આ બધી વિગતો લંડન પહોંચી ત્યારે ત્યાંના સાહેબો સુરત અને મુંબઈ, બંને પર ભડક્યા. મુંબઈના ચીફ એન્જિનિયરે આ દરખાસ્ત પહેલાં મોકલી હોત તો અમે મજૂરોની બાબતમાં મદદ કરવા સુરતને કહેત જ નહિ. (એટલે કે સુરતે જે કાંઈ કર્યું તે લંડનનાં કહેવાથી કરેલું.) ચીફ એન્જિનિયરની દરખાસ્તથી ઘણી મોટી બચત થાય તેમ છે એટલે તેમને અમારો આદેશ છે કે સુરતથી લાવવામાં આવેલા મજૂરોને તાબડતોબ કામ પરથી છૂટા કરીને પાછા મોકલી દેવા. સિવાય કે, ચીફ એન્જિનિયરે જે શરતો જણાવી છે તે શરતે સુરતના મજૂરો મુંબઈમાં કામ કરવા તૈયાર થાય. જે મજૂરો પાછા જવાનું નક્કી કરે તેમનો મુસાફરીનો ખરચ મુંબઈ સરકારે ભોગવવાનો રહેશે.

ફોર્ટ જ્યોર્જની બચી ગયેલી દિવાલનો એક ભાગ

ડોંગરીનો કિલ્લો અને ડુંગર તોડતાં જે પથરા નીકળે તેનું કરવું શું? અગાઉ એ વેચવાની વાત હતી તે તો પડતી મૂકાઈ હતી. મુંબઈમાં જ્યાં જ્યાં સરકારી બાંધકામ ચાલતું હોય ત્યાં ત્યાં આ પથરા વાપરવા એવું તો ઠરાવ્યું. પણ એમ કરતાં વપરાઈ વપરાઈને કેટલા પથરા વપરાય? એટલે સરકારે નક્કી કર્યું કે જે કોઈ વહાણ મુંબઈના બંદરે નાંગરે તેણે પાછા જતી વખતે ફરજિયાતપણે ડોંગરીના પથરા બેલસ્ટ કહેતાં નીરમ તરીકે વહાણમાં ભરવા. (મુસાફરી દરમ્યાન વહાણ વધુ પડતું હાલકડોલક ન થાય તે માટે તેના પેટમાં ભારે પથરા, લાકડાં, રેતી કે બીજું જે કંઈ ભરાતું તેને બેલસ્ટ કહેતા.) પણ આ માટે ડોંગરીના પથરાને ગોદી સુધી તો લઈ જવા પડે ને!

સાચવી રખાયેલી ફોર્ટ જ્યોર્જની એક તોપ

આ કામ માટે શરૂઆતમાં બળદ ગાડાંનો ઉપયોગ સરકારે કર્યો. પણ પછી લંડનને જણાવ્યું કે ગાડા દ્વારા આ કામ બહુ ધીમે થાય છે અને બહુ મોંઘુ પડે છે. એટલે અમે તેને બદલે હોડી વાપરવાનું શરૂ કર્યું છે. એ માટેની ખાસ પ્રકારની બે હોડી અમે તૈયાર કરાવી છે. એક હોડી બનાવવાનો ખરચ ૧,૨૦૦ રૂપિયા જેટલો આવે છે. છેલ્લાં સાતેક અઠવાડિયાંથી એક હોડીએ તો કામ પણ શરૂ કરી દીધું છે. આ હોડીઓ સરકારી માલિકીની છે. પણ તે ચલાવવા માટે એક ટંડેલને મહિને સાત રૂપિયા અને ૧૪ ખારવાઓને ખારવા દીઠ મહિને છ રૂપિયા પગાર તરીકે અપાય છે. બીજા પરચૂરણ ખરચ સાથે એક હોડી પાછળ મહિને ૧૨૦ રૂપિયાનો ખરચ થાય છે. દરેક હોડી ૨૪ કલાકમાં બે ખેપ કરે છે. અને દરેક ખેપમાં સો ગાડાંમાં સમાય એટલા પથરાની હેરફેર કરે છે. અગાઉ ગાડાવાળાને એક ફેરી માટે આઠ પાઈ અપાતી હતી. પણ મોટા ભાગના તેમને મળતા પૈસાથી નાખુશ હતા. આ બચતને પરિણામે એક હોડી બાંધવાનો ખરચ ૭૫ દિવસમાં સરભર થઈ જાય છે. તે પછી દરેક હોડી કંપની સરકારને મહિને ૪૮૦ રૂપિયાની બચત કરાવી આપે છે. આ રીતે વાપરવા માટે ચાર હોડી તૈયાર છે. જેથી કરીને કંપની સરકારને વરસે ૨,૮૮૦ પાઉન્ડની બચત થશે.

મુંબઈના કોટને અડીને આવેલો ફોર્ટ જ્યોર્જ

થોડા વખત પછી મુંબઈના ચીફ એન્જિનિયરે લંડનના હાકેમોને જણાવ્યું કે મુંબઈ બહારથી મજૂરો લાવવા માટે મેં મારા કેટલાક અધિકારીઓને બહારગામ મોકલ્યા હતા. પરિણામે ૯૯૨ મજૂરો કામ કરતા થયા છે. અને થોડા વખતમાં આ આંકડો ૨,૦૦૦ પર પહોંચશે એવી અમને ખાતરી છે. અગાઉ અમે જણાવ્યું હતું તેના કરતાં પણ ઓછા દરે આ મજૂરો કામ કરવા તૈયાર થયા છે. આ જોતાં સુરતની ફેક્ટરીની યોજના કરતાં અમારી યોજનાથી કંપની સરકારને વરસે ૩૪,૦૦૦ રૂપિયાની બચત થશે. આ રીતે ગાડાંને બદલે હોડીનો ઉપયોગ કરવા માટે મેં અગાઉથી આપની મંજૂરી લીધી નથી. પણ આપે મારી નિમણૂક કરી છે ત્યારથી મારો સતત એ જ પ્રયત્ન હોય છે કે સરકારનું કામ સારામાં સારી રીતે અને ઓછામાં ઓછા ખર્ચે કરવું. એટલે આપ નામદારને મારી અ યોજનાને મંજૂરી આપવા વિનંતી છે. મંજૂરી મળી. ડોંગરીના પથરા હોડીઓમાં ભરાઈ ભરાઈને બંદર, અને ત્યાંથી દેશ-વિદેશ પહોંચી ગયા. અને મુંબઈમાં રહ્યું ફક્ત એક વિસ્તારનું નામ, ડોંગરી.

સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં ભોંયરું મળી આવ્યું તે દિવસે

ડોંગરીના કિલ્લાની આવરદા ખાસ્સી લાંબી. ૧૫૯૬માં પોર્ટુગીઝોએ બાંધ્યો. ૧૭૬૯માં અંગ્રેજોએ તેને ધરાશાયી કર્યો. તો બીજી બાજુ ખુદ અંગ્રેજોએ જ બાંધેલા એક કિલ્લાનું આયુષ્ય પૂરાં સો વરસનું પણ નહિ! ડોંગરીનો કિલ્લો જમીનદોસ્ત થયો તેને બીજે વરસે, ૧૭૭૦માં એક નવો કિલ્લો બંધાયો અને ૧૮૬૨માં તો તે નેસ્તનાબૂદ થઈ ગયો! એનું નામ ફોર્ટ જ્યોર્જ. એ બંધાયો કઈ જગ્યાએ એ અંગે થોડી ગૂંચવણ છે. કેટલાક કહે છે કે ડોંગરીનો કિલ્લો અને ટેકરી, બંને તૂટ્યા પછી એ જ જગ્યાએ ફોર્ટ જ્યોર્જ બંધાયો. જ્યારે કેટલાક કહે છે કે મુંબઈનો ફોર્ટ કહેતાં કોટ ઉત્તર દિશામાં જ્યાં પૂરો થતો હતો તે જગ્યાની નજીક આ નવો કિલ્લો બંધાયો હતો. એ હતો મજબૂત, પણ પ્રમાણમાં નાનો. લંબાઈ લગભગ દોઢ કિલો મીટર, પહોળાઈ ફક્ત ૫૦૦ મીટર. તે વખતના એક નકશામાં તો બોમ્બેના ફોર્ટને લગભગ અડીને ફોર્ટ જ્યોર્જ આવ્યો હતો એમ બતાવ્યું છે. ફ્રેરે રોડ પર આવેલા તેના જે અવશેષો બચ્યા છે તે પણ મુંબઈના ફોર્ટની નજીકમાં જ આવેલા છે. મહારાષ્ટ્ર રાજ્યના ડિરેક્ટરેટ ઓફ આર્કિયોલોજી એન્ડ મ્યુઝિયમ્સના તાબા હેઠળ તે છે. કિલ્લાના આ અવશેષો આવેલા છે સેન્ટ જ્યોર્જ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં. ૨૦૧૦માં આ હોસ્પિટલમાં એક ભોંયરું મળી આવ્યું હતું. આ ઉપરાંત જે.જે. હોસ્પિટલ, જી.પી..ઓ.નું મકાન અને ખુદ રાજભવનમાં પણ ભોંયરાં મળી આવ્યાં છે. બીજો કોઈ ઉપાય કારગત નીવડે એમ નથી એવું જણાય ત્યારે ભાગવા માટે આ ભોંયરાં અંગ્રેજોએ બનાવ્યાં હશે તેમ મનાય છે.

પણ પછી જે ઝડપે યુદ્ધવિદ્યાનો ‘વિકાસ’ થયો તે જોતાં કિલ્લા નિરુપયોગી જણાવા લાગ્યા. ડોંગરીનો કિલ્લો દુ:શ્મનના હાથમાં જાય તો તો આખા મુંબઈનું આવી બને એ વિચારે એ કિલ્લાને અને ટેકરીને તો ઉડાવી દીધાં. ડોંગરી પછી હવે ધરાશાયી થવામાં કોનો વારો આવે છે એ જોવાનું રહ્યું. એની વાત હવે પછી.

ઇતિ ડોંગરી દુર્ગ પુરાણે અંતિમ અધ્યાયઃ સમાપ્ત:

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 25 મે 2024)

Loading

भाजपा-आरएसएस रिश्तों पर नड्डा का बयान : पिता, पुत्र और राजनैतिक समीकरण

राम पुनियानी|Opinion - Opinion|25 May 2024

राम पुनियानी

चुनावी मौसम (अप्रैल-मई 2024) के आगे बढ़ने के साथ ही कुछ लोग कह रहे हैं कि इस बार भाजपा को वोट पाने में मदद करने के लिए आरएसएस के स्वयंसेवक मैदान में नहीं हैं. सिक्ख-विरोधी दंगों के बाद हुए 1984 के आम चुनाव के अलावा, अब तक हुए सभी चुनावों में आरएसएस ने भाजपा की मदद की है. इस चुनाव में आरएसएस की भूमिका चर्चा का विषय है. भाजपा के अध्यक्ष जे.पी. नड्डा ने द इंडियन एक्सप्रेस (19 मई 2024) में प्रकाशित अपने एक साक्षात्कार में दावा किया है कि आरएसएस एक सांस्कृतिक-सामाजिक संगठन है जबकि भाजपा एक राजनैतिक दल है. नड्डा ने कहा कि….”भाजपा अब आत्मानिर्भर है और अपने मामलों में निर्णय लेने में पूरी तरह सक्षम है. पिछले सालों में पार्टी परिपक्व हुई है और अटलबिहारी वाजपेयी के दौर – जब वह पूरी तरह आरएसएस पर निर्भर थी – जैसे स्थिति अब नहीं है.”

यह दावा नरेन्द्र मोदी के भारतीय राजनीति के क्षितिज पर तेजी से उदय, उनके द्वारा सभी निर्णय स्वयं लेने और उनके आसपास आभामंडल के निर्माण की पृष्ठभूमि में किया गया. यह आभामंडल कई तरीकों से निर्मित किया गया है और इसमें गोदी मीडिया की भूमिका कम नहीं है. मीडिया का एक बड़ा हिस्सा मोदी के चमचे कॉर्पोरेट शहंशाहों के नियंत्रण में है. कुछ लोग शायद यह मान सकते हैं कि किसी भी अन्य पार्टी की तरह भाजपा भी एक स्वायत्त पार्टी है या बन गयी है. पर क्या यह सच है? क्या यह सच हो सकता है?

जैसा कि हम सबको पता है, आरएसएस का गठन स्वाधीनता आन्दोलन के दौरान बढ़ते भारतीयता के बोध के मद्देनज़र हुआ था. भारत का औपनिवेशिक-विरोधी स्वतंत्रता आन्दोलन बहुवाद और विविधता के मूल्यों पर आधारित था. दलितों द्वारा सामाजिक समानता हासिल करने के लिए संघर्ष शुरू करने से आरएसएस के गठन की आवश्यकता और शिद्दत से महसूस की जाने लगी. इस हिन्दू राष्ट्रवादी संगठन का गठन मुसोलिनी और हिटलर के राष्ट्रवाद से प्रेरित था. एक अन्य हिन्दू राष्ट्रवादी संगठन हिन्दू महासभा की तरह आरएसएस सीधे राजनैतिक  मैदान में नहीं कूदा. उसने पहले स्वयंसेवकों और प्रचारकों को हिन्दू राष्ट्रवाद का प्रशिक्षण देने का रास्ता चुना.

समय के साथ उसने कई संगठनों का निर्माण किया, जिसके कर्ताधर्ता उसके प्रशिक्षित स्वयंसेवक थे. आरएसएस का पहला अधीनस्थ संगठन था राष्ट्र सेविका समिति, जो महिलाओं के लिए था. महिलाएं आरएसएस की सदस्य नहीं बन सकती थीं अतः प्रथम सरसंघचालक के.बी. हेडगेवार के मार्गदर्शन में आरएसएस प्रचारकों की नजदीकी कुछ महिलाओं ने राष्ट्र सेविका समिति का गठन किया. अन्य प्रचारकों ने अखिल भारतीय विद्यार्थी परिषद्, वनवासी कल्याण आश्रम, भारतीय मजदूर संघ, विश्व हिन्दू परिषद् और बाद में बजरंग दल का गठन किया. इस समय आरएसएस द्वारा गठित 60 से ज्यादा संगठन देश को हिन्दू राष्ट्र बनाने के संघ के एजेंडा को आगे बढ़ाने के लिए काम कर रहे है.

संघ-प्रशिक्षित नाथूराम गोडसे द्वारा महात्मा गाँधी की हत्या के बाद आरएसएस को अपनी राजनैतिक शाखा की ज़रुरत महसूस हुई. उसे एक ऐसे संगठन की ज़रुरत थी जो राजनीति के मैदान में उसकी बात रख सके. तब तक संघ सीधे राजनीति के क्षेत्र में प्रवेश करने का इच्छुक नहीं था. आर्य समाज की मदद से हिन्दू महासभा के श्यामाप्रसाद मुख़र्जी ने भाजपा के पूर्ववर्ती भारतीय जनसंघ का गठन किया. आरएसएस ने अपने तीन प्रमुख प्रचारकों को डेप्युटेशन पर जनसंघ में भेजा. ये थे अटल बिहारी वाजपेयी, लालकृष्ण अडवाणी और दीनदयाल उपाध्याय. आगे चल कर दीनदयाल उपाध्याय जनसंघ के अध्यक्ष बने और इसके साथ ही, आरएसएस का इस पार्टी पर पूर्ण नियंत्रण स्थापित हो गया. 

इस बीच आरएसएस ने अपनी शाखाओं में स्कूली बच्चों को हिन्दू राष्ट्रवाद की विचारधारा में प्रशिक्षित करना जारी रखा. उन्हें मुसलमानों से नफरत करना सिखाया गया और भारत के अतीत को महिमामंडित करना भी. सरदार वल्लभभाई पटेल के अनुसार आरएसएस द्वारा फैलाई गयी नफरत के कारण ही महात्मा गाँधी की हत्या संभव हो सकी. “सरदार पटेल की यह स्पष्ट राय थी कि आरएसएस द्वारा फैलाया गया सांप्रदायिक ज़हर ही महात्मा गाँधी की हत्या के लिए ज़िम्मेदार था…पटेल का कहना था कि “इसी ज़हर के नतीजे में, देश को गांधीजी के अनमोल जीवन की बलि चढ़ानी पड़ी.”

जनसंघ-आरएसएस ने सन 1975 में जयप्रकाश नारायण द्वारा शुरू किये गए आन्दोलन में ख़ुशी-ख़ुशी शिरकत की. उन्होंने जल्दी ही आन्दोलन पर अपना नियंत्रण स्थापित कर लिया. महात्मा गाँधी की हत्या से जुड़ाव के कारण आरएसएस की छवि मिट्टी में मिल चुकी थी. जेपी के आन्दोलन के साथ जुड़ाव से उसे मान्यता और स्वीकार्यता मिली. जेपी की प्रेरणा से स्थापित जनता पार्टी में जनसंघ का विलय हो गया. जनता पार्टी के अन्य घटक दलों ने जनसंघ से नेताओं से कहा कि वे आरएसएस से अपने सम्बन्ध ख़त्म करें और दोहरी सदस्यता (जनता पार्टी व आरएसएस) ए बाज आएं. मगर जनसंघ के नेताओं की मूल वफ़ादारी आरएसएस के प्रति थी और उन्होंने जनता पार्टी को छोड़कर सन 1980 में भारतीय जनता पार्टी (भाजपा) का गठन कर लिया.

हिन्दू राष्ट्रवाद की विचारधारा में यकीन रखने और उसमें प्रशिक्षित होने के बावजूद, चुनावी लाभ के लिए भाजपा ने ‘गांधीवादी समाजवाद’ को अपना आदर्श घोषित किया. मगर उसे चुनावी मैदान में कोई खास सफलता हासिल नहीं हुई. उसके बाद उसने बाबरी मस्जिद–राममंदिर मुद्दे का दामन थामा. राममंदिर आन्दोलन के दौरान हुई मुस्लिम-विरोधी हिंसा से समाज का ध्रुवीकरण हुआ और इसके साथ ही भाजपा की ताकत में दिन दूनी–रात चौगुनी वृद्धि हुई.

संघ परिवार (भाजपा जिसके सदस्यों में शामिल है) की नीतियों का निर्णय उसकी वार्षिक “अखिल भारतीय प्रतिनिधि सभा” की बैठक में होता है, जिसकी अध्यक्षता आरएसएस सरसंघचालक करते हैं. भाजपा के शक्तिशाली होते जाने के साथ ही आरएसएस का कार्यक्षेत्र और विस्तृत होता गया और उसे राज्य तंत्र में घुसपैठ करने का मौका मिल गया. सन 2014 के बाद से आरएसएस शाखाओं की संख्या में बहुत तेजी से वृद्धि हुई है. अखिल भारतीय प्रतिनिधि सभा की 2022-23 की रिपोर्ट के अनुसार, “सन 2022-23 में आरएसएस ने पूरे देश में 8,500 से ज्यादा नयी शाखाएं शुरू की हैं. इसके साथ ही देश में शाखाओं की कुल संख्या 68,651 हो गयी है, जो पिछले साल के 60,117 से 12 प्रतिशत अधिक है.”

इससे पता चलता है कि भाजपा के शासनकाल में आरएसएस की पैठ में कितनी तेजी से वृद्धि हो रही है. आरएसएस अपने अधीन विभिन्न संगठनों में श्रम विभाजन करता है. वहीं इस परिवार का मुखिया है और वही यह तय करता है कि हिन्दू राष्ट्र के निर्माण के उसके लक्ष्य की पूर्ती में किस संगठन की क्या भूमिका होगी.

श्री नड्डा के बयान को भाजपा के आरएसएस के साथ रिश्तों और पार्टी की चुनावी रणनीति की पृष्ठभूमि में समझा जाना चाहिए. यह मानने की भूल किसी को नहीं करनी चाहिए कि आरएसएस और उसकी संतान भाजपा में कोई मतभेद हैं. हिन्दू राष्ट्र के निर्माण में मोदी की छवि सहायक है. सभी तरह के सांप्रदायिक राष्ट्रवादों को एक बड़े व्यक्तित्व की आवश्यकता होती है. वह बड़ा व्यक्तित्व, जो अक्सर तानाशाह भी होता है, प्रजातान्त्रिक स्वतंत्रताओं को कमज़ोर करने या समाप्त करने में काम आता है. इसलिए मोदी की विराट छवि किसी भी तरह से संघ परिवार के एजेंडा में बाधक नहीं है. बल्कि वह कई तरह से उनके लक्ष्य को हासिल करने में मददगार है.

नड्डा ने जो कुछ कहा है, उसे सही परिप्रेक्ष्य में देखने-समझने की ज़रुरत है. जो उन्होंने कहा वह न तो आरएसएस और भाजपा के बीच किसी भी तरह के मतभेदों का सूचक है और ना ही उससे उनके संबंधों पर कोई असर पड़ने वाला है.

22/05/2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

...102030...693694695696...700710720...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved