
Courtesy : "The Hindu", 17.04.2013
![]()

Courtesy : "The Hindu", 17.04.2013
![]()
૨૧ ડિસેમ્બર ૨૦૧૨ …. એ કોઈ ખાસ દિવસ નથી. નથી એ કોઈ પર્વ – ઉત્સવ દિવસ કે નથી કોઈ જયંતી દિન. હા, જેને ખગોળ વિજ્ઞાનમાં રસ હોય તેને માટે એ દિવસ થોડો અગત્યનો ખરો કારણ કે એ વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ છે. અને તેથી જ ઘણા લોકો કહેતા હોય છ કે હવે દિવસો બદલાશે.
પણ ૨૧મી ડિસેમ્બર તો દર વરસે આવે છે. તો પછી, આ ૨૦૧૨ની ૨૧મી ડિસેમ્બરનું શું અગત્ય ? આ તારીખના બે-ત્રણ દિવસ પહેલાં રેડિયો-ટી.વી.-અખબારપત્રોમાં આ તારીખનો ઉલ્લેખ થવા લાગ્યો, સાથે સાથે ચર્ચાઓ પણ થવા લાગી. અને ક્યાંક તો વિશેષજ્ઞોને બોલાવી વધુ માહિતીઓ પણ રજૂ થવા લાગી. ચર્ચાનો વિષય હતો, ‘શું આ દિવસે જગતનો અંત આવશે ?’
આવી જાતની વાતો, અફવાઓ રૂપે તો ઘણી વાર આવતી રહેતી હોય છે, પણ આખું સમાચાર જગત એ વાતની આટલી બધી ચર્ચા નથી કરતું. પણ આ સમયે તો બધા જ સમાચાર પ્રસારણમાં, એક જ વાત હતી કે દક્ષિણ અમેરિકાની માયા સંસ્કૃિતની ભવિષ્યવાણી મુજબ, આ ૨૧મી ડિસેમ્બર ૨૦૧૨નો દિવસ, એ આ જગત માટે આખરી દિવસ હશે. કારણ કે માયા સંસ્કૃિતનું કેલેન્ડર એમના ૫૦૩૨માં વર્ષે અંત પામે છે. જો કે લોકોએ આ વાતને ગંભીરતાથી નથી લીધી, અને સમાચાર પ્રાસારણોને તો એમને જોનારા-સાંભળનારાઓને, થોડું કુતૂહલ પીરસીને, પકડી રાખવામાં જ વધારે રસ હોય છે. એટલે બે ત્રણ દિવસ આ વિષયને ચગાવીને લોકોનું તેમણે મનોરંજન કર્યું અને ૨૨મી ડિસેમ્બર પછી આ વાત વિસારે પડી. હા, થોડા સૂર્ય પૂજકો અને થોડા ઉત્સાહી લોકો અને કેટલાક કુતૂહલતાથી પ્રેરાઈને દક્ષિણ અમેરિકાના એક પ્રદેશમાં જ્યાં માયા સંસ્કૃિતનું વિશાળ મંદિર છે, ત્યાં ભેગા થયા અને નિયત દિવસે, વહેલી સવારે મંદિરના વિશાળ પ્રાંગણમાં જન સંખ્યા ઉભરાવા લાગી. સૂર્યોદય થયો, પ્રાર્થના થવા લાગી. કોઈ આનંદિત થઈ નાચવા ગાવા લાગ્યા. બપોર થઈ અને સાંજ થવા આવી. સૂર્ય દેવનું છેલ્લું કિરણ મંદિરની ટોચ પરથી ધીરે ધીરે લુપ્ત થવા લાગ્યું. લોકોમાં ચહલ પહલ થવા લાગી, ઇન્તેજારી વધવા લાગી, કુતૂહલતાથી ચારે તરફ જોવા લાગ્યા. હરરોજની જેમ, સૂર્યાસ્ત પછી અંધારું થવા લાગ્યું અને કોઈ પરંતુ ઘટના ઘટી નહીં. ધીરે ધીરે લોક વિખરાયું અને વાત વિસરાઈ.
પણ પછી પ્રશ્નો જાગ્યા …..
જગતમાંના અનેક દેશોમાં પોતપોતાનું કેલેન્ડર-પંચાંગ હોય છે. અને એની શરૂઆત કોઈ વિશેષ ઘટના કે વિશેષ વ્યક્તિને સન્માનવા એના નામથી શરૂ થાય છે. જેમ કે પશ્ચિમના જગતમાં ઇસુની પાછળ ઇસવી સન કેલેન્ડર અથવા તો મધ્ય પૂર્વનાં દેશોમાં મહમદ પયગમ્બરના નામથી હિજરી સન અને ભારતમાં કોઈ મહાન રાજાને સન્માનવા વિક્રમ સંવત. એવી જ રીતે દૂર પૂર્વના દેશો ઇન્ડોનેશિયા, ચીન, જપાન વગેરેમાં પણ પોતપોતાના પંચાંગ હોય છે. જેની માહિતી અખબાર જગત એ દેશોના નવા વર્ષની ઉજવણી પ્રસંગે આપતું હોય છે. તેથી કરીને તે કેલેન્ડર-પંચાંગ અનુસાર કેટલામું વર્ષ શરુ થયું તે જાણવા મળતું હોય છે. જેમ કે ઇસવી સન ૨૦૧૩, હિજરી સન ૧૪૩૪ કે પછી વિક્રમ સંવત ૨૦૬૯, વગેરે વગેરે અને આ બધા જ કેલેન્ડર-પંચાંગ બેથી અઢી હજાર વર્ષની સમય મર્યાદાના હોય છે. જયારે આ માયા સંસ્કૃિતનું કેલેન્ડર-પંચાંગ તો પાંચ હજાર વર્ષ જૂનું બતાવે છે. તો આપણને આશ્ચર્ય થાય કે એ સંસ્કૃિત પાસે પાંચ હજાર વર્ષ પૂર્વે પંચાંગ વિષેની જ્ઞાન માહિતી હતી ?
પંચાંગ રચવા માટે શી શી માહિતી જોઈએ? પંચાંગ એટલે પાંચ અંગ અને એ પાંચ અંગ કે તત્ત્વો એટલે સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો અને પૃથ્વી. આ બધાની જાણકારી જરૂરી હોય છે. પૃથ્વી પોતાની ધરી પર ફરવાની અને સૂર્યની ચારેબાજુ પરિભ્રમણની જાણકારી, તે ઉપરાંત ચંદ્ર, ગ્રહો વગેરેના પરિભ્રમણ અને સૂર્ય વગેરેની જુદા જુદા નક્ષત્રો સાથે રચાતી કક્ષાની પણ જાણકારી …. આ બધાની જાણકારીથી દિવસ, માસ, ઋતુ અને વરસની સમજ સાથે સાથે બદલાતા વાતાવરણની આગાહી પણ કરી શકાય.
એટલે જુદા જુદા પંચાંગની વર્ષ સંખ્યા પરથી એવું લાગે કે માયા સંસ્કૃિત એ સૌથી જૂની અને ખગોળ વિજ્ઞાન પરિચિત સંસ્કૃિત હશે ! બીજો પ્રશ્ન એ થાય કે ભારતમાં વિક્રમ સંવત પહેલાં કોઈ પંચાંગ નહીં હોય? આપણા પુરાણની કથા માહિતી અનુસાર, આર્યભટ્ટ જેવા અનેક ખગોળશાસ્ત્રીઓ થઈ ગયા જેઓ વિક્રમ સંવત પૂર્વેના હતા. ખગોળ વિષે તેમણે ખૂબ ઊંડું અધ્યયન કર્યું હતું. તો શું એમણે પંચાંગ વિષે નહીં લખ્યું હોય ?
શું રામના સમયમાં, કૃષ્ણ કે બુદ્ધના સમયમાં કોઈ પંચાંગ નહીં હોય ? આપણને એની ખબર નથી કે એ પચાંગના ક્યાં વર્ષમાં રામ જન્મ્યા કે કૃષ્ણ-બુદ્ધ જન્મ્યા. આપણને કેવળ તિથિ યાદ રહી છે. રામ નવમી, કૃષ્ણ અષ્ટમી કે બુદ્ધ જયંતી, જે આપણે દર વર્ષે ઉજવીએ છીએ. આપણને તો દર વર્ષે જે આવે, તે ગમે. જ્યારે વર્ષ સંખ્યા તો ઇિહાસ પૂરતી જ મર્યાદિત રહે છે. આપણે ઉત્સવપ્રિય પ્રજા છીએ એટલે તિથિ મહત્ત્વની બની ગઈ. જ્યારે વર્ષ સંખ્યા બિન મહત્ત્વની થઈ અને વિસરાઈ ગઈ. કદાચ એવું પણ બને કે પુરાણા પંચાંગ હશે તો ખરાં, પણ સમય જતાં કોઈ અતિ મહત્ત્વની ઘટના ઘટી હોય, કે કોઈ ખૂબ જ શક્તિશાળી પ્રભાવી વ્યક્તિએ ખૂબ જ નામના કાઢી હોય તેને સન્માનવા તે સમયની વ્યવસ્થાએ કદાચ નવું જ પંચાંગ શરૂ કર્યું હોય. અને જૂનાને ધીરે ધીરે તિલાંજલિ આપી હોય ! એથી કરીને અત્યારના જુદાં જુદાં પંચાંગોની વર્ષ સંખ્યા બેથી અઢી હજાર વર્ષની રહી હોય !
માયા સંસ્કૃિતનું પંચાંગ પાંચ હજાર વર્ષ ચાલુ રહ્યું. કદાચ એ પ્રજામાં પ્રણાલી બદ્ધતા હોય કે પછી એવી કોઈ ઘટના કે વ્યક્તિ ન ઘટી હોય જે થકી નવું પંચાંગ શરૂ કરવાની જરૂર પડે. જે હોય તે હવે એ પંચાંગ પૂરું થયું. પણ ૫૦૩૨ પછી એ લોકો નવું પંચાંગ શરૂ કરશે કે ૫૦૩૩ લખશે? કે પછી અનેક સૈકાઓથી ચાલી આવતી યુરોપીય વ્યવસ્થા-આર્થિક વ્યવસ્થા હેઠળ એ પ્રજાએ યુરોપનું જ કેલેન્ડર અપનાવી લીધું હોય ! અને એવું તો ભારતમાં ય ક્યાં નથી થયું. આપણે ત્યાં સરકાર કે વેપાર વાણિજ્ય વગેરેમાં કે પછી સામાજિક વ્યવહારમાં પણ ક્યાંય વિક્રમ સંવત મુજબ તિથિ-માસ-વરસથી નોંધ નથી થતી. આપણે પણ યુરોપીય કેલેન્ડરને સ્વીકારી લીધું છે. હા, ધાર્મિક પ્રસંગે, વ્રત-નિયમ માટે કે લગ્ન વિવાહ પ્રસંગે આપણે ભારતીય પંચાંગ મુજબ વિક્રમ સંવતથી નોંધ કરીએ છીએ, ધાર્મિક ઉત્સવો પ્રસંગો ઉજવીએ છીએ.
અને હવે વધતા જતા વૈશ્વીકરણના જમાનામાં જયારે ઘણું બધું એકસૂત્રતામાં બાંધી લેવાના યત્નો થઇઈ રહ્યા છે, જેથી કરીને બધું સરળ સુગમ પડે, ત્યારે દેશ દેશના અલગ અલગ કેલેન્ડરો-પંચાગો અવ્યવહારુ બની જશે. અને ધીરે ધીરે એ પણ લુપ્ત થઈ જશે …. परिवर्तेन संसारे …. તો પછી પ્રાદેશિક ઉત્સવો, જયંતીઓ કે ધાર્મિક વ્રતો કે પર્વો એ બધાનો સમયક્રમ કેવી રીતે નક્કી થશે? જેની સાથે વર્ષોનો સંસ્કૃિત – સંબંધ છે, ધાર્મિક લગાવ છે એ બધા ઉત્સવો કેવી રીતે ઉજવાશે ? વૈશ્વીકરણના આ એક સૂત્રતા કે એક સુરતાના આ જુવાળમાં શું નિજનું બધું જ બદલાઈ જશે – તણાઈ જશે !
૨૧મી ડિસેમ્બર એ કંઈ અગત્યનો દિવસ નથી, પણ હવે દિવસો બદલાઈ જશે !!!
e.mail : mndesai.personal@gmail.com
(મુદ્રાંકન સહાય : અાશાબહેન બૂચ)
![]()
‘કોણ છે બારણે, જો તો, વહુ.’ સાસુમાએ હુકમ કર્યો.
‘મા, એ તો પેલા …’
‘હા, હા, આપી દે ને, કાલનાં વધેલાં દાળ-ભાત.’
‘પણ મા, જરા બારણે આવીને જુઓ તો ખરાં.’
માતાજી ખોડંગાતે પગલે બારણે આવીને જુએ છે, તો નજર પહોંચે ત્યાં સુધી, માનવ મહેરામણ, ધીમે અવાજે, એકધારો, ‘મા, કોઈ રોટી દે દે, મા કોઈ રોટી દે દે.’ એમ બોલ્યા કરે છે. એ જોઇને બેશુદ્ધ થતાં પહેલાં મા બોલી ઉઠ્યાં, ‘અ…ધ…ધ આટલા બધા કરોડ લોકો ?’
ચારેક મહિના પહેલાં, “The Times of India”માં વાંચેલ એક લેખ, જરૂર કરતાં વધારે લંબાયેલા શિયાળાના હિમ નીચે ઢબુરાઈને પડ્યો રહ્યો, જે આજે નરમ સૂર્યનાં કિરણોના સ્પર્શે વિચારોમાં ફેર ફૂટી નીકળ્યો. એ લેખમાંના આંકડાઓને અધિકૃત માની લઈએ, તો ઉપરોક્ત દ્રશ્ય શા માટે જોવા મળે, એ પ્રશ્ન જરૂર થયા વિના ન રહે.
ભારતમાં અત્યારે ૬૬૭ લાખ ટન અનાજનો જથ્થો જમા પાસામાં છે. છેલ્લા પાંચ વર્ષમાં, ૧૯૨ લાખ ટનનો, એટલે કે અગાઉના જથ્થામાં ૨૫૦%નો વધારો થયો. ખરેખર ખુશ થવા જેવી હકીકત છે આ. સરકારી નીતિ પ્રમાણે ભારત જેવા વિશાળ દેશ પાસે ૨૦૦ લાખ ટનનો બફર સ્ટોક અને ૫૦ લાખ ટન strategic (વ્યૂહાત્મક) જથ્થો હોવો જરૂરી છે. જેથી દુષ્કાળ કે પૂર જેવી કટોકટીના સમયમાં કામ આવે. પરંતુ આજે તો એના કરતાં ય અઢી ગણો અનાજ સંગ્રહ છે.
ગૌરવ લેવા જેવી વાત છે. પણ જુદા જુદા અભ્યાસો દ્વારા જાણવા મળેલા આંકડા જોઈએ, તો ભારતમાં ૨૦૦ મીલિયન લોકો ભૂખ અને અપૂરતા પોષણથી પીડાય છે. ગયે વર્ષે ભયંકર ભૂખમરાથી પીડાતા ૭૯ દેશોમાંથી ભારતનું સ્થાન ૬૫મું હતું. ૪૩% બાળકો અપૂરતાં પોષણથી પીડાય છે. આ બાબતમાં ભારત ઈથિયોપિયા, નીજર, નેપાળ અને બાંગ્લાદેશથી ય નીચા ક્રમાંકમાં આવે છે. આથી જ અનાજની વિપુલતાના આંકડાઓ જોઈને હરખાયેલું હૈયુ,ં ભૂખ્યા જનોની સંખ્યાના આંકડા જોઈને, હારી જાય છે.
સવાલ એ થાય છે કે જીવનદાયી અનાજનો પર્વત, ભૂખ્યા માનવ સમુદાયના દરિયાથી, કેમ ઘેરાયેલો છે ? સરકાર કુલ ઉત્પાદનના ૧/૩ ભાગ લેવી પેટે લે છે, તે ઉપરાંત તેના વિતરણમાં નડતી તુમારશાહી અને નફાખોરીની લાલચને કારણે અનાજનો ભરાવો વધે છે, એવું નિષ્ણાતો માને છે. સરકારી નીતિ છે કે ગરીબીની રેખા નીચે જીવનારને ઓછી કિંમતે અને ગરીબીની રેખાથી ઉપર જીવનારને વધુ ભાવે અનાજ વેચી શકે, પણ ખરેખર એવું અમલમાં મૂકાય છે ? સરકાર ૧૯૯૧ની વસતી ગણતરીના આંકડાનો ૨૦૦૦ની સાલમાં ઉપયોગ કરીને કહે છે કે ભારતમાં આઠથી દસ કરોડ લોકો ગરીબીની રેખા નીચે જીવે છે. ભારતની જનસંખ્યાનો આંક ૨૦૦૦માં ૯૯ કરોડનો હતો તે ૨૦૧૨માં વધીને ૧૨૨ કરોડનો થયો છે. સંશોધન કરીએ તો કદાચ જનસંખ્યાનો એ વધારો ભૂખમરો વેઠતી પ્રજામાં જ વધુ થયો હશે, એમ બહાર આવે તો નવાઈ નહીં. તો વધારાનું અનાજ એ વધેલી જનસંખ્યા પાસે પહોંચ્યું હશે ?
અમારી પુત્રવધૂ ભારત ફરવા આવેલી, પણ કુટુંબ વચ્ચે રહેવાનો પહેલીવાર તાજેતરમાં મોકો મળ્યો. તેને મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગની આધુનિક સગવડતાઓથી સુસજ્જિત રહેણી કરણી તેમ જ શહેરી ગરીબીનો જાત અનુભવ થયો. આવા વિરોધાભાસનું કારણ સમજાવવું મુશ્કેલ છે. મેં નિર્દેશ કર્યો કે આસપાસ નજર કરતાં એમ લાગે કે જાણે ઘણા લોકો ‘દુનિયામાં આવી ગયા છીએ તો ગમે તેમ કરીને પેટ તો ભરવું ને?’ એવું વિચારીને જે મળે તે કામ કરે, જેટલી મળે તેટલી રોજી કમાય, પણ ભીખ નથી માગતા એવું જોવા મળશે. ભૂખ્યાં-નાગાં હોય પણ કાળી મજૂરી કરીને કૈક પણ ઉપાર્જન કરે. નવરા બેસી રહેવાને બદલે કોલસાની ખાણ પાસે નકામો પડેલો કોલસો એકઠો કરીને (ગેર કાયદેસર છે, છતાં) ૨૦૦-૨૫૦ કિ.ગ્રા. જેટલું વજન ઉપાડીને ૬૦થી ૮૦ કિ.મિ. ચાલીને જનાર મજૂર એક કિલો કોલસાના છથી આઠ રૂપિયા મળે તો પણ એ પસંદ કરે છે.
ભારતમાં ખેતી અને મજૂરી કરનારો મોટો વર્ગ છે. એમને પૂરતી જમીન, શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી, મકાન અને કામની તકો પૂરી પાડવામાં આવે તો તેઓ દેશને સુજલામ સુફલામ બનાવી શકે. કરી જોવું છે ? એક બાજુ ધાન્યના ઢગલા ખડકાયા છે, તો બીજી બાજુ શહેરમાં રૂ.૧૮ની કે ગામડામાં રૂ.૧૨ની રોજીંદી માથાદીઠ આવક ધરાવનાર સંખ્યાબંધ કુટુંબો, સરકાર ૧કિલોના રૂ ૬.૧૦ના ભાવે ઘઉં અને રૂ. ૮.૩૦ના ભાવે ચોખા વેંચે તે પણ ખરીદી ન શકે, તેટલી બેકારી અને મોંઘવારીના ભાર તળે દબાય છે. યાદ રહે કે એ તમામ લોકો કામ કરવાને શક્તિમાન છે, એમની પાસે રોજગારીની તકો નથી. આવી મહેનતકશ પ્રજા માટે તો સરકારને વહાલ ઊભરાવું જોઈએ. તેમને માટે કામની તકો ઊભી કરવી જોઈએ.
ભૂખમરાનો ઉકેલ છે અનાજ વિતરણની વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરવામાં. તમામે તમામ પ્રજાજનને કિફાયત દામે અનાજ મળે છતાં બચે તેટલું અનાજ ભંડારોમાં ભર્યું છે. એક પણ માઈનો લાલ ભૂખ્યો ન સૂએ એટલી અન્ન સંપદા આપણી પાસે છે. આ વાત પેલી બેશુદ્ધ થયેલી મા શુદ્ધિમાં આવે ત્યારે સુધબુધ ગુમાવી બેઠેલા રાજકારણીઓને સમજાવશે ત્યારે ‘મા કોઈ રોટી દે દે.’ એમ કહેનારો એક પણ અવાજ નહીં હોય.
e.mail : 71abuch@gmail.com
![]()

