હુલ્લડની બૂમ
ફરી એક બૂમ હુલ્લડની પડી છે,
કહીં છે ગન, કહીં ચાકુ-છૂરી છે.
થયો છે લોહીનો વરસાદ જાણે,
કે રસ્તા તર ને છલકાઈ ગલી છે.
કહીં કણસે છે જખ્મી, રોડ વચ્ચે,
કહીં કંઈ કેટલી લાશો પડી છે.
આ કોના હાથપગને શ્વાન સૂંઘે,
આ કોનું શીશ, કોની ખોપરી છે.
અહીંયાં થાય છે દરરોજ માતમ,
અહીં સંગીત કે ના શાયરી છે.
છે બદમાશોની બદમાશીના દિવસ,
શરીફોની લૂંટાઈ પાઘડી છે.
હકૂમતને નથી દેખાતું કાંઈ,
કે ખુરશીઓ થઈ ગૈ આંધળી છે.
જુલમગ્રસ્તો કરે ફરિયાદ કોને,
ન કોઈ સાંભળે, ના સાંભળી છે.
અમસ્તી રાખ ના ખંખોળ ‘દીપક’,
અમારી તો બધી મિલકત બળી છે.
(કાવ્યસંગ્રહ : ‘વિસાત’, પૃ. 43; 2018)
![]()


કોઈ પણ દેશની સરકારને એક સંસ્થા ગણવામાં આવે છે. એક આર્થિક પરિપ્રેક્ષ્યમાં એક કલ્યાણકારક સંસ્થા કે રાજ્યનો ઉદ્દેશ શો ? નફાનું સામાજિકીકરણ કરવું અને સમાજના વધુને વધુ લોકો સુધી નફાનો લાભ પહોંચાડવો. જો આ સાચું હોય તો સરકારે નફો કરતા હોય એવાં સાહસોને પ્રોત્સાહન આપવું જોઈએ. એમાંથી જે આવક થાય તેનો ઉપયોગ સરકારે સમાજ માટે કલ્યાણકારક યોજનાઓમાં કરવો જોઈએ. અંગ્રેજીમાં તેને Socialism of Profit કહે છે. હવે, અર્થતંત્રનો એક સામાન્ય નિયમ છે : જે કંપની ખોટ કરતી હોય અને નફો કરવાની શક્યતા ન હોય એને બંધ કરવી તથા નફો કરતી હોય એવી કંપનીઓને પ્રોત્સાહન આપવું. અહીં પ્રશ્ર એ થાય છે કે જો કોઈ જાહેર સાહસ નબળું પડી ગયું હોય અથવા ખોટ કરતું હોય તો શું કરવું? જવાબ સરળ છે. એમાંથી આવક થવાની સંભાવના હોય તો, સરકારે એના કેટલાક હિસ્સાનું વેચાણ ખાનગી ક્ષેત્રને કરવું અને એનું સંચાલન કરવાની જવાબદારી એ કંપનીને સોંપવી. હવે આ દૃષ્ટિએ સરકારની હાલની કામગીરીનો વિચાર કરીએ.