Opinion Magazine
Number of visits: 9584186
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બા બાપુની શીળી છાયામાં …

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|10 August 2017

‘અંગ્રેજી સાહિત્યમાં જેટલું ડાયરી સાહિત્ય છે તેટલું આપણે ત્યાં નથી. સૈનિકો, સાહસિકો, રાજપુરુષો, કળાકારો વગેરેએ તેમની ડાયરીને આધારે मॅमोइर्स લખીને અંગ્રેજી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આપણે ત્યાં જો આ જાતનું સાહિત્ય વિપુલ હોત તો આપણી ઇતિહાસની દૃષ્ટિમાં થોડો ફેર પડ્યો હોત એમ હું માનું છું કારણ કે આ સાહિત્ય કેટલીક ખાનગી રાખવામાં આવેલી મહત્ત્વની હકીકતો બહાર લાવે છે અને તત્કાલીન જીવનનનાં વિધવિધ પાસાંઓ પર પ્રકાશ ફેંકે છે.

‘ગુજરાતી ભાષામાં આ પ્રકારનું સાહિત્ય થોડું છે. ગુજરાતી સાહિત્યનો વિચાર કરતાં સહેજે નરસિંહરાવ દિવેટિયાની ડાયરીનો ઉલ્લેખ થાય. પરંતુ ગુજરાતી તેમ જ જગત ડાયરી સાહિત્યમાં સુંદર ફાળો આપ્યો હોય તો તે મહાદેવભાઈની ડાયરીએ. મહાદેવભાઈની ડાયરીએ સાહિત્યની દૃષ્ટિએ તો સુંદર છે જ પરંતુ તેથી વિશેષ તે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની તેમ જ બાપુના જીવનદર્શનની દૃષ્ટિએ મહત્ત્વની છે. મહાદેવભાઈની પ્રણાલિકા મનુબહેને જાળવી રાખી તે આપણું સદ્દભાગ્ય છે.’

મોરારજીભાઈ દેસાઈએ ‘દિલ્હીમાં ગાંધીજી[ભાગ પહેલો]’ની પ્રસ્તાવનામાં સને 1964માં આમ લખેલું. આ પુસ્તકના બીજા ભાગમાં, વળી, એમની દીર્ઘ પ્રસ્તાવનાન છે અને તેમાં મોરારજીભાઈ લખે છે :

‘આખી ડાયરીમાં એક ફિલ્મની જેમ એક પછી એક દૃશ્ય આપણી સમક્ષ આવે છે. એક અત્યન્ત વિશાળ ફલક ઉપર એક વિરાટ માનવનો હાથ ફરી રહેલો આપણે જોઈએ છીએ. પ્રચંડ વાવાઝોડામાં એક વામન દેહ દૃઢતાથી સંચરે છે. એ બધાની મધ્યમાં એ છે છતાં એને કશું સ્પર્શતું નથી, બધાથી એ પર છે, અલિપ્ત છે. ગીતાધર્મને આત્મસાત્‌ કરીને અનાસક્ત બનેલા એક સ્થિતપ્રજ્ઞની કથા આપણે વાંચીએ છીએ, અનુભવીએ છીએ.’

15-16 વર્ષની નાની વયે બાપુની સેવા કરતાં અધરાત મધરાત જ્યારે સમય મળ્યો ત્યારે બાપુનાં કાર્યો, ભાષણો અને મનોમંથનોને વિસ્તારથી ટપકાવીને મનુબહેને માનવજાતની બહુ મોટી સેવા કરી છે. વળી આ ડાયરી બાપુએ વાંચેલી અને એમાં પોતે સહી કરેલી તેથી એના શબ્દે શબ્દની સચ્ચાઈ વિષે તેમણે મહોર મારી છે. મનુબહેનનો આપણે જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે.’

સન 1942થી 1945ના ગાળાની નોંધવિગતો આ પુસ્તકમાં છે. તે વેળા મનુબહેનને બા-બાપુજી સાથે રહેવાનું થયું, ત્યારે એમને જે કેળવણી મળી તેનું ચિત્ર અહીં રજૂ થયું છે.

મહાદેવભાઈની ડાયરીઓ, સુશીલાબહેન નય્યરની ‘બાપુના કારાવાસની કહાણી’, ‘પૂર્ણાહુતિ’ નામે પ્યારેલાલના વિગતે લખાયેલા ગ્રંથો, નિર્મળકુમાર બોઝની ડાયરીઓ ઉપરાંત કુસુમબહેન હ. દેસાઈની હસ્તપ્રતના આધારે ગાંધીજીની ‘રોજનીશી’ સરીખાં પુસ્તકો આપણી સમક્ષ છે. ઉપરાંત મનુબહેને ડાયરીનાં વીસેક પુસ્તકો આપ્યાં છે. આવી એક ડાયરીમાં ‘નિવેદન’ રૂપે મનુબહેને લખ્યું છે : “… આવા એકબે લેખો પૂ. બાપુની હયાતીમાં પ્રગટ થયેલા. બાપુએ ટૃેનમાં આ વાંચીને વિનોદ કર્યો કે, ‘મેં મારી મંત્રી તરીકે તને ‘અભણ’ને અને નાનકડી છોકરીને રોકી તો તું ય ‘ખતરનાક’ નીવડી અને હવે લેખો લખવા માંડી !’ સાથોસાથ ગુજરાતી કહેવત કહી કે ‘ઘરનો બળ્યો વનમાં જાઉં તો વનમાં લાગી આગ.’ ખૂબ હસ્યા. પણ ‘આ રીતે તું તૈયાર થશે. મને બતાવીને બધું મોકલતી રહેજે.’ એમ સમજ આપી. આ રીતે શ્રી મનુભાઈના પ્રોત્સાહનથી મારું લેખન શરૂ થયું.”

મનુભાઈ જોધાણી “સ્ત્રીજીવન”ના સંપાદક હતા. અને એમની કુનેહથી આપણને પ્રથમ ‘બાપુ – મારી બા’ પુસ્તિકા સાંપડે છે, અને પછી ‘બા બાપુની શીળી છાયામાં’ પુસ્તક. ડૉ. હરીશ વ્યાસ નોંધે છે તેમ, ‘આ આગાખાન મહેલમાં સ્વાતંત્ર્યસંગ્રામમાં બ્રિટિશ સલ્તનત સામે ઝઝૂમતાં, જેલજીવનનાં કષ્ટો − યાતનાઓ ભોગવતાં મૃત્યુને પ્રેમથી ભેટતાં કસ્તૂરબાની’ કુરબાનીને લેખિકાએ અહીં વર્ણવી છે.

સન 1949માં પ્રકાશિત ‘બાપુ મારી મા’ ચોપડી પહેલી છે અને પ્રાથમિક સ્તરે છે. તે પછીના ક્રમે, સન 1952માં, આપણને ‘બા બાપુની શીળી છાયામાં’ મળે છે. આરંભે ‘નવજીવન’ પ્રકાશન સંસ્થાના તત્કાલીન પ્રકાશક લખે છે તેમ, ‘… સુશીલાબહેન નય્યરે આગાખાન મહેલની ગાંધીજીની નજરકેદનાં આ વરસોનો ઇતિહાસ તેમની રમ્ય શૈલીમાં ‘બાપુના કારાવાસની કહાણી’ પુસ્તકમાં આ પ્યો છે. આ ચોપડી જરા જુદી બાજુએથી તેમાં જોવા જેવો ઉમેરો કરે છે. પરંતુ તેની ખાસ નજરમાં આવતી બાજુ તો લેખિકાને ગાંધીજીએ જે તાલીમ આપી તે છે. એમાં શિક્ષણ-રસવાળા વાચકોને ગાંધીજી એક શિક્ષક તરીકે કામ કરતા જોવા મળશે. પરંતુ શાળાના શિક્ષક તરીકે તે કામ નથી કરતા. તે ત્યાં આગળ પોતાનું ઘર ચલાવનાર એક વાલી તરીકે કામ કરે છે અને તે દ્વારા બાળકોને ને સૌને શિક્ષણ આપતા અને પોતે લેતા જોવા મળે છે. બાળક શાળામાં જ નહીં, ઘરમાં અને તેમાં ચાલતાં કામો મારફતે − માતા પિતા તથા સાથે રહેતાં ભાઈભાંડુ સૌના સંસર્ગ મારફતે, તેઓનાં કામોમાં યથાશક્ય સહકાર કે મદદ કરવામાંથી − પણ કેળવાય છે. અને એ વસ્તુમાં રહેલું શિક્ષણ સચોટ હોય છે. એ શિક્ષણ એવું છે કે, જેવું ઘર ને તેનાં માણસો તેવું તે થશે. તે બધાં જે રીતે કામકાજ કરતાં હશે, તેવું તે બાળકનું સહજ-શિક્ષણ ચાલવાનું. બાળકોને આપમેળે જ તે તાલીમ અને સંસ્કારો આપશે. એમાં જેટલો જાગ્રતભાવ હશે તેટલું એ સારું થશે; તે નહીં હોય તેટલું તે વિચારશુદ્ધ નહીં બને, છતાં તે પોતાનો સહજ પ્રભાવ તો પાડશે જ.’

રસપ્રદ અને એકબીજા સંગાથે રસપૂર્વક સંકળાયેલા કુલ 43 પ્રકરણો અને 252 પાનમાં પથરાયું અ પુસ્તક વાચકને સતત જકડી રાખે છે. સાદી, સરળ ગુજરાતી તેમ જ ટૂંકા વાક્યો તે આ પુસ્તકની વિરાસત છે. પહેલું પ્રકરણ ‘શીળી છાયામાં’ રજૂ થયું છે. મનુબહેન કેવી ભૂમિકા વચ્ચે બા બાપુ પાસે જઈ પહોંચે છે, તેની રોચક વાત અહીં છે. સેવાગ્રામમાં બાપુ જોડે મનુબહેન પહોંચ્યાં અને બાપુએ કસ્તૂરબાને હવાલો સોંપતા જ કહી દીધું : ‘લે, તારા માટે એક દીકરીને લાવ્યો છું. હવે એને બરાબર સાણસામાં રાખજે કે છટકી ન શકે.’ તાકડે મનુબહેનની નોંધ કહે છે : ‘ઉપલા શબ્દો આજે જ્યારે મારી નોંધપોથીમાંથી મને વાંચવા મળે છે ત્યારે જાણે કે એકએક શબ્દની આગાહી બાપુએ તે વખતે કહી દીધી હતી એમ લાગે છે. હું બે મહિનાનું વૅકેશન ગાળવા પૂરતી જ સેવાગ્રામ ગયેલી, પણ કોઈ પૂર્વજોના પુણ્યના પ્રતાપે બંનેની આખરી સેવા કરવાનું મને મળ્યું.’

આ પુસ્તકમાંથી પસાર થતી વેળા વાચકને એક વાતનું સતત અચરજ રહે છે : વાત છો એક મહાત્માની હોય, એક તપસ્વી સતીની હોય, પણ આ ચોપડીને પાને પાને કુટુંબવત્સલ, સંસ્કારપ્રિય, સદાચારી, સૌજન્યશીલ, પરગજુ માણસનાં ચિત્ર ઉપસી આવે છે. બીજાં માટેનાં અનુકંપા, સમજણ, સૌહાર્દ તેમ જ સતત સર્વસમાવેશક જીવનનો પાસ આ બે માણસમાં દેખા દે છે. આ સંપૂર્ણપણે અસામાન્ય દંપતી કેવાં આસાન, સરળ, માણસભૂખ્યાં ને વળી સ્વાશ્રયી છે તેની પરખ મળે છે. આગાખાન મહેલમાં એમને સારુ યરવડા જેલમાંથી કેદીઓ લવાતા. તે દરેક માટે બાને જે ભાવ રહેતો, જે અનુકંપા રહેતી તે તો સમળૂગી કલ્પાનીત છે. વળી, સરોજિની નાયડુ, મીરાંબહેન, કિશોરલાલ મશરૂવાળા, સુશીલાબહેન નય્યર, પ્યારેલાલ, ગિલ્ડર, જેવાં જેવાં અનેક મુઠ્ઠી ઊંચેરા આગેવાનો કંઈ કેટકેટલી માણસાઇથી ભરેલાં હતાં તે વાંચતાં તો રોમાંચક થઈ જવાય છે.

બા અને બાપુના કેટકેટલા સંવાદો પાયાની કેળવણી સમાન વર્તાય છે. ફ્રૉક પહેરવું, સાડી પહેરવી, ભોજન વેળા પાણીનો લોટો ભરી લેવાની વાત હોય. મનુબહેન કહે છે તેમ, ‘ઝીણી ઝીણી ટેવો કેટલી સૂક્ષ્મતાથી અને ટૂંકમાં સમજાવી શકતાં’.

આ પુસ્તકમાંથી પસાર થતાં, એક બીજી અગત્યની વાત પકડાયા વગર રહેતી નથી : કસ્તૂરબાની ‘સિક્સ્થ સેન્સ’; અને કેટલાક દાખલામાં બાપુની સામે કસ્તૂરબાને જે સમજાય છે, દેખાય છે તે વિશેષપણે વાસ્તવમાં જોવાઅનુભવવા મળે છે ! આગોતરા ને ત્રીજા પ્રકરણમાં મનુબહેન જ નોંધે છે : ‘બાપુજીએ પોતે જ ઠરાવો કર્યા, ભાષણો આપ્યાં, છતાંયે બાપુજીની ગણતરી ખોટી પડી ! અને માત્ર છાપાંઓ પરથી કરેલ અભણ બાનું અનુમાન તદ્દન સાચું પડ્યું અને બધાને જેલ જવું પડ્યું !’

મહાદેવ દેસાઈ તેમ જ કસ્તૂરબાના દેહવિલય વેળાની તાદૃશ વાત મનુબહેને લખી જ છે અને બા બાપુની માનવસહજ સમજણને ઉજાગર કરી છે. નાગપુરની જેલમાંના સુપરિન્ટેન્ડેન્ટનું ચિત્રણ બહુ જ સરસ થયું છે. એમની લાક્ષણિકતા અને સમજણની વાચક તારીફ કર્યા વિના રહી શકતો નથી.

‘જેલમાં ભણતર’ નામક પ્રકરણમાં તો કરકસર બાબતની ભારે પાયાગત બાબતો ચર્ચાઈ છે. ભૂમિતિ શીખવવા માટે મનુબહેને દોઢ રૂપિયાને ખર્ચે ચોપડી મગાવી. અને બાપુએ આપણને દરેકને પણ શીખવા, અનુસરવા લાયક ભારે અગત્યની સમજ આપી. મનુબહેન નોંધે છે : ‘સાંજ પડી. બાપુ અને અમે બધા બહાર ફરવા નીકળ્યાં. ફરી નોટબુક પ્રકરણ ઊપડ્યું, “તું સમજીને, એમાંથી તને કેટલો મોટો પાઠ મળ્યો ? (૧) એ દોઢ રૂપિયો કોણ આપે છે ? કોને ચૂસીને આ બધું ખર્ચ પૂરું પડાય છે ? એ બધા ખર્ચનો પૈસો કંઈ વિલાયતથી નથી આવતો. એટલે એમાં મેં તને ઇતિહાસ શીખવ્યો. (૨) અને જોઈએ તે કરતાં વધુ કોઈ પણ જાતની સગવડ મળતી હોવા છતાં તેનો ઉપયોગ ન કરવો જોઈએ, એટલે માનવતાનાં ઘણાં લક્ષણોમાંનો એક ગુણ શીખવ્યો. (૩) અને પડેલી ચીજનો સુંદર ઉપયોગ થશે. એ તારીખિયાં અમસ્તાં ફેંકાઈ જાત તે હવે જો તારા ઉપયોગનાં હશે તો સંઘરાશે. અને નહીંતર ફેંકાય તો ય એનો ઉપયોગ થયા પછી ફેંકાય, તેમાં કશી હરકત નથી. (૪) વળી કદાચ તારે બહાર જવાનું થાય તો પાકા પૂંઠાની આટલી સુંદર નોટબુક અને તેમાં દાખલા ગણ્યા હોય અને તું શાળામાં ભણવા જાય તો કદાચ ચોરાઈ પણ જાય, (અમારા વખતમાં ઘણી વખત એમ બનતું) એટલે આવાં તારીખિયાં કોઈને ય ચોરવાનું મન ન થાય. બોલ આ સહુથી મોટો ફાયદો થયોને ?”

આપણે સરકારમાં, જાહેર જીવનમાં તેમ જ ખાનગી જીવનમાં નકરો બગાડ કરીએ છીએ ત્યારે આ ઘટના આપણને સૌને ને દરેકને ભારે મોટી કેળવણી આપી જાય છે.

કસ્તૂરબાનો એક ભાતીગળ પ્રસંગ લેખિકાએ ‘સાચું સ્વદેશી’ પ્રકરણમાં લીધો છે. આ પ્રકરણનો મહદ્દ અંશ આમ છે :

હું દૂધ ગાળતી હતી. મોટીબા કહે : ‘મીરાની તબિયત કેમ છે ?’

મેં કહ્યું : ‘મને કપડું મળતું ન હતું તેથી એમને પૂછવા ગઈ હતી, પણ ઊંઘતાં હતાં એટલે મેં જગાડ્યાં નહીં.’

મોટી બા કહે : ‘ત્યારે આ કપડું ક્યાંથી લીધું ? શામાંથી ફાડ્યું ? ધોયું હતું કે નહીં ?’

મેં કહ્યું : ‘કરાંચીના પારસલમાં જેની અંદર ખજૂર બાંધેલું હતું તે કપડું છે. કપડું તદ્દ્ન નવું મેં ધોઈને સાચવી મૂક્યું હતું. ફરી અત્યારે ધોઈને જ આ દૂધ ગાળું છું.’

મોટીબાએ એ કપડાને હાથમાં લીધું. કપડું બરાબર ઊંધું સીધું ફેરવીને જોયું. પણ કપડું હતું મિલનું. ‘આ મિલના કપડાથી બાપુજીને પીવાનું દૂધ ગળાય કે ? આ તો મિલનું કપડું છે. બાપુજીને ખબર પડે કે મિલના કપડાથી ગાળ્યું છે તો એમનું મન દુભાશે. આપણી પાસે ખાદીના કકડા ક્યાં ઓછા છે ? આપણાથી આપણા ઉપયોગમાં મિલનું કપડું કેમ જ વપરાય ? જો કદાચ મિલના કપડાથી જ આપણી ગરજ સરતી હોય તો એવી ગરજનો ત્યાગ કરવો જોઈએ. પણ મિલના કે વિલાયતી કપડાથી આપણો સ્વાર્થ ન જ સધાય. તું જાણે છે કે મિલનાં કપડાં દેખાવમાં ઝીણાં લાગે છે. તેથી ઘણી વખત એમ મનાય છે કે ગાળવા કે એવા ઉપયોગને સારુ એ ઉત્તમ છે. પણ એ તદ્દન ખોટું છે. ખાદીનું જાડું કપડું હશે છતાં ય ખાદીના વણાટમાં એવાં છિદ્રો રહેલાં છે કે એ કપડું મિલના કપડા કરતાં ઉત્તમ કામ આપે. આજે તો તને એમ થયું હશે કે, આ કપડાથી સારું ગળાશે; અને ગાળવામાં શી હરકત ? કપડું પહેરવું હોય તો વાંધો. પણ આ મોટી ભૂલ છે. આજે તો તેં દૂધ ગાળ્યું અને કાલે તો તને થશે કે કેવું મુલાયમ લાગે છે, ચાલને પહેરી લઉં ! એટલે ત્યાં મન ડગે. વળી મિલના કપડાથી ગાળેલું દૂધ પેટમાં જાય એટલે ઝીણી નજરે એ એક જાતનું પાપ પેટમાં ગયું કહેવાય. આપણે તો સ્વદેશીની પ્રતિજ્ઞા છે. વળી બાપુજી કેવા પ્રતિજ્ઞાશાળી છે ? એટલે તને તો આવી કંઈ ખબર ન જ હોય. તેં તો સ્વચ્છ અને ઝીણો કટકો જોઈને વાપર્યો. પણ તને હવે પછી ચેતવવા અને શીખવવા કહું છું. પ્રતિજ્ઞા તો પાળનાર હોય કે પળાવનાર હોય. (તું અત્યારે મારી કે બાપુજીની પ્રતિજ્ઞા પળાવનાર છો.) એટલે તું કદાચ બકરીના દૂધને બદલે ભેંસનું દૂધ બાપુજીને આપી દે. બાપુજી તો દોષમાં નથી પડતા, પણ તું પડે છે. એટલે બંનેએ પ્રતિજ્ઞાને સુક્ષ્મ રીતે સાચવવી જોઈએ. તો જ એ પ્રતિજ્ઞા સાચી. બાકી તો સગવડિયા ધર્મ જેવો નર્યો દંભ જ કહેવાય. હવે ફરીથી ખાદીના કકડાથી દૂધ ગાળી લે અને આ ઉપરથી બરાબર સાવચેતી રાખજે.’

મેં બધું દૂધ ફરી ખાદીના કટકાથી ગાળી લીધું. પણ પ્રતિજ્ઞાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ રૂપે કેમ પાલન કરવું એ સમજાયું, અને મિલના કટકાથી ગાળેલું દૂધ ફરી ખાદીના કટકાથી બાએ ગળાવ્યું, એવા સમજપૂર્વકના ખાદીના આગ્રહના બનાવની બાપુજીને મેં વાત કહી.

બાપુજી કહે : “ભલે બા અભણ છે, પણ મારી દૃષ્ટિએ જેટલું એ પામી છે, જેટલું એ સમજી છે, એનું સૂક્ષ્મ પૃથક્કરણ એ કરી શકે છે. અને ઘણી વખત હું માનું છું કે, જેમ કૉલેજમાં કોઈ ખાસ વિષયના પ્રોફેસરો ખાસ વિષયો ઉપર અણિશુદ્ધ અને ભાવનામય વ્યાખ્યાન છોકરાઓને આપી શકે, તેમ બાએ પણ સમજપૂર્વક જેટલું પચાવ્યું તેમાં શ્રદ્ધાની સાથે જ્ઞાન ભેળવીને આજે તને ખાદીનું આટલું મહાતમ સંભળાવ્યું. જેમ એકાદશીમહાતમ તારી પાસે બા દરેક એકાદશીને દિવસે વંચાવે છે, તેમ આ પણ એક પવિત્ર ખાદી મહાતમ છે. જો ઘરમાં માતાઓ પોતાનાં બાળકોને આવી કેળવણી આપતી થઈ જાય તો મને પૂર્ણ સંતોષ છે. આમાં નથી કંઈ અંગ્રેજી, ભૂમિતિ કે બીજગણિત શીખવાની જરૂર. કેવળ શ્રદ્ધા જોઈએ. પણ એ શ્રદ્ધા જ્ઞાનપૂર્ણ હોવી જોઈએ.

વારુ! કેવાં કર્મઠ, ઊંડાણભરી અને વળી સાધનશુદ્ધિની પાયાગત સમજણ અને સ્વીકાર. આપણે દરેક આમ રોજ-બ-રોજ જીવતાં થઈ જઈએ તો, … કમાલની વાત બને !

કસ્તૂરબાના અવસાનનું પ્રકરણ ઘણું કહી જાય છે. બા ભારે માંદગીને લીધે બીછાને છે. મરણની ઘડીઓ હતી. અને બા બાપુની સગવડ સાંચવવાની સૂચનાઓ લેખિકાને આપતાં જ રહ્યાં છે. ચોપાસ અનેક છે અને એકાએક અંતે, ‘બાપુજી’ કહી એમને બોલાવે છે. ગાંધીજી હસતા હસતા આવ્યા. કહે, ‘તને એમ થાય છે ને આટલાં બધાં સગાંઓ આવ્યાં એટલે મેં તને છોડી દીધી ?” એમ કહી જયસુખભાઈ ગાંધીની જગ્યાએ બેઠા. ધીમેથી માથે હાથ ફેરવે છે. બાપુજીને કહે, ‘હવે હું જાઉં છું. આપણે ઘણાં સુખદુ:ખ ભોગવ્યાં. મારી પાછળ કોઈ રડશો મા. હવે મને શાંતિ છે.’ આટલું બોલ્યાં ત્યાં તો શ્વાસ રૂંધાયો. … સૌ રામનામ લેતાં હતાં. એ રામનામના છેલ્લા સ્વરો સાંભળ્યા ન સાંભળ્યા ત્યાં તો બે મિનિટમાં બાપુજીના ખભા ઉપર મોટીબાએ માથૂં મૂકી કાયમની નિદ્રા લીધી !

મનુબહેન લખે છે : ‘બાપુજીની આંખમાંથી બે ટીપાં આંસુનાં પડી ગયાં. ચશ્માં કાઢી નાખ્યાં. હું તો બાઘાની જેમ જોઈ રહી. શું ઘડી પહેલાનો મોટીબાનો પ્રેમાળ અવાજ હવે નહીં સંભળાય ? માણસ બે જ ક્ષણમાં આમ ચાલ્યું જાય છે, એ દૃશ્ય મારી જિંદગીમાં આ પહેલું જ હતું.

બા બાપુની શીળી છાયામાં મનુબહેનનું જે ઘડતર થયું છે તેનો, ભલા, જોટો ક્યાં પણ જડે ? કદાચ નહીં! … આમ, આ એક બહુ અગત્યનું પુસ્તક. કદાચ અનેક રીતે ઐતિહાસિક પણ.

હૅરો, 09 જુલાઈ 2017

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

શબ્દ સંખ્યા : 2075

[પ્રગટ : "नवजीवनનો અક્ષરદેહ", વર્ષ – 05; અંક – 07-09; જુલાઈ-સપ્ટેમ્બર 2017; પૃ. 254 – 255]

Loading

Nuclear War

MK Gandhi|English Bazaar Patrika - OPED|9 August 2017

The Atom Bomb

There have been cataclysmic changes in the world. Do I still adhere to my faith in truth and non-violence? Has not the atom bomb exploded that faith? Not only has it not done so, but it has clearly demonstrated to me that the twins constitute the mightiest force in the world. Before it the atom bomb is of no effect. The two opposing forces are wholly different in kind, the one moral and spiritual, the other physical and material. The one is infinitely superior to the other which by its very nature has an end. The force of the spirit is ever progressive and endless. Its full expression makes it unconquerable in the world. In saying this I know that I have said nothing new. I merely bear witness to the fact. What is more, the force resides in everybody, man, woman and child, irrespective of the colour of the skin. Only, in many it lies dormant. But it is capable of being awakened by judicious training.

It is further to be observed that, without the recognition of this truth and due effort to realize it, there is no escape from self-destruction, the remedy lies in every individual training himself for self-expression in every walk of life, irrespective of response by the neighbours. (H, 10-2-1946, p. 8)

Has not the atom bomb proved the futility of all violence? (H, 10-3-1946, p. 36)

Ahimsa The Answer

It has been suggested by American friends that the atom bomb will bring in Ahimsa (non-violence) as nothing else can. It will, if it is meant that its destructive power will so disgust the world that it will turn it away from violence for the time being. This is very like a man glutting himself with dainties to the point of nausea and turning away from them only to return with redoubled zeal after the effect of nausea is well over. Precisely in the same manner will the world return to violence with renewed zeal after the effect of disgust is worn out.

Often does good come out of evil. But that is God’s not man’s plan. Man knows that only evil can come out of evil, as good out of good.

That atomic energy, though harnessed by American scientists and army men for destructive purposes, may be utilized by other scientists for humanitarian purposes, is undoubtedly within the realm of possibility. But that is not what was meant by my American friends. They were not so simple as to put a question which connoted an obvious truth. An incendiary uses fire for his destructive and nefarious purpose, a housewife makes daily use of it in preparing nourishing food for mankind.

So far as I can see, the atomic bomb has deadened the finest feeling that has sustained mankind for ages. There used to be the so-called laws of war which made it tolerable. Now we know the naked truth. War knows no law except that of might. The atom bomb brought an empty victory to the Allied arms, but it resulted for the time being in destroying the soul of Japan. What has happened to the soul of the destroying nation is yet too early to see. Forces of nature act in a mysterious manner. We can but solve the mystery by deducing the unknown result from the known results of similar events. A slave-holder cannot hold a slave without putting himself or his deputy in the cage holding the slave. Let no one run away with the idea that I wish to put in a defense of Japanese misdeeds in pursuance of Japan’s unworthy ambition. The difference was only one of degree. I assume that Japan’s greed was more unworthy. But the greater unworthiness conferred no right on the less unworthy of destroying without mercy men, women and children of Japan in a particular area.

The moral to be legitimately drawn from the supreme tragedy of the bomb is that it will not be destroyed by counter-bomb, even as violence cannot be by counter-violence. Mankind has to get out of violence only through non-violence. Hatred can be overcome only by love, Counter-hatred only increases the surface as well as the depth of hatred. I am aware that I am repeating what I have many times stated before and practiced to the best of my ability and capacity. What I first stated was itself nothing new. It is as old as the hills. Only, I recited no copy book maxim, but definitely announced what I believe in every fibre of my being. Sixty years of practice in various walks of life has only enriched the belief which the experience of friends has fortified. It is, however, the central truth by which one can stand alone without flinching. I believe in what Max Muller said years ago, namely, that truth needed to be repeated as long as there were men who disbelieved it. (H, 7-7-1946, p. 212)

"The very frightfulness of the atom bomb will not force non-violence on the world? If all nations are armed with the atom bomb, they will refrain from using it as it wall mean absolute destruction for all concerned?" I am of the opinion that it will not. The violent man’s eye would be lit up with the prospect of the much greater amount of destruction and death which he could now wreak. (H, 23-7-1946, p. 197)

Antidote To The Bomb

I regard the employment of the atom bomb for the wholesale destruction of men, women and children as the most diabolical use of science.

"What is the antidote? Has it antiquated non-violence?" No. On the contrary, non-violence is the only thing that is now lift in the field. It is the only thing that the atom bomb cannot destroy. I did not move a muscle when I first heard that the atom bomb had wiped out Hiroshima. On the contrary, I said to myself, ‘unless now the world adopts non-violence, it will spell certain suicide for mankind.’ (H, 29-9-1946, p. 335)

I have no doubt, that unless big nations shed their desire of exploitation and the spirit of violence of which war is the natural expression and atom bomb the inevitable consequence, there is no hope for peace in the world. I tried to speak out during the War and wrote open letters to the British people, to Hitler and to the Japanese and was dubbed a fifth columnist for my pains. (H, 10-11-1946, p. 389)

Wise Men Of The East

The first of these wise men was Zoroaster. He belonged to the East. He was followed by the Buddha who belonged to the East-India. Who followed the Buddha? Jesus, who came from the East. Before Jesus was Moses who belonged to Palestine though he was born in Egypt. After Jesus came Mohamed. I omit any reference to Krishna and Rama and other lights. I do not call them lesser lights, but they are less known to the literary world. All the same, I do not know a single person in the world to match these men of Asia. And then what happened? Christianity became disfigured when it went to the West. I am sorry to have to say that. I would not talk any further…

Message Of Asia

What I want you to understand is the message of Asia. It is not to be learnt through the Western spectacles or by imitating the atom bomb. If you want to give a message to the West, it must be the message of love and the message of truth…. In this age of democracy, in this age of awakening of the poorest of the poor, you can redeliver this message with the greatest emphasis. You will complete the conquest of the West not through vengeance because you have been exploited, but with real understanding. I am sanguine if all of you put your hearts together-not merely heads-to understand the secret of the message these wise men of the East have left to us, and if we really become worthy of that great message, the conquest of the West will be completed. This conquest will be loved by the West itself.

The west today is pining for wisdom. It is despairing of a multiplication of the atom bombs, because atom bomb mean utter destruction not merely of the West but of the whole world, as if the prophecy of the Bible is going to be fulfilled and there is to be a prefect deluge. It is up to you to tell the world of its wickedness and sin-that is the heritage your teachers and my teachers have taught Asia.

(H, 20-4-1947, pp. 116-17)

The weapon of violence, even if it is the atom bomb, becomes useless when it is matched against true non-violence. (H, 1-6-1947, p.172)

courtesy : http://www.mkgandhi.org/momgandhi/chap94.htm?utm_source=Gandhi+Journal+Articles&utm_medium=email&utm_campaign=Gandhi+Journal+Article-II+%28+AUGUST+2017+%29+-+Gandhi%27s+views+on+Nuclear+War

Loading

થોરો : 200 વર્ષની બૌદ્ધિકતા

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|9 August 2017

રાલ્ફ વાલ્ડો ઇમર્સનને જેવી ખબર પડી કે પોતાના દોસ્તને જેલમાં પૂરી દેવાયા, ત્યારે તેઓ દોડીને જેલમાં ગયા. મિત્રને જેલમાં જોઈને ઇમર્સને સહજપણે પૂછ્યું, ‘તું જેલમાં કેમ છો?’ ત્યારે દોસ્તે જવાબમાં સામો સવાલ કર્યો, ‘તું હજુ બહાર કેમ છો?’ આ જવાબ આપનારા હતા અમેરિકાના વિશ્વવિખ્યાત બૌદ્ધિક, વિચારક અને સાહિત્યકાર હેન્રી ડેવિડ થોરો.

થોરો માનતા, ‘જે રાજ્યમાં અન્યાય સામે લડનારાઓ જેલમાં પુરાય છે ત્યારે સમજવું કે ન્યાયપ્રિય લોકોનું સ્થાન જેલમાં છે.’ થોરો અમેરિકામાં ચાલતી ગુલામી પ્રથા અને તેને સમર્થન આપતા કાયદાના પ્રખર વિરોધી હતા તથા અમેરિકા દ્વારા મેક્સિકો સામેના યુદ્ધના પણ ટીકાકાર હતા. તેમણે અન્યાયી કાયદા ચલાવનાર અને અનીતિ પર ચાલતી સરકારના વિરોધમાંં ટેક્સ ભરવાનો ઇન્કાર કરી દીધો અને આ ગુનાસર તેમને 24મી જુલાઈ, 1846ના રોજ જેલમાં પૂરી દેવાયા હતા. થોરોએ વિનમ્રતાપૂર્વક જેલની સજા સ્વીકારી પણ કરવેરો નહોતો ચૂકવ્યો. જો કે, પછી તેમના પરિવારની કોઈ મહિલાએ તેમની જાણ બહાર વેરો ભરી દેતાં તેમને એક જ દિવસમાં જેલમાંથી મુક્તિ મળી ગઈ હતી. સરકારની અનીતિ અને અન્યાયી નીતિઓ સામે છડેચોક શાંતિપૂર્ણ પ્રતિકાર કરવાનું થોરોએ જ શીખવ્યું હતું. થોરોનો પ્રતિકાર અને જેલવાસ તાજેતરનાં વર્ષોમાં ચાલેલી ‘ઓક્યુપાઇ વૉલ સ્ટ્રીટ’ જેવી અનેક ચળવળોને પ્રેરણા પૂરું પાડી રહ્યો છે.

હેન્રી ડેવિડ થોરોનો 200મો જન્મદિવસ તાજેતરમાં 12મી જુલાઈના રોજ ઊજવાઈ ગયો. થોરોની દ્વિશતાબ્દી નિમિત્તે નોંધનીય ઉજવણી એ થઈ કે આ દિવસોમાં થોરોનાં બે જીવનચરિત્રો પ્રકાશિત થયાં છે. આ બે પુસ્તકોમાંથી એક પુસ્તક તો અમેરિકન લેખિકા લૌરા દાસો વૉલ્સે લખ્યું છે, જેનું શીર્ષક છે, હેન્રી ડેવિડ થોરો : અ લાઇફ’. આ પુસ્તકમાં થોરોને સિદ્ધાંતો આધારિત જીવન જીવી જનારા મહાનુભાવ તરીકે ચિત્રિત કરવામાં આવ્યા છે. થોરો પ્રકૃતિને ખૂબ જ ચાહતા હતા. થોરોના ‘વોલ્ડન’ પુસ્તકમાં તેમના પ્રકૃતિપ્રેમની સાથે સાથે પર્યા‌વરણ માટે આપણી જવાબદારીઓનો બોધપાઠ પણ મળે છે. લૌરાબહેને આજના ગ્લોબલ વૉર્મિંગના પડકારો સામે થોરોનું જીવન અને વિચારો કઈ રીતે ઉપયોગી-પ્રેરણાદાયી બની શકે છે, તે સમજાવવા પ્રયાસ કર્યો છે.

થોરો પરનું બીજું પુસ્તક જર્મનીમાં લખાયું છે, જેના શીર્ષકનો અંગ્રેજી અનુવાદ ‘હેન્રી ડેવિડ થોરો : પાથ્સ ઑફ એન અમેરિકન ઓથર’ થઈ શકે. જર્મન લેખક ડાઇટર શુલ્ઝે એક ઇન્ટરવ્યૂમાં બહુ જ ભારપૂર્વક જણાવ્યું છે કે થોરોના વિચારો આજે જેટલા પ્રસ્તુત છે, એટલા ક્યારે ય નહોતા. 

અમેરિકા અને ભારત સહિતના દેશોમાં બહુમતીવાદ વકરતો જાય છે ત્યારે થોરોની વાત યાદ આવે છે, ‘સત્ય બહુમતી પાસે જ હોય એમ નહીં, પણ લઘુમતી કે એક વ્યક્તિની વિવેકબુદ્ધિમાંયે એ હોઈ શકે છે.’ લોકો શાંતિથી અન્યાયને જોતા રહે અને ન્યાય માટે આવતી ચૂંટણી સુધી રાહ જોતા રહે, એની સામે થોરોને વાંધો હતો. થોરો માનતા કે સરકારને આપણે સમાજવ્યવસ્થા બરાબર ચાલે એ માટે બનાવેલી છે. કોઈ મશીન બરાબર કામ ન કરે ત્યારે આપણે તેને બંધ કરીએ છીએ તેમ સરકાર જ્યારે યોગ્ય રીતે કામ ન કરે, અન્યાયી બને ત્યારે તેને કામ કરતી બંધ કરવા વિરોધ કરવો જોઈએ. સૃષ્ટિ અને સરકાર/શાસન અંગેના થોરોના વિચારોનું (પુસ્તકોનું) વાંચન તથા મનન-ચિંતન કરીને જ તેમનું દ્વિશતાબ્દી વર્ષ ઊજવવું જોઈએ, ખરું ને?

e.mail : divyeshvyas.bhaskar@gmail.com

સૌજન્ય : ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 09 અૉગસ્ટ 2017

Loading

...102030...3,3133,3143,3153,316...3,3203,3303,340...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved