Opinion Magazine
Number of visits: 9683980
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Kashmir After Abrogation of Article 370: Lies and Propaganda Galore

Ram Puniyani|English Bazaar Patrika - OPED|16 November 2019

It is over three months that the Article 370 has been abrogated. The procedure laid down by the law has been given a go bye and through a majority in Lok Sabha, bypassing the people of Kashmir the act has been done. While many a falsehood has been promoted, lately two such surfaced yet again. Paying tribute to Sardar Patel on 31st October, Sardar’s anniversary, Narendra Modi, dedicated the abolition of this article to him. Interestingly it was Sardar who was crucial part of the Committee which had drafted the said article. Also it was Sardar Patel who had moved the resolution of Article 370 in Constituent Assembly as Pundit Jawaharlal Nehru, one dealing with the issue as External Affairs minister, was away to US at that time.

With lapse of time not only the ancient and medieval history is being doctored to suit the communal politics, even the recent history is also under mutilation by likes of Modi who are currently ruling the roost. The other point which the Prime Minster and the other top officials are harping strongly is that it was this article due to which terrorism was getting a boost! The point they want to make is that with the abrogation of this article terrorism will be controlled in the troubled state. As public memory is short it is necessary to recall that while hurling the disaster of demonetization on the country, similar claim was made that counterfeit currency is fuelling the terrorism and demonetization will wipe out the militancy in Kashmir. As the matters turned out along with other claims about merits of demonetization even this claim turned out to be totally hollow and false.

As a blockade has been put on Kashmir, normal life brought to standstill, local leaders arrested and national leaders not permitted to visit the valley, in a very clever manner a delegation of some European right wing MPs has been put together by some business person, in the name of an NGO. The invitation to the MP, Chris Davies, who said that he will like to meet the local people on his own; was withdrawn right away and the compliant MP’s did come for a the trip. Their job was to give the ‘All is well’ certificate to the Modi Governments move after the ‘conducted tour’, which they enjoyed.

During this period despite the presence of military in large numbers, despite the claims that the abolition of this article will curtail terrorism in the valley, already disturbing killings have been taking place. In one such tragic incident five migrant workers from West Bengal have been done to death, shot dead in Jammu Kashmir’s Kulgam. Prior to this there was attack on people related to fruit trade. In another shocking and painful incident one person died and fifteen injured in a grenade attack in Srinagar, in a vegetable market where vendors were targeted.

On one hand the people of J&K are feeling humiliated as their state has been demoted to a Union Territory and on the other there are boasts that this is what was the dream of Sardar Patel!

The false hood that India has eliminated one big reason behind terrorism is totally away from truth. This understanding negates the facts of history and builds the narrative to suit the politics being pursued by BJP. Why was militancy there in Kashmir? As such the story begins with Pakistan’s attack on Kashmir, in the form of Kabayalis (Tribal), who were backed by the Pakistan army. Since Kashmiri people did not want to succumb to the “Two Nation Theory” propagated by communal elements, since they were more for secular democracy, they did request Indian Government to quell the Pakistani aggression. The complex process leading the treaty of Accession and later article 370 through Indian Constituent Assembly has been dealt with extensively by serious commentators.

The efforts of likes Shyama Prasad Mukherjee to put pressure to forcibly merge Kashmir with India, the rise of communal politics in India sent the feeling of disenchantment to Sheikh Abdullah in particular, the one who as such was instrumental in accession of Kashmir to India. To cut the long story short, Sheikh’s apprehensions were answered by putting him in the prison and this is what sowed the seeds of alienation among people of Kashmir. This alienation of Kashmir people duly supported by Pakistan is what has been the root cause of terrorism in Kashmir. Article 370 was the protective cover which by giving the autonomy to the state of J&K was a big obstacle to the proliferation of terrorism as such. Of course the global situation where by America sowed the seeds of Al Qaeda to fight against Russian army added on to the problem as the Al Qaeda and its clones, after defeating the Russian army in alliance with anti Soviet Forces, made their entry into the troubled state, and communalized the militancy. Thirty years down the line now the picture is being presented in an obverse way.

What was needed was to instill more democracy in the state and involve the disgruntled elements into the process of dialogue. Of course the negative role of Pakistan, backed up thoroughly by America has been the major factor. The problems can be solved only when the correct diagnosis of the issue is made. The warped understanding of recent history by communalists, is dictating the current politics and so the blame of militancy is being put on article 370. Article 370 has also been blamed for lack of development in Kashmir.

The truth is that in social development indices Kashmir’s indices are better than many states and above the national averages. Time alone will tell how Pakistan behaves, how the cancerous Al Qaeda type elements will be tackled within the state. An all round process of dialogues on the issue is a must. Strengthening of democratic process seems to be the only way to restore peace and overcome the violence which is the tormenting the people of Kashmir!

Loading

ચલ મન મુંબઈ નગરી — 18

દીપક મહેતા|Opinion - Opinion|16 November 2019

ચોપાટી, ગોવર્ધનરામ ત્રિપાઠી અને નવીનચંદ્ર

ગયે અઠવાડિયે ચોપાટી પર લટાર મારતાં મારતાં આપણી ભાષાની એક પ્રખ્યાત નવલકથા અને તેના લેખકને યાદ કર્યા હતા. આજે તેમના ચર્ની રોડ સ્ટેશન, ચોપાટી, વાલકેશ્વર સાથેના સંબંધ અંગે કેટલીક મજેદાર વાત.

ગોવર્ધનરામના માનમાં ૨૦૧૬માં બહાર પડેલી ટપાલ ટિકિટ

એ નવલકથા તે સરસ્વતીચંદ્ર અને તેના લેખક તે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. તેમનો જન્મ ૧૮૫૫માં, અવસાન ૧૯૦૭માં. સરસ્વતીચંદ્ર નવલકથાનો પહેલો ભાગ પ્રગટ થયો ૧૮૮૭માં. ચોથો અને છેલ્લો ભાગ ૧૯૦૧માં બહાર પડ્યો. ગોવર્ધનરામનો જન્મ વતન નડિયાદમાં. પણ બાવન વર્ષની જિંદગીનાં લગભગ અડધોઅડધ વર્ષ તો તેમણે મુંબઈમાં ગાળ્યાં. ચારેક વર્ષની ઉંમરે ૧૮૫૯માં તેઓ મુંબઈ આવ્યા અને બુદ્ધિવર્ધક શાળામાં ભણવા લાગ્યા. ૧૮૬૫ સુધી મુંબઈમાં ભણી પાછા નડિયાદ ગયા. પણ ૧૮૬૮માં ફરી મુંબઈ આવી એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં દાખલ થયા. મેટ્રિક થયા પછી ૧૮૭૨માં એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ૧૮૭૯માં ભાવનગર જઈ દિવાન શામળદાસભાઈના ખાનગી સેક્રેટરી તરીકે નોકરી કરી, પણ એલ.એલ.બી. થયા પછી ખીસામાં પચાસ રૂપિયા લઈ સ્વતંત્ર વકીલાત કરવા માટે મુંબઈ આવ્યા અને બોમ્બે હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. મોટા પગારની નોકરીઓની કેટલીક ઓફર ઠુકરાવીને મુંબઈમાં જ રહ્યા. ૧૮૮૫ના સપ્ટેમ્બરની ૧૮મી તારીખે સરસ્વતીચંદ્ર નવલકથાનો પહેલો ભાગ લખવાનું શરૂ કર્યું તે મુંબઈમાં. પહેલા ત્રણ ભાગ લખાયા મુંબઈમાં અને પ્રગટ થયા ત્યારે પણ ગોવર્ધનરામ મુંબઈવાસી હતા. ૧૮૯૬ના ડિસેમ્બરની ૨૦ તારીખે ચોથો ભાગ લખવાનું શરૂ કર્યું તે મુંબઈમાં જ. હા, પછી ૧૮૯૮ના ઓક્ટોબરની ૧૯મી તારીખે વ્યવસાયમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લઇ નડિયાદ ગયા. પછી અવારનવાર મુંબઈ આવતા ખરા, પણ સ્થાયી થયા નડિયાદમાં. સરસ્વતીચંદ્ર નવલકથાનો ચોથો ભાગ લખવાનું કામ પૂરું કર્યું નડિયાદમાં. આ જ નવલકથા પરથી હિન્દીમાં તે જ નામની ફિલ્મ બની, ૧૯૬૮માં અને તે પણ બોલીવુડમાં. તેમાં સરસ્વતીચંદ્રની ભૂમિકા મનીષ નામના એકટરે ભજવી હતી. આ તેની પહેલી ફિલ્મ હતી. જ્યારે કુમુદની ભૂમિકા પ્રખ્યાત અભિનેત્રી નૂતને ભજવી હતી. તેનું દિગ્દર્શન મુંબઈના ગોવિંદ સરૈયાએ કર્યું હતું અને સંગીત હતું મુંબઈના કલ્યાણજી આણંદજીનું.

સરસ્વતીચંદ્ર ફિલ્મ(૧૯૬૮)નું એક પોસ્ટર

૧૯૦૫માં ગોવર્ધનરામ જેના પહેલવહેલા પ્રમુખ બન્યા હતા તે ગુજરાતી સાહિત્ય પરિષદે ત્રણ દળદાર ગ્રંથમાં ‘ગુજરાતી સાહિત્ય કોશ’ તૈયાર કરી પ્રગટ કર્યો છે. તેમાં લખ્યું છે કે ગોવર્ધનરામનું અવસાન નડિયાદમાં થયું હતું. પણ હકીકત જૂદી છે. ૧૯૦૬ના ઓગસ્ટથી ગોવર્ધનરામ નડિયાદમાં માંદગીમાં સપડાયા. ધીમે ધીમે તે ગંભીર થતી ગઈ. મુંબઈના ડોક્ટર ત્રિભુવનદાસ ગજ્જર ગોવર્ધનરામના નિકટના મિત્ર. તેમણે સારવાર માટે મુંબઈથી ડોક્ટર દાતેને નડિયાદ મોકલ્યા, પણ ઝાઝો ફેર પડ્યો નહિ. એટલે ૧૯૦૬ના ડિસેમ્બરની ૨૫મી તારીખે ગોવર્ધનરામને મુંબઈ લાવી ડો. ગજ્જરે વાલકેશ્વર નજીકના નેપિયન સી રોડ પરના પોતાના બંગલામાં રાખી સારવાર શરૂ કરી. સાત જેટલા ડોક્ટરોની ટીમ બનતા બધા ઉપચારો કરવા લાગી. પણ છેવટે ૧૯૦૭ના જાન્યુઆરીની ચોથી તારીખે બપોરે લગભગ અઢી વાગે ગોવર્ધનરામનું અવસાન થયું, મુંબઈમાં – નડિયાદમાં નહિ. તેમના અંતિમ સંસ્કાર પણ તે જ દિવસે સાંજે બાણગંગાના સ્મશાનમાં થયા. એટલે કે, મુંબઈ અને તેનાં ચોપાટી, વાલકેશ્વર, નેપિયન સી રોડ, વગેરે સ્થળો ગોવર્ધનરામનાં જીવન અને મરણ સાથે સંકળાયેલાં રહ્યાં.

૧૮૮૭નું વર્ષ ગુજરાતી સાહિત્ય માટે ઘણું શુકનવંતું હતું. એ વર્ષે ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાનો પહેલો ભાગ મુંબઈમાં પ્રગટ થયો. તો ગુજરાતી કવિતામાં નવું પ્રસ્થાન કરતો નરસિંહરાવ દિવેટિયાનો પહેલો કાવ્યસંગ્રહ ‘કુસુમમાળા’ પણ એ જ વર્ષે પ્રગટ થયો. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી નરસિંહરાવભાઈ મુંબઈમાં જ સ્થાયી થયા હતા. ‘ભદ્રંભદ્ર’ નવલકથાના લેખક રમણભાઈ નીલકંઠ એ જ વર્ષે બી.એ. થયા, અને તે પણ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી. એ જ વર્ષે કવિ-વિવેચક બળવંતરાય ઠાકોર મુંબઈ યુનિવર્સિટીની ઇન્ટર આર્ટસની પરીક્ષામાં અને ગાંધીજી મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા. ગોવર્ધનરામ પછી ગુજરાતી નવલકથાને બે ડગલાં આગળ લઈ જનાર કનૈયાલાલ મુનશીનો જન્મ પણ ૧૮૮૭માં થયો, ભરૂચમાં.

ગોવર્ધનરામ ૧૯મી સદીના ઉત્તરાર્ધનું અને મુંબઈ યુનિવર્સિટીનું ફરજંદ હતા. તેમનું મનોજગત નડિયાદથી નહિ તેટલું મુંબઈથી ઘડાયું હતું. ૧૯મી સદીનો ઉત્તરાર્ધ એ મુંબઈ માટે બ્રિટિશ વિચારો, સાધનો, સંસ્થાઓ, સગવડો, વ્યવસ્થાતંત્ર, ઉચ્ચ શિક્ષણની પદ્ધતિ, વગેરેના આગમન કે દૃઢમૂળ થવાનો હતો. ૧૮૪૫માં મુંબઈમાં ગ્રાન્ટ મેડિકલ કોલેજ શરૂ થઈ, જે આખા દેશની પહેલી મેડિકલ કોલેજ હતી. તે અગાઉ એલ્ફિન્સ્ટન કોલેજ શરૂ થઈ ચૂકી હતી. ૧૮૫૩માં દેશની પહેલવહેલી રેલવે મુંબઈમાં શરૂ થઈ. ૧૮૫૫માં મુંબઈમાં પહેલવહેલી વાર ફોટોગ્રાફ લેવાયો. ૧૮૫૬માં પહેલવહેલી કોટન મિલ શરૂ થઇ. ૧૮૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બેનીએ સ્થાપના થઈ. ૧૮૭૪માં ઘોડાથી ચાલતી ટ્રામ મુંબઈમાં શરૂ થઈ. ૧૮૭૭માં પહેલવહેલી વાર અમેરિકાથી મુંબઈમાં બરફ આવ્યો. ૧૮૭૮માં ફોનોગ્રાફ આવ્યું, ૧૮૮૨માં ટેલિફોન આવ્યો, ૧૮૮૫માં મુંબઈમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ. ૧૮૮૭માં વિક્ટોરિયા ટર્મિનસના મકાનનું ઉદ્ઘાટન થયું.

બી.બી.સી.આઈ. રેલવેની સસ્તી ટિકિટની જાહેર ખબર

આ બધાંની સીધી કે આડકતરી અસર ગોવર્ધનરામ પર અને ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા પર પડી છે. આ નવલકથાનો પહેલો મહત્ત્વનો પ્રસંગ – નવીનચંદ્ર ઉર્ફે સરસ્વતીચંદ્રનો ગૃહત્યાગ – મુંબઈમાં બને છે, અને ચોથા ભાગના છેલ્લા પ્રકરણમાં સરસ્વતીચંદ્ર અને કુસુમનું મિલન થાય છે તે પણ મુંબઈમાં. આમ, આ નવલકથાનો આરંભ અને અંત મુંબઈમાં છે. આ નવલકથાના નાયકને ગોવર્ધનરામનો પડછાયો ન ગણીએ તો પણ એ બંનેના જીવન વચ્ચેનું કેટલુંક સરખાપણું તરત ધ્યાન ખેંચે તેવું છે. બંનેનો જીવનકાળ ૧૯મી સદીના ઉત્તરાર્ધનો છે અને બંને મુંબઈના વતની છે. બંને મુંબઈ છોડી દેશી રજવાડામાં જાય છે, પણ છેવટે પાછા મુંબઈ આવે છે. કૌટુંબિક ક્લેશથી કંટાળીને ગોવર્ધનરામ પણ ૧૮૭૪માં મુંબઈના ઘરેથી ભાગી જવા માટે ચોપાટીથી ભાયખળા સ્ટેશન સુધી ગયેલા પણ જે ટ્રેનમાં જવું હતું તે તો ઉપડી ગઈ હતી એટલે ઘરે પાછા ફર્યા હતા. એટલે જ કદાચ તેમણે સરસ્વતીચંદ્રને મુંબઈ છોડતી વખતે ટ્રેનની નહિ, પણ વહાણની મુસાફરી કરાવી છે. પોતે જે ન કરી શક્યા તે ગૃહત્યાગ કરતો લેખકે સરસ્વતીચંદ્રને બતાવ્યો છે. પિતા અને સાવકી માતા સાથે વાલકેશ્વરના બંગલામાં રહેતો સરસ્વતીચંદ્ર ગૃહત્યાગ કરતી વખતે ઘરની ઘોડા ગાડીમાં (એ વખતે મુંબઈમાં હજી મોટર નથી આવી) ચર્ની રોડ સ્ટેશન સુધી જાય છે. પણ પછી ગાડી ત્યાં જ છોડી પગપાળો આગળ જાય છે. તેને શોધવા નીકળેલો મિત્ર ચંદ્રકાન્ત ચર્ની રોડ સ્ટેશન પાસે ઊભેલી તેની ઘોડા ગાડી જુએ છે અને તેના ચાલક સાથે વાત કરતાં જાણે છે કે અહીંથી સરસ્વતીચંદ્ર પગે ચાલીને આગળ ગયો હતો. મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ તો છેક ૧૯૩૦માં થયું. તે પહેલાં બહારગામની ટ્રેનો કોલાબા સ્ટેશનેથી શરૂ થતી અને ચર્ની રોડ સ્ટેશનેથી પણ પકડી શકાતી. એટલે સરસ્વટીચંદ્ર ટ્રેનમાં બેસીને બહાર ગામ ચાલ્યો ગયો હશે એમ માનીને ચંદ્રકાન્ત ચર્ની રોડ સ્ટેશને જઈ સ્ટેશન માસ્તરને મળે છે અને તે દિવસે વેચાયેલી ટિકિટોની માહિતી મેળવે છે. પણ તેના પરથી સરસ્વતીચંદ્રના સગડ મળતા નથી. કારણ તેણે મુંબઈ છોડ્યું તે ટ્રેનમાં નહિ, પણ વહાણમાં. ગોવર્ધનરામે કથાને જે દિશામાં આગળ વધારવા ધારેલું તેમાં વહાણની મુસાફરી જરૂરી હતી. કારણ વહાણ તોફાનમાં સપડાઈ ભાંગી જાય અને તેને પરિણામે સરસ્વતીચંદ્ર અજાણ્યા મુલકમાં પહોંચી જાય એવું નિરૂપણ કરવા તેમણે ધાર્યું હતું. ગુજરાતનાં શહેરો મુંબઈ સાથે ટ્રેન દ્વારા જોડાયાં તે પહેલાં ગુજરાતથી મુંબઈ આવવા-જવા માટે મોટે ભાગે વહાણમાં જ લોકો મુસાફરી કરતા, અને ટ્રેન વ્યવહાર શરૂ થયા પછી પણ ટેવને કારણે કે વહાણની મુસાફરી સસ્તી હોવાને કારણે ઘણા ટ્રેનને બદલે વહાણ પસંદ કરતા. એટલે સરસ્વતીચંદ્ર ટ્રેનને બદલે વહાણમાં મુંબઈ છોડે એ તે જમાનામાં અસાધારણ ન ગણાય.

ગોવર્ધનરામે સંજોગવશાત્ એમ.એ.નો અભ્યાસ અધૂરો મૂક્યો હતો અને ત્રણ વાર નાપાસ થયા પછી એલ.એલ.બી. થઇ શક્યા હતા. પોતાના માનસપુત્ર જેવા સરસ્વતીચંદ્રને તેમણે એમ.એ. અને એલ.એલ.બી. થયેલો બતાવ્યો છે. યુનિવર્સિટી ઓફ બોમ્બે શરૂ થઈ ત્યારથી દાયકાઓ સુધી એવો નિયમ હતો કે મેટ્રિકની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૧૬ વરસની હોવી જોઈએ. એ વખતે મેટ્રિક પછી બી.એ.નાં ત્રણ વર્ષ અને એમ.એ.નાં બે વર્ષ થતાં. એટલે ૨૧ વર્ષની ઉંમર પહેલાં કોઈ એમ.એ. થઈ ન શકે. છતાં ૧૭-૧૮ વર્ષની ઉંમરે સરસ્વતીચંદ્ર એમ.એ. થઈ જાય છે, અને પછી એલ.એલબી.! પોતે ત્રણ વાર નાપાસ થયા તેનું સાટું જાણે ગોવર્ધનરામે આ રીતે વાળી લીધું છે. સરસ્વતીચંદ્ર નવલકથાનો અંત વાલકેશ્વરના બંગલામાં આવે છે અને જોગાનુજોગ ગોવર્ધનરામના જીવનનો અંત પણ વાલકેશ્વરના એક બંગલામાં આવે છે.

૧૯મી સદીના ઉત્તરાર્ધમાં મુંબઈમાં અર્વાચીનતાના જે અંશો પ્રગટ થવા લાગ્યા હતા તેમાંથી કેટલાકનો અણસાર સરસ્વતીચંદ્ર નવલકથામાં જોવા મળે છે. નવીનચંદ્રના પિતા લક્ષ્મીનંદન મિલ-માલિક છે. પહેલી પત્ની ચંદ્રલક્ષ્મી અને બાળક નવીનચંદ્ર સાથે બેસીને ફોટો પડાવે તેટલા શોખીન અને ‘સુધારક’ છે. જો કે ચંદ્રલક્ષ્મીનું અવસાન થાય છે તે જ દિવસે તેઓ ગુમાન સાથે બીજાં લગ્ન કરે છે, અને આ ગુમાન તેના સાવકા દીકરા નવીનચંદ્ર કરતાં ઉંમરમાં બે વરસ નાની છે! આવા આલેખનમાં એ જમાનાની સામાજિક વાસ્તવિકતા જ ઝીલાઈ છે. ૧૯મી સદીના મુંબઈનું એક આગવું લક્ષણ એ હતું કે ત્યારે ગુજરાતી-મરાઠી, હિંદુ-મુસ્લિમ, પારસી, વગેરે સાથે મળીને કામ કરતાં. લક્ષ્મીનંદનને પણ હિંદુ ગુજરાતી ઉપરાંત અંગ્રેજ, પારસી, મહારાષ્ટ્રી વગેરે સાથે સારા સંબંધો છે. ૧૮૬૫થી મુંબઈમાં ‘જસ્ટિસ ઓફ પીસ’(જે.પી.)ની પ્રથા શરૂ થઇ હતી. એ જમાનામાં પણ ‘એક અમલદારની વગથી’ લક્ષ્મીનંદનને એ માન મળ્યું હતું.

નવીનચંદ્ર યુનિવર્સિટી ઓફ બોમ્બેમાં ભણ્યો છે અને લગ્ન પહેલાં પોતાની વાગ્દત્તા કુમુદને પત્રો લખે એટલો ‘મોડર્ન’ છે. તો મુંબઈ બહાર રહેતી કુમુદ પણ એ પત્રોના જવાબ આપે છે. તેને અને તેની બહેન કુસુમને અંગ્રેજી અને સંસ્કૃત આવડે છે પણ બેમાંથી એકે ગ્રેજ્યુએટ નથી. તેમનું કુટુંબ દેશી રજવાડામાં રહેતું હતું. બંને ભણવા માટે સ્કૂલ-કોલેજ ગઈ નથી, પણ એ જમાનાના ચાલ પ્રમાણે ઘરે ભણાવવા આવતી મિસ ફ્લોરા નામની શિક્ષિકા પાસે ભણી છે. આખી નવલકથામાં અંગ્રેજી તેમ જ ગુજરાતી છાપાં, ‘બુદ્ધિપ્રકાશ’ જેવાં માસિકો, છાપેલાં પુસ્તકો, વગેરેના ઉલ્લેખો તો વારંવાર આવે છે.

કનૈયાલાલ માણેકલાલ મુનશી

૧૯૦૭ના જાન્યુઆરીની ચોથી તારીખે મુંબઈમાં ગોવર્ધનરામનું અવસાન થયું. લગભગ પાંચ મહિના પછી, જૂન ૧૯૦૭ની શરૂઆતમાં, ભરૂચનો એક ભાર્ગવ બ્રાહ્મણ યુવાન એલ.એલ.બી.નો અભ્યાસ કરવા માટે મુંબઈ આવ્યો અને ચર્ની રોડ સ્ટેશને ઉતર્યો. ઘોડા ગાડી કરવા જેટલા પૈસા પાસે હતા નહિ એટલે એક મજૂરને માથે સામાન ઉપડાવી પીપલ વાડીમાં આવેલી એક ડબલ રૂમમાં તેના સાવકા નાના મામાઓ રહેતા હતા ત્યાં ગયો. આ યુવાન તે ગોવર્ધનરામ પછી ગુજરાતી નવલકથાને બે ડગલાં આગળ લઈ જનાર કનૈયાલાલ માણેકલાલ મુનશી. જન્મ ભલે ભરૂચમાં, પણ તેમણે પોતે લખ્યું છે કે ૧૯૦૭માં મુંબઈ આવ્યા ત્યારથી તેઓ મુંબઈગરા બન્યા. કેવું હતું એ વખતની મુંબઈની ચાલીઓનું જીવન? ‘સીધાં ચઢાણ’ નામની આત્મકથામાં મુનશી લખે છે: “પીપલ વાડીમાં એ વખતે ત્રણેક ચાલો હતી; તેમાં લગભગ બસે કુટુંબ રહેતાં. નળ પર બૈરાંઓની હંમેશાં ઠઠ જામેલી રહેતી ને ચાલુ ઝગડા થયા કરતા. ચારે તરફ ગંદવાડ – રસોડામાં, ચાલીમાં, કઠેરા પર. બપોરે ઘણી સ્ત્રીઓ ચાલીમાંથી નીચે એઠવાડ નાખે. ઠેર ઠેર કચરાના ઢગલા પડ્યા હોય. આખા મકાનમાં રસોડા ને જાજરૂની ગંધનું ત્રાસદાયક મિશ્રણ પ્રાણ રોધે. ચાલીમાં આવવા માટે એક ગલી હતી. ત્યાં ગટરનાં પાણી મુક્તપણે વહે, ને વચ્ચે વચ્ચે મૂકેલી ઇંટો પર પગ મૂકીને ગલી પસાર કરવી પડે.”

આજના મુંબઈની એક ચાલ

હા જી, આ પણ મોહમયી મુંબઈનો જ એક રંગ. ત્યારે અને અત્યારે પણ. મુંબઈના બીજા કોઈ અવનવા રંગ વિષેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 16 નવેમ્બર 2019

XXX XXX XXX

Loading

શક્તિરૂપેણ સંસ્થિતા ધરતીપુત્રી ગ્રેટા તુન્બર્ગ

અરવિંદ વાઘેલા|Opinion - Opinion|15 November 2019

‘મારાથી જે અશક્ય હોય, તે કરવાના પ્રયત્નો વડે જ શક્યતાની સીમાને ઓળંગીને મારો વ્યાપ વધારી શકીશ.’ માણસના ખમીર, ખુમારી અને ખુદ્દારીને દર્શાવતું આ વિધાન સાંપ્રત વિશ્વની, એક સ્વિડિશ, ષોડશી ગ્રેટા તુન્બર્ગને સંદર્ભે બિલકુલ યથાર્થ ઠરે છે. વર્તમાન વિશ્વ સામે વિકટ પર્યાવરણીય પરિસ્થિતિ ઊભી કરનાર ક્લાઇમેટ ચેન્જ(જળવાયુ-પરિવર્તન)ની સમસ્યા સામે વૈશ્વિક ફલક પર આંદોલન પ્રેરનાર અને વિશ્વના સત્તાધીશોને ડારતો – 'How Dare you?’નો એક અવાજ એટલે ગ્રેટા તુન્બર્ગ. સોળ વર્ષની આ અનન્ય કિશોરીની કાવ્યમય ઓળખ આ રીતે કરી શકાય કે ….

’મૈં હું અકેલા, નહિ કોઈ મેરા,
ફિર ભી મૈં એક કારવાં હૂં,
ઊઠું તો આસમા ચૂમ લૂં , ઝૂકું તો ચીર દૂં  ઝમીં 
મૈં કુદરત કા  વો ઝર્રા હૂઁ , કુદરત ભી હૈ ફના મુઝ પે’

વિશ્વમાં પર્યાવરણ ક્ષેત્રે અનેક પર્યાવરણવાદીઓ કાર્ય કરી રહ્યા છે ત્યારે, માત્ર સોળ વર્ષની, કાચી વયની એક કિશોરીએ પોતાના આખાબોલા, સ્પષ્ટ વક્તા સ્વભાવને કારણે દુનિયામાં હલચલ મચાવી દીધી છે. ગ્રેટાએ દુનિયાની મહાસત્તાઓ અને એના સત્તાધીશોને જનતાની અદાલતમાં ઊભા કરી દીધાં  છે. રમવાની, નાચવા-કૂદવાની, ભણવાની ઉંમરે આ છોકરીએ એક ગંભીર અને મહત્ત્વના વિષયમાં આંદોલન છેડ્યું છે. ગ્રેટાની ઉંમર આમ તો કાચી કે અપરિપક્વ છે, પણ તેનું વ્યક્તિત્વ મૅચ્યૉર છે. આપણા વ્યવહાર જગત કે સમાજજીવનમાં કોઈ વ્યક્તિ કે કોઈ ચીજ કાચી હોય, તો આપણે તેને મહત્ત્વ આપતા નથી, તરત તેનો કાંકરો કાઢી નાખીએ છીએ, એટલું જ નહિ તેને ઇમ્મૅચ્યૉર કહીને ઉતારી પણ પાડીએ! પણ મને તો અપરિપક્વતા ખૂબ ગમે છે. કેમ કે ’કાચો માણસ સૌથી વધુ સંવેદનશીલ અને જીવતી ચામડીનો હોય છે. માનવીમાં રહેલી કચાશ ખોટાં મૂલ્યો સાથે ક્યારે ય સમાધાન કરતી નથી. કચાશનો સ્વભાવ જ દાંત ખાટા કરી નાખવાનો છે.’ ગ્રેટા તુન્બર્ગનું વ્યક્તિત્વ અદ્દલ આ પ્રકારનું જ છે.

૩ જાન્યુઆરી, ૨૦૦૩ના રોજ સ્વિડનના સ્ટોકહોમમાં જન્મેલી ગ્રેટાને ખુદ્દારી અને ખુમારી માતા-પિતા અને દાદાના સમૃદ્ધ વારસામાં પ્રાપ્ત થઈ છે. દાદા ઓલોફ તુન્બર્ગ સ્વિડિશ ટીવી અને ફિલ્મના ઍક્ટર – ડાયરેક્ટર છે. પ્રભાવક વાણી ધરાવતા, ઘેઘૂર અવાજના સ્વામી દાદા ઓલોફ તુન્બર્ગ સ્વિડિશ રેડિયો પર જુદા-જુદા કાર્યક્રમોના ઉદ્‌ઘોષક છે. ’ધ જંગલબુક’ ટીવી સિરીઝના સ્વિડિશ વર્ઝનમાં તેમણે શેરખાનના પાત્રને અવાજ આપ્યો હતો. ગ્રેટાના પિતા સ્વાન્તે તુન્બર્ગ પણ સ્વિડનના જાણીતા લેખક, એક્ટર, પ્રોડ્યુસર અને પત્રકાર છે. જ્યારે માતા મલેના એર્નમેન જાણીતાં ઓપેરાસિંગર છે. ઝાઝ, પોપ, ઓપેરા, કેબ્રે જેવા આધુનિક વેસ્ટર્ન મ્યુઝિકના તેમનાં અનેક આલ્બમ પ્રકાશિત થયાં છે. અનેક આંતરરાષ્ટ્રીય કૉન્સર્ટમાં તેમણે પરફૉર્મન્સ આપ્યાં છે. પરંતુ દીકરી ગ્રેટાના આહ્વાન પર, હવાઈ યાત્રાની પર્યાવરણીય અસરોને કારણે મલેનાએ પોતાની ઓપેરા સિંગર તરીકેની ઝળહળતી આંતરરાષ્ટ્રીય કારકિર્દી છોડી દીધી. પિતા સ્વાન્તેને આરંભે તો ગ્રેટા સ્કૂલના ભોગે આંદોલન કરે તે પસંદ નહોતું, છતાં તેમણે ગ્રેટાના નિર્ણયનું સન્માન કર્યું અને પ્રોત્સાહન પૂરું પાડ્યું. એટલું જ નહિ, પણ દીકરી ગ્રેટાના આગ્રહથી, પર્યાવરણના રક્ષણ અર્થે તેમના કુટુંબે પોતાની જીવનશૈલી બદલી કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા તેમણે પણ હવાઈ યાત્રાઓનો ત્યાગ કર્યો, ભોજનમાં માંસનો ત્યાગ કરી શાકાહાર અપનાવ્યો. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જીવતા કુટુંબ માટે આ સઘળી બાબતો ઘણી મુશ્કેલ હતી. છતાં ગ્રેટાને પ્રોત્સાહન અને સમર્થન પૂરું પાડવા તેઓએ આ ત્યાગ કર્યો. ગ્રેટા પણ માતા-પિતાના હકારાત્મક અને ભાવનાત્મક સહકારની કદર કરે છે.

ગ્રેટાની નાનકડી જિંદગી અનેક ઉતારચઢાવથી ભરેલી છે. આઠ વર્ષની ઉંમરે ગ્રેટા ૨૦૧૧માં પ્રથમ વાર ક્લાઇમેટ ચેન્જ ( જળવાયુ, પરિવર્તન ) વિશે સંભાળે છે, પણ એના વિશે કઈ ઝાઝું સમજી શકતી નથી. ધીરે-ધીરે સમજણ પ્રાપ્ત થતાં, પર્યાવરણીય પ્રશ્નો અને વિશ્વના દેશોની ગુનાહિત બેદરકારીએ તેને હચમચાવી દીધી. અગિયાર વર્ષની નાની ઉંમરમાં ક્લાઈમેટ ચેન્જના પ્રશ્ને વિચારતાં વિચારતાં તે હતાશામાં ગરકાવ થઈ ગઈ, ડિપ્રેશનનો ભોગ બની. હતાશાને કારણે તે આળસુ બની ગઈ, ખાવાનું તો છોડી દીધું. પણ વાત કરવાનુંયે બંધ કરી દીધું .ધીરે ધીરે તે માનસિક રીતે પડી ભાંગી.

ગ્રેટા તુન્બર્ગ(Greta Tintin Eleonora Eruman Thunbarg)ની ઓળખ દુનિયાને પ્રથમ વાર ઑગસ્ટ, ૨૦૧૮માં થઈ. જ્યારે પંદર વર્ષની નાની ઉંમરે સ્કૂલ જવાને બદલે તેણે સ્વિડિશ પાર્લામેન્ટની સામે દેખાવો કર્યા. તે સમજી ચૂકી હતી કે ગ્લોબલ વૉર્મિંગનું કારણ પર્યાવરણ સામેનાં જોખમો છે, માટે તેણે સ્વિડનના સત્તાધીશો સામે મોરચો માંડ્યો અને પર્યાવરણની સુરક્ષા માટે નક્કર કાર્ય કરવા માંગ કરી.

’મૈં અકેલા હી ચલા થા જાનિબે મંઝિલ,
લોગ આતે ગયે ઔર કારવાં બનતા ગયા’

ધીરે ધીરે તેની વાત લોકોની સમજમાં આવી, જેને કારણે વિદ્યાર્થીઓ અને લોકો તેની સાથે જોડાયા.

ગ્રેટાએ હજુ તો નવમા ગ્રેડ(માધ્યમિક સ્કૂલ)ની શરૂઆત જ કરી હતી અને ૨૦ ઑગસ્ટ, ૨૦૧૮ના રોજ તેણે સ્કૂલ ન જવાનું નક્કી કર્યું. ૨૦૧૮ના વર્ષે સ્વિડનના ઇતિહાસમાં પાછલાં ૨૬૨ વર્ષોમાં ન પડી હોય તેટલી રેકૉર્ડબ્રેક ગરમી પડી, આ સૌથી વધુ ગરમ ઉનાળામાં સ્વિડનનાં જંગલો ભડકે બળી રહ્યાં હતાં, પર્યાવરણને ભયંકર નુકસાન થઈ રહ્યું હતું. આ વિષમ પરિસ્થિતિ અને ગ્લોબલ વૉર્મિંગની અસરથી સ્વિડનના લોકો ત્રાહિમામ્‌ પોકારી ઊઠ્યા હતા. આવા વિકટ સંજોગોમાં ગ્રેટાએ આંદોલનની શરૂઆત કરી. પોતાના દેશની સરકાર પાસે તેની મુખ્ય માંગણી, સ્વિડનમાં પૅરિસ કરાર મુજબ કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ ઘટાડવા માટે કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા માટેની હતી. સ્વિડિશ પાર્લામેન્ટ (Riksdag)ની બહાર દરરોજ સ્કૂલના સમયના ત્રણ કલાક, ત્રણ અઠવાડિયાં સુધી બેસીને દેખાવકારોએ સ્વિડિશ ભાષામાં લખાયેલ – ’સ્કૂલ સ્ટ્રાઇક ફોર ધ ક્લાઇમેટ’ના બૅનરો અને પ્લેકાર્ડ સાથે  દેખાવો કર્યા. ગ્રેટાએ ત્યાં – 'I am doing this because you adults are sitting on my future’ જેવાં માર્મિક લખાણોવાળાં ચોપાનિયાં પણ વહેંચ્યાં.

ગ્રેટા તુન્બર્ગના જળવાયુ-પરિવર્તન સામેના આ આંદોલનના મૂળમાં અમેરિકાના ફ્‌લોરિડામાં બનેલી એક કરુણ ઘટના છે. એની ગૂડમેન સાથેના ઇન્ટરવ્યૂમાં આ બાબતે તેણે નિખાલસ સ્પષ્ટતા કરી છે કે ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૮માં માર્જોરી સ્ટોનમેન ડગ્લાસ હાઈસ્કૂલ, પાર્કલૅન્ડમાં એક ઓગણીસ વર્ષના વિદ્યાર્થી નિકોલસ ક્રુઝે શાળામાં સેમીઑટોમેટિક રાઇફલથી ગોળીબાર કરી સત્તર જેટલા વિદ્યાર્થીઓની હત્યા કરી, આ સ્કૂલ શૂટિંગમાં અનેક વિદ્યાર્થીઓ ઘવાયા હતા. આ ઘટનાના ડરને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે જવાની ના પાડતા હતા. આને કારણે ગ્રેટાના મનમાં સ્કૂલ સ્ટ્રાઇકનો વિચાર જન્મ્યો. ગ્રેટાએ આ શેતાની કૃત્ય વિરુદ્ધ અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માર્જોરી સ્ટોનમેન ડગ્લાસ હાઈસ્કૂલ,પાર્કલેન્ડમાં 'March for our lives’ને નામે કૂચ પણ યોજી હતી.

ગ્રેટાએ, મે, ૨૦૧૮માં એક સ્વિડિશ ન્યૂઝપેપર આયોજિત ’ક્લાઇમેટ ચેન્જ’ વિશેની નિબંધ સ્પર્ધા જીતી. તેનો આ નિબંધ એ  ન્યૂઝપેપરે પ્રકાશિત કર્યો, આ નિબંધમાં તેણે લખ્યું હતું કે – “I want to feel safe. How can I feel safe, when I know we are in the greatest crisis in human history ?” નોંધપાત્ર છે કે, સ્વિડનના એક શિલ્પી-કલાકાર બો થોરેને દક્ષિણ સ્વિડનના કુદરતી સૌંદર્યથી ભરપૂર ભાતીગળ પ્રાંત ડાલ્સ લેન્ડને અશ્મિભૂત પ્રદૂષણથી બચાવવાની હિમાયત કરી હતી, એ બો થોરેને પણ ગ્રેટાને કલાઈમેટ ચેન્જ માટે સ્કૂલ સ્ટ્રાઇકનું સૂચન કર્યું હતું.

માહિતી અને સંચારક્રાંતિના આ યુગમાં ગ્રેટાના જળવાયુ-પરિવર્તનના આંદોલનને સોશિયલ મીડિયાનો ભરપૂર સાથ મળ્યો. ગ્રેટા તુન્બર્ગના ઉદયમાં સોશિયલ મીડિયાની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. ગ્રેટાએ પોતાની સ્કૂલ-હડતાળના ફોટા ઇન્સ્ટાગ્રામ, ટિ્‌વટર અને બીજા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં જ તેના શુભ હેતુને જાણી ગયેલા લોકોનો જબરદસ્ત વૈશ્વિક સપોર્ટ તેને પ્રાપ્ત થયો. સોશિયલ મીડિયાએ  તેના આ આંદોલનને વૈશ્વિક રૂપ આપ્યું. બીજી તરફ ભારતના સોશિયલ મીડિયા અને યુવાનોનું વર્તમાન ચિત્ર નિરાશાજનક છે. હાઈ …હલ્લો…ના મૅસેજ, PUBG જેવી ગેમ, અફવા અને ફેક ન્યૂઝમાં રમમાણ ભારતીય યુવાનો મીડિયા અને સોશિયલ મીડિયા જાણે પોતાનો ધર્મ ભૂલી ગયા છે. એટલે ગ્રેટા આપણે માટે પ્રેરણારૂપ છે. દુનિયા માટે કંઈક કરી છૂટવાની ભાવના અને મીડિયાનો હકારાત્મક સાથ મળતાં, ગ્રેટા આજે સેલિબ્રિટી બની ચૂકી છે. ’ઇન્ગમાર રેન્ટઝોગ નામની ક્લાઇમેટ ચેન્જ માટે કામ કરતી એક સ્વિડિશ કંપનીના સ્થાપકનું ધ્યાન ગ્રેટા પર ગયું, અને તેમણે ‘WE DON'T HAVE TIME (WDHT)’ જેવા હૃદયસ્પર્શી શીર્ષકથી ગ્રેટાની સ્ટ્રાઇકને આકર્ષક રીતે વિશ્વના લોકો સુધી પહોંચાડી. ફ્રીલાન્સ ફોટોગ્રાફરોએ મિસ તુન્બર્ગની સ્કૂલ સ્ટ્રાઇકની તસવીરો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. અંગ્રેજીમાં બનાવાયેલો ગ્રેટાનો વીડિયો યુ-ટ્યૂબ પર મુકાયો, જેને હજારો લોકોએ જોયો. ટિ્‌વટર પર ગ્રેટાના ક્વૉટેશનને ફોલો કરનાર બે લાખ લોકો છે અને દિનપ્રતિદિન તેની સંખ્યા વધતી જાય છે. ’ફ્રાઇડે ફોર ફ્યુચર’ને અનુસરનારા આજે હજારો છે. જાહેર માધ્યમોની જવાબદાર ભૂમિકાએ ગ્રેટાની સ્ટોરીને આંતરરાષ્ટ્રીય ઓળખ અને માન્યતા અપાવી છે.

સ્વિડનમાં આજે પણ ગ્રેટાનું આંદોલન ચાલુ છે, પણ હવે માત્ર શુક્રવારે જ દેખાવો થાય છે. માર્ચ ૨૦૧૯થી તે નિયમિત રીતે સ્વિડનની પાર્લામેન્ટ સામે દેખાવો કરે છે. દર શુક્રવારે અન્ય વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાય છે. એટલું જ નહિ પણ દર અઠવાડિયે દુનિયાના કોઈક ને કોઈક સ્થળે જળવાયુ-પરિવર્તન સંદર્ભે દેખાવો કરે છે. ગ્રેટાએ ૨૦૧૯માં બે મોટાં પ્રદર્શનો યોજ્યાં કે જેમાં લાખો વિદ્યાર્થીઓ જોડાયા. ડિસેમ્બર, ૨૦૧૮માં સમગ્ર વિશ્વનાં ૨૭૦ શહેરોમાં ૨૦,૦૦૦ વિદ્યાર્થીઓએ સ્કૂલ-હડતાળ કરી હતી, ભારતમાં પણ હરિયાણાના વિદ્યાર્થીઓએ માનવસાંકળ રચી, અરાવલી બાયો ડાયવર્સિટી પાર્કને બચાવવાનો પ્રયત્ન કર્યો. મેટ્રોશેડ બનાવવાને નામે મુંબઈમાં આરે કૉલોનીનાં ૨,૭૦૦ જેટલાં વૃક્ષ-ઉચ્છેદન સામે પર્યાવરણપ્રેમીઓએ સત્યાગ્રહ કર્યો, છતાં નિષ્ઠુર સરકારે ૨,૦૦૦ જેટલાં વૃક્ષોનો ભોગ લીધો, વર્ષો જૂનાં વૃક્ષોનું નિકંદન નીકળી ગયું. પ્રકૃતિપ્રેમીઓના દેખાવ અને કાયદાકીય લડત પછી સુપ્રીમ કોર્ટના સ્ટેને કારણે બીજાં હજારેક વૃક્ષો બચી ગયાં છે. એને આપણે ગ્રેટા તુન્બર્ગ ઇમ્પેક્ટ ગણી શકીએ. વિકાસને નામે પ્રકૃતિ તબાહ થઇ રહી છે. ગ્રેટા કહે છે કે, જો પૃથ્વી પર પર્યાવરણ નહિ બચાવીએ તો, સઘળી પ્રગતિ કે વિકાસ કંઈ નથી, નિષ્ફળતા જ છે. આપણી સ્થિતિ જોતાં ભારતને પણ કોઈ ગ્રેટા તુન્બર્ગ સમા કર્મવીરની તાતી જરૂર છે.

જાહેર સભા હોય કે રાજનેતાઓની સભા હોય, ગ્રેટા તુન્બર્ગ સ્પષ્ટ વક્તા છે, ભલભલા ચમરબંધીઓ સામે સત્ય ઉજાગર કરતાં તે ડરતી નથી. યુ.એન.ની મહાસભાના મંચ પરથી ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના દુનિયાના જમાદારોને એ ખરીખોટી સંભળાવે છે. ક્લાઇમેટ ચેન્જની કટોકટીમાંથી વિશ્વને બચાવવા માત્ર વાતોનાં વડાં નહિ, પણ તત્કાલ નક્કર પગલાં લેવાની વિનંતી પણ કરે છે. UNની ક્લાઇમેટ ચેન્જ કૉન્ફરન્સ, ૨૦૧૮માં પ્રવચન કરતાં ગ્રેટાએ ક્લાઇમેટ જસ્ટિસની માંગ કરી.

કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ઉદાહરણ રૂપે, તુન્બર્ગ સંયુક્ત રાષ્ટ્રોની ઑગસ્ટ, ૨૦૧૯ની ક્લાઇમેટ સમીટમાં હાજરી આપવા હવાઈ યાત્રાને બદલે ’મેલેઝિયા II’ નામની સોલાર ઊર્જા અને અન્ડરવૉટર ટર્બાઇનથી ચાલતી ૬૦ ફૂટની રેસિંગ નાવ (yatch) પર પિતા સાથે સવાર થઈ, દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લૅડના પ્લીમથ શહેરથી ન્યુયૉર્ક સુધીની એટલાન્ટિક મહાસાગરની ૧૫ દિવસની વિકટ યાત્રા કરે છે. ત્યાં તેણે COP ૨૫ ક્લાઇમેટ ચેન્જ કૉન્ફરન્સમાં પણ વ્યાખ્યાન કર્યું.

ક્લાઈમેટ ચેન્જ અંગેના પોતાના પ્રથમ વક્તવ્યથી લઈ આજ સુધી ગ્રેટા તુન્બર્ગ વિશ્વના શક્તિશાળી રાજનેતાઓ સમક્ષ ’જળવાયુ, પરિવર્તન’ના મુદ્દે નક્કર અને પરિણામલક્ષી કામ કરવા સતત આગ્રહ કરી રહી છે. સાથે સાથે પર્યાવરણ સંદર્ભે પોતાનાં આગઝરતાં ભાષણોમાં લોકબળવાની ચેતવણી ઉચ્ચારે છે અને  પ્રવચનને અંતે કહે છે કે – “No one is too small to make a difference”. પરંતુ જાડી ચામડીના નેતાઓ શાહમૃગનીતિ અપનાવી રહ્યા છે. કદાચ એટલે જ U.N. સેક્રેટરી એન્ટોનિયો ગુત્રેસ, તેને સમર્થન આપતાં કહે છે કે – 'My Generation has failed to respond properly to the dramatic challenge of climate change. This is deeply felt by young people, no wonder they are angry.’

વિશ્વપ્રસિદ્ધ ’ટાઇમ’ મૅગેઝિને ૨૦૧૮માં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વિશ્વના ૨૫ પ્રભાવક તરુણોની સૂચિમાં ગ્રેટા તુન્બર્ગનું નામ સામેલ કર્યું છે, ગ્રેટાએ વિશ્વને આપેલ  સંદેશ તરફ એક નજર  કરીએ તો સ્વિડિશ પાર્લામેન્ટ સામે ૨૦૧૮માં દેખાવ કરતાં તેણે બે સાદા સંદેશ આપ્યાઃ ૧, School : strike for Climate અને ૨, I am doing this because you adults are sitting on my future. વિશ્વના પ્રતિષ્ઠિત મંચ પરથી બોલતાં ગ્રેટા કહે છે કે, રાજનેતાઓ અને નિર્ણાયકમંડળોએ વૈજ્ઞાનિકોની ચેતવણી પર ધ્યાન આપવું જોઈએ, તેમની વાત સાંભળવી જોઈએ અને પૅરિસકરાર મુજબ કાર્બન એમિસન (ઉત્સર્જન) અને ગ્રીનહાઉસ ગૅસનું હવામાંનું પ્રમાણ ૨૦૩૦ સુધીમાં નોંધપાત્ર રીતે ઘટાડવું જ પડશે. યુરોપિયન ઇકોનૉમિક ઍન્ડ સોશિયલ કમિટીની ફેબ્રુઆરી, ૨૦૧૯ની  કૉન્ફરન્સમાં બોલતાં ગ્રેટાએ યુરોપિયન યુનિયનને આવનાર એક દાયકામાં કાર્બન-ઉત્સર્જન ૮૦ ટકા ઘટાડવા આહ્વાન કર્યું. વિશ્વના અનેક દેશોમાં ફરીને, એકલે હાથે ક્લાઇમેટ ચેન્જની સમસ્યા અંગે, લોકોને જાગૃત કરી રહેલી, ઘણા યુવાઓની રૉલ મૉડેલ ગ્રેટા નૈતિકતાના બળે દુનિયા સામે ઊભી છે. એ એકલી છે પણ .. એક આંદોલન છે.

ગત એક વર્ષમાં ગ્રેટા તુન્બર્ગે અનેક દેશોનો પ્રવાસ કરી, ક્લાઇમેટ ચેન્જ અંગે વક્તવ્યો આપ્યાં. તેના પર અનેક લેખ લખાયા. ગ્રેટાને એક નવી ઓળખ પ્રાપ્ત થઈ – ’નવી પેઢીની નેતા’, પૃથ્વીને બચાવવા નીકળેલી ’પૃથા’ ગ્રેટાને વિશ્વની અનેક સંસ્થાઓએ તેના આ ભગીરથ કાર્ય માટે અનેક ઇનામો અને ઍવૉડ્‌ર્સથી સન્માનિત કરી છે.

શક્તિરૂપે સંસ્થાપિત થયેલી ગ્રેટાને માર્ચ, ૨૦૧૯માં વિશ્વશાંતિના નોબેલ પારિતોષિક માટે નૉમિનેટ કરવામાં આવી હતી. તેના નૉમિનેશનની દલીલોમાં ગ્લોબલ વૉર્મિંગને ભવિષ્યમાં આપત્તિઓ, સંઘર્ષો અને યુદ્ધ માટે જવાબદાર ગણાવવામાં આવ્યું હતું.

’શાંતિ અને સ્વતંત્રતા’ માટે લડનાર યુવાનોને અપાતો નવો શરૂ થયેલો ફ્રાન્સનો પ્રથમ ઍવૉર્ડ ગ્રેટાને મળ્યો. આ ઍવૉર્ડની ૨૫,૦૦૦ યુરોની ઇનામરાશિ તેણે ક્લાઇમેટ જસ્ટિસ માટે કામ કરતી ચાર સંસ્થાઓને આપી દીધી. માર્ચ ૨૦૧૯માં જર્મનીનો સ્પેશિયલ ક્લાઇમેટ પ્રોટેક્શન ઍવૉર્ડ મળ્યો. વાણીસ્વાતંત્ર્ય, માટે કાર્ય કરનારને અપાતું નૉર્વેનું ફ્રીટ ઊર્ડ ઇનામ પણ ગ્રેટાને એપ્રિલ, ૨૦૧૯માં મળ્યું. આ જ માસમાં ’ટાઇમ’ મૅગેઝિનના વિશ્વના સો પ્રભાવક માણસોમાં તેને સ્થાન મળ્યું. મે, ૨૦૧૯માં ફ્રાન્સની યુનિવર્સિટી ઑફ મોન્સ દ્વારા ડૉક્ટરની માનદ પદવી તેને એનાયત થઈ.

એમ્નેસ્ટી ઇટરનેશનલ દ્વારા જૂન, ૨૦૧૯માં ક્લાઇમેટ ચેન્જ મૂવમેન્ટની લીડરશિપ માટે ઍમ્બેસેડર ઑફ કોન્સીએન્સના પ્રતિષ્ઠિત ઍવૉર્ડ દ્વારા ગ્રેટાનું સન્માન કરવામાં આવ્યું. સપ્ટેમ્બર માસમાં જ ‘મેન ઑફ ધ યર,નો ઍવૉર્ડ પણ તેને મળ્યો. ૨૫ સપ્ટેમ્બરના રોજ સ્વિડનના નોબેલ તરીકે ઓળખાતા ’રાઇટ લાઇવલીહૂડ’ ઍવૉર્ડથી તેના પોતાના દેશે તેનું સન્માન કર્યું. બ્રિટિશ મેગેઝિન ’VOGUE’ના સપ્ટેમ્બર, ૨૦૧૯ના અંકના કવર પેજ પર પંદર શક્તિશાળી સ્ત્રીઓમાં તેને સ્થાન મળ્યું. નોંધપાત્ર બાબત એ છે કે, આ કવર પેજ ગેસ્ટ એડિટર ડચેસ ઑફ સસેક્સ – મેગને બનાવ્યું હતું. ચિલ્ડ્રન ક્લાઇમેટ પ્રાઇઝ, યંગ રોલ મૉડેલ માટેની સ્કોલરશીપ અને આવા તો બીજા અનેક ઇનામો અને એવોડ્‌ર્સથી ગ્રેટા તુન્બર્ગનું સન્માન થયું છે, જે તેને મળેલી વૈશ્વિક માન્યતાને દર્શાવે છે. ગ્રેટા પોતાના આંદોલનને સંપૂર્ણ સમર્પિત છે. તેણે ઇનામની મોટા ભાગની રકમ ક્લાઇમેટચેન્જના નેક કામ માટે વાપરી છે, ક્યાં તો તે કામ માટે દાનમાં આપી દીધી છે.

સ્ત્રી પ્રકૃતિની કન્યા છે. ગાંધીજી કહે છે કે, “કોઈ સ્ત્રી પોતાના કામમાં તમામ શક્તિ લગાવી દે, ત્યારે તે પહાડને પણ હલાવી શકે છે !” સ્ત્રી કોઈ પણ સમસ્યાનો ઉત્તમ ઉપાય ખોળી કાઢે છે. અસુરોના આતંક સામે દેવોએ હથિયાર હેઠાં મૂક્યાં ત્યારે દેવીશક્તિએ જ અસુરમર્દન કર્યું હતું. સ્ત્રીનું ઉત્તમ લક્ષણ ખુમારી અને સ્વાભિમાન છે. કર્મશીલ ગ્રેટા તુન્બર્ગ આવી જ ’પૃથા’ છે. પૃથ્વીના ભાવિને ગ્રેટાના દિવ્યચક્ષુ પારખી ચૂક્યાં છે. ’ન્યુ ટેસ્ટામેન્ટ’ના પુસ્તક ’રેવેલેશન’(પ્રકટીકરણ)ના સંદર્શનને ગ્રેટા તુન્બર્ગ સમજી ચૂકી છે, બે હજાર વર્ષ પૂર્વેનું ભાવિકથન તેને નજીકના ભવિષ્યમાં આકાર લેતું દેખાઈ રહ્યું છે ! કદાચ કોઈ દિવ્ય ચેતનાના બળે જ તેણે પૃથ્વીને બચાવવાનું આંદોલન ઉપાડ્યું છે. U.N. મહાસચિવના મતે હવે આ ગ્રહને બચાવવાની જવાબદારી યુવા પેઢી પર છે, ત્યારે કેટલાંક સ્થાપિત હિતો અને ગ્રેટાને ઉતારી પાડનાર, તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનાર નિંદકો તેને મનોરોગી અને ઉન્માદી સાબિત કરવાના અને નોબેલની રેસમાંથી તેનું નામ રદ્દ કરાવવા પ્રયત્નો કરી રહ્યા છે !! આવો, આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ કે જટાયુવૃતિ ધરાવતી, આ ધરતીની પુત્રી ગ્રેટા, મલાલા બનીને અટકી ન જાય. પણ સત્યની લડાઈ લડનાર ગાંધી બને અને શક્તિરૂપે સંસ્થાપિત થાય.

[સદ્‌ગુણા આટ્‌ર્સ કૉલેજ, અમદાવાદ]

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 144 – વર્ષ 13 – નવેમ્બર 2019; પૃ. 05-09

Loading

...102030...2,6602,6612,6622,663...2,6702,6802,690...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved