Opinion Magazine
Number of visits: 9581854
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

BJP’s Forays in North Eastern States and anti Minority Agenda

Ram Puniyani|English Bazaar Patrika - OPED|20 March 2018

From last couple of decades one is coming across the pamphlets, leaflets and other material containing the propaganda that Christian missionaries are converting the people at rapid pace; the examples mostly given have been those of the North Eastern states. This propaganda has been extensively used at pan India level, particularly before elections in most of the states. It is this propaganda which formed the base of hate against Christians and we witnessed the ghastly murder of Pastor Graham Stewart Stains, the horrific Kandhmal violence, and low intensity anti Christian violence and attacks on Churches in different parts of the country. So how come BJP, the party flaunting it Ram Temple, Mother cow and Hindu nationalism could make its inroads into an area where many states Christianity is the religion with good presence, where beef eating is part of the people’s dietary habits and where different tribes with diverse and clashing political interests articulate their aspirations by forming various groups which have been asking for separate state for their tribes.

While the situation in each state is different, there is a pattern of BJP strategy, which in a flexible manner, supplemented by massive resources, near perfect electoral machinery and the backing of its parent organization’s swayamsevaks is getting the cake in state after state. In Assam it focused mainly on the Bangladeshi immigrants, the Muslims swamping the state and threatening that Hindus will be reduced to a minority. It was clever enough to strike alliances even with separatist organizations. Most of the regional organization in the area looks at Congress as the party which has not focused on the development work, and BJP while at one level abuses those differing with its ideology as ‘anti nationals’, has no compunctions at all in allying with those who have been talking of separate state or even secession. In Tripura left government; despite its clean record; failed to fulfill the aspirations of tribal and OBCs in matters of reservation. It also failed miserably in creating employment opportunities for the youth which gave the ground to BJP to promise and create the illusion of development.

BJP here mainly harped on two major factors. One is the promise of development. As by now its claims of development all over the country stand exposed as mere vote catching slogans, in North East they still could sell Modi as a development man. Manik Sarkar’s failure to implement the new pay commissions must have hurt the large numbers as they are still stuck at fourth pay commission while talk of seventh pay commission is in the air In Tripura, they could also harp on ‘Hindus are Refugees: Muslim is infiltrators’ to influence the Bengali Hindu votes. In tribal area, RSS swayamsevaks working consistently by organizing religious functions, opening schools etc. from long time have succeeded in turning the tables, as Manik Sarkar Government failed to address the needs of Tribal’s in matters of opportunities. In matters of beef, BJP openly took a hypocritical line that their ban on cow slaughter and eating beef, which is being imposed in different parts of country; will not be enforced in North East. As such also one knows that like most of the issues raised by RSS-BJP, holy cow is a political tool for dividing the society and when the crunch comes they manipulate the issue as they have done in Kerala and Goa on the issue of beef and cow slaughter.

In a very loud manner, towering over Christian voters, Mr Modi talked of rescuing 46 nurses in ISIS captivity in Iraq and Father Alex Premkumar from Taliban captivity. What can one say on these issues? Were they rescued as they were Indians or were they rescued because they belong to a particular religion? As is the wont with Modi type politics, they do take advantage of these incidents in a crass political manner. Despite the fact that their ideology regards Christians and Muslims as foreigners they do at the same time manipulate these identities for electoral gains. In Tripura the majority of Congress and TMC MLAS migrated to BJP as well as the electoral support shifted to BJP. What worked for BJP here was the anti Bangladeshi sentiment along with the illusory promise of development.

In Meghalaya, the situation is different. Though Congress did emerge as the single largest party and logically is should have been given the chance to form the Government, the Hindu nationalist Governor, thought otherwise and the second largest party, in alliance with practically everybody including BJP are going to form the Government. Here the failure of BJP to win over electorate is writ large on the results, what is putting them in the camp of power, is the alliance with a regional party, which has not been having amicable attitude and relations to Congress. The role of BJP’s all round clout including money and muscle is the undercurrent of the story.

There is lot of lessons for left in Tripura to learn. Issue of addressing problems of youth, Tribal and OBC are paramount. In addition the issue of BJP manipulating in all possible ways to come to power is something, which can be ignored at the risk of severe declines in the electoral power of the left and other parties. What is being labeled as Karat line, not allying with Congress, will surely decimate the left in times to come, probably sooner than later, as this line underestimates the potential and the deeper agenda of BJP-RSS. It ignores the threat of powerful electoral machine built by BJP over a period of time and its capability to manipulate issues, like beef and conversion by Christian missionaries, is different parts of the country, taking two opposite positions and getting away with it!

The emotive politics unleashed by BJP RSS is visible again in the form of attacking Lenin’s statue and attacks on CPM workers. What is in store for future of the region if democratic forces don’t rise to the occasion is anybody’s guess!

Loading

કેન્સર

અનિલ વ્યાસ|Opinion - Short Stories|20 March 2018

છેલ્લી વાર સહુને જોઈ લેવાની ઊલટથી મોટીબહેને ભારત આવવાનું નક્કી કરેલું. મનમાં એમ કે રૂબરૂ મળીને ભાઈ બહેનોના ચહેરા આંખમાં ભરી લઉં, ભાણેજીયાંઓને ગળે વળગાડી એમની મહેક અંકે કરી લેવાય. પછી નિરાંતે છૂટી જવાનું. પ્રભુને રુચે તો અહીં દેશમાં નહિતર અમેરિકામાં. ત્યાં ચિંતા મૃત્યુની નહિ પણ એ દેશમાં પરિવારને છેલ્લી વિદાયનો દિવસ ગણ્યા કરવો પડે એની છે. ઘણીવાર એ ઘરની દીવાલે લટકતા ફોટાઓ, હોંશે હોંશે વસાવેલી વસ્તુઓને જોઈ રહે છે. સાવ ઝાંખા અજવાળામાં એ આંખો મીંચીને સૂતાં હોય ત્યારે એ સઘળું એમની આજુબાજુ ટોળે વળીને બેસે છે.

પાંચ બહેનો, બે ભાઈઓ ને બે મોટાબાપાની દીકરીઓના કબીલામાં કુમુદબહેન બીજા નંબરનું સંતાન. પણ રેવાને બદલે એ ક્યારે મોટીબહેન થઈ ગયાં એ  કંઈ જ  યાદ નથી. હા, યાદ છે માત્ર નવે ય જણનો સંપ. એકમેક પ્રત્યેનો પ્રેમ અને અઢળક સુખ ને વહાલની પળો. વહાલની એ વાંછટમાં બન્ને ભાઈઓ અિશ્વન અને દિલીપ ભરપૂર ભીજાયેલા. એ વાતો કરતાં ય બહેનોની આંખો ભરાઈ આવતી. આંખો અિશ્વનભાઈની ય ભીની થઈ ગઈ હતી. એમના દીકરાના વીઝા માટે જે જે કાગળો માગેલા એ તમામ કુમુદબહેને મોકલી આપેલા. સ્પોન્સર લેટર પણ ઈમિગ્રેશન લોયરે તૈયાર કરેલો. મિશિગનના નિવૃત્ત સાંસદનો ભલામણપત્ર ય બીડેલો છતાં જતીનને વીઝા ના મળ્યા. બસ, એ એક કડવી યાદ સિવાય પરિવારમાં ક્યારે ય કશો મનમુટાવ થયો ન હતો.

એ અમેરિકાથી નીક્ળ્યાં એના સાતેક મહિના પહેલાં દિલીપે જમીનને લગતા કાગળોમાં  એમની સહીઓની જરૂર છે એટલે કાગળો મોકલ્યા છે એવો ફોન કર્યો હતો. એમણે સામેથી ફોન કરીને વિગત પૂછી ત્યારે એણે કહેલું.

‘આ તો બાપુજીનાં આદરેલાં અધૂરાં મારે પૂરાં કરવાનાં બીજું શું? તને યાદ છે મોટી આપણે આંબાવાડિયેથી કેરીઓ ભરી લાવતા એ? ’

‘હા. બરાબર યાદ છે મેદરાના નેળિયાંવાળું ખેતર ને?’

‘એ જ. એકવીસ વીઘાનું કૂવેતર બાપુજીએ કરશનમુખીને મોઢામોઢ ખંડી આપેલું. એ જમાનામાં તો બોલે બંધાયા એટલે બધું કાયદેસર જેવું. જો કે એમણે બાનાખત કરી આપેલું. હવે એ મુખીના દીકરાને જમીનનો દસ્તાવેજ કરાવવાની જરૂર પડી છે. મારી જોડે આઈને કગરી પડ્યો બાપડો. તને તો ખબર છે ને મારો સ્વભાવ.’ પૂછતા હોય એમ બોલી એ થોડીવાર ચૂપ રહ્યા હતા. કુમુદબહેનના ‘હાસ્તો.’ના જવાબમાં એમણે ઊમેરેલું,

‘હવે બહેન દસ્તાવેજ માટે રૂબરૂ ગયાં ત્યારે ખબર પડી પાણીપત્રકમાં આપણાં બધાંના નામ છે.’ પછી અચાનક ફોન કપાઈ ગયો હતો, દેશમાં ફોન જોડીએ ત્યારે ફોન કપાઈ જવાનું સાવ સામાન્ય હતું. ફરી ફોન જોડ્યો પણ  વાત ન થઈ શકી. એ પછી બે ત્રણ વખત એમણે દિલીપ સાથે વાત કરવા પ્રયત્ન કરેલો પણ એ તો કાં બહાર હોય કે ફોન કોઇ ઉપાડે જ નહિ.

એ વાત થઈ એના અઠવાડિયામાં જ ગ્રીષ્મા ‘હમણાંથી તમે બરાબર ખાતાં નથી, મમ્મી’ કહેતાં એમને જીદ કરીને દવાખાને લઈ ગઈ હતી. ગ્રીષ્મા સિવાય એમને કોઈ મમ્મી કહી બોલાવતું નથી. ડૉ થાનકીએ ‘એક વર્ષથી લોહી તપાસ કેમ નથી કરાવી? લો આજે જ ઉપડો કહી કાગળ પકડાવી દીધેલો. તપાસમાં કશુંક એવું નીકળ્યું કે એમણે અનિરુદ્ધને તાત્કાલિક મળવા બોલાવ્યો હતો. લીવર અને પૅન્ક્રિઅસના ચિંતાજનક રિપોર્ટ જોતાં  કુમુદબહેનને સીટી સ્કેન માટે રીફર કરેલાં. એ પછીનો આખો મહિનો ઉપરા ઉપરી સ્કેન, લોહી તપાસ અને અૅન્ડોસ્કોપીની તપાસમાં વીત્યો. કુમુદબહેનને ખ્યાલ આવી ગયો હતો કે નક્કી કશું ગંભીર છે.

ગ્રીષ્મા બહુ ઓછું બોલે, કડકાઈથી વર્તે એટલે અનિરુદ્ધ ગમ્મત કરતો,

‘બહેન, મારી વહુ તમારા કહ્યામાં રહે એમાંની નથી. સહેજ દાબમાં રાખતાં જાવ.’

સાંભળી ગ્રીષ્મા કડકાઇથી એની સામે જોતી. સહન કરી લેવું ને જતું કરવાનું કુમુદબહેનનું વલણ ઘરમાં કોઈને બહુ ગમતું નહિ. સંબધ અળપાયા જેવું લાગે તો એ આકળવિકળ થઈ જતાં. કુટુંબ અકબંધ રાખવા એ થાય એટલું કરી છૂટતાં.

એમની આવી સ્વભાવની મોકળાશથી જ ગ્રીષ્માને એમની માયા થઈ ગઈ હશે. સહુથી પહેલાં એને કહેલું. આખી બપોર એ રૂમમાં ભરાઈ રહી હતી. સાંજે થાળીમાં ભાખરી મૂકતાં એનો હાથ કંપતો હતો. કુમુદબહેને ઊંચુ જોયું. ગ્રીષ્માની આંખમાં તરવરતી ફડક જોઈ એ કશુંક બોલવા ગયાં પણ એ પહેલાં તો ગ્રીષ્મા દોડતી હોય એમ રસોડામાં જતી રહી હતી.

માણસની ભીતર શું ચાલતું હોય એની શી ખબર પડે? એમ વિચારતાં એ આડા પડખે થયાં હતાં ત્યાં અનિરુદ્ધ આવ્યો. એ પંદરેક વરસનો થયો ત્યાં સુધી એને ન ગમતું કશુંક બન્યું હોય કે રિસાયો હોય ત્યારે  એમનો હાથ હાથમાં લઈ ચૂપચાપ બેસી રહેતો.

એ જ્યારે એમનો હાથ હાથમાં લઈ ચૂપચાપ બેસી રહ્યો ત્યારે જ અંદેશો આવી ગયો હતો કે ચોક્કસ કંઈક બન્યું છે. પૅન્ક્રિઅસની બાયોપ્સી પછી ડૉ હિલ્ટને એને જણાવ્યું હતું કે કુમુદબહેનને પૅન્ક્રિઅસનું કેન્સર છે. આક્રમક સ્વભાવના આ કેન્સરની વાત માને કેવી રીતે કહેવી એની ગમ પડતી નહોતી. રુંધાતા કંઠે બહેન તને ….. બોલતાં એની આંખો ભરાઈ આવી. સારું થયું ગ્રીષ્માએ આવી બન્નેને સંભાળી લીધાં.

સહેજ સાજ ઠંડી ઓછી થાય ને તુલિપની ગાંઠો ઊગી નીકળે એમ કેન્સર ફૂટી નીકળ્યું.  આપમેળે ઊગી નીકળતાં તુલિપ કે ડેફોડિલ્સની હરિશ્ચન્દ્રને ભારે ચીડ હતી. સહેજ કોંટો ફૂટ્યો જુએ કે તરત ખોદી કાઢે. ગાંઠો એટલી ઊંડી હોય કે ખોદતાં પરસેવો ઊતરે.

કુમુદબહેને કેન્સરનું ઓપરેશન સાડા બાર કલાક ચાલ્યું હતું એ જાણ્યું ત્યારે એમને હરિશ્ચન્દ્રનો પેલો પરસેવે ટપકતો, થાકેલો ચહેરો યાદ આવી ગયો હતો.  ક્ષણ માત્રમાં તેત્રીસ વર્ષનો સંગાથ છોડી ચાલી ગયેલા. શું શું નીકળી ગયું જીવતરમાંથી? સવાલ સાથે જ શરીર દદડી જતું અનુભવાયું. એ પલંગમાં સૂતાં સૂતાં મુઠ્ઠીઓ ભીડતાં એ પોતાની જાત ગાંઠે બાંધવા મથ્યાં.

બરાબર ત્રણ મહિના પછી એવી જ રીતે શરીર ઢળી પડતું અનુભવાયું હતું જ્યારે અનિરુદ્ધે સવાલ કર્યો, ‘ દાદાની મિલકતમાં તમારો ભાગ નહિ, બહેન?’

અચાનક શરીર પર વંદો ચડી ગયા જેવું થયું? બેઠાં બેઠાં ખુરશીનો હાથો ભીડતાં પોતાને ખાળવા મથ્યાં હતાં.

‘આપણે કશું જોઈતું નથી મોટીબેન પણ મામા આવી રીતે સીધા પાવર ઓફ એર્ટનીના કાગળો બનાવરાવી મોકલી આપે એ સારું કહેવાય?’

એમણે ઉપેક્ષા ભાવે દીકરા સામે જોયું પણ એમાં લાચારીની ટશર આવી ગઈ હતી.

દિલીપે સ્ટેમ્પ પેપર્સ સાથે ચાર લીટીની ચબરખી બીડેલી. સહુ કુશળ હશો, આ સાથેના કાગળોમાં સહીઓ કરી નોટરી પાસે એફિડેવિટ કરાવી તાત્કાલિક મોકલી આપવા જણાવેલું.

અનિરુદ્ધે નિસર્ગને નોટરી અંગે તપાસનું કામ સોંપ્યું. નોટરીના ચારસો ડોલર્સ સાંભળી નિસર્ગ ભડક્યો હતો.

બા, તારે  એમ સી ૨૦ ફોર્મ ભરવું પડશે. બધું એટલું સરળ નથી જેવું દિલીપદાદા માને છે, એ આપણને ખરચો આપશે? કુમુદબહેન મલકાયાં એટલે એણે આંગળી અને અંગૂઠાથી ઈશારો કરતાં કહ્યું, ‘ હસવાની વાત નથી ચારસો ડોલર્સ  થશે, બા.’

ગ્રીષ્માએ કડકાઈથી એને અટકાવેલો, ‘બા સાથે આ રીતે વાત કરાય? બીજું, આ બાની પર્સનલ વાત છે સમજ્યો? સે સૉરી.’

‘મારી ને બાની વચ્ચે કશું પર્સનલ નથી એ તમે સમજી લો, મમ્મીજી.’

‘જીવનમાં કેટલુંક સાવ અંગત હોય છે, બેટા, એન્ટાયરલી પર્સનલ.’  નિસર્ગ શરમાઈને નીચું જોઇ ગયો. પછી અધિકાર દર્શાવતા ભાવે બોલ્યો, ‘મમ્મી, સાચું કહે છે બા?’

કોઈના માટે સહેજ ઘસાવું પડે એ તને આકરું લાગે છે, દીકરા? એવો સવાલ મનમાં ઢબૂરી દેતાં એ ઘડીક ગ્રીષ્માને તો ઘડીક નિસર્ગને જોઈ રહ્યાં. એ સાવ અલિપ્ત હોય એમ ઊભાં રહ્યાં પછી થયું:  પોતે આમ વર્તે એમાં કશું લેવા—ખાવાનો ભાવ તો છે જ નહિ. ક્યાંક અધિકાર  અળપાયા જેવું હશે? એવું નથી તો હું કેમ આમ અવાચક થઈ ગઈ હોઈશ? આવી અકળામણ થાય એ જ ખોટું. કાલે જ સહીઓ કરાવીને કાગળો મોકલી આપશે. પછી હાશકારો અનુભવતાં એમણે નિસર્ગનો ખભો દબાવતાં કહ્યું, ‘તું ગમે એ કરીશ મારી મિલકત તો હું કેંયા ને જ આપતી જવાની છું’

‘મારામાં આવડત છે, બા, મને કોઈના દાનની જરૂર નથી.’

‘શાબાશ. તારા દાદા આવા જ સ્વમાની હતા.’ કહી એ ગૌરવભર્યું હસ્યાં.

એ રાતે જ અચાનક મોંમાંથી મોળ છૂટવાની શરૂઆત થઈ ને ઉપરાઉપરી ઊલટીઓ. ફરી એક વાર એ જ હોસ્પિટલની  ન ગમતી ગંધ વચ્ચે સૂઈ રહેવાનું.

વગર ભડકે જાગતી બળતરા ઠારવા એ પલંગની રેલિંગે હથેળી ઘસતાં રહેતાં. સામસામી રેલિંગો પંજાની જેમ કસાઈ, આંગળીઓની નાગચૂડ એમને તાણવા લાગી. એ બોલાવતા તો નહિ હોય ને? હરિશ્ચન્દ્રની બદામી કીકીઓ આંખ સામે આવી ઊભી પછી બળાપો થય છે એ સૂજ્યું જ નહિ.

કપાળે કોઈનો સ્પર્શ અનુભવાતાં એમણે આંખો ઊઘાડી. ગ્રીષ્મા ક્યારે આવી? એનો ઝૂકેલો ચહેરો, આંખમાંથી ટપકતું મમત્વ જોઈ સારું લાગ્યું.

‘શું થયું છે મને? ડૉક્ટરે કહ્યું કશું?’

‘ના, મમ્મી, હજુ રિપોર્ટ નથી આવ્યા પણ ચિંતા ના કરશો. આટલા મોટા ઓપરેશનમાંથી ઊગરી ગયાં પછી આવા દુ:ખાવાનો શો હિસાબ.’

‘તો બરડામાં નળી શેની નાંખી છે?’

એમના વાળમાં ફરતી. ગ્રીષ્માની હથેળી અટકી ગઈ. શું કરે? કહી દે કે તમારી ડાબી કિડની  બહુ મોટી થઈ ગઈ છે. પછી વિચાર્યુ અનિરુદ્ધ કહે એ જ વધારે યોગ્ય. ત્યાં નિસર્ગ આવ્યો. આવ્યો એવો જ કુમુદબહેનના પગ પાસે બેસી પડ્યો.

‘બા’ બાકીના શબ્દો ગળામાં જ ખૂંપી રહ્યાં. એની આંખમાં આંસુ ઊભરાયાં.

કુમુદબહેને એને નજીક બોલાવ્યો.

‘સૉરી બા, મેં તમને મામાના પ્રોબલેમ અંગે હેરાન કરેલા, સૉરી.’

‘બેસ, મારે તારાથી શું છાનું રાખવાનું હોય? સૉરી ના બદલે એક વચન આપ કે કોઈ દિવસ કોઈની ય વાત કે વર્તનનું  તું ક્યારે ય ખોટું નહિ લગાડે.’

‘એટલું બધું, બા? તારે કાયમ અશક્ય હોય એ જ માગવાનું હેં ને?’

‘બોલ હા કે ના?’ પૂછી એમણે હથેળી લંબાવી. કુમુદબહેનની આંખોમાંથી નીતરતું વાત્સલ્ય અને નિસર્ગના ચહેરા પર છવાયેલો હક જોઈ ગ્રીષ્માથી મલક્યા વિના ન રહેવાયું.

ફેમિલી મિટીંગમાં ડૉ કેલિહૅરે દર્દીને સાચી માહિતી આપવાનો આગ્રહ રાખ્યો. ગ્રીષ્માએ કુમુદબહેનને ફેફસાં, કિડની અને લીવરમાં કેન્સર પકડાયું છે, મમ્મી. એમ કહ્યું ત્યારે એમણે લાંબો સમય  હોઠ ભીડી  આંખો મીંચી રાખી.

ડૉ કેલિહૅરે એમના તરફ સહેજ નમી હળવેથી પૂછ્યું, ‘આ બધું જાણ્યા પછી બહુ વસમું લાગતું હશે, નહિ?’

કુમુદબહેનના અવાજમાં પહેલીવાર પીડા હતી. ‘મનમાં હતું કે આટલા મોટા ઓપરેશન પછી  મને સારું થઈ જશે. પણ આ કેન્સર …’ એ વાક્ય પૂરું ન કરી શક્યાં. ગ્રીષ્માએ એમનો જવાબ અંગ્રેજીમાં કહ્યો પણ કુમુદબહેનનો ચહેરો જોઈ એ કંપકપી ગઈ હતી. અનિરુદ્ધે ઘવાતા અવાજે એટલું જ કહ્યું, ‘આપણે થોડીવાર એમને એકલાં રહેવા દઈએ.’

હોસ્પિટલમાંથી રજા મળી ને ઘેર આવ્યાં પછી કુમુદબહેને ગ્રીષ્માને કહ્યું,

મારે દેશમાં જવું છે, સહુને  મળી આવું છેલ્લી વાર.  અનુને કે' આપણી ટિકિટ કરાવી લે.

*        *          *

‘દિલીપવાળા કાગળો  ભૂલાય નહિ.’ કહી કુમુદબહેને કેયા અને નિસર્ગ સામે જોયું હતું. જો કે એ બન્નેને તો બા આવી હાલતમાં આટલે દૂર જાય છે, એની ચિંતા વધારે હતી. નિસર્ગ વારંવાર પૂછતો હતો, ‘બા, તારાથી આટલા કલાક બેસાશે પ્લેનમાં?’

‘નહિ બેસાય તો સૂતાં સૂતાં જઈશ. બિઝનેસ ક્લાસમાં જાઉં છું.’

સાંભળી ગ્રીષ્મા કેયા સામે જોતાં મલકાઈ. અનિરુદ્ધે બન્ને છોકરાંઓને પૂછેલું કે આવવું છે ઇન્ડિયા? પ્રશ્ન સાંભળતાં જ કેયાએ હા પાડી દીધી હતી. નિસર્ગ અવઢવમાં હતો એ કહે હું બા કહેશે તો આવીશ. ગ્રીષ્મા ટેવ મુજબ બધું સાંભંળતી બેઠી હતી.

અચાનક કેયાને યાદ આવ્યું: ઇન્ડિયા જાય એટલી વાર બિઝનેસ ક્લાસમાંથી પસાર થવાનું બને છે. આંખને લોભાવતી એ આરામદાયક બેઠકો છોડી આગળ જવાનું ગમતું નથી.

એણે કહ્યું ‘પપ્પા, હું નહિ આવું પણ બાની ટિકિટ તમે બિઝનેસ ક્લાસમાં કરાવજો.’

ગ્રીષ્માએ લગભગ પડતું મૂકતી હોય એમ કેયાને બાથમાં ભીડી લીધી હતી. નિસર્ગને બાએ આવવાની ના પાડી હતી.

‘તું બે વાનાં કરજે, કેયાને અમારા વતી સાચવજે અને અહીંના ડોક્ટરને મળી મારી સારવારનો પ્લાન દોશી સાહેબને મોકલજે.’

દિલીપમામા બહેનને મળવા આવ્યા ત્યારે અનિરુદ્ધે વાત વાતમાં પૂછ્યું,

‘છેક આટલા વરસે દસ્તાવેજ કરાવવાની જરૂર કેમ પડી, મામા?’

‘ભઈ, આપણે એવી પડપૂછ શું લેવા કરવી પડે? જવાન છોકરાં ભાગ માગતા હશે, બીજું શું?’

‘પણ એમાં બહેનની સહીની શી જરૂર?’

‘આમ તો ના જ હોય. બહેન દીકરીઓ પેલેથી જ એમનો હક આલી દે, આ તો બાપુજી ગુજરી ગયા પછી મોટાભાઈએ વારસાઈમાં બધાનાં નામ લખાઈ દીધાં હશે. હવે, કચેરીનું રેકર્ડ ખૂલે એટલે નામ તો બોલેને.’

’સારું. તો નોટરીને ઘેર બોલવરાવીને જે પાવર ઓફ એટર્ની બનાવરાવી લેજો. આપણી જ્ઞાતિના જ એક નોટરી છે ને?’

‘હા  હા. એ તો એમ જ કરાય. મોટીબેનને દુ:ખ પડવા દેતો હઈશ?’

‘પણ મામા, તમારે આ બધી પળોજણમાં શું કામ પડવું પડે? મૂળ માલિક ના કરે આ બધું?’

ખી ખી હસતાં એમણે મોટીબહેન સામે જોયું. અનિરુદ્ધ કશું બેમતલબનું બોલ્યો હોય એમ. પછી  પેન્ટના ખીસામાંથી હાથરૂમાલ કાઢી હાથ લૂછ્યા ને રૂમાલની ગડી વાળતા બોલ્યા,

‘જો ભઈ, જાતે ઘસઈને કોકને ટેકો કરીએ એ જીવ્યું પરમાણ, શું? પૂછ મોટીબેનને.’ કહી એમણે કુમુદબહેન સામે જોયું. એમણે પાપણોં નમાવતાં હકારમાં માથું હલાવ્યું.

દિલીપભાઈ ઘેર પહોંચે એટલી વાર થઈ હશે ત્યાં ફોન રણક્યો. અનિરુદ્ધે થોડી વાતો કરી ફોન કુમુદબહેનને આપ્યો. ‘બકુલામાસી છે, વાત કર.’ બકુલા કુમુદબહેનથી નાની. એમના પછી સુમન, હંસા અને રોહિણી. રેવાબહેન અને દિપ્તી મોટાબાપાની દીકરીઓ. દિપ્તી અને રોહિણી લગભગ સરખી વયનાં.

‘કેમ છે તું?’

‘મજામાં, સાંભળ, દિલીપ આયો તો તારી કને સહીઓ કરાવવા?’

કુમુદબહેને જવાબ ન આપ્યો એટલે એ અકળાયાં, ‘તું સાંભળતી નથી, મોટી?’

‘સાંભળું છું. તું મળવા આવે ત્યારે જિજ્ઞેશની દીકરીને લેતી આવજે મારે જોવી છે એને.’

‘સારું પણ તું સહીઓ કરવાની સાફ ના પાડી દેજે.’

‘આપણો એ જમીન પર શું હક, બકુ? તું ય ગાંડી થઈ છે ને!’

‘દિલીપ ગાંડા બનાવે છે સૌને. હરિપ્રસાદ લાલશંકરની તમામ મિલકત પર આપણો ભાઈ બહેનોનો કાયદેસર સરખો હક છે. અિશ્વનભાઈ ગુજરી ગયા પછી દિલીપે કકડે કકડે રણાસર ને નરોડાનાં બે ય ઘર, દીવાનવાળું ખેતર ને મોટાબાપાની તમામ મિલકત … બધ્ધું ચૂપચાપ વેચી માર્યું, ખબર છે? બારોબાર રોકડી કરી લીધી. આપણે તો  સમજ્યાં બહેનો હતી પણ એણે તો પારુભાભીને ય ઠેંગો બતાડી દીધો.’

‘હવે બધું એમનું જ હતું ને? એને જે ફાવે એ કરે.’ કુમુદબહેને અનિરુદ્ધને પાણી લાવવાનો ઈશારો કરતાં કહ્યું.

સાંભળતા જ બકુલા ગુસ્સે ગઈ હતી. જેણે કોઈ દિવસ ચપટી બોર કે મુઠ્ઠી શીંગ માટે ય માથાકૂટ નહોતી કરી એ બકુલા જીવતરનો હિસ્સો છીનવાઈ ગયો હોય એમ ઉશ્કેરાતી હતી. એનો શબ્દે શબ્દ કુમુદને રહેંસતો હતો. પોતાને કશું નથી આપવું અથવા સાચવીને હડસેલાઈ દેવાઈ છે એવી એની લાગણી એમને જરા સ્પર્શી ત્યાં બકુલાએ ઊમેર્યું,

‘દિલીપે દસ્તાવેજ કરાઈ આપવાના બે ટકા માગ્યા છે. રિંગ રોડ ને નવા નરોડાના વિકાસ પછી જમીનના ભાવ કરોડોમાં છે મોટી. વીસ કરોડના બે ટકા ગણી લો તમે.’

‘તું ક્યારથી આવી ગણતરી કરતી થઈ ગઈ, બકુ?’

‘ના ગણું પણ એણે બાપની મિલકતમાંથી કંઈ ના આપ્યું પણ અનાયાસ મળનારા ધનમાં ય બહેન ભાણેજીયાંનો વિચાર નહિ કરવાનો? મારે કશું નથી જોઈતું પણ સુમનનો ય વિચારે ય એને નથી આવતો.’

‘હું છું ને સુમનનો વિચાર કરવાવાળી.’ કુમુદે કહ્યું. જે બકુલાના વ્યક્તિત્વનો એ આદર કરતી હતી એટલે આ સ્વરૂપે સાંભળવાનું ગમ્યું નહિ.

‘રૂઢિ રિવાજનો મહિમા કરતાં સહુ સાથે સમતા સાધી જીવવાનું આપણાં સંસ્કારમાં છે, બકુલા. તને આવી જીદ ના શોભે.’

‘એમ? ભાઈને આપણી સહીઓ કરાવી લઈને બાપીકી મિલકત ઓળવી લેવાનો કશો જ અધિકાર નથી અને બીજી વાત મને કોઈ આમ ટેકન ફોર ગ્રાન્ટેડ ગણે એ જરા ય પસંદ નથી.’ આનો શો ઉત્તર વાળવો? એમણે વાત બદલી એને શાંત પાડી.

ત્યાં બીજે દિવસે રોહિણી આવી. એ સાતે ય બહેનોમાં સૌથી નાની અને સહુની લાડકી. એની વાત કોઈ ભાગ્યે જ ઉથાપતું. કુમુદબહેને બકુલા સાથે થયેલી વાતનો ઉલ્લેખ કર્યો. રોહિણી કહે,

‘મોટીબેન, મને પી.એચ.ડી થયેલીને ય દિલીપભાઇ ભોટ સમજે છે. શરદ તો એવો ગરમ થયેલો મને એણે સહીઓ કરી આપવાની સાફ ના પાડી દીધેલી.’

‘પછી?’

‘કંઇ નહિ, આપણાથી થોડું ભાભી જેવું થવાય છે?’

‘વળી, ભાભીનું શું છે પાછું?’

‘ભાભીએ રોકડુ પરખાવી દીધું કે ભઈએ દલાલ થવાની જરૂર નથી એ મુખીને જ મોકલજો  સહીઓ માટે હું વાત કરી લઈશ. દિલીપે  ગલ્લા તલ્લાં  કરવા માંડ્યા એટલે ભાભી કહે,

‘બહેન દીકરીનો ભાગ ના હોય એ હું સમજું પણ હું તો મરનારની વહુ થાઉં. તમારા ભાઈ અડધી મિલકતના હકદર છે એ ય ભૂલી ગયા?’ કુમુદબહેન રોહિણી સામે જોઈ રહ્યાં જાણે પૂછતા હોય તું તો એવું કશું નથી કરવાની ને?

‘હું, હંસા અને દિપ્તીબેન  અમે તો ગાંધીનગર જઈને સહીઓ કરી આવ્યાં. હવે, એ જાણે ને એનું તકદીર. જો કે, વિનોદચન્દ્ર હંસાને ના જ પાડતા હતા. કહે તારો ભાઈ બધાયને ભોટ સમજે છે ને તું એને સાચો પાડવાની હઠ લઈને બેઠી છે. હું કલેકટર ઓફિસમાં કામ કરું છું. છાશ વારે આવા વહાલસોયા ભાઈઓના કિસ્સાઓ જોઉં છું.’

કુમુદબહેને અવિશ્વાસથી રોહણી સામે જોયું, ‘કાલે રસિકફુઆ ને ઇન્દુફોઈ મારી ખબર કાઢવા આવેલાં. એ લોકોયે આવી બધી વાતો કાઢીને બેઠેલાં. મને તો સમજાતું જ નથી કે સહુના હૈયાં આવા સાંકડા ક્યાંથી થઈ ગયાં છે.’

એવું જ છે મોટીબેન. હંસાએ તો સંભળાવ્યું કે આપણે તાબડતોબ બે ય દીકરીઓ અને પાર્થને સરખે ભાગે મિલકત મળે એવું ય વીલ બનાવરાવી લઈએ ત્યારે ઠેકાણે આવ્યા. તો ય કે’  તને જે ઠીક લાગે એ  કર, પણ તમારે બધી બહેનોએ સમજવાની જરૂર છે.’‘

જો રૂપિયાથી સુખ મળતું હોત તો ….’ સહેજ અટકીને કહ્યું, ‘તને ક્યાં દાખલા આપવા બેઠી!’ સાંભળી રોહિણી વાત પૂરી થઈ ગઈ હોય એમ ઊભી થઈ રસોડામાં ગઈ.

કુમુદને થયું રોહિણી અને બકુલાની લાગણી વચ્ચે આચરણ સિવાય ઝાઝો ફરક નથી. એક પ્રસન્ન પરિવારની છબી ઉપર કશું ઢોળાયું હોય એમ અનુભવાયું. સાંજ નમવા આવી હતી. એમણે બારી બહાર જોયે રાખ્યું. ધીમે ધીમે રાતો કિરમજી રંગ અંધકારમાં ઓગળવા લાગ્યો.

*      *      *

સવારે અચાનક તબિયત બગડતાં અનિરુદ્ધે ડૉ દોશીનો સમ્પર્ક કર્યો હતો. અમેરિકાથી ડૉ. કેલીહૅરે એમને કુમુદબહેન વિષે માહિતી મોકલી આપી હતી. એમણે સાંજના ચાર વાગ્યાની એપોઇન્ટમેન્ટ  હતી એટલે  અનિરુદ્ધ અને ગ્રીષ્મા  અગિયારેક વાગ્યે બેંકનાં બાકી કામો પતાવી આવીએ છીએ એમ કહીને નીકળ્યાં. મોટીબહેન પાસે અનિરુદ્ધથી નાની સુષમા હતી. એ લોકો એક વાગ્યે પાછાં આવ્યાં ત્યારે કુમુદબહેન ઘરમાં નહોતાં.

‘સુષી, મોટીબેન ક્યાં છે?’

‘એ તો દિલીપમામા સાથે ગયાં, ભાઈ.’

‘ક્યાં ગયા છે એ લોકો કંઈ કહ્યું છે તને?’

‘મામા કોઈ વકીલને લઈ આવ્યા હતા મોટીબેનને ફટાફટ તૈયાર કરી એ લોકો નીકળ્યાં.’

‘ક્યાં જવા નીકળ્યાં?’

‘મને કશું કહ્યું નથી. મામા કે‘ મારે અનિરુદ્ધ સાથે વાત થઈ ગઈ છે અમે કલાકમાં આવીએ છીએ. મેં કહ્યું ય ખરું કે મોટીબેનને દવાખાને જવાનું છે ત્રણ વાગ્યે. તો કહે અમે કલાકમાં તો પાછાં આવી જઈશું.’

‘ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ કીડનેપ. કોલ ધ કોપ્સ. ગ્રીષ્મા.’

‘ મોટીબેન એમની મરજીથી ગયાં છે, તમે સમજો. શાંત થઈ જાવ, પ્લીઝ.’

‘અરે પણ દોશી સાહેબ આજે સાંજે એમના અંગત કામે બેંગ્લોર જવાના છે. હવે એ એક અઠવાડિયા પછી મળશે.’ અનિરુદ્ધ ધૂંઆપૂંઆ થઈ ગયો. એને મામા પર પારાવાર ગુસ્સો આવતો હતો. વર્ષોથી એ અમેરિકા હતો એને આવા કાયદાકીય કામો અંગે કયાં જવાનું એની કશી ખબર નહોતી. મામા મોટીબહેનને કઈ ઓફિસમાં લઈ ગયાં હશે? એ આ રીતે મોટીબહેનને લઈ જશે એવું વિચાર્યું જ નહોતું.

‘એમને એટલી સમજ ન પડી કે માંદગી વધારે હોય, સારવારની જરૂર હોય ત્યારે માણસને આમ ન  લઈ  જવાય. મામા મોટીબેનને રીતસર ઉઠાવી જ ગયા. મેં સવારે જ ના પાડેલી કહેલું કાલે નોટરીને ઘેર બોલાવી લઇશું તો ય ……’

ગ્રીષ્મા થોડી થોડી વારે મામાનો નંબર જોડતી હતી પણ ફોન સ્વીચ ઓફ આવતો હતો. અનિરુદ્ધને રહી રહીને એક જ સવાલ પજવતો હતો; ડાહ્યો, પરિપક્વ દેખાતો માણસ આવો લુચ્ચો, સ્વાર્થી અને લાલચુ હશે? મનનો ઉત્પાત શમતો નહોતો. ક્રોધ ને લાચારી માર્યા એની આખમાં પાણી આવી ગયાં. ગ્રીષ્માએ આ જોયું. એ નજીક આવી, હાથ પકડી અનિરુદ્ધને બેસાડ્યો. આંસુ લૂછી વહાલથી એના માથે હાથ પસવાર્યો. અનિરુદ્ધ ખુલ્લા મોંએ રડી પડ્યો.

‘મારી માને કશું થઇ ગયું તો હું એ માણસને ..’

‘પ્લીઝ ચૂપ થઈ જાવ. આમ રડાય? કંઇ નહિ થાય મમ્મીને, હું કહું છું ને.’

અપરાધી હોય એમ સુષમા પાણીનો પ્યાલો અંબાવી રહી.

કુમુદબહેને અનિરુદ્ધને સોગંદ આપીને શાંત રહેવા મનાવી લીધો હતો. જો કે એમની બગડતી સ્થિતિએ એને હચમચાવી મૂક્યો હતો. એ જ સાંજે કેન્સરના નિષ્ણાત તબીબને બતાવી આવ્યા પણ કશો ફરફ દેખાતો ન હતો. આખીરાત મોટીબહેન પલંગમાં બેઠાં લાંબી ઉધરસ ખાતા રહેતાં. હળદર મીઠાનું પાણી આપું? દવા જોઇએ છે? હાથ ફેરવું?ના  ચુપકીદી ભર્યા સંવાદ વચ્ચે મોટીબહેનની ટગર ટગર નજર જોઈ સહન ન કરી શકવાની કારમી સ્થિતિ એને રૂંવે રૂંવેથી બાળતી હતી. સારું હતું પાછા જવાના દિવસો સાવ નજીક હતા.

જવાની આગલી સાંજે દિલીપમામા મળવા આવ્યા ત્યારે કેમ છે? ના એમના સવાલનો જવાબ ન મળ્યો તો ય એ હસીને મોટીબહેનના પલંગની ધારે બેઠાં. અનિરુદ્ધ અકળામણમાં ઊભો થઈ બહાર નીકળી ગયો.

એ ચંપલ પહેરતો હતો ત્યાં ગ્રીષ્માનું ધ્યાન ગયું. ‘ક્યાં જાવ છો?’

‘બહાર. તને ખબર છે ને મારાથી ત્યાં નહિ બેસાય.’ ગ્રીષ્માએ એને બારણા બહાર ખેંચ્યો. બહાર આવી કહે, ‘હું સમજું છું પણ આપણે મમ્મીનો વિચાર કરવાનો ને? તમને ખબર છે ને પરણીને આવી ત્યારે હું કેવી હતી? મમ્મી ના હોત તો ….. એ આગળ ન બોલી શકી. અનિરુદ્ધે ગ્રીષ્મા સામે જોયું, પળ માત્રમાં સઘળું વંચાયું. એના ખભે હાથ મૂકતાં બોલ્યો, ‘આવ.’ ને  બન્ને ઘરમાં પ્રવેશ્યાં.  એ અંદર આવ્યો ત્યારે કુમુદબહેન મામાને કહેતાં હતાં,

‘જો ભાઈ, મને મારા રોગની ખબર પડી ત્યારે કેન્સર બહુજ ફેલાઈ ગયું હતું. એ કે ય કારી ફાવી નહિ. તું સાચવજે. તપાસ કરાવતો રહેજે. વેળાસર ખબર પડે તો ઇલાજ કરાવાય બીજું શું?’

‘સાચું કીધું, મોટીબેન. હું તો દર છ મહિને ફૂલ બોડી ચેકઅપ કરાવી જ લઉં છું.’

અનિરુદ્ધે કુમુદબહેન સામે જોયું. હજી ય એમની આંખોમાંથી એ જ અમીમય ભાવ નીતરતો હતો. એમણે અનિરુદ્ધને કહ્યું, ‘બેસ.’

અનિરુદ્ધે સહજ પૂછતો હોય એમ પૂછ્યું, ‘મામા, પછી તમારું સહીઓનું કામ પતી ગયું ને?’

‘હા. જો ને મોટીબેનને થોડી તકલીફ વેઠવી પડી પણ એ ય મારા જેવી જ છે. કોકની તકલીફ જોઈ નથી કે દોટ મૂકી નથી.’

દિવસોની ધીમી ગતિ અને થાકમાં સમતોલન સાધતાં મોટીબહેન પાછા આવ્યાં ને અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. પછી પડખું ય ન ફરી શકવાની નિ:સહાયતા, હાંફતું શરીર અને ઓગળી ગયેલા અવાજ. અનિરુદ્ધથી સહન ન થયું એણે ડૉ કેલિહૅરને એક વાર મોટીબહેનને તપાસી જવા વિનંતી કરી.

એણે કેલિહૅરને હાથ જોડ્યા,‘ કરો ને કશુંક. એ આ રીતે રિબાય એ કેમ ચાલે?’

ડોક્ટરે ચૂપચાપ મોટીબહેન સામે જોયું. અનિરુદ્ધે પહેલી વખત માની નેહનીતરતી આંખોમાં લાચારી જોઈ. આજીજીભરી એ નજર જોતાં ડૉ. કેલિહૅરની આંગળીઓ સ્ટેથોસ્કોપની નળીઓ પર ભીડાઈ. એમની નિ: સહાય નજર ઊકલતાં મોટીબહેને એમની સામે માફ કરતી નજરે જોયું.  ક્ષણભર ને ફરી પેલું  અઢળક પ્રેમ થકી સંતોષપૂર્ણ જોવું સ્થિર થયું.

પોતાની વ્યાકુળતા સંતાડતી ગ્રીષ્મા હાથ ફેરવવાથી મમ્મીને સારું થઈ જશે એમ મનને મનાવતી હળવે હળવે કુમુદબહેનની પીઠ પસવારતી રહી.

*               *              *

8, Carlyon Close, Wembley, Middlesex, HA0 1HR

e.mail : anilvyas34@gmail.com

Loading

બર્થ ઑફ નૉન-બીજેપીઝમ

રમેશ ઓઝા|Opinion - Opinion|19 March 2018

ઇન્ડેક્સ ઑપોઝિશન યુનિટી નામની એક ચીજ છે જેનું બહુપક્ષી સંસદીય રાજકારણમાં ઘણું મહત્ત્વ છે.

૧૯૫૨, ૧૯૫૭ અને ૧૯૬૨ એમ ઉપરાઉપરી ત્રણ સામાન્ય ચૂંટણીઓમાં વિરોધ પક્ષો કૉન્ગ્રેસના ગઢનો કાંકરો પણ નહીં હલાવી શક્યા એ પછી વિરોધ પક્ષોમાં હતાશા પેદા થવા લાગી હતી. એ સમયમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી મહદંશે સાથે યોજાતી હતી. એમને લાગવા માંડ્યું હતું કે આ રીતે તો કૉન્ગ્રેસને સત્તા પરથી ઊતરતા દાયકાઓ લાગશે એટલે સમાજવાદી નેતા ડૉ. રામ મનોહર લોહિયાએ નૉન-કૉન્ગ્રેસીઝમની થિયરી આગળ કરી હતી. સંસદની અંદર, સંસદની બહાર, રસ્તા પર અને ચૂંટણીના મેદાનમાં વિરોધ પક્ષોએ સાથે મળીને કૉન્ગ્રેસનો મુકાબલો કરવો જોઈએ. તેમણે વિરોધ પક્ષોને સમજાવ્યું હતું કે મતવિભાજન સંસદીય રાજકારણને કેવી રીતે પ્રભાવિત કરે છે.

ગઈ ચૂંટણીમાં પાંચ-પાંચ ટકા મતો મેળવનારા બે રાજકીય પક્ષો સાથે આવી જાય તો એમને મળનારા મતોનું પ્રમાણ ૧૦ ટકા થઈ જાય, પરંતુ સામેના હરીફ પક્ષને ૧૨થી ૧૫ ટકાનું નુકસાન થતું હોય છે. જેટલા પ્રમાણમાં મતવિભાજન ટળે એટલા પ્રમાણમાં યુદ્ધરેખા સ્પષ્ટ થઈ જતી હોય છે એટલે મતોનું ધ્રુવીકરણ થવા લાગે છે જેમાં શાસક પક્ષને નુકસાન થાય છે. આનું અટપટું શાસ્ત્ર છે જેને સેફોલૉજી તરીકે ઓળખાવવામાં આવે છે.

જગતમાં સેફોલૉજી નામનું શાસ્ત્ર વિકસે (અને આજે પણ સંપૂર્ણપણે વિકસેલું છે એવું નથી) એ પહેલાં ડૉ. લોહિયા પામી ગયા હતા કે વિરોધ પક્ષોની એકતા ઑપોઝિશન યુનિટીનો જે ઇન્ડેક્સ પેદા કરે છે જે વિરોધ પક્ષોને ફાયદો કરાવી શકે એમ છે. ઓછામાં ઓછું મતવિભાજન અને વધુમાં વધુ ફાયદો. વિરોધ પક્ષોને ડૉ. લોહિયાની વાત તો ગળે ઊતરી હતી, પરંતુ સેક્યુલર પક્ષોમાં સવાલ ઉપસ્થિત થયો હતો કે આમાં ભારતીય જનસંઘ નામના કોમવાદી પક્ષને સાથે લેવો જોઈએ કે નહીં? કોમવાદી પક્ષ સાથે હાથ મેળવતા ફાયદાની જગ્યાએ નુકસાન થશે તો? કૉન્ગ્રેસ સમાજવાદી પક્ષ જેવા સેક્યુલર પક્ષને કોમવાદી ગણાવશે તો? બીજું, તત્ત્વનું શું? કોમવાદી પક્ષને બાથમાં કેમ લેવાય. આ તો સિદ્ધાંતો સાથે બહુ મોટું સમાધાન કહેવાય. અને ત્રીજું, જેને પ્રજા ઘાસ નાખતી નથી, જેની લોકો મજાક ઉડાડે છે, સમજદાર નાગરિકો જેનાથી ડરે છે, જેનો એજન્ડા હિન્દુ રાષ્ટ્રનો છે, જે પક્ષ પર બિનલોકતાંત્રિક ફાસીવાદી સંગઠનનો અંકુશ છે એ પક્ષ કૉન્ગ્રેસને કાઢવા જતાં મજબૂત થશે તો? આ તો બકરું કાઢતાં ઊંટ પેસવા જેવું થશે. આખરે જનસંઘ (અત્યારની BJP) કૅડર આધારિત પક્ષ છે.

ખેર નૉન-કૉન્ગ્રેસીઝમનો લાંબો ઇતિહાસ છે જેની વિગતોમાં જવાની જરૂર નથી. વિરોધ પક્ષોનો સંયુક્ત મોરચો રચાતો હોવા છતાં અને ઠીક-ઠીક પ્રમાણમાં ચૂંટણીસમજૂતી કરવામાં આવતી હોવા છતાં કૉન્ગ્રેસને સત્તા પરથી ઊતરતા બીજા ત્રણ દાયકા લાગ્યા હતા. આ બાજુ ગેર-કૉન્ગ્રેસવાદે ભારતના રાજકારણને બે રીતે પ્રભાવિત કર્યું હતું. એક તો જનસંઘ/BJPને સમાજમાં આદરપૂર્વકનું સ્થાન મળ્યું અને સંસદીય રાજકારણમાં એની તાકાતમાં વધારો થયો. એ સમયે કૉન્ગ્રેસ માટે એટલી બધી નફરત હતી કે જયપ્રકાશ નારાયણે ત્યાં સુધી કહ્યું હતું કે જો RSS ફાસીવાદી છે તો હું પણ ફાસીવાદી છું. જયપ્રકાશ નારાયણે બિહાર આંદોલન વખતે સંઘપરિવારને સાથે રાખીને એની પ્રતિષ્ઠા વધારી આપી હતી. ગેર-કૉન્ગ્રેસવાદનું બીજું પરિણામ એ આવ્યું કે રાજકીય વિચારધારા અને વિચારધારા આધારિત મર્યાદા જ બચી નહીં. કોઈ કોઈની પણ સાથે જઈ શકે. જેટલી શરમ ઓછી એટલી રાજકીય પ્રાસંગિકતા વધુ. બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર આનું ઉદાહરણ છે. ગેર-કૉન્ગ્રેસવાદે રાષ્ટ્રીય રાજકારણનો ચહેરો અને ચરિત્ર જ બદલી નાખ્યાં.

૧૯૮૯માં ગેરકૉન્ગ્રેસવાદનો યુગ પૂરો થયો અને એની જગ્યા ગેરબીજેપીવાદે લેવા માંડી છે. એની વચ્ચે અટલ બિહારી વાજપેયીએ NDAની રચના કરીને અને સોનિયા ગાંધીએ UPAની રચના કરીને રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોની છાવણીઓ બનાવી. કેટલાક પક્ષો છાવણીમાં કાયમી સભ્ય હતા તો કેટલાક આવ-જા કરતા હતા. પોતપોતાની જરૂરિયાત મુજબ છાવણી બદલવાની છૂટ હતી. જેમ કે મમતા બૅનરજી, રામવિલાસ પાસવાન, કરુણાનિધિ જેવા બન્ને છાવણીમાં રહીને સત્તા ભોગવી આવ્યા છે. આમ NDAએ અને UPAને કારણે નૉન-બીજેપીઝમની કે આગળના નૉન-કૉન્ગ્રેસીઝમની ખાસ કોઈ જરૂરિયાત રહી નહોતી.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે પોતાને અને BJPને જે રીતે આક્રમકપણે પેશ કર્યાં એટલે સ્વાભાવિકપણે નૉન-બીજેપીઝમ કેન્દ્રમાં આવી ગયું. સવાલ એ હતો કે એમાં આગળ કેવી રીતે વધવું. સાથે મળીને ચૂંટણી લડવામાં આપણી વોટબૅન્ક તૂટે તો? આવું બનતું હોય છે. નૉન-કૉન્ગ્રેસીઝમના જમાનામાં ભારતીય જનસંઘને આવો ડર હતો અને જનસંઘ સાથે હાથ મિલાવવામાં બીજા સેક્યુલર પક્ષોને ડર હતો કે રખે મુસ્લિમ મત ગુમાવી દેશું તો? ઉત્તર પ્રદેશની જ વાત કરીએ તો સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષ અલગ-અલગ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે જેની વચ્ચે સો-બસો વરસની દુશ્મનીનો ઇતિહાસ છે. ભારતનાં લગભગ તમામ રાજ્યોમાં પરસ્પર વિચ્છેદનની સ્થિતિ છે.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ અંગત રીતે તેમની તરફેણમાં જુવાળ પેદા કર્યો હતો. BJPને ૨૮૨ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી હતી. એકલા ઉત્તર પ્રદેશમાં ૮૦માંથી ૭૩ (બે અપના દલની) બેઠકો મળી અને રાજસ્થાન તેમ જ ગુજરાત જેવાં રાજ્યોમાં તો BJPએ તમામ બેઠકો મેળવી હતી. આ બાજુ કૉન્ગ્રેસને માત્ર ૪૪ બેઠકો મળી ત્યારે વિરોધ પક્ષો હેબતાઈ ગયા હતા. તેમની સામે સવાલ હતો કે નૉન-બીજેપીઝમના નામે હરીફ રાજકીય પક્ષોએ હરીફાઈ ભૂલી જઈને આપસમાં ચૂંટણીસમજૂતી કરવી જોઈએ કે નહીં?

મૂંઝવણ મોટી હતી અને એ કઈ વાતે હતી એની વાત હવે પછી.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 17 માર્ચ 2018

Loading

...102030...3,1503,1513,1523,153...3,1603,1703,180...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved