પ્રેમ શું છે ?
હું નથી જાણતી.
તારા હોવાપણું મારામાં બસ હું અનુભવી શકું છું.
તું દૂર હોય કે પાસે
બસ તને જોયા કરું છું.
તને નહીં ખબર હોય
પણ મારે એક મિત્ર પણ છે
જેની સાથે આ ‘પ્રેમ’ શબ્દ જોડાઈ ગયો હતો
પણ મનમાં તો તું જ ક્યાંક છૂપાયો હતો.
જ્યારે મેં તને કહ્યું
કે તું જ છે એ પ્રેમ
ત્યારે બધું જ જાણે ભુલાઈ ગયું …
બસ એક દિવસ એ મિત્ર સાથે વાત કરતાં કરતાં
મારાથી એને ન કહી શકાયું કે
‘હું તને પ્રેમ કરું છું.’
ત્યારે તેણે મને એટલું જ કહ્યું
‘તું ખૂબ બદલાઈ ગઈ છે.’
પ્રેમ શું છે
એની હજુ પણ મને ખબર નથી.
બસ ચાહ્યા કરું છું
નજરથી, મનથી, હૃદયથી …
એના હૃદયમાં, એના વગર.
Email : navyadarsh67@outlook.com
![]()


સિનેમા અધ્યયનના પિતામહ તરીકે ઓળખાતા ફાધર ગાસ્તોં રોબેર્જ(GASTON ROBERGE)નો જન્મ કેનેડાનાં મોન્ટ્રીઅલ નામનાં શહેરમાં થયો હતો. ભારતીય સિનેમા (ખાસ કરીને સત્યજીત રાયનું સિનેમા) તેમ જ ભારતીય કળા અને સંસ્કૃિતથી પ્રભાવિત થઈને તેઓ કેનેડાથી ભારતમાં આવીને વસ્યા. સત્યજીત રાયની ફિલ્મ પાથેર પાંચાલીનો તેમના પર જબરદસ્ત પ્રભાવ પડ્યો અને બાદમાં તેમણે કલકત્તામાં ચિત્રાબાની નામની એક ફિલ્મ ઇન્સ્ટિટ્યુટ પણ શરૂ કરી. ફાધર ગાસ્તોં રોબેર્જનું ચોક્કસપણે એવું માનવું છે કે ફિલ્મ્સમાં શૈક્ષણિક મૂલ્યો હોવાં ખૂબ જ જરૂરી છે, કારણ કે ફિલ્મ એ એક એવું માધ્યમ છે કે જેનાં થકી સમાજ પ્રભાવિત થાય છે. વર્ષ ૧૯૯૮માં ૪૬માં રાષ્ટ્રીય પુરસ્કાર અંતર્ગત ગાસ્તોં રોબેર્જને તેમનાં પુસ્તક COMMUNICATION CINEMA DEVELOPMENT માટેનો સિનેમા આધારિત શ્રેષ્ઠ પુસ્તકનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
આ એવી વાત છે કે જો સમગ્ર બંગાળ માણિકદા(સત્યજીત રાયને તેમનાં મિત્રો આ નામથી સંબોધતા હતા)માં હોય તો ધનવાન અને ગરીબ, શક્તિશાળી અને વિનમ્ર, ખેડૂત અને શહેરી યુવાનો, બાળકો, તરુણ, યુવાનો, વૃદ્ધો અને સ્ત્રીઓ આ તમામ ઘટના તમને સત્યજીત રાયનાં કાર્યમાં જોવા મળશે. સત્યજીત રાય સાથેની અંતિમ મુલાકાત વિશે ગાસ્તોં રોબેર્જ નોંધે છે કે અમે બંને મિત્રો જ્યારે છેલ્લી વખત હોસ્પિટલમાં મળ્યા હતા, ત્યારે રાય મરણપથારીએ હતા. તે દિવસે રવિવાર હતો અને હું સવારે નવ વાગ્યે તેમને મળવા માટે પહોચી ગયો હતો. તેમનું શરીર ખૂબ જ નંખાઈ ગયું હતું અને તેઓ એક બાળક જેવું વર્તન કરી રહ્યા હતા. હું ત્યાં વધારે રોકાઈ શક્યો નહિ અને જ્યારે હું ત્યાંથી જઈ રહ્યો હતો, ત્યારે રાયે મને કહ્યું કે ભાલો લાગ્લો (ખૂબ જ સુંદર લાગી રહ્યા છો) અને આ તેમના મારા માટેના છેલ્લાં શબ્દો હતા.
In a venue known for its liberal and secular ambience, the veteran columnist LK Sharma was bluntly told by a gentleman: ‘Go to Pakistan’.