Opinion Magazine
Number of visits: 9582471
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ધ ફૉર્થ રૅવલ્યૂશન’

દીપક બી. દવે|Opinion - Opinion|2 February 2018

‘નિરીક્ષક’માં સામાન્ય પ્રજા માટે અવારનવાર વિકાસ, આર્થિક બાબતના તેમ જ રાજ્યના કારભાર વિષયોની યોગ્ય રજૂઆત અને છણાવટ થાય છે. ‘ભારત : વિકાસ અને વિષમતા સહોદર?’ ધવલ મહેતાએ વિષયમાં સારી રીતે વિકાસ બાબત વિચારણા કરી છે. તેમને છેલ્લા પાંચ દાયકામાં દુનિયામાં થયેલી આર્થિક બાબતમાં કરેલ પ્રગતિની નોંધ લીધી છે અને જુદાં-જુદાં પાસાંઓનો વિચાર કરી રજૂઆત કરી છે. કટારલેખક પ્રવીણ પંડ્યાએ પણ લોકતંત્રની એટલે કે રાજ્ય સરકારના કારભાર વિશે સારી છણાવટ કરી છે.

આપણે કહી શકીએ કે આર્થિક પ્રગતિ જરૂર કરી છે, પરંતુ તે સમતોલ અને સામાજિક રીતે ફાયદાકારક કહી શકાય નહીં. તેમ જ સરકારના કરભારથી સામાન્ય માણસને કંઈ ફાયદો થયો નથી.

પરંતુ એક મહત્ત્વની વાત – આજના યુગમાં રાજ્યને કેવી રીતે ચલાવવું? લોકશાહી ઢબથી રાજ્ય ચલાવવાનું શ્રેષ્ઠ લાગે, જે દુનિયાને યુરોપ-ઇંગ્લૅન્ડ તરફથી મળેલ છે. પરંતુ તે મૉડલ ઝરીપુરાણું થઈ ગયું છે.

આ વિષયની રજૂઆત THE FOURTH REVOLUTION – The Global Race to Reinvent the state પુસ્તકમાં જ્હૉન મિકલેટવેઇટ અને એડરીન વુલડ્રીજે કરી છે.

લેખકોનું કહેવું છે કે હવે એવો સમય આવી ગયો છે કે રાજ્ય ચલાવવાની નવી રીતની જરૂર છે. તેઓએ ભૂતકાળથી શરૂ થયેલ રાજ્ય સરકાર કે રાજ્યની કઈ રીતે ઉત્પત્તિ થઈ અને કઈ-કઈ વ્યક્તિઓએ ભાગ લીધો, એ વિષયની સરસ રીતે રજૂઆત કરી છે.

એમના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે :

૧. આજના જમાનામાં લોકશાહી સરકાર અને રાજકારણીઓને વધુ ને વધુ શિક્ષણ, પેન્શન, સલામતી વગેરે આપી રહી છે – વચનો આપે છે, છતાં આપણે સુખી નથી.

૨. ચીનની સરકાર આર્થિક બાબતમાં હવે બજારલક્ષી નીતિમાં ભાર નહીં મૂકતાં સ્ટેટને કેવી રીતે સુધારવું એમાં માને છે.

૩. જે રીતે મશીનોની શોધખોળથી ખેતી અને ઉદ્યોગોને ફાયદો થયો, તેમ આજના જમાનામાં કૉમ્પ્યૂટર અને ઇન્ટરનેટ માનવજાતને ઉપયોગી થઈ શકે છે અને થઈ રહ્યું છે …

૪. ટી.એચ. માર્શલે દલીલ કરી કે નાગરિકોએ નવા હક્કો મેળવ્યા : ત્રણ જુદા વેવ થકી -સિવિલ હક્કો – અઢારમી સદીમાં, રાજકીય હક્કો ઓગણીસની સદીમાં અને વીસમી સદીમાં સામાજિક-શૈક્ષણિક, આરોગ્યના.

૫. આપણે ખ્યાલ રાખવો જોઈએ કે બીજાનાં સુખ છીનવી લેવાથી સુખ મળતું નથી. નબળાને મજબૂત લોકોને નબળા કરી મજબૂત કરાતો નથી. માણસોની રોજગારી વધારવા માટે નોકરી આપનારને નીચે પાડવાથી ફાયદો નથી.

૬. પૈસાદાર લોકોએ પોતાના સમાજની એવી રચના કરી છે, કે પોતાની સિક્યુરિટી ગાર્ડ, હેલ્થ સર્વિસો અને શાળાઓ બનાવી રાખી છે. રાજ્ય સરકાર સાથે આટલો જ સંબંધ છે : વેરા ભરવાનો. અને તે પણ શક્ય તેટલો ઓછો. આ પૈસાદાર લોકો ટૂંકી બુદ્ધિએ સ્વ માટે રસ ધરાવે છે. લાંબી દૃષ્ટિ રાખીને સામાન્ય પ્રજા માટે સારા ઇરાદાથી કે ઇચ્છાથી કામ કરતા નથી. વળી તેઓ બીજાને ઉપર આવવા દેતા નથી.

૭. આજનું દૃશ્ય કંઈક જુદું જ છે. ૨૧મી સદીનું વેસ્ટર્ન મૉડેલ સડી ગયેલું છે. વિચારો, પ્રથમ અમેરિકાએ આંતક સામે યુદ્ધ કર્યું. ઇરાક પર આક્રમણ કરીને લોકશાહી બદનામ થઈ – લોકશાહીને ઘણું નુકસાન પહોંચાડ્યું. નાણાકીય મુશ્કેલીઓ આવી. અને ત્યાર બાદ યુરોપ મુસીબતમાં મુકાયું. આ બધું શું બતાવે છે? એશિયન લોકોને ખબર પડી ગઈ કે વેસ્ટર્ન સરકાર નિષ્ક્રિય રહી છે.

૮. લોકશાહીને વરેલો ભારતદેશ રાજકારણમાં રહેલા સગાંવાદથી પીડાય છે. કૉંગ્રેસ પાર્ટી નહેરુના કુટુંબથી રાજ કરતી આવી છે. પાર્લામેન્ટમાં દરેક ત્રણમાંથી એક લોકસભાનો સભ્ય કુટુંબના વારસાથી આવેલો છે.

૯. ગૂગલ જેવી વિશ્વવિખ્યાત કંપનીમાંથી થોડા મૅનેજરો રાજ્ય સરકારમાં આવે તો તે સારી વાત છે. પરંતુ પ્રશ્ન એ છે કે શા માટે સરકાર ૫૦ વરસ ખાનગી કંપનીઓથી પાછળ રહી? હકીકતમાં સરકાર અને તેની સાથે સંકળાયેલાં ખાતાંઓ માટે પરિવર્તન લાવવું ખાનગી કંપનીઓ કરતાં ઘણું મુશ્કેલ છે. રાજ્ય સરકારો ખાનગી કંપનીઓ કરતાં ઓછી કાર્યદક્ષ છે. કારણ કે રાજ્ય સરકારોને નાગરિકો સાથે સંબંધ છે અને કંપનીઓને ગ્રાહક સાથે. અહીં ફરક છે નાગરિક અને ગ્રાહકના સ્વભાવ વિષે.

૧૦. સરકારી કામકાજમાં નોકરશાહી ખૂબ જ વધી ગઈ છે અને એને લીધે સરકાર તેમ જ ખાસ કરીને લોકોને ઘણું સહન કરવું પડે છે.

૧૧. ભૂતકાળમાં ત્રણ ક્રાંતિઓ તરફ નજર નાખતાં અમુક નેતાઓમાં કંઈક અંશે આવડત હતી. થોડા સિદ્ધાંતો બનાવી લોકોનું કલ્યાણ કરેલું. જેમ કે વિક્ટોરિયન સફળ થયાં. કારણ કે તેઓએ નાગરિકોમાં સરકારી કામકાજ માટે ટેલેન્ટ અને હરીફાઈથી ચૂંટાયાં. અને સુંદર રાજ્ય સરકાર બની.

૧૨. જ્યારે ચોથી ક્રાંતિમાં રાજકારણે વિજ્ઞાનમાં નવી ટેક્‌નોલૉજીનો અને નવા રાજકીય દબાણનો ખ્યાલ રાખવો પડશે.

૧૩. લેખકોનું કહેવું છે કે અમારી શરૂઆતની દલીલ એ છે કે લિબરલ હોવું અને રહેવું. સ્ટેટ નાનાં હોવા જોઈએ, અને સ્વતંત્ર. પણ આપણે નથી. ચોક્કસ અત્યારના સંજોગોમાં પણ ઘણી સરકારે ગૌરવ લેવા જેવું છે. અમેરિકાએ ચોક્કસ બીજું વિશ્વયુદ્ધ જીત્યું, રાજ્યોમાં વિશાળ હાઈવે બનાવ્યા, માણસને ચંદ્ર પર મોકલ્યો, ઈન્ટરનેટની શોધ કરી અને જીવન/આયુષ્ય માટેની દવા વગેરેની શોધખોળ કરી, પરંતુ જર્મન સરકારે પણ મહત્ત્વનાં કામો કર્યાં છે. જર્મન લોકોએ સરકારનો આભાર માનવો જોઈએ. કેમ કે સરકાર તેના દેશ અને પ્રજાને નાઝીશાહીમાંથી બહાર લાવી અને ખરાબ રાજકારણ દૂર કર્યું તેમ જ ઔદ્યોગિક પાવર હાઉસ બનાવ્યું. આ ઉપરાંત જર્મની યુરોપમાં સૌથી મહત્ત્વનો દેશ છે, અને અંગ પણ.

૧૪. લેખક એક વસ્તુની સરસ રજૂઆત કરે છે – સરકારી કોર્પોરેશન બાબત કુટુંબનું સોનું, ચાંદી, ઝર-ઝવેરાત વેચીને દેવું ઓછું કરવું કે મોજ-શોખ પાછળ ખર્ચવા ન જોઈએ. પરંતુ તે ઉપયોગ કેવી રીતે કરવો તે પણ વિચારવા જેવું છે. તે રીતે સરકારી ઉપકરણોનો અથવા બીજા કરી શકે તે રીતે વિચારવું રહ્યું. લેખકોએ આ બાબતમાં ઇંગ્લૅન્ડ અને ઘણા દેશોની સરકારના સંદર્ભમાં ઉલ્લેખ કર્યો છે.

૧૫. અમેરિકાના ૭૭ ટકા લોકો માને છે કે ધનવાન અને મોટા ઉદ્યોગ-ધંધાઓ પાસે વધારે સત્તા છે.

૧૬. લેખકોનું માનવું છે કે ઇર્ન્ફોમેશન ટેક્‌નોલૉજી મહત્ત્વની વસ્તુ છે અને તે ઘણા ફેરફારો લાવશે, ઉપરાંત રાજ્ય ચલાવવામાં બહુ ઉપયોગી થશે અને પ્રજાને ફાયદાકારક બનશે.

૧૭. લોકશાહી હવે નાટકીય બની ગઈ છે, જેમાં ધંધાકીય રાજકારણીઓ સ્ટેજ પર આવીને ચૂંટણીમાં મત માટે પ્રભાવશાળી ભાષણ આપે છે અને લોકોને મીઠાં સ્વપ્નો તેમ જ સારાં લાગે તેવાં વચનો આપે છે.

૧૮. અમેરિકાના બીજા પ્રમુખ જ્હૉન આદમ સાચા હતા : લોકશાહી તૂટવાનો ભય અંદરથી રહેશે. હાલમાં લોકશાહી સ્લીપરી અને ખુશામતખોર બની ગઈ છે; વધારે પડતી માંગણીઓથી અને ખાસ સ્વાર્થી રસ ધરાવતા વ્યક્તિઓથી.

૧૯. લોકશાહીમાં ખાસ કરીને અમેરિકાની ચૅક અને બૅલન્સની નીતિથી મોટે ભાગે આપખુદશાહી અટકે છે, પરંતુ તે માટે ઘણી કિંમત ચૂકવવી પડે છે, કાર્ય કરાવવામાં અને ન્યાય મેળવવામાં પણ.

લેખકો અંતમાં જણાવે છે : ફૉર્થ રેવલ્યૂશન સહેલું નહીં હોય. વેલફેર સ્ટેટ માટે કરવાનાં કામથી લોકશાહીને ઘણું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ રિફોર્મ કરતાં રહેવું પડશે. કારણ કે ઇનઍક્શનનો ખર્ચો ઘણો થશે. બીજું તેના વજનથી મૃત્યુઘંટ વાગશે : જેને જરૂર છે તેને કંઈ મળતું નથી અને સ્વાર્થી લોકોને ફાયદા મળે છે. બીજું, હવે તક આવી છે તે જતી રહેશે. અને છેલ્લે ઇતિહાસ તેમની બાજુમાં છેઃ આ ફૉર્થ રેવલ્યૂશન સ્વતંત્ર અને વ્યક્તિગત હક્કો માટે છે. આ માટે યુરોપ પ્રથમ આગળ આવ્યું, અને ત્યાર બાદ અમેરિકાએ ધપાવ્યું.

લેખકોનું માનવું છે કે પશ્ચિમના દેશો બહુ જ નવીનતા ઊભી કરે છે અને તેઓ હંમેશાં નવીનતા લાવ્યા જ કરે છે. એટલે વિશ્વાસ છે કે પશ્ચિમના દેશો જરૂરથી નવું કંઈક સામાન્ય પ્રજા માટે રાજ્ય સરકારના કારભાર માટે કરશે જ – આ મુશ્કેલ સમયમાં.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2018; પૃ. 09 તેમ જ 14

Loading

કવિ, વાર્તાકાર, કલાકાર સ્વ. ઊજમશી પરમાર

અજય પાઠક|Opinion - Opinion|2 February 2018

હિમાવન, પાલડી-અમદાવાદ(ઈ.સ. ૧૯૬૯)થી શ્રી કૈલાસ ગુરુકુળ – મહુવા વાયા ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ જેવાં સ્થળોએ વારંવાર, સાતત્યપૂર્ણ રીતે મળવાનું બનતું રહ્યું હતું, તેવા સાહિત્યકારમિત્ર સ્વ. ઊજમશી પરમાર ‘નિરીક્ષક’ના માધ્યમથી પરિચયમાં આવ્યા હતા. પ્રબોધ ચોકસીએ રાજીનામું આપતાં સુરેન્દ્ર કાપડિયાએ કાર્યકારી સંપાદનકાર્ય સંભાળ્યું હતું તે દિવસોમાં ઊજમશી પરમાર ‘નિરીક્ષક’ માટે વાર્તા લઈને હિમાવન ખાતે આવતા હતા, તેમાંથી પરિચય. તે દિવસોમાં જીવરાજપાર્ક ખાતે તેમના રહેઠાણે પ્રાગજીભાઈ પટેલ (નિરીક્ષક-કર્મચારી) સાથે એક રવિવારે જવાનું બન્યું હતું. ત્યારે તેમણે તેમનાં રેખાંકન / ચિત્રો બતાવ્યાં હતાં અને જણાવ્યું હતું કે પ્રબોધ ચોકસીએ ‘નિરીક્ષક’માં ચિત્રો/ રેખાંકનો છાપ્યાં છે.

પછીથી છેલ્લાં ૧૫-૧૭ વર્ષથી ગુજરાતી સાહિત્ય પરિષદ-મધ્યસ્થ સમિતિ તેનાં અધિવેશનો, જ્ઞાનસત્રોમાં નિયમિતપણે મળવાનું બનતું, તેમનો વાતો કરવાનો, ગાવાનો, આત્મપરિચય કરાવવાનો, સહજ-સરળ સ્વભાવ અમને વન-વે ગોષ્ઠિ તરફ લઈ જતો. પોતાનાં ગીતો સારી રીતે ગાતાં તે તો ખરું જ, પણ ફિલ્મીગીતો પણ ગાતાં. તે અંગેનું તેમનું જ્ઞાન સારું હતું. તેમનાં કાવ્યો મને ખૂબ ગમ્યાં છે. તેમની કલા- કારીગરી પણ નોંધપાત્ર હતાં. ચર વાર્તાસંગ્રહ, બે કાવ્યસંગ્રહ, એક નવલકથા તેમનું પ્રદાન.

ભાવનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2018; પૃ. 15

Loading

ગાંધી સાર્ધશતાબ્દી ઉજવણીની દિશામાં

ગંભીરસિંહ ગોહિલ|Gandhiana|2 February 2018

મહાત્મા ગાંધીનું સ્મરણ દેશ માટે અણમોલ સંપત્તિ સમાન છે. લોકો માને કે ન માને ગાંધી આ દેશને માટે પ્રેરકબળ બની રહ્યા છે, દિશાઓ ચીંધતા રહ્યા છે. ગાંધીજી વિના પણ દેશને સ્વતંત્રતા મળી ગઈ હોત ખરી, પણ તેનું સ્વરૂપ કેવું હોત તે કલ્પી શકાય તેમ નથી. અખંડ ભારતમાંથી પાકિસ્તાન છૂટું પડ્યું તે પછીનો પ્રદેશ પણ અકબંધ રહી શક્યો હોત કે કેમ તેની કલ્પના થઈ શકે તેમ નથી. કેમ કે હિંદ છોડતી વેળાએ બ્રિટિશરો તેના હિંદુ, પાકિસ્તાન અને રાજવીસ્તાન એમ ત્રણ ભાગ કરવા માગતા હતા. ગાંધીજીની લડતોમાં તાલીમ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલ જ તેને એકસૂત્ર રાખી શક્યા.

૧૯૬૯માં ગાંધી-શતાબ્દી આયોજનબદ્ધ રીતે ઊજવાઈ હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેના કાર્યક્રમો થયા હતા. ૧૯૯૪માં પણ ગાંધી સવાશતાબ્દીના કાર્યક્રમો યોજાયા હતા. હવે ૨ ઑક્ટોબર, ૨૦૧૯ના રોજ મહાત્મા ગાંધીજીના જન્મને ૧૫૦ વર્ષ પૂરાં થશે, તે વેળાએ ૨ ઑક્ટોબર, ૨૦૧૮થી ૨ ઑક્ટોબર, ૨૦૧૯ સુધીની એક વર્ષ ચાલે તેવી ગાંધી સાર્ધશતાબ્દીની ઉજવણીનું આયોજન થશે. ૨ ઑક્ટોબર, ૨૦૧૮ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી ગણાશે. તે પછીનું એક વર્ષ એટલે ગાંધી સાર્ધશતાબ્દીનું વર્ષ. શતાબ્દી અને સવાશતાબ્દીની ઉજવણીમાં જે ખૂટતી કડીઓ રહી ગઈ હોય તે આ વખતે પરિપૂર્ણ કરી શકાશે.

૨ ઑક્ટોબર, ૧૯૧૮ના રોજ ગાંધીજીના જન્મની ૫૦મી વર્ષગાંઠ આવતી હતી. તે વખતે ગાંધીજી થોડાં વર્ષથી દક્ષિણ આફ્રિકાની હિંદના વસાહતીઓ સફળ થયેલી લડતો વગેરે કાર્યક્રમો પૂરા કરી દેશમાં આવ્યા હતા. તે દરમિયાન ૧૯૧૭માં તેમણે બિહારમાં ચંપારણ વિસ્તારનો ગળીની ખેતી સામેનો સફળ સત્યાગ્રહ પૂરો કર્યો હતો. દેશભરમાં ગાંધીજીનો આવકાર પામેલો પહેલો સત્યાગ્રહ હતો. તેનાથી અંગ્રેજ માલિકો માટે ફરજિયાત ગળીની ખેતી દ્વારા જેમને પરેશાની સહન કરવી પડતી હતી, તેવા ગિરમીટિયા ખેતીકારોને મુક્તિ મળી. પરંતુ ગાંધીજીની ૫૦મી વર્ષગાંઠ કે તેમના ૨ ઑક્ટોબર, ૧૯૧૮થી ૨ ઑક્ટોબર, ૧૯૧૯ સુધીના રજતવર્ષની કોઈ ઉજવણી થઈ ન હતી. ગાંધીજી ત્યારે દેશની વિવિધ સમસ્યાઓ સાથે કામ પાડી પ્રવૃત્ત રહ્યા હતા.

જો કે ૨ ઑક્ટોબર, ૧૯૧૯ના રોજ ગાંધીજીનાં સતત પ્રવૃત્ત એવાં ૫૦ વર્ષ પૂરાં થતાં હતાં. આ શુભપ્રસંગે મુંબઈના વિલેપાર્લે વિસ્તારના ભગિનીસમાજના આશ્રયે, વનિતાવિશ્રામ નામના સ્થળે સ્ત્રીઓની જાહેરસભા યોજવામાં આવી હતી, જેમાં ગાંધીજીને જાહેર પ્રવૃત્તિઓ માટે રૂ. ૨૦,૧૦૦ની થેલી અર્પણ કરવામાં આવી હતી. આ પછી ૧૯૨૯ની ૭મી સપ્ટેમ્બરે આ સંસ્થાના ભગિની સેવામંદિરના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ માટે ૧૯૧૯માં ગાંધીજીને થેલીરૂપે જે રકમ આપવામાં આવી હતી, તે રકમ તેમણે પોતે હાજર રહીને મકાનના કામ માટે અર્પણ કરી.

૨ ઑક્ટોબર, ૧૯૪૪ના રોજ ગાંધીજીના જન્મને ૭૫ વર્ષ થતાં હતાં, ત્યારે તેની કોઈ વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી ન હતી. તે દિવસે જન્મદિવસના અભિનંદન રૂપે તેમને ઘણા સંદેશાઓ મળ્યા હતા. તેમાં વિશ્વ વિખ્યાત અંગ્રેજી ભાષાનાં નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોનો સંદેશો મહત્ત્વનો હતો. તે દિવસે એકત્ર થઈ ચૂકેલી કસ્તૂરબા સ્મારકફંડની થેલી ગાંધીજીને અર્પણ કરવામાં આવી હતી.

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ૧૮૬૯ની ૨જી ઑક્ટોબરે પોરબંદરમાં થયો, ત્યારે તેમના ભવિષ્યના મહિમાવંત જીવનની કોઈને કલ્પના ન હતી. ઉપર જોયું તે પ્રમાણે તેમની ૫૦ અને ૭૫મા વર્ષની ઉજવણી પણ મર્યાદિત સ્વરૂપે જ થઈ હતી, જે ઘણું સ્વાભાવિક છે. પરંતુ તે પછીની શતાબ્દી અને સવાશતાબ્દીની ઉજવણી પછી હવે ગાંધીજીનાં જન્મને ૧૫૦ વર્ષ થાય ત્યારે તેમની સાર્ધશતાબ્દીની ઉજવણી રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય આયોજન સાથે થાય તેવી અપેક્ષા રાખી શકીએ.

દેશમાં સર્વત્ર મૂલ્યોને ઘસારો લાગી રહ્યો છે. ખાદીના લેંઘો-ઝભ્ભો પહેરવા માત્રથી ગાંધીને પામવાનું શક્ય નથી. ગાંધીને વાંચ્યા કે સમજ્યા વિના ભાષણ ઝાડવાથી ગાંધીનો ખ્યાલ આપી શકાતો નથી. પક્ષીય રાજકારણથી માંડીને સંસ્થાઓના સંચાલન સુધી સર્વત્ર મૂલ્યો ઉળેખાતાં જાય છે. તેનું પુનઃસ્થાપન આજની તાતી જરૂરિયાત છે. ગાંધી સાર્ધ-શતાબ્દીએ આ દિશામાં વિચારવાનું થાય તો ગાંધીને યોગ્ય અંજલિ આપી ગણાશે.

[સપ્રેસ, ૧૬-૧-૨૦૧૮માંથી સાભાર]

ભાવનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2018; પૃ. 16

Loading

...102030...3,1783,1793,1803,181...3,1903,2003,210...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved