સલૂણી આજ આવીને, ઊભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો અરે સૂરજ, ન લાવો રાત ધસમસતી.
હજી હમણાં જ ઊતરી છે, બપોરે બાળતી ઝાળો,
જરા થોભો અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.
હવે મમળાવવી મારે અહીં કુમાશ કિરણોની,
જરા થોભી, ફરી ખોલું, હતી બારી જે ઝગમગતી.
અહો કેવી મધુરી સ્હેલ આ સંસાર સાગરની,
જરા થોભો તમે નાવિક, ભલે આ નાવ ડગમગતી.
કટુ કાળી અને અંતે જતી અણજાણ નિર્વાણે,
જરા થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી !!
°
વીડિયો પ્રસ્તુતિ લીંકઃ
સ્વરાંકનઃ ભાવના દેસાઈ
https://www.youtube.com/watch?v=NdS7rgAiqFk
e.mail : ddhruva1948@yahoo.com
![]()



બંધારણના અનુચ્છેદ ૧૮(૧) મુજબ ભારત રત્ન આપવામાં આવે છે. તેમાં કોઈ નાણાં આપવામાં આવતા નથી. પરંતુ કેટલીક સગવડો મળે છે. પ્રોટોકોલમાં સાતમું સ્થાન ભારત રત્ન સન્માનિતનું રાખવામાં આવ્યું છે. રેલવે અને હવાઈ મુસાફરી નિ:શુલ્ક કરી શકાય છે. તેઓ રાજ્યના મહેમાનનો દરજ્જો ધરાવતા હોઈ તેમને રહેવા-જમવા-ફરવાની મફત સગવડ મળે છે. તેમની નિયમ મુજબની સલામતીની વ્યવસ્થા સરકારી ખર્ચે કરવામાં આવે છે. સરકારી કાર્યક્રમોમાં તેઓને નિમંત્રણ મળે છે. કેબિનેટ મંત્રીનો વી.આઈ.પી. દરજ્જો અને આવક વેરામાંથી મુક્તિનો લાભ મળે છે. ભારત રત્નથી સન્માનિત થયેલ વ્યક્તિ તેના નામની આગળ કે પાછળ ભારત રત્ન એવું લખી શકતી નથી. જો કે વિઝિટિંગ કાર્ડ, બાયોડેટા, લેટર હેડમાં તે રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્નથી સન્માનિત કે ભારત રત્ન પ્રાપ્તકર્તા એવું લખી શકે છે!