Opinion Magazine
Number of visits: 9766868
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાથે મળીને

હોજેફા ઉજ્જૈની|Opinion - Opinion|2 December 2017

કોઈ રમે, કોઈ રમાડે છે
કોઈ ફસાય, કોઈ ફસાવે છે
કોઈ ખર્ચે, કોઈ ખરચાવે છે
કોઈ રોકે, કોઈ ધંધો જમાવે છે
કોઈ ગુંડા, કોઈ તકવાદી છે
મૂડીવાદીઓની કરે ગુલામી છે
ક્યાંક જમીર, ક્યાંક શરીર વેચાય છે
ક્યાંક સંબંધોના સોદા થાય છે.
કોઈ પ્યાદું, કોઈ રાજા છે
કોઈ મોહરું, કોઈ સૂત્રધાર છે
કોઈ બિચારું શક્તિહીન નિરાધાર છે
ક્યાંક ગાડા નીચે કૂતરાની ભરમાર છે :
કોઈ દલિત, કોઈ મુસલમાન છે
કોઈ જૈન, કોઈ પારસી છે
કોઈ શીખ, કોઈ ઈસાઈ છે
કોઈ હિંદુ બની જાય છે.
ખોટા વાયદાઓ, ખોટી યોજનાઓ
તેજાણી ભાષણ, શબ્દોનાં જાળાંઓ
ક્યાંક આંદોલનનું રાજકારણ,
રાજકારણમાં ઘૂસવા
ક્યાંક આંદોલન થાય છે.
વોટ આપ્યો જેમને
કૂદકો મારી છેતરી જાય છે.
હવે તો જાગીએ, જગાડીએ
નશામાંથી બહાર આવી
રાજકારણને સુધારીએ
ચાલો સાથે મળીને
લોકશાહીને બચાવીએ.

“નિર્ધાર”, ચૂંટણી-વિશેષાંકમાંથી સાભાર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 18

Loading

સોહરાબુદ્દીન કેસનાં સ્ફોટક નવાં તથ્યો : પીંજરામાં પોપટ!

ભરત મહેતા|Samantar Gujarat - Samantar|1 December 2017

યુપીએ સરકાર વખતે લોકપાલબિલ માટે બણગાં ફૂંકનાર અને સી.બી.આ.ઈને સત્તાના પીંજરાનો પોપટ કહેનાર ભાજપે પણ મે-૨૦૧૪ પછી સી.બી.આઈ.ને કેવી રીતે પીંજરાનો પોપટ બનાવી દીધો છે, સોહારાબુદ્દીન કેસના નવાં સ્ફોટક તથ્યો તેની પ્રતીતિ કરાવે છે.

સોહારાબુદ્દીનના ખૂન પછી, તેની પત્ની કૌસરબી પરના બળાત્કાર અને ખૂન પછી, સોહરાબુદ્દીનના ભાઈ રબાબુદ્દીને પોલીસના આ નકલી એકાઉન્ટર સામે સુપ્રીમની મદદ માંગતા આ કેસને ૨૦૦૫માં સુપ્રીમ કોર્ટે ‘ખાસ કેસ’નો દરજ્જો આપી સી.બી.આઈ.ને સોંપ્યો હતો. સાથોસાથ બે સૂચનાઓ પણ આપવામાં આવી હતી કે આ કેસ પતે નહીં, ત્યાં લગી એના ન્યાયાધીશની બદલી નહીં કરવી તેમ જ આ કેસ ગુજરાતની બહાર ચલાવવામાં આવે. આ કેસમાં આરોપીઓ મોટાં માથાં હતા. તત્કાલીન ગૃહમંત્રી અમિત શાહ અને ડી.જી. વણઝારા, અભય ચુડાસમા સમેત મોટા બાર પોલીસ-અધિકારીઓ સંડોવાયેલા હતા જેના કારણે આ કેસ ઘણો જ સંવેદનશીલ ગણી શકાય.

સી.બી.આઈ. ન્યાયાધીશ શ્રી ઉટપુટે વારંવાર અમિત શાહને બોલાવ્યા છતાં એ હાજર થતાં ન હતા. અમિત શાહ સહિત બધાને ચાર્જશીટ મળી છતાં આ અનાદર કરાવ્યો. તેથી ન્યાયાધીશ ઉટપુટે ૨૬મી જૂન, ૨૦૧૪ની સુનાવણીની છેલ્લી તારીખ ફાળવી હતી. આ દરમિયાન મે ૨૦૧૪માં ભાજપ સત્તા પર આવ્યો અને આશ્ચર્ય વચ્ચે સુનાવણીના અગાઉના દિવસે ૨૫મી જૂને જ સુપ્રીમ કોર્ટની સૂચનાને બાજુ પર મૂકી શ્રી ઉટપુટની બદલી કરી દેવામાં આવી! મહારાષ્ટ્ર સરકારે ખુલાસો કર્યો કે આ બદલી શ્રી ઉટપુટની માંગણી હોવાથી કરવામાં આવી છે. આ માંગણી પાછળ ન્યાયાધીશને લાગેલો ડર નકારી શકાય તેમ નથી.

બીજી તરફ શ્રી ઉટપટની જગાએ નિમાયેલા નવા ન્યાયાધીશશ્રી વ્રજમોહન લોયા પણ ફરી ફરી અમિત શાહને હાજર થવા માટે જણાવતા રહ્યા, પરંતુ અમિત શાહ એને ટાળતા જ રહ્યા! નાનકડા સમારંભમાં નાગપુર ખાતે ગયેલા વ્રજમોહન લોયાનું અતિશંકાસ્પદ હાલતમાં પહેલી ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ ત્યાંના સરકીટહાઉસમાં મૃત્યુ થયું. પરિવારને જણાવવામાં આવ્યું કે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. આ વ્રજમોહન લોયાના મૃત્યુની આસપાસ વીંટળાયેલી કેટલીક હકીકતો એમનાં બહેન અનુરાધા લોયા, લોયાના પિતાજી અને પુત્રને શંકાસ્પદ લાગી છે.

આવા સંવેદનશીલ કેસ સાથે જોડાયેલા ન્યાયાધીશને બે દવાખાનાં પર રિક્સા-સ્ટેન્ડમાંથી રિક્સા લઈને લઈ જવામાં આવ્યા છે! પરિવારને પાંચ વાગે મૃત્યુનો ફોન આવ્યો છે. પોસ્ટમૉર્ટમમાં ૬ઃ૧૫નો સમય મૃત્યુનો નોંધવામાં આવ્યો છે. સરકારી દવાખાનામાં તો રાતે બાર વાગે મોત પામેલા બતાવ્યા છે. લોયાના પિતાનું કહેવું છે કે વ્રજમોહનની લાશ માથા પાછળથી ઘવાયેલી હતી. શર્ટ પર લોહીના ડાઘા હતા. હૃદયહુમલામાં આ ન હોઈ શકે. તદુપરાંત પોસ્ટમૉર્ટમ રિપોર્ટ માટે લગભગ ફરજિયાત ગણાય તેવી પરિવારજનોની પરવાનગી લેવામાં જ આવી નથી. પોસ્ટમૉર્ટમમાં રિપોર્ટમાં એક પોલીસ-કર્મચારીની સહી છે, જ્યારે બીજી સહી વ્રજમોહનના પિતરાઈ ભાઈ તરીકે કોઈએ કરી છે! વ્રજમોહન લોયાના પિતાજીએ કહ્યું કે અમારે આવો કોઈ જ પિતરાઈ ભાઈ નથી!

બીજી કેટલાક સવાલો પણ આ આખી માહિતી બહાર લાવનાર ‘કારવાન’ના પત્રકાર નિરાંજન ટકલે એ વ્રજમોહન લોયાનાં બહેન અનુરાધા લોયાની મુલાકાત લઈને ઊભા કર્યા છે. વ્રજમોહન લોયાની લાશ એમના પૈતૃક ગામ લઈ જવામાં આવી, જ્યાં લાશની સાથે ડ્રાઇવર સિવાય ઍમ્બ્યુલન્સમાં કોઈ જ ન હતું! આવડા મોટા કેસ સાથે સંકળાયેલા ન્યાયાધીશ સાથેનો આ વહેવાર શંકાસ્પદ નથી?

બીજું, વ્રજમોહન લોયાનાં બહેન અનુરાધા લોયાના જણાવવા અનુસાર એમને જ્યારે ભાઈના મૃત્યુની જાણ થઈ ત્યારે તેઓ પોતે શારદા હૉસ્પિટલમાં પોતાનાં બીજાં સ્વજનોની ચાકરીમાં હતાં. એમને જાણ કરવા માટે ઈશ્વર બહૈટી નામના આર.એસ.એસ. કાર્યકર્તા આવ્યા હતા. એ જ વખતે અનુરાધાબહેને એમને પૂછ્યું હતું કે ‘હું શારદા હૉસ્પિટલમાં છું એ એવા અજાણ કાર્યકર્તાને શી રીતે જાણ થઈ?’ કારવાનના પત્રકારે ઈશ્વર બહૈટીનો સંપર્ક કર્યો, પરંતુ તે કોઈ જ વાત કરવા તૈયાર નથી! આ મૃત્યુને શંકાસ્પદ બનાવતાં તમામ તથ્યો મોજૂદ છે. ન્યાયાધીશ જેવા હોદ્દાનો પ્રોટોકોલ જળવાયો નથી. સૌથી મોટી વાત એ છે કે પંચનામું પણ થયું નથી, જે સામાન્ય કાર્યવાહી છે. વ્રજમોહન લોયાનો મોબાઇલ ફોન તો પરિવારને આપવામાં આવ્યો, પરંતુ સંપૂર્ણ ડેટાબેઝ ડિલિટ કરીને આપવામાં આવ્યો છે! શું આ ડેટા પુનઃ ન મેળવી શકાય? ભારેખમ આરોપીઓ સામેના ન્યાયાધીશ માટે આવી લાપરવાહી એ વધુ એક ફેક એનકાઉન્ટરની શંકા ઊભી કરે છે. વ્રજમોહન લોયા સરકારી ગેસ્ટહાઉસમાં રોકાયા હતા અને બે વાગે રિક્સાસ્ટેન્ડ પરથી રિક્સામાં દવાખાને લઈ જવામાં આવ્યા! ત્રણ વર્ષ પછી એમની બહેને મૌન તોડ્યું છે. પત્ની-પુત્ર હજુ પણ ગભરાયેલાં જ છે.

બીજી તરફ વ્રજમોહન લોયાના સ્થાને આવેલા ન્યાયાધીશ શ્રી ગોસ્વામીએ જેમને ચાર્જશીટ અપાયેલી એવા અમિત શાહને કોર્ટમાં બોલાવ્યા વિના જ ‘નિર્દોષ’ છે નો ચુકાદો પણ આપી દીધો! લોયાના મૃત્યુ વખતે સંસદના શીતકાલીન સત્ર વખતે ટી.એમ.સી.ના સાંસદોએ દેખાવો કર્યા હતા પણ એને ગંભીરતાથી ન લેવામાં આવ્યા! સોહારાબુદ્દીનનો ભાઈ પૂરી સુપ્રીમ કોર્ટમાં ગયો પણ સુનાવણી આવતાં જ એણે પણ અપીલ પાછી ખેંચી લીધી! દસ વર્ષ સુધી ભાઈ-ભાભીનાં મોત અંગે ઝીંક ઝીલનાર પણ ડરી ગયો? ઉચ્ચ સત્તાધારી જ્યારે આરોપી હોય, ત્યારે ઘટેલી આ આખી ઘટના ન્યાયપ્રણાલીની સ્વાયત્તતા વિશે સવાલો ઊભા કરે છે. ત્રીજા જજને આવડો મોટો કેસ ચલાવવાની જરૂર ન લાગી અને અમિત શાહને ડિસ્ચાર્જ કરી દીધા? આ આખો કિસ્સો મીડિયાને એક આહ્‌વાહન છે. ત્રીજા જજ બેસતાવેંત જ ફીંડલું વળી ગયેલો આ કેસ પીંજરામાં ભાજપનો પોપટ ઝૂલે છે, તેનો સીધી પુરાવો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 07-08

Loading

રાષ્ટ્રધ્વજ, સ્કોર અંકે કર્યાની વાત પતતી નથી

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2017

જેમ ક્રિકેટના મેદાનમાં તેમ ચૂંટણીજંગમાં પણ ‘મેન ઑફ ધ મેચ’ અગર તો મૅચપુરુષ કોણ એવી ચર્ચા વખતોવખત થતી રહે છે. ગુજરાતમાં નમોની સ્વાભાવિક સંડોવણી અને રાહુલ ગાંધીની સક્રિયતા, આ બેમાંથી કોને મૅચપુરુષનું માન આપવું એવો સવાલ જગવે છે. પરિણામથી નિરપેક્ષપણે રાહુલ ગાંધીનું પલ્લું આ સંદર્ભમાં કદાચ ઝૂકતું ગણાય તો એનું કારણ એ ખુદ પોતે જ છે, તે એ અર્થમાં કે હમણાં સુધીની એમની આબરુ પ્રસંગોપાત પ્રગટ્યા ન પ્રગટ્યા અને છૂમંતર એવી ‘કોમિયો’ના કુળની રહી છે. પરંતુ ગુજરાતની એમની ઝુંબેશ કેમિયોની વંડી ઠેકીને કાયમી જેવી હાજરી પૂરી શકાય એ બરની છે. પણ આ ક્ષણે ‘મૅન ઑફ ધ મૅચ’ની ચર્ચા લગરીક જુદેસર કરવાનું મન થઈ આવે છે : ૨૪ નવેમ્બરને શુક્રવારે આખું ફોક્સ નમો-રાહુલ દ્વંદ્વને કંઈક લાંધીને ૧૨૫ x ૮૩.૩ ફૂટના રાષ્ટ્રધ્વજની ફરતે જાણે કે આભામંડળમાં ફેરવાઈ ગયું હતું … મૅચપુરુષ કોઈ વ્યક્તિ નહીં પણ ધ્વજ!

નાની દેવતી મુકામે દલિત શક્તિ કેન્દ્રે રાહુલ ગાંધીને દેશજનતા વતી જે ધ્વજ સ્વીકારવા કહ્યું એની પૂંઠે એક નાનો પણ રાઈના દાણા સરખો ઇતિહાસ પડેલો છે. દલિત ભાઈબહેનોએ શુદ્ધ હાથવણાટની ખાદીનો, આશરે ૨૪ કિલો આસપાસ વજનનો થવા જતો આ ધ્વજ જ્યારે તૈયાર કર્યો ત્યારે ગણતરી તો હમણાં જ પસાર થયેલ એકોતેરમા આઝાદી પર્વે તે માનનીય મુખ્યમંત્રીને સુપરત કરવાની હતી. પણ આ સોંપણી સાથે એક કૅવિયટ હતી અને તે એ કે ગુજરાતમાં આપ કોઈક એક જ ગામને, રિપીટ, એક જ ગામને જ્યાં દલિતો સાથે સ્થૂળ કે સૂક્ષ્મ એકે અર્થમાં આભડછેટ ન પળાતી હોય એવું એટલે કે સો ટકા અસ્પૃશ્યતામુક્ત ગામ જાહેર કરો. એક રીતે, સ્વરાજનાં સિત્તેર સિત્તેર વરસોમાં ચાલેલ રાજવટ સમસ્તની સામે અવિશ્વાસની નહીં તો પણ ઠપકાની દરખાસ્ત જેવી આ વાત હતી. એમાં પણ ખાતેપીતે સૂતે બેસતે જેમના હોઠ પરથી ‘રાષ્ટ્ર’ સતત જપાતું રહે છે એ પક્ષપરિવારની સરકાર સબબ આ એક આમૂલાગ્ર કેવિયટ હતી : અમે દલિતો રાષ્ટ્રના અંગભૂત છીએ કે નહીં?

મુખ્યમંત્રી તો સુલભ ન થયા, પણ એમની વતી ગાંધીનગરના કલેક્ટરે આ વિશાળકાય ધ્વજ સ્વીકાર્યો ખરો; પણ રાખ્યો નહીં. (‘અમારી પાસે માટે જગ્યા નથી.’) નાની દેવતી(સાણંદ)ની દલિત સ્વાભિમાન રેલીને સંબોધતાં રાહુલ ગાંધીએ આ જવાબ બાબત અચ્છી મરોડમાસ્તરી કરી જાણી. એમના સ્વિત એ હતો કે પ્રશ્ન તો દિલમાં જગ્યાનો છે.

જ્યાં સુધી દિલમાં જગ્યાનો સવાલ છે, આ કિસ્સામાં એ જો કે બે સામસામા જોધ્ધાઓ પૈકી એક જોધ્ધાનો બીજાને પડકાર છે; પણ દિલમાં જગ્યાનો મામલો આ કે તે પક્ષને વટી જઈને સમાજ આખાને લાગુ પડે છે. દાયકાઓ પર, ગાંધીજી ગોળમેજીમાં ભાગ લેવા જતા આગમચ આંબેડકર સાથે ચર્ચા કરતા હતા ત્યારે એક તબક્કે આંબેડકરે એમને કહ્યું હતું કે દેશ, દેશ શું કરો છો – અમને ધરાર ગામ બહાર રાખતા મુલકમાં અમારે વતન કેવું ને વાત કેવી. ગાંધીના સહજ સંવેદનસિક્ત રચનાત્મક વલણે આઝાદી પછી એક તબક્કે આંબેડકરને એવું સૂચન કરવા પ્રેર્યા હતા કે એક દલિત કલ્યાણનિધિ ઊભો કરી એની સાથે આપણે ગાંધીજીનું નામ જોડીએ કેમ કે ‘ધે વેર નિયરેસ્ટ ઍન્ડ ડિયરેસ્ટ ટુ હિમ.’ (‘દલિતો-એમને સારુ દિલની લગોલગ હતા.’) પણ અહીં પ્રશ્ન ગાંધીની આત્મીય નિસબતના આદરનો નહીં એટલો એકંદર સમાજની વાસ્તવિક્તાનો છે.

આ ઝંડો, જો આજની કૉંગ્રેસ મંડળી કને પુરાણો સેવાદળ સંસ્કાર તલપુર પણ હોય તો, શો સંદેશ લઈને આવે છે? ભાજપનું તો જાણે કે સમજ્યા, ભગવા ધ્વજ અને તિરંગા ધ્વજ બાબતે પસંદગી તેમ જ વિવેક કેળવવા બાબતે એની દ્વિધા અને દુવિધા સમજી શકાય એમ છે પણ રાષ્ટ્રીય ચળવળ વખતે ગવાતાં ગીતોમાં એક જો ‘ઝંડા, વધ વધ ઊંચે આકાશે જાજે’ તરેહનું હતું તો ઝંડાવંદનની સેવાદળ પ્રણાલિમાં ગવાતા ગાનમાં આ ઝંડાનો મહિમા ‘સદા પ્રેમસુધા બરસાનેવાલા’ એવો પણ હતો. ઈશ્વરનીયે ઓળખ રવીન્દ્રનાથે (જુગતરામ દવેના યાદગાર અનુવાદમાં ગાયા પ્રમાણે) જ્યાં આઘામાં આઘું અને પાછામાં પાછું લોક હોય ત્યાં ‘આપનાં ચરણ વિરાજે’ એવી છે. તો, આઘામાં આઘા સહિત સૌ પર, રિપીટ, સૌ પર પ્રેમસુધા વરસાવતા આ ઝંડાનો સુખાનુભવ દેશમાં દલિત સમસ્ત સહિત આમ આદમીમાત્રને થયો છે ખરો? ધ્વજસ્વીકારના પ્રશ્ને આઘાપાછી અને આનાકાનીને કારણે પહેલા રાઉન્ડમાં ભાજપ પર કૉંગ્રેસ સ્કોર કરી જતી લાગે તો તે વિગત ખોટી નથી, પણ અપૂરતી ખસૂસ છે. કારણ એમાં આપણે જે એક મજલ નાગરિક સમાજ તરીકે કાપવી બાકી છે, એનોયે એકરાર કહો તો એકરાર અને પડકાર કહો તો પડકાર પડલો છે.

ગુજરાતમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી જે આંદોલનોનું નેતૃત્વ અને પ્રતિનિધિત્વ કરે છે એમાં સામાજિક કોટિક્રમમાં ઉપરના વચલા અને નીચલા એમ સૌ તબકાઓને પોતપોતાની રીતે છતે સ્વરાજે અનુભવાતા અસુખનો સ્વીકાર છે. આ અસુખના કેટલાક અંશો માનસિક (કે કાલ્પનિક પણ) હશે તો કેટલાક વાસ્તવિક પણ છે. બે દાયકાથી વધુ સમયથી ગુજરાતમાં ગાદીનશીન – અને એમાં પણ લગભગ અરધોઅરધ સમય કેન્દ્રમાંયે ગાદીનશીન ભાજપ આ અસુખને મુદ્દે સ્વાભાવિક જ સવાલિયા દાયરામાં છે. ઝંડાની બીના તો ભલે આકર્ષક પણ એક દૃષ્ટાંત માત્ર છે. પ્રશ્ન, રાજ્યમાં બે દાયકાની હિંદુત્વ રાજવટ છતાં બોગદાને છેડે નીકળતાં ન કોઈ હિંદુ નીકળ્યા, ન કોઈ નાગરિક મળ્યા એવું કેમ એ છે. કૉંગ્રેસ જ્યારે રાષ્ટ્રધ્વજ ખુદ સાહે છે ત્યારે એ પોતે ૨૦૧૭થી ૨૦૧૯ ભણી જતાં એક જવાબદારી (દાયિત્વ) અને જવાબ-દારી (ઉત્તરદાયિત્વ) ઉઠાવે છે. અને તે એ કે સ્વરાજસંગ્રામનો છૂટેલો તાંતણો સાંધીને તમે આગળ ચાલશો કે કેમ. ચૂંટણીઝૂંબેશમાં એકબીજા પર સ્કોર અંકે કરવા જેટલી સહેલી વાત આ નથી. ગાંધીની પેઠે ક્રૉસ સાહવાનો સવાલ આ તો છે.

E-mail : editor.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 19

Loading

...102030...3,2983,2993,3003,301...3,3103,3203,330...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved