Opinion Magazine
Number of visits: 9696989
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સેક્યુલરિઝમ વિશે શંકા ધરાવતા વાચકોએ આજના ઐતિહાસિક-પવિત્ર દિવસે સ્વસ્થ ચિંતન કરવું જોઈએ

રમેશ અોઝા|Samantar Gujarat - Samantar|27 January 2014

સેક્યુલરિઝમ વિના લોકતંત્ર ટકી જ ન શકે. પાકિસ્તાનની બંધારણસભાએ પ્રભુસત્તા નાગરિકની જગ્યાએ અલ્લાહને આપી હતી. આ એક ઠરાવ સાથે સમૂહની સામે વ્યક્તિની ખો નીકળી ગઈ હતી. પાકિસ્તાને સેક્યુલરિઝમ નકાર્યું એટલે એના પરિણામસ્વરૂપ લોકતંત્ર પણ ગુમાવી દીધું



૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરી એ બે તિથિમાં શું ફરક છે એ જો તમે જાણતા હો તો આ લેખ વાંચવાની જરૂર નથી. ૧૫ ઑગસ્ટ સ્વતંત્રતા દિવસ છે અને ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન છે એટલું જ જો જાણતા હો અને એ બે વચ્ચે શું ફરક છે એની જાણ ન હોય તો આ લેખ વાંચવાનો ખાસ આગ્રહ છે. 



ભારતના ઇતિહાસમાં આ બન્ને દિવસ મહાન છે અને બન્નેનું મહત્ત્વ છે, પણ સ્વતંત્રતા દિન કરતાં પ્રજાસત્તાક દિનનું વધારે મહત્ત્વ છે. ગાંધીજી આઝાદીના આંદોલન દરમ્યાન ક્યારે ય આઝાદી કે સ્વતંત્રતા શબ્દ વાપરતા નહોતા, તેઓ હંમેશાં સ્વરાજ શબ્દ જ વાપરતા હતા એનું મહત્ત્વ છે. ગાંધીજીને મન સ્વરાજ એ સ્વતંત્રતાનો પર્યાયવાચી શબ્દ નહોતો પણ શાસનનો એક વિકલ્પ હતો. ગાંધીજીના નેતૃત્વ હેઠળ આપણે સ્વરાજ માટે લડતા હતા, સ્વતંત્રતા માટે નહોતા લડતા. સ્વ-રાજ એટલે આપણું પોતાનું રાજ, દેશના પ્રત્યેક નાગરિકનું પોતાના પર રાજ. સ્વતંત્ર તો પાકિસ્તાન પણ છે અને એવા બીજા અનેક દેશો છે, પણ સ્વરાજ બહુ ઓછા દેશો ભોગવે છે. ૨૬ જાન્યુઆરીએ આપણો દેશ પ્રજાસત્તાક બન્યો હતો. 


પ્રજાસત્તાક એટલે પ્રજાની સત્તા. ૧૯૪૭ના ઑગસ્ટ મહિનામાં ભારત અને પાકિસ્તાન સ્વતંત્ર થયાં ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે અંગ્રેજોની ગુલામીથી આઝાદ તો થયા, પણ સત્તા કોની હશે? ભારતને આઝાદી મળી એના એક વર્ષ પહેલાં ભારતનું બંધારણ ઘડવા બંધારણસભાની રચના કરવામાં આવી હતી. બંધારણસભામાં આ મૂળભૂત પ્રશ્ન આવ્યો હતો કે આઝાદ ભારતમાં પ્રભુસત્તા (સૉવરેન્ટી) કોની હશે? બંધારણસભાના સભ્યોમાં એ વિશે કોઈ મતભેદ નહોતો કે આઝાદ ભારતમાં પ્રભુસત્તા ભારતની પ્રજાની હશે. ભારત એક એવો દેશ હશે જ્યાં અંતિમ સત્તા પ્રજાની હશે. પ્રજા એટલે કોણ? તો એનો ઉત્તર આપવામાં આવ્યો કે ભારતનો નાગરિક, હું અને તમે. ભારતનો નાગરિક ભારતીય રાજ્યનું પ્રાથમિક એકમ છે. ટૂંકમાં, ભારતના બંધારણના અને રાજ્યના કેન્દ્રમાં નાગરિક છે, સમાજ એટલે કે સમૂહ નથી. હવે નાગરિક જ્યારે રાજ્યનું મૂળભૂત એકમ હોય તો સ્વાભાવિક રીતે નાગરિકના મૂળભૂત માનવીય અધિકારો, કાયદા સમક્ષની સહિત દરેક પ્રકારની સમાનતા, એક સરખી સુરક્ષાનો અધિકાર, ઇચ્છે ત્યાં વસવાટ કરવાનો, ઇચ્છે એ વ્યવસાય કરવાનો, એક સરખી તકનો અધિકાર કોઈ પણ પ્રકારના ભેદભાવ કર્યા વિના આપવો જોઈએ. બંધારણ ઘડનારાઓએ કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહો વિના ભારતના પ્રત્યેક નાગરિકને આ અધિકારો આપ્યા છે એટલું જ નહીં, રાજ્યસત્તા કે બીજી કોઈ પણ સત્તા નાગરિકના અધિકારો પર તરાપ મૂકે તો સીધા સર્વોચ્ચ અદાલતમાં ધા નાખવાનો પણ અધિકાર આપ્યો છે. બંધારણે નાગરિકના અધિકારોને સુરક્ષિત કર્યા છે અને સર્વોચ્ચ અદાલતને એના પર ચોંપ રાખવાનું કહ્યું છે. 



બંધારણ ઘડનારાઓએ જેવા ભારતની કલ્પના કરી છે એવા ભારતની રચના કરવી હોય તો એ લોકતંત્ર અને સેક્યુલરિઝમ વિના શક્ય નથી. લોકતંત્ર હોય પણ સેક્યુલરિઝમ ન હોય તો બહુમતી હિન્દુઓ લઘુમતી કોમને અન્યાય કરી શકે. આમ સેક્યુલરિઝમ વિના લોકતંત્ર ટકી જ ન શકે. એક કોમ બીજી કોમ પર શરતો લાદે તો એનો અર્થ એ થયો કે આપણે રાજ્યના કેન્દ્રમાંથી નાગરિક એટલે કે વ્યક્તિને હટાવીને સમૂહની સ્થાપના કરી ગણાય. જગતનો ઇતિહાસ એમ કહે છે કે સમાજનો સમૂહ હંમેશાં ખતરનાક સાબિત થયો છે. જો સમૂહની સત્તાને આદર આપવામાં આવે તો પુરુષ-સમાજ સ્ત્રીને અન્યાય કરી શકે, સવર્ણ-સમૂહ દલિતોને અન્યાય કરી શકે, હિન્દુઓ મુસલમાનને અન્યાય કરી શકે, ખાપ પંચાયત આંતરજ્ઞાતીય લગ્ન કરવા ઇચ્છતાં યુવકો-યુવતીઓને અન્યાય કરી શકે, મરાઠી પ્રાંતવાદીઓ પરપ્રાંતીયોને અન્યાય કરી શકે. એ સ્થિતિમાં લોકતંત્ર ટકી જ ન શકે. એટલે જ તો આધુનિક ભારતીય રાજ્યનું મૂળભૂત એકમ વ્યક્તિ કહેતાં નાગરિક છે, સમૂહ નથી.



આપણી સાથે જ એક દિવસ પહેલાં પાકિસ્તાન પણ બહારથી અલગ થઈને આઝાદ થયું હતું. વિભાજન અને આઝાદી પછી પાકિસ્તાને પણ બંધારણસભાની રચના કરી હતી. ૧૯૪૭ની ૧૧ ઑગસ્ટે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાએ પાકિસ્તાનની બંધારણસભામાં ઐતિહાસિક પ્રવચન કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં પ્રભુસત્તા નાગરિકની હશે. પાકિસ્તાન લોકતાંત્રિક અને સેક્યુલર દેશ હશે જેનું મૂળભૂત એકમ નાગરિક હશે અને સમૂહના ધોરણે નાગરિક સાથે ભેદભાવ કરવામાં નહીં આવે. ઝીણાના એ પ્રવચનમાં અને ભારતની બંધારણસભાએ પસાર કરેલા ઉદ્દેશના મુસદ્દામાં (ઑબ્જેક્ટિવ રેઝોલ્યુશનમાં) કાનોમાત્રનો પણ ફરક નહોતો એમ કહીએ તો ચાલે. પણ બન્યું એવું કે ઝીણાના મંગળ-પ્રવચન પછી સ્વતંત્ર પાકિસ્તાન રાજ્યની કલ્પના વિશેના ઑબ્જેક્ટિવ રેઝોલ્યુશન વિશે મતભેદ થયા હતા. મુલ્લાઓ અને ઇસ્લામવાદીઓએ કહ્યું હતું કે જો ભારત જેવું જ પાકિસ્તાન બનાવવું હતું હતું તો બહારથી અલગ થવાની જરૂર શું હતી?



ઇસ્લામવાદીઓના દબાણ હેઠળ મોહમ્મદ અલી ઝીણાએ ઝૂકવું પડ્યું હતું અને પાકિસ્તાનની બંધારણસભાએ પ્રભુસત્તા નાગરિકની જગ્યાએ અલ્લાહને આપી હતી. આ એક ઠરાવ સાથે સમૂહની સામે વ્યક્તિની ખો નીકળી ગઈ હતી. અલ્લાહની પ્રભુસત્તા સ્થપાઈ એટલે આપોઆપ હિન્દુ સહિત ગેરમુસલમાનો દ્વિતીય નાગરિક બની ગયા. મુસલમાનોમાં પણ અહમદિયા મુસલમાનો દ્વિતીય નાગરિક બની ગયા અને અત્યારે સુન્ની બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં શિયાઓના અધિકારો છીનવી લેવાનો સંઘર્ષ ચાલી રહ્યો છે. પાકિસ્તાનમાં દેવબંદી મુસલમાનો બરેલવી મુસલમાનોને ઓછા કે હલકા મુસલમાન ગણાવી રહ્યા છે. પાકિસ્તાનની આજની અવદશાનું કારણ અલ્લાહના નામે સમૂહની સ્થાપના કરવાનું અને નાગરિકનો અને નાગરિકના માનવીય અધિકારોનો છેદ ઉડાડવાનું છે. પાકિસ્તાને સેક્યુલરિઝમ નકાર્યું એટલે એના પરિણામસ્વરૂપ લોકતંત્ર પણ ગુમાવી દીધું. 

વાતનો સાર એ છે કે સેક્યુલરિઝમ વિના લોકતંત્ર ટકી જ ન શકે. સેક્યુલરિઝમ વિશે શંકા ધરાવનારા વાચકોએ આજના ઐતિહાસિક અને એટલા જ પવિત્ર દિવસે સ્વસ્થ ચિંતન કરવું જોઈએ.

(મંતવ્ય-સ્થાન)

http://www.gujaratimidday.com/features/columns/2014-01-25-23-57-58-

Loading

સેક્યુલરિઝમ વિશે શંકા ધરાવતા વાચકોએ આજના ઐતિહાસિક-પવિત્ર દિવસે સ્વસ્થ ચિંતન કરવું જોઈએ

રમેશ અોઝા|Opinion - Opinion|27 January 2014

સેક્યુલરિઝમ વિના લોકતંત્ર ટકી જ ન શકે. પાકિસ્તાનની બંધારણસભાએ પ્રભુસત્તા નાગરિકની જગ્યાએ અલ્લાહને આપી હતી. આ એક ઠરાવ સાથે સમૂહની સામે વ્યક્તિની ખો નીકળી ગઈ હતી. પાકિસ્તાને સેક્યુલરિઝમ નકાર્યું એટલે એના પરિણામસ્વરૂપ લોકતંત્ર પણ ગુમાવી દીધું

૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરી એ બે તિથિમાં શું ફરક છે એ જો તમે જાણતા હો તો આ લેખ વાંચવાની જરૂર નથી. ૧૫ ઑગસ્ટ સ્વતંત્રતા દિવસ છે અને ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન છે એટલું જ જો જાણતા હો અને એ બે વચ્ચે શું ફરક છે એની જાણ ન હોય તો આ લેખ વાંચવાનો ખાસ આગ્રહ છે. 



ભારતના ઇતિહાસમાં આ બન્ને દિવસ મહાન છે અને બન્નેનું મહત્ત્વ છે, પણ સ્વતંત્રતા દિન કરતાં પ્રજાસત્તાક દિનનું વધારે મહત્ત્વ છે. ગાંધીજી આઝાદીના આંદોલન દરમ્યાન ક્યારે ય આઝાદી કે સ્વતંત્રતા શબ્દ વાપરતા નહોતા, તેઓ હંમેશાં સ્વરાજ શબ્દ જ વાપરતા હતા એનું મહત્ત્વ છે. ગાંધીજીને મન સ્વરાજ એ સ્વતંત્રતાનો પર્યાયવાચી શબ્દ નહોતો પણ શાસનનો એક વિકલ્પ હતો. ગાંધીજીના નેતૃત્વ હેઠળ આપણે સ્વરાજ માટે લડતા હતા, સ્વતંત્રતા માટે નહોતા લડતા. સ્વ-રાજ એટલે આપણું પોતાનું રાજ, દેશના પ્રત્યેક નાગરિકનું પોતાના પર રાજ. સ્વતંત્ર તો પાકિસ્તાન પણ છે અને એવા બીજા અનેક દેશો છે, પણ સ્વરાજ બહુ ઓછા દેશો ભોગવે છે. ૨૬ જાન્યુઆરીએ આપણો દેશ પ્રજાસત્તાક બન્યો હતો. 


પ્રજાસત્તાક એટલે પ્રજાની સત્તા. ૧૯૪૭ના ઑગસ્ટ મહિનામાં ભારત અને પાકિસ્તાન સ્વતંત્ર થયાં ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે અંગ્રેજોની ગુલામીથી આઝાદ તો થયા, પણ સત્તા કોની હશે? ભારતને આઝાદી મળી એના એક વર્ષ પહેલાં ભારતનું બંધારણ ઘડવા બંધારણસભાની રચના કરવામાં આવી હતી. બંધારણસભામાં આ મૂળભૂત પ્રશ્ન આવ્યો હતો કે આઝાદ ભારતમાં પ્રભુસત્તા (સૉવરેન્ટી) કોની હશે? બંધારણસભાના સભ્યોમાં એ વિશે કોઈ મતભેદ નહોતો કે આઝાદ ભારતમાં પ્રભુસત્તા ભારતની પ્રજાની હશે. ભારત એક એવો દેશ હશે જ્યાં અંતિમ સત્તા પ્રજાની હશે. પ્રજા એટલે કોણ? તો એનો ઉત્તર આપવામાં આવ્યો કે ભારતનો નાગરિક, હું અને તમે. ભારતનો નાગરિક ભારતીય રાજ્યનું પ્રાથમિક એકમ છે. ટૂંકમાં, ભારતના બંધારણના અને રાજ્યના કેન્દ્રમાં નાગરિક છે, સમાજ એટલે કે સમૂહ નથી. હવે નાગરિક જ્યારે રાજ્યનું મૂળભૂત એકમ હોય તો સ્વાભાવિક રીતે નાગરિકના મૂળભૂત માનવીય અધિકારો, કાયદા સમક્ષની સહિત દરેક પ્રકારની સમાનતા, એક સરખી સુરક્ષાનો અધિકાર, ઇચ્છે ત્યાં વસવાટ કરવાનો, ઇચ્છે એ વ્યવસાય કરવાનો, એક સરખી તકનો અધિકાર કોઈ પણ પ્રકારના ભેદભાવ કર્યા વિના આપવો જોઈએ. બંધારણ ઘડનારાઓએ કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહો વિના ભારતના પ્રત્યેક નાગરિકને આ અધિકારો આપ્યા છે એટલું જ નહીં, રાજ્યસત્તા કે બીજી કોઈ પણ સત્તા નાગરિકના અધિકારો પર તરાપ મૂકે તો સીધા સર્વોચ્ચ અદાલતમાં ધા નાખવાનો પણ અધિકાર આપ્યો છે. બંધારણે નાગરિકના અધિકારોને સુરક્ષિત કર્યા છે અને સર્વોચ્ચ અદાલતને એના પર ચોંપ રાખવાનું કહ્યું છે. 



બંધારણ ઘડનારાઓએ જેવા ભારતની કલ્પના કરી છે એવા ભારતની રચના કરવી હોય તો એ લોકતંત્ર અને સેક્યુલરિઝમ વિના શક્ય નથી. લોકતંત્ર હોય પણ સેક્યુલરિઝમ ન હોય તો બહુમતી હિન્દુઓ લઘુમતી કોમને અન્યાય કરી શકે. આમ સેક્યુલરિઝમ વિના લોકતંત્ર ટકી જ ન શકે. એક કોમ બીજી કોમ પર શરતો લાદે તો એનો અર્થ એ થયો કે આપણે રાજ્યના કેન્દ્રમાંથી નાગરિક એટલે કે વ્યક્તિને હટાવીને સમૂહની સ્થાપના કરી ગણાય. જગતનો ઇતિહાસ એમ કહે છે કે સમાજનો સમૂહ હંમેશાં ખતરનાક સાબિત થયો છે. જો સમૂહની સત્તાને આદર આપવામાં આવે તો પુરુષ-સમાજ સ્ત્રીને અન્યાય કરી શકે, સવર્ણ-સમૂહ દલિતોને અન્યાય કરી શકે, હિન્દુઓ મુસલમાનને અન્યાય કરી શકે, ખાપ પંચાયત આંતરજ્ઞાતીય લગ્ન કરવા ઇચ્છતાં યુવકો-યુવતીઓને અન્યાય કરી શકે, મરાઠી પ્રાંતવાદીઓ પરપ્રાંતીયોને અન્યાય કરી શકે. એ સ્થિતિમાં લોકતંત્ર ટકી જ ન શકે. એટલે જ તો આધુનિક ભારતીય રાજ્યનું મૂળભૂત એકમ વ્યક્તિ કહેતાં નાગરિક છે, સમૂહ નથી.

આપણી સાથે જ એક દિવસ પહેલાં પાકિસ્તાન પણ બહારથી અલગ થઈને આઝાદ થયું હતું. વિભાજન અને આઝાદી પછી પાકિસ્તાને પણ બંધારણસભાની રચના કરી હતી. ૧૯૪૭ની ૧૧ ઑગસ્ટે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાએ પાકિસ્તાનની બંધારણસભામાં ઐતિહાસિક પ્રવચન કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં પ્રભુસત્તા નાગરિકની હશે. પાકિસ્તાન લોકતાંત્રિક અને સેક્યુલર દેશ હશે જેનું મૂળભૂત એકમ નાગરિક હશે અને સમૂહના ધોરણે નાગરિક સાથે ભેદભાવ કરવામાં નહીં આવે. ઝીણાના એ પ્રવચનમાં અને ભારતની બંધારણસભાએ પસાર કરેલા ઉદ્દેશના મુસદ્દામાં (ઑબ્જેક્ટિવ રેઝોલ્યુશનમાં) કાનોમાત્રનો પણ ફરક નહોતો એમ કહીએ તો ચાલે. પણ બન્યું એવું કે ઝીણાના મંગળ-પ્રવચન પછી સ્વતંત્ર પાકિસ્તાન રાજ્યની કલ્પના વિશેના ઑબ્જેક્ટિવ રેઝોલ્યુશન વિશે મતભેદ થયા હતા. મુલ્લાઓ અને ઇસ્લામવાદીઓએ કહ્યું હતું કે જો ભારત જેવું જ પાકિસ્તાન બનાવવું હતું હતું તો બહારથી અલગ થવાની જરૂર શું હતી?



ઇસ્લામવાદીઓના દબાણ હેઠળ મોહમ્મદ અલી ઝીણાએ ઝૂકવું પડ્યું હતું અને પાકિસ્તાનની બંધારણસભાએ પ્રભુસત્તા નાગરિકની જગ્યાએ અલ્લાહને આપી હતી. આ એક ઠરાવ સાથે સમૂહની સામે વ્યક્તિની ખો નીકળી ગઈ હતી. અલ્લાહની પ્રભુસત્તા સ્થપાઈ એટલે આપોઆપ હિન્દુ સહિત ગેરમુસલમાનો દ્વિતીય નાગરિક બની ગયા. મુસલમાનોમાં પણ અહમદિયા મુસલમાનો દ્વિતીય નાગરિક બની ગયા અને અત્યારે સુન્ની બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં શિયાઓના અધિકારો છીનવી લેવાનો સંઘર્ષ ચાલી રહ્યો છે. પાકિસ્તાનમાં દેવબંદી મુસલમાનો બરેલવી મુસલમાનોને ઓછા કે હલકા મુસલમાન ગણાવી રહ્યા છે. પાકિસ્તાનની આજની અવદશાનું કારણ અલ્લાહના નામે સમૂહની સ્થાપના કરવાનું અને નાગરિકનો અને નાગરિકના માનવીય અધિકારોનો છેદ ઉડાડવાનું છે. પાકિસ્તાને સેક્યુલરિઝમ નકાર્યું એટલે એના પરિણામસ્વરૂપ લોકતંત્ર પણ ગુમાવી દીધું. 

વાતનો સાર એ છે કે સેક્યુલરિઝમ વિના લોકતંત્ર ટકી જ ન શકે. સેક્યુલરિઝમ વિશે શંકા ધરાવનારા વાચકોએ આજના ઐતિહાસિક અને એટલા જ પવિત્ર દિવસે સ્વસ્થ ચિંતન કરવું જોઈએ.

(મંતવ્ય-સ્થાન)

http://www.gujaratimidday.com/features/columns/2014-01-25-23-57-58-

Loading

‘મધુકર’ બન્યો ‘કલાપી’ અને ‘ગુંજારવ’ બન્યો ‘કેકારવ’

દીપક મહેતા|Opinion - Literature|27 January 2014

અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જો કોઈ કવિઓને સાચા અર્થમાં લોકપ્રિયતા મળી હોય – અને લાંબા કાળ સુધી, આજ સુધી – ટકી રહી હોય તો તે બે કવિઓને. એક ઝવેરચંદ મેઘાણીને અને બીજા કવિ કલાપીને.

તેમાંથી કલાપીના જન્મને આજે ૧૪૦ વર્ષ પૂરાં થાય છે અને તેમના એકમાત્ર કાવ્યસંગ્રહના પહેલા પ્રકાશનને આ વર્ષે ૧૧૧ વર્ષ પૂરાં થાય છે. આ કાવ્યસંગ્રહ એટલે ‘કલાપીનો કેકારવ.’ અને આ કેકારવના પ્રકાશનનો ઇતિહાસ પાછો કોઈ રહસ્યકથા જેવો છે. પૈસા કે પહોંચ કે ધગશનો અભાવ તો હતો નહિ, એટલે પુસ્તક તૈયાર થાય તે પહેલાં અતિ ઉત્સાહમાં – કે અતિ આત્મશ્રદ્ધામાં – તેમણે તો પ્રસ્તાવના પણ લખી નાખી હતી, છેક ૧૮૯૩ના જાન્યુઆરીમાં. પણ કેકારવ પ્રગટ થઈ શક્યો કલાપીના અવસાન પછી છેક ૧૯૦૩માં. અને તે પહેલાં – અને પછી પણ – આ સંગ્રહને કલાપીના મિત્રો અને અનુયાયીઓની અહમહમિકામાંથી પસાર થવું પડ્યું હતું!

કાવ્યસંગ્રહ પ્રગટ કરવાનો વિચાર પહેલી વાર આવ્યો ત્યારે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલે પોતાનું ઉપનામ ‘મધુકર’ અને તેથી કાવ્યસંગ્રહનું નામ ‘મધુકરનો ગુંજારવ’ રાખવાનું નક્કી કરેલું. ૧૮૯૬માં ભાવનગરના પ્રેસમાં છાપકામ શરૂ પણ થયું. પણ ઝાઝું આગળ ન ચાલ્યું. (ભાવનગરના પ્રેસમાં છપાતા ‘નર્મકોશ’ અંગે નર્મદને પણ કડવો અનુભવ થયો હતો, અલબત્ત, જુદાં કારણો સર.) પછી છાપકામ મુંબઈના એક અત્યંત પ્રતિષ્ઠિત એવા નિર્ણયસાગર પ્રેસને સોપાયું. પણ ત્યાં છાપકામ ધીમું ચાલતું હતું એમ કહેવાય છે, અને એટલે કલાપીના સાહિત્યગુરુ મણિલાલ નભુભાઈ દ્વિવેદીના ‘સુદર્શન મુદ્રણાલય’માં તેનું છાપકામ કરવાનું નક્કી થયું. પણ સાથોસાથ એમ પણ નક્કી થયું કે સુરસિંહજીનાં કાવ્યો મણિલાલના ‘વિવરણ’ સાથે છાપવાં. પણ મણિલાલ તે માટે સમય ફાળવી ન શક્યા અને ૧૮૯૮ના ઓક્ટોબરમાં મણિલાલનું અવસાન થયું એટલે કવિ જટિલને સંગ્રહના છાપકામની જવાબદારી સોંપાઈ.

એ વખતે જીવણરામ લક્ષ્મીરામ દવે ઉર્ફે જટિલના સૂચનથી સુરસિંહજીએ પોતાનું તખલ્લુસ ‘મધુકર’ને બદલે ‘કલાપી’ રાખવાનું ઠરાવ્યું અને એટલે પછી કાવ્ય સંગ્રહનું નામ પણ બદલાયું – ‘મધુકરનો ગુંજારવ’ ને બદલે ‘કલાપીનો કેકારવ.’ પણ ૧૯૦૦ના જૂનમાં સુરસિંહજીનું અવસાન થયું અને ૧૯૦૧માં જટિલનું પણ અવસાન થયું. આમ, પૂરતાં સાધન-સગવડ અને ઇચ્છા હોવા છતાં સુરસિંહજીનો એકમાત્ર કાવ્યસંગ્રહ તેમની હયાતીમાં પ્રગટ ન જ થઈ શક્યો.

કલાપીના અવસાન પછી તેમના મિત્ર અને પ્રતિષ્ઠિત કવિ કાન્ત(મણિશંકર રત્નજી ભટ્ટ)ને માથે જવાબદારી આવી. પણ તેમને હાથે પણ ઢીલ થતી જોઈ આપણા પ્રતિષ્ઠિત કવિ-વિવેચક બલવન્તરાય ઠાકોર અકળાયા.  એટલે કાન્તે ભાવનગરના દરબારી પ્રેસમાં છાપકામ શરૂ કરાવ્યું, અને છેવટે ૧૯૦૩માં કાન્ત સંપાદિત ‘કલાપીનો કેકારવ’ પહેલી વાર પ્રગટ થયો. એ વખતે તેમના સંપાદનને સારી એવી સફળતા મળેલી એટલે ૧૯૦૯, ૧૯૧૧, ૧૯૧૬, ૧૯૨૦ અને ૧૯૨૨માં આ પુસ્તક ફરી છપાયું હતું. અલબત્ત, ૧૯૦૯ની આવૃત્તિમાં કલાપીનાં એક પત્ની શોભના વિશેના પત્રો ઉમેરાયા હતા તો ૧૯૨૦ની આવૃત્તિમાં કેટલાંક ચિત્રો પહેલી અને છેલ્લી વાર મૂકાયાં હતાં.

કાન્તના અવસાન પછી જગન્નાથ દામોદર ત્રિપાઠી ઉર્ફે ‘સાગર’ દ્વારા થયેલું કેકારવનું સંપાદન ૧૯૩૧માં પ્રગટ થયું. જો કે તેના પર સંપાદક તરીકે સાગરનું નહિ પણ કલાપીના પુત્ર જોરાવરસિંહજીનું નામ મૂકાયું હતું. કાન્તને નહિ મળેલાં એવાં કેટલાંક કાવ્યો સાગર મેળવી શક્યા હતા એટલે કાન્તના સંપાદનમાં ૨૧૫ કાવ્યો હતાં, ત્યારે સાગરના સંપાદનમાં ૨૪૯ કાવ્યો અને લાંબા કાવ્ય ‘હમીરજી ગોહેલ’ના કેટલાક ખંડ હતા. ૧૯૪૬ અને ૧૯૫૩માં સાગરનું સંપાદન ફરી છપાયેલું. ત્યાર બાદ ૧૯૫૯માં કલાપી સ્મારક ફંડ તરફથી નવી આવૃત્તિ પ્રગટ થઈ તેમાં હમીરજી ગોહેલ સહિત કુલ ૨૪૦ કાવ્યો હતાં. પણ આ આવૃત્તિમાં મૂળ કાવ્યોમાં મનમાની રીતે ફેરફારો, સુધારા, અને બગાડા કરવામાં આવ્યા હતા. છતાં ૧૯૬૩ અને ૧૯૬૮માં તેનું પુનર્મુદ્રણ થયું. પછી ૧૯૮૨ અને ૧૯૯૫માં યુ. એમ. પટેલ કલ્યાણ ટ્રસ્ટ તરફથી કેકારવ પ્રગટ થયો પણ તેમાંના કાવ્યો કલાપી સ્મારક ફંડની આવૃત્તિ પ્રમાણે જ હતાં.

કેકારવના પ્રકાશનની રહસ્યકથાનું છેલ્લું પ્રકરણ ઇ.સ. ૨૦૦૦માં શરૂ થયું. નવી સંશોધિત અને સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરી આપવા માટે ગાંધીનગરની ગુજરાત સાહિત્ય અકાદમીએ ડો. રમેશ મ. શુક્લને લેખિત આમંત્રણ મોકલ્યું. પુષ્કળ જહેમત પછી આવી આવૃત્તિ તેમણે તૈયાર કરી. પણ પછી કોઈ અગમ્ય કારણોસર તે પ્રગટ કરવાને બદલે અકાદમીએ ‘સામાજિક આવૃત્તિ’ પ્રગટ કરી નાખી. અકાદમીના આમંત્રણથી તૈયાર થયેલી આવૃત્તિ છેવટે ૨૦૦૧માં સુરતના ‘સાહિત્ય સંકુલ’ દ્વારા પ્રગટ થઈ. અગાઉની બધી આવૃત્તિઓ કરતાં આ આવૃત્તિ મુઠ્ઠી ઊંચેરી છે તે તેમાં સૌથી વધુ – ૨૫૮ – કાવ્યો છે એટલે જ નહિ, તેનું સંપાદન પૂરી શાસ્ત્રીયતાથી અને સજ્જતાથી થયું છે તેથી.

કલાપી અને મેઘાણીને મળેલી લોકપ્રિયતાની સરખામણી કરવા જેવી છે. કલાપી તેમના ટૂંકા જીવનકાળ દરમ્યાન કવિ તરીકે લોકોમાં જાણીતા થયા નહોતા કારણ તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ તેમના અવસાન પછી પ્રગટ થયો. જ્યારે મેઘાણીને તેમના જીવનકાળમાં જ અસાધારણ લોકપ્રિયતા મળી. તેમની મુખ્ય અને મહત્ત્વની મૂડી લોકજીવન અને લોકસાહિત્યનો પ્રગાઢ સ્પર્શ છે. તેમના પ્રભાવક વ્યક્તિત્ત્વ, વક્તૃત્ત્વશક્તિ અને બુલંદ કંઠે પણ તેમને લોકો સુધી પહોંચાડવામાં ઘણી મદદ કરી હોય. બંનેનાં પુસ્તકો લગભગ સતત ફરી ફરી છપાતાં રહ્યાં તેને કારણે પણ તેમનું લોકહૃદયમાંનું  સ્થાન ટકી રહ્યું. તો બીજી બાજુ વર્ષો સુધી કવિ નાનાલાલનાં પુસ્તકો ફરી છપાયાં જ નહિ તેથી અત્યંત સશક્ત કવિ હોવા છતાં તેઓ લોકહૃદયથી આઘા ખસતા ગયા. મેઘાણીનું ‘લોક’ સાથેનું અનુસંધાન મહત્ત્વનું બન્યું તો કલાપીને લાઠી રાજ્યના ‘રાજવી કવિ’ તરીકે અદકેરો દરજ્જો અપાયો.

પણ હકીકતમાં લાઠી એ વડોદરા કે ભાવનગરના રાજ્ય જેવું નહોતું, અંગ્રેજ સરકારના વિભાગીકરણ પ્રમાણે તે ચોથા વર્ગનું રજવાડું હતું અને તેના રાજ્યકર્તા ‘મહારાજ’ કે ‘રાજા’ તરીકે નહિ પણ ‘ઠાકોર’ તરીકે ઓળખાતા. કલાપીનું અવસાન થયું એ અરસામાં લાઠીના રાજ્યની કુલ વસ્તી માત્ર ૮૮૩૧ લોકોની હતી અને રાજ્યની કુલ વાર્ષિક આવક ૧૮૬,૩૮૭ રૂપિયાની હતી. રમા, શોભના અને કલાપીના પ્રણય-ત્રિકોણને કારણે પણ લોકોનું ધ્યાન તેમના તરફ રહ્યું, પણ બહુપત્નીત્વની પરંપરા ધરાવતાં રાજવી કુટુંબો માટે તે બહુ અસાધારણ ઘટના તો ન જ ગણાય. કલાપીની ઘણી કવિતાના ભાવો અને તેમના આર્દ્ર ઉદ્ગારોમાં યુવાવર્ગના સાહિત્યપ્રેમીઓને પોતાના હૃદયની વાત જ કહેવાતી હોય એમ લાગ્યું હોય અને કલાપીની લોકપ્રિયતાનું મુખ્ય કારણ કદાચ એ હોઈ શકે.

(ઋણસ્વીકાર : ડો. રમેશ મ. શુક્લ કૃત પુસ્તક ‘કલાપીઘટના’ અને તેમના દ્વારા સંપાદિત ‘કલાપીનો કેકારવ’ની ૨૦૦૧માં પ્રગટ થયેલી સંશોધિત અને સંવિવર્ધિત આવૃત્તિ)

(સૌજન્ય : ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 26 જાન્યુઅારી 2014)   

Loading

...102030...4,0424,0434,0444,045...4,0504,0604,070...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved